લોકડાઉનના વૃંદાવનમાં PART-3
લોકો કહેતાં કે, એ કલમને શાહીમાં નહી પણ હાઈડ્રોક્લોરિક એસિડમાં બોળીને લખતો હતો. તેની જીભ પર અવિરત સલ્ફ્યુરિક એસિડનો સ્ત્રાવ થતો હતો. એવો ગુજરાતી ભાષાનો એકમાત્ર ભાયડો લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી ગણાય છે. મોટાં મોટાં ચમરબંધીઓ પણ બક્ષીની અડફેટે ન ચડાય એની કાળજી લેતાં હતાં. એક સમયે આ એસિડીક લેખક ગુજરાતનો સૌથી વધુ વંચાતો કોલમિસ્ટ હતો. એમનાં લખાણમાં સદાય લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ જોવા મળતી હતી. આ ખાનાબદોશ કલમકારે એકવાર એમ કહેલું : "સારી રીતે મરવા માટે પૈસા જરૂરી છે." તમે કાથીના ખાટલા પર પગ ઘસી ઘસીને મરો એનાં કરતાં ICU માં પાંચ-સાત મશીનો અને બે-પાંચ નળીઓ સાથે તથા હોસ્પિટલ સ્ટાફની દેખરેખ નીચે ઓછામાં ઓછી પીડાથી મૃત્યુ પામો એ માટે ધન જરૂરી છે.
કરમની કઠણાઈ જુઓ. આ લેખક પોતાનાં ઘરમાં, બાથરૂમમાં ન્હાવા ગયાં. ત્યાં જ એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યાં. ધન કોઈ કામ ન આવ્યું. દેવોના બિલ ગેટ્સ એવાં ભગવાન કુબેરનું નામ સાંભળ્યુ છે ? આપણાં શાસ્ત્રોમાં જેટલું અન્ય દેવોનું વર્ણન અને પરાક્રમ આવે છે એટલું કુબેરજીનું આવે છે ? વળી, આ કુબેરજી તમામ દેવતાઓમાં સૌથી કદરૂપા દેવ છે. ધનાઢ્યો, બુધ્ધિશાળીઓ અને મોટાં રાજકીય નેતાઓ મોટાભાગે કદરૂપા હોય છે એવી માન્યતા છે. ધનાઢ્ય હોવાનાં એકમાત્ર ગુણથી તમારાં ઈતિહાસો લખાતાં નથી.
પૈસા જિંદગીમાં જરૂરી છે. કોઈ શાયરે સાચું કહ્યું છે, પૈસા ખુદા તો નહી, મગર ખુદાકી કસમ, ખુદા સે કમ ભી નહી. ધનની સિધ્ધિઓ છે એમ તેની મર્યાદાઓ પણ છે. ધનથી જીંદગીની લંબાઈ થોડીક વધારી શકાય છે. મોંગોલ સમ્રાટ ચંગીઝખાન પાસે દુનિયાનો સૌથી મોટો ખજાનો હતો. લાખો લોકોની કત્લેઆમ પછી આ ખજાનો ભેગો કર્યો હતો. સમયની બલિહારી તો જુઓ- આજે એ સમ્રાટ ચંગીઝખાન પણ નથી અને એનો એ ખજાનો ક્યાં દટાઈને પડ્યો છે એની પણ કોઈને ખબર નથી.
ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામી, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ આ બધામાં એક વાતે સામ્યતા છે. આ સર્વે ક્ષત્રિય હતાં, તદુપરાંત રાજવીઓ હતાં. સંપતિ અપરંપાર હતી. ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામીએ તો એ છોડીને અન્ય સંપત્તિ મેળવવા બધું જ ત્યાગી દીધું. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનાં જીવનમાં સત્તા અને સંપતિ છોડવાનો સમય આવ્યો ત્યારે સહજભાવે તે છોડી દીધા. આપણામાં નૈતિક બળ હશે તો ધન-સંપતિ આપણાં માટે ગૌણ છે. બીજું કે આ મહાપુરોષોને એક જ્ઞાન હતું કે, ધન કરતાં પણ મહત્વનું કઈક આ પૃથ્વી પર છે, જે મેળવવું જરૂરી છે. નહી તો આ મહામાનવો સંપતિનો ત્યાગ ન કરે.
વીક ઓલિવર નામના એક વિચારકે જે કહ્યું છે તે ખૂબ ઉમદા છે : "દુનિયાનાં ચશ્મા બહુ વિચિત્ર છે ! માણસ પૈસા પાછળ દોડે તો કહેશે કે એ માણસ પૈસા પાછળ ગાંડો છે ! માણસ પૈસા ભેગાં કરે - સંચય કરે તો લોકો કહેશે કે માણસ મૂડીવાદી છે. પૈસા વાપરી નાંખે તો કહેશે કે રંગીલો છે. માણસ પૈસા મેળવી કે કમાઈ ન શકે તો કહેશે કે તદ્દન નકામો માણસ છે. માણસ પૈસા મેળવવાની અવનવી યોજનાઓ ન ઘડે તો માણસો કહેશે કે એ મહત્વાકાંક્ષા વિનાનો છે. કઈ કામ કર્યા વિના પૈસા મેળવે તો લોકો કહેશે કે એને તો પારકા પૈસે તાગડધિન્ના કરવા છે. આખી જિંદગી આકરી મહેનત કરીને માણસ પૈસા ભેગાં કરે તો લોકો કહેશે કે મૂર્ખ છે - એને જિંદગીમાં કઈ ભોગવ્યું જ નહી !!!"
ફ્રાંસ દેશના મહાન વિચારક વોલતેરે જે વાત કહી તે ખૂબ અસરકારક છે- "WHEN IT IS A QUESTION OF MONEY, EVERYBODY IS OF THE SAME RELIGION." પૈસાની વાત આવે ત્યારે દરેક જણ એક જ ધર્મનો થઈ જાય છે. બધાં એ ભ્રમમાં છે કે દુનિયાની ઈન્ટરનેશનલ ભાષા અંગ્રેજી છે, જવાબ છે - ના. ઈન્ટરનેશનલ ભાષા "પૈસાની ભાષા" છે. જે એમેઝોનના આદિવાસીથી લઈને ન્યૂયોર્કના દલાલ સુધીના દરેકને એકસરખી રીતે સમજાય છે. આ ભાષા શીખવા માટેની કોઈ ચોપડીઓ નથી, કોઈ ક્લાસ નથી, કોઈ ગુરૂજીઓની જરૂર પડતી નથી.
માણસ પાસે ધન હોવા છતાં તે દુ:ખી થાય છે તેનું એકમાત્ર કારણ છે - ધન સાથે સમજણ નથી. લોકડાઉનમાં એટલું તો સૌને સમજાય છે કે હાલ પૈસો નહિં પણ તમારી સમજદારી જ તમને બચાવશે. પ્રેમ ,લાગણી, સહકાર, પરોપકાર, સેવા આ પણ મહામુલૂ ધન છે એ વાત સમજાશે ત્યારે આપણે ધનવાન કહેવાઈશું. કોરોના લાંચ સ્વીકારતો નથી. તેની આગળ કોઈ સતા કે ઓળખાણ ચાલતી નથી. કોરોના માત્ર સાવચેતી અને સમજદારી આગળ લાચાર બની જાય છે.
આજે એ સમય આવ્યો છે કે આપણે ઈશ્વરને કહીએ, "હે પ્રભુ ! તું ચિંતા ન કરીશ, હું મારી જાતને અને મારાં કુટુંબને મારી સાવચેતી અને સમજદારીથી બચાવી લઈશ. તું અત્યારે ડોક્ટર, નર્સ અને પોલીસની મદદ કર." ફ્રાન્સના એક સમયના પ્રમુખ ચાર્લ્સ દ ગોલ હંમેશા ભગવાનને એવી પ્રાર્થના કરતાં કે," હે ઈશ્વર ! તું મારામાં વિશ્વાસ રાખ !!!" ધન-સંપતિની અગત્યતાની ના નથી. છતાંય માનવી જ્યારે સુવર્ણને ભૂલશે ત્યારે જ પૃથ્વી પર સુવર્ણયુગ આવશે.
જે.કે.સાંઈ
કરમની કઠણાઈ જુઓ. આ લેખક પોતાનાં ઘરમાં, બાથરૂમમાં ન્હાવા ગયાં. ત્યાં જ એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યાં. ધન કોઈ કામ ન આવ્યું. દેવોના બિલ ગેટ્સ એવાં ભગવાન કુબેરનું નામ સાંભળ્યુ છે ? આપણાં શાસ્ત્રોમાં જેટલું અન્ય દેવોનું વર્ણન અને પરાક્રમ આવે છે એટલું કુબેરજીનું આવે છે ? વળી, આ કુબેરજી તમામ દેવતાઓમાં સૌથી કદરૂપા દેવ છે. ધનાઢ્યો, બુધ્ધિશાળીઓ અને મોટાં રાજકીય નેતાઓ મોટાભાગે કદરૂપા હોય છે એવી માન્યતા છે. ધનાઢ્ય હોવાનાં એકમાત્ર ગુણથી તમારાં ઈતિહાસો લખાતાં નથી.
પૈસા જિંદગીમાં જરૂરી છે. કોઈ શાયરે સાચું કહ્યું છે, પૈસા ખુદા તો નહી, મગર ખુદાકી કસમ, ખુદા સે કમ ભી નહી. ધનની સિધ્ધિઓ છે એમ તેની મર્યાદાઓ પણ છે. ધનથી જીંદગીની લંબાઈ થોડીક વધારી શકાય છે. મોંગોલ સમ્રાટ ચંગીઝખાન પાસે દુનિયાનો સૌથી મોટો ખજાનો હતો. લાખો લોકોની કત્લેઆમ પછી આ ખજાનો ભેગો કર્યો હતો. સમયની બલિહારી તો જુઓ- આજે એ સમ્રાટ ચંગીઝખાન પણ નથી અને એનો એ ખજાનો ક્યાં દટાઈને પડ્યો છે એની પણ કોઈને ખબર નથી.
ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામી, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ આ બધામાં એક વાતે સામ્યતા છે. આ સર્વે ક્ષત્રિય હતાં, તદુપરાંત રાજવીઓ હતાં. સંપતિ અપરંપાર હતી. ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામીએ તો એ છોડીને અન્ય સંપત્તિ મેળવવા બધું જ ત્યાગી દીધું. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનાં જીવનમાં સત્તા અને સંપતિ છોડવાનો સમય આવ્યો ત્યારે સહજભાવે તે છોડી દીધા. આપણામાં નૈતિક બળ હશે તો ધન-સંપતિ આપણાં માટે ગૌણ છે. બીજું કે આ મહાપુરોષોને એક જ્ઞાન હતું કે, ધન કરતાં પણ મહત્વનું કઈક આ પૃથ્વી પર છે, જે મેળવવું જરૂરી છે. નહી તો આ મહામાનવો સંપતિનો ત્યાગ ન કરે.
વીક ઓલિવર નામના એક વિચારકે જે કહ્યું છે તે ખૂબ ઉમદા છે : "દુનિયાનાં ચશ્મા બહુ વિચિત્ર છે ! માણસ પૈસા પાછળ દોડે તો કહેશે કે એ માણસ પૈસા પાછળ ગાંડો છે ! માણસ પૈસા ભેગાં કરે - સંચય કરે તો લોકો કહેશે કે માણસ મૂડીવાદી છે. પૈસા વાપરી નાંખે તો કહેશે કે રંગીલો છે. માણસ પૈસા મેળવી કે કમાઈ ન શકે તો કહેશે કે તદ્દન નકામો માણસ છે. માણસ પૈસા મેળવવાની અવનવી યોજનાઓ ન ઘડે તો માણસો કહેશે કે એ મહત્વાકાંક્ષા વિનાનો છે. કઈ કામ કર્યા વિના પૈસા મેળવે તો લોકો કહેશે કે એને તો પારકા પૈસે તાગડધિન્ના કરવા છે. આખી જિંદગી આકરી મહેનત કરીને માણસ પૈસા ભેગાં કરે તો લોકો કહેશે કે મૂર્ખ છે - એને જિંદગીમાં કઈ ભોગવ્યું જ નહી !!!"
ફ્રાંસ દેશના મહાન વિચારક વોલતેરે જે વાત કહી તે ખૂબ અસરકારક છે- "WHEN IT IS A QUESTION OF MONEY, EVERYBODY IS OF THE SAME RELIGION." પૈસાની વાત આવે ત્યારે દરેક જણ એક જ ધર્મનો થઈ જાય છે. બધાં એ ભ્રમમાં છે કે દુનિયાની ઈન્ટરનેશનલ ભાષા અંગ્રેજી છે, જવાબ છે - ના. ઈન્ટરનેશનલ ભાષા "પૈસાની ભાષા" છે. જે એમેઝોનના આદિવાસીથી લઈને ન્યૂયોર્કના દલાલ સુધીના દરેકને એકસરખી રીતે સમજાય છે. આ ભાષા શીખવા માટેની કોઈ ચોપડીઓ નથી, કોઈ ક્લાસ નથી, કોઈ ગુરૂજીઓની જરૂર પડતી નથી.
માણસ પાસે ધન હોવા છતાં તે દુ:ખી થાય છે તેનું એકમાત્ર કારણ છે - ધન સાથે સમજણ નથી. લોકડાઉનમાં એટલું તો સૌને સમજાય છે કે હાલ પૈસો નહિં પણ તમારી સમજદારી જ તમને બચાવશે. પ્રેમ ,લાગણી, સહકાર, પરોપકાર, સેવા આ પણ મહામુલૂ ધન છે એ વાત સમજાશે ત્યારે આપણે ધનવાન કહેવાઈશું. કોરોના લાંચ સ્વીકારતો નથી. તેની આગળ કોઈ સતા કે ઓળખાણ ચાલતી નથી. કોરોના માત્ર સાવચેતી અને સમજદારી આગળ લાચાર બની જાય છે.
આજે એ સમય આવ્યો છે કે આપણે ઈશ્વરને કહીએ, "હે પ્રભુ ! તું ચિંતા ન કરીશ, હું મારી જાતને અને મારાં કુટુંબને મારી સાવચેતી અને સમજદારીથી બચાવી લઈશ. તું અત્યારે ડોક્ટર, નર્સ અને પોલીસની મદદ કર." ફ્રાન્સના એક સમયના પ્રમુખ ચાર્લ્સ દ ગોલ હંમેશા ભગવાનને એવી પ્રાર્થના કરતાં કે," હે ઈશ્વર ! તું મારામાં વિશ્વાસ રાખ !!!" ધન-સંપતિની અગત્યતાની ના નથી. છતાંય માનવી જ્યારે સુવર્ણને ભૂલશે ત્યારે જ પૃથ્વી પર સુવર્ણયુગ આવશે.
જે.કે.સાંઈ
0 Comments