Friday, May 29, 2020

क्रान्तिकारी विजय सिंह पथिक

विजय सिंह पथिक

जन्म 27 फरवरी 1882 , ग्राम गुठावली , जिला बुलन्द शहर , उत्तर प्रदेश

मृत्यु 28 मई 1954

अन्य नाम : भूप सिंह गुर्जर, राष्ट्रीय पथिक

माता-पिता : कमल कुमारी (माता) हमीर सिंह गुर्जर (पिता)

विजय सिंह पथिक उर्फ़ भूप सिंह गुर्जर भारतके एक प्रमुख स्वतंत्रता सेनानी थे। उन्हें राष्ट्रीय पथिक के नाम से भी जाना जाता है। उनका जन्म बुलन्द शहर जिले के ग्राम गुठावली कलाँ के एक गुर्जर परिवार में हुआ था। उनके दादा इन्द्र सिंह बुलन्द शहर स्थित मालागढ़ रियासत के दीवान (प्रधानमंत्री) थे जिन्होंने 1857 के प्रथम स्वतन्त्रता संग्राम में अंग्रेजों से लड़ते हुए वीरगति प्राप्त की थी। पथिक जी के पिता हमीर सिंह गुर्जर को भी क्रान्ति में भाग लेने के आरोप में अंग्रेज सरकारने गिरफ्तार किया था। पथिक जी पर उनकी माँ कमल कुमारी और परिवार की क्रान्तिकारी व देशभक्ति से परिपूर्ण पृष्ठभूमि का बहुत गहरा असर पड़ा। युवावस्था में ही उनका सम्पर्क रास बिहारी बोस और शचीन्द्र नाथ सान्याल आदि क्रान्तिकारियों से हो गया था।

1915 के लाहौर षड्यन्त्र के बाद उन्होंने अपना असली नाम भूपसिंह गुर्जर से बदल कर विजयसिंह पथिक रख लिया था। मृत्यु पर्यन्त उन्हें इसी नाम से लोग जानते रहे। मोहनदास करमचंद गांधीके सत्याग्रह आन्दोलन से बहुत पहले उन्होंने बिजौलिया किसान आंदोलनके नाम से किसानों में स्वतंत्रता के प्रति अलख जगाने का काम किया था।

बिजौलिया किसान आंदोलन

1912 में ब्रिटिश सरकार ने भारत की राजधानी कलकत्ता से हटाकर दिल्ली लाने का निर्णय किया। इस अवसर पर भारत के गवर्नर जनरल लार्ड हाडिंग ने दिल्ली प्रवेश करने के लिए एक शानदार जुलूस का आयोजन किया। उस समय अन्य क्रान्तिकारियों ने जुलूस पर बम फेंक कर लार्ड हार्डिग को मारने की कोशिश की किन्तु वायसराय साफ बच गया। रास बिहारी बोस, जोरावर सिंह, प्रताप सिंह, पथिक जी व अन्य सभी सम्बन्धित क्रान्तिकारी अंग्रेजों के हाथ नहीं आये और वे फरार हो गए। 1915 में रास बिहारी बोस के नेतृत्व में लाहौर में क्रान्तिकारियों ने निर्णय लिया कि 21 फ़रवरी को देश के विभिन्न स्थानों 1857 की क्रान्ति की तर्ज पर सशस्त्र विद्रोह किया जाए। भारतीय इतिहास में इसे गदर आन्दोलन कहते हैं। योजना यह थी कि एक तरफ तो भारतीय ब्रिटिश सेना को विद्रोह के लिए उकसाया जाए और दूसरी तरफ देशी राजाओं की सेनाओं का विद्रोह में सहयोग प्राप्त किया जाए। राजस्थान में इस क्रान्ति को संचालित करने का दायित्व विजय सिंह पथिक को सौंपा गया। उस समय पथिक जी फिरोजपुर षडयन्त्र केस में फरार थे और खरवा (राजस्थान) में गोपाल सिंह के पास रह रहे थे। दोनों ने मिलकर दो हजार युवकों का दल तैयार किया और तीस हजार से अधिक बन्दूकें एकत्र की। दुर्भाग्य से अंग्रेजी सरकार पर क्रान्तिकारियों की देशव्यापी योजना का भेद खुल गया। देश भर में क्रान्तिकारियों को समय से पूर्व पकड़ लिया गया। पथिक जी और गोपाल सिंह ने गोला बारूद भूमिगत कर दिया और सैनिकों को बिखेर दिया गया।

कुछ ही दिनों बाद अजमेरके अंग्रेज कमिश्नर ने पाँच सौ सैनिकों के साथ पथिक जी और गोपाल सिंह को खरवा के जंगलों से गिरफ्तार कर लिया और टाडगढ़ के किले में नजरबंद कर दिया। उन्हीं दिनों लाहौर षडयंत्र केस में पथिक जी का नाम उभरा और उन्हें लाहौर ले जाने के आदेश हुए। किसी तरह यह खबर पथिक जी को मिल गई और वो टाडगढ़ के किले से फरार हो गए। गिरफ्तारी से बचने के लिए पथिक जी ने अपना वेश राजस्थानी राजपूतों जैसा बना लिया और चित्तौडगढ़ क्षेत्र में रहने लगे। बिजौलिया से आये एक साधु सीताराम दास उनसे बहुत प्रभावित हुए और उन्होनें पथिक जी को बिजौलिया आन्दोलन का नेतृत्व सम्भालने को आमंत्रित किया। बिजौलिया उदयपुर रियासत में एक ठिकाना था। जहाँ पर किसानों से भारी मात्रा में मालगुजारी वसूली जाती थी और किसानों की दशा अति शोचनीय थी। पथिक जी 1916 में बिजौलिया पहुँच गए और उन्होंने आन्दोलन की कमान अपने हाथों में सम्भाल ली। प्रत्येक गाँव में किसान पंचायत की शाखाएँ खोली गई। किसानों की मुख्य माँगें भूमि कर, अधिभारों एवं बेगार से सम्बन्धित थी। किसानों से 84 प्रकार के कर वसूले जाते थे। इसके अतिरिक्त युद्व कोष कर भी एक अहम मुददा था। एक अन्य मुददा साहूकारों से सम्बन्धित भी था जो जमीदारों के सहयोग और संरक्षण से किसानों को निरन्तर लूट रहे थे। पंचायत ने भूमि कर न देने का निर्णय लिया गया। किसान वास्तव में 1917 की रूसी क्रान्ति की सफलता से उत्साहित थे, पथिक जी ने उनके बीच रूसमें श्रमिकों और किसानों का शासन स्थापित होने के समाचार को खूब प्रचारित किया था। विजय सिंह पथिक ने कानपुरसे प्रकाशित गणेशशंकर विद्यार्थी द्वारा सम्पादित पत्र प्रताप के माध्यम से बिजौलिया के किसान आन्दोलन को समूचे देश में चर्चा का विषय बना दिया।

1919 में अमृतसर कांग्रेस में पथिक जी के प्रयत्न से बाल गंगाधर तिलकने बिजौलिया सम्बन्धी प्रस्ताव रखा। पथिक जी ने मुम्बई जाकर किसानों की करुण कथा गांधी जी को सुनाई। गांधी जी ने वचन दिया कि यदि मेवाड़ सरकार ने न्याय नहीं किया तो वह स्वयं बिजौलिया सत्याग्रह का संचालन करेगें। महात्मा गांधी ने किसानों की शिकायत दूर करने के लिए एक पत्र महाराणा को लिखा पर कोई हल नहीं निकला। पथिक जी ने बम्बई यात्रा के समय गांधी जी की पहल पर यह निश्चय किया गया कि वर्धा से राजस्थान केसरी नामक पत्र निकाला जाये। पत्र सारे देश में लोकप्रिय हो गया, परन्तु पथिक जी का जमनालाल बजाज की विचारधारा से मेल नहीं खाया और वे वर्धा छोड़कर अजमेर चले गए।

1920 में पथिक जी के प्रयत्नों से अजमेर में राजस्थान सेवा संघकी स्थापना हुई। शीघ्र ही इस संस्था की शाखाएँ पूरे प्रदेश में खुल गईं। इस संस्था ने राजस्थान में कई जन आन्दोलनों का संचालन किया। अजमेर से ही पथिक जी ने एक नया पत्र नवीन राजस्थान प्रकाशित किया। 1920 में पथिक जी अपने साथियों के साथ नागपुर अधिवेशन में शामिल हुए और बिजौलिया के किसानों की दुर्दशा और देशी राजाओं की निरंकुशता को दर्शाती हुई एक प्रदर्शनी का आयोजन किया। गांधी जी पथिक जी के बिजौलिया आन्दोलन से प्रभावित तो हुए परन्तु उनका रुख देशी राजाओं और सामन्तों के प्रति नरम ही बना रहा।

कांग्रेस और गांधी जी यह समझने में असफल रहे कि सामन्तवाद साम्राज्यवाद का ही एक स्तम्भ है और ब्रिटिश साम्राज्यवाद के विनाश के लिए साम्राज्यवाद विरोधी संघर्ष के साथ-साथ सामन्तवाद विरोधी संघर्ष आवश्यक है। गांधी जी ने अहमदाबाद अधिवेशन में बिजौलिया के किसानों को हिजरत (क्षेत्र छोड़ देने) की सलाह दी। पथिक जी ने इसे अपनाने से यह कहकर इनकार कर दिया कि यह तो केवल हिजड़ों के लिए ही उचित है मर्दों के लिए नहीं। सन् 1921 के आते-आते पथिक जी ने राजस्थान सेवा संघ के माध्यम से बेगू, पारसोली, भिन्डर, बासी और उदयपुरमें शक्तिशाली आन्दोलन किए। बिजौलिया आन्दोलन अन्य क्षेत्र के किसानों के लिए प्रेरणा स्रोत बन गया था। ऐसा लगने लगा मानो राजस्थान में किसान आन्दोलन की लहर चल पड़ी है। इससे ब्रिटिश सरकार डर गई। इस आन्दोलन में उसे बोल्शेविक आन्दोलन की प्रतिछाया दिखाई देने लगी। दूसरी ओर कांग्रेस के असहयोग आन्दोलन शुरू करने से भी सरकार को स्थिति और बिगड़ने की भी आशंका होने लगी। अंतत: सरकार ने राजस्थान के ए० जी० जी० हालैण्ड को बिजौलिया किसान पंचायत बोर्ड और राजस्थान सेवा संघ से बातचीत करने के लिए नियुक्त किया। शीघ्र ही दोनो पक्षों में समझौता हो गया। किसानों की अनेक माँगें मान ली गईं। चैरासी में से पैंतीस लागतें माफ कर दी गईँ। जुल्मी कारिन्दे बर्खास्त कर दिए गए। किसानों की अभूतपूर्व विजय हुई। इस बीच में बेगू में आन्दोलन तीव्र हो गया। मेवाड सरकार ने पथिक जी को गिरफ्तार कर लिया और उन्हें पाँच वर्ष की सजा सुना दी गई। लम्बे अरसे की कैद के बाद पथिक जी अप्रैल 1927 में रिहा हुए।

अधेड़ आयु में विवाह

48 वर्ष की अधेड़ आयु में उन्होंने 1930 में एक विधवा अध्यापिका से विवाह करके गृहस्थ जीवन शुरू किया ही था कि एक माह बाद उन्हें फिर गिरफ़्तार कर लिया गया। उनकी पत्नी जानकी देवी ने ट्यूशन करके घर का खर्च चलाया। पथिक जी को इस बात का मरते दम तक अफ़सोस रहा कि वे राजस्थान सेवा आश्रमको ज्यादा दिनों तक चला न सके और अपने मिशन को अधूरा छोड़ कर चले गये।

निधन

पथिक जी जीवनपर्यन्त निःस्वार्थ भाव से देश सेवा में जुटे रहे। भारत माता का यह महान सपूत 28 मई 1954 में चिर निद्रा में सो गया। पथिक जी की देशभक्ति निःस्वार्थ थी और जब वह मरे उनके पास सम्पत्ति के नाम पर कुछ नहीं था जबकि तत्कालीन सरकार के कई मंत्री उनके राजनैतिक शिष्य थे। राजस्थान के पूर्व मुख्यमंत्री श्री शिवचरण माधुर ने पथिक जी का वर्णन राजस्थान की जागृति के अग्रदूत महान क्रान्तिकारी के रूप में किया। पथिक जी के नेतृत्व में संचालित हुए बिजौलिया आन्दोलन को इतिहासकार देश का पहला किसान सत्याग्रह मानते हैं।

कवि लेखक और पत्रकार

पथिक जी क्रांतिकारी व सत्याग्रही होने के अलावा कवि, लेखक और पत्रकार भी थे। अजमेरसे उन्होंने नव संदेश और राजस्थान संदेशके नाम से हिन्दी के अखबार भी निकाले।तरुण राजस्थान नाम के एक हिन्दी साप्ताहिक में वे"राष्ट्रीय पथिक" के नाम से अपने विचार भी व्यक्त किया करते थे। पूरे राजस्थानमें वे राष्ट्रीय पथिकके नाम से अधिक लोकप्रिय हुए।

उनकी कुछ पुस्तकें इस प्रकार हैं !

अजय मेरु (उपन्यास)

पथिक प्रमोद(कहानी संग्रह)

पथिकजी के जेल के पत्र

पथिक की कविताओं का संग्रह

गांधीजी का उनके बारे में कहना था-"और लोग सिर्फ़ बातें करते हैं परंतु पथिक एक सिपाही की तरह काम करता है।" उनके काम को देखकर ही उन्हें राजपूताना व मध्य भारत की प्रांतीय कांग्रेस का अध्यक्ष नियुक्त किया गया था। भारत सरकारने विजय सिंह पथिक की स्मृति में डाक टिकट भी जारी किया।उनकी लिखी हुई कविता की ये पंक्तियाँ बहुत लोकप्रिय हुई थीं :"यश वैभव सुख की चाह नहीं, परवाह नहीं जीवन न रहे; यदि इच्छा है तो यह है-जग में स्वेच्छाचार दमन न रहे।

शत शत नमन वंदे मातरम जय हिन्द !

क्रांतिकारी भगवती चरण बोहरा

भगवती चरण बोहरा

जन्म 15 नवंबर 1903 आगरा

बलिदान 28 मई 1930 रावी नदी के तट पर

भगवती चरण बोहरा जी एक प्रसिद्ध क्रांतिकारी थे, उनका जन्म आगरा में हुआ था।

उनके पिता राय साहब पंडित शिवचरण लाल जी रेलवे में नौकरी करने के साथ-साथ रूपए उधार देने का भी काम करते थे। इसलिए यह परिवार ‘बोहरा’ नाम से प्रसिद्ध हो गया।

भगवती चरण बोहरा जी की शिक्षा लाहौर के नेशनल कॉलेज में हुई। वहां सरदार भगत सिंह जी और सुखदेव जी उनके सहपाठी थे। यहीं से उनका क्रांतिकारी जीवन आरंभ हुआ।

इन लोगों ने क्रांतिकारी विचारों के प्रचार-प्रसार के लिए एक ‘अध्ययन केन्द्र’ बनाया।
लाला लाजपत राय जी द्वारा स्थापित ‘लोक सेवक समाज’ का पुस्तकालय इनका केन्द्र था। वहां संसार-भर की क्रांतियों से संबंधित ग्रंथ मंगाए और पढ़े जाते थे।
1926 में इन लोगों ने ‘नव जवान भारत सभा’ की स्थापना की। इसका उद्देश्य मुख्यतः अहिंसा और नरमपंथ की राजनीति का विरोध करना और सशस्त्र क्रांति के द्वारा विदेशी सत्ता को उखाड़ फेंकना था।
भगवती चरण बोहरा जी इस सभा के प्रचार मंत्री थे। इन लोगों ने बंगाल और उत्तर प्रदेश के क्रांतिकारियों से भी संपर्क स्थगित किया।

इसी के बाद ‘हिन्दुस्तान रिपब्लिकन एसोसिएशन’ की स्थापना हुई, जिसके साथ बाद में ‘सोशलिस्ट’ शब्द भी जोड़ दिया गया था।

भगवती चरण बोहरा जी का विवाह दुर्गा देवी जी से हुआ था। इस वीर महिला ने भी अपने पति के समान ही क्रांतिकारी आन्दोलन में सक्रिय भाग लिया और बड़े-बड़े खतरे उठाए। वे दुर्गा भाभी के नाम से प्रसिद्ध हुईं।

लाला लाजपत राय जी पर लाठी बरसाने वाले पुलिस अधिकारी स्कॉट के भ्रम में सांडर्स को गोली का निशाना बनाने और केन्द्रीय असेम्बली में बम फेंकने के बाद भगत सिंह जी और उनके साथी गिरफ्तार हो चुके थे।
क्रांतिकारियों ने इसी बीच वाइसराय की ट्रेन को बम से उड़ाने की असफल चेष्टा भी की थी। फिर यह निश्चय किया गया कि भगत सिंह जी को लाहौर की जेल से छुड़ाया जाए। इसके लिए बम बनाए गए। उन बमों का परीक्षण करते समय 28 मई 1930 को रावी नदी के तट पर भगवती चरण बोहरा जी वीरगति को प्राप्त हो गए।

शत शत नमन वंदे मातरम् जय जवान जय हिंद

Monday, May 25, 2020

ઇતિહાસ :- દરિયાઈ મુસાફરી દ્વારકા થી પોરબંદર

આપણને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પહેલાં રાજાશાહીમાં દ્રારકામાં ગાયકવાડી રાજસત્તા વખતે ગરીબો પદયાત્રા કરીને દ્રારકા તો પહોંચી જતા હતા પરંતુ દ્રારકાધીશના દર્શન અને ગોમતી સ્નાન કરી શકતા નહી.
કારણ કે તેમની પાસે કર ભરવાના રૂપિયા ન રહેતા.

1. ઇ.વ. 1923માં મુંબઈથી જામનગર અને પોરબંદરથી જમીન મારગે દવારકા જઈ શકાતું હતું પરંતુ રસ્તામાં ચોર, લુંટારાઓ અને બહારવટીયાઓનું જોખમ હોવાથી સ્ટીમરમા કે બોટમાં જવું સગવડતા ભર્યું હતું. સ્ટીમરમાં મુંબઈથી ત્રીજા વર્ગનું ભાડું રૂ.5 અને બીજા વર્ગનું ભાડું રૂ. 10 હતું. સ્ટીમર અને બોટમાં ખાવાની ચીજો મળતી હતી પરંતુ મુસાફરો ખાવાનું સાથે લઈ આવતા હતા.

2. સ્ટીમર મુંબઈથી પ્રથમ વેરાવળ પછી માંગરોળ પછી પોરબંદર એમ એક એક કલાક ઊભી રહીને 36 કલાકે દવારકા પહોચીને કિનારાથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી હતી.

3. કિનારે જવા માટે હોડીઓ બાજુમાં તૈયાર રહેતી. હોડીઓ પણ કિનારેથી થોડે દુર સમુદ્રમાં ઉભી રહેતી હતી અને એક આનો આપવાથી ખારવાઓ હોડીમાથી ઉતારી ખુરશીમાં બેસાડીને ઊચકીને કિનારાએ ઉતારતા.

4. ગાયકવાડી રાજસત્તા ગોમતીજીમાં સ્નાન કરવાના દરેક યાત્રીના રૂ. 1.25 વસૂલતા હતા ઉપરાંત યાત્રાનો મૂંડકાવેરો અલગથી (દરેક વ્યક્તિનો કર ) લેવાતો હતો.

5. ઈ.વ. ૧૯૨૩માં દવારકની વસ્તી 400 ઘરોની હતી. અને ગુગલી બ્રાહ્મણની દ્રારકામાં ધાક હતી.

6. ઈ.વ. ૧૯૨૩માં જગદગુરુ શ્રીમદ શંકરાચાર્યને પોતાની ગાડી હતી.

7. દ્રારકાથી દુર બેટદ્રારકાનું મહત્વ દ્રારકા જેટલું જ હતું. બળદ ગાડામાં તથા હોડીમા બેસીને બેટદ્રારકા જઈ શકાતું. બેટદ્રારકામાં ભગવાન દવારકાધીશનું મંદિર, બાજુમાં પ્રદ્યુમનજી ત્રિકમજી તથા ચાર રાણીઓ રાધિકા, સત્યભામા, જામવંતી અને રુકમણીજીનાં મંદિર હતાં.

8. ગાયકવાડી રાજસતા બેટદ્રારકામાં પણ મૂંડકાવેરો વસુલતી હતી. મુખ્ય મંદિરમાં દર્શન કરવાના દરેક યાત્રીના રૂ. 1.75નો કર હતો.

9 બેટદ્રારકાથી ગોપી તળાવે યાત્રાળુઓ અચૂક જતા હતા. ત્યાં ગોપીનાથજી તથા ગોપાલજીના મંદીર છે. કૃષ્ણ ભગવાન ગોપીચંદન અહિયાજ થયા હતા. ત્યાંથી નાગનાથ મહાદેવ જવાતું હતું.

9. દવારકાથી ગાડામાં બેસીને અથવા બોટમાં કે સ્ટીમરમાં બેસીને પોરબંદર જવાતું હતું. ગાડા મારગે રસ્તામાં ચોર લુટારાઓનો અતિશય ભય હતો તેથી યાત્રાળુઓ સ્ટીમરમાં કે બોટમાં જવાનું પસંદ કરતા અને સ્ટીમર અઠવાડિયાએ એક વખત જતી હતી અને બોટમાં માણસ દીઠ 1 રૂ. ભાડું હતું.

10 ત્યારે પોરબંદરમાં પથ્થરની બાંધણી, રેસમની પાઘડી અને ઉનના ધાબડાઓ અને બરડાની લાકડી પ્રખ્યાત હતા.

Wednesday, May 20, 2020

કોરોના લોકડાઉન અને પર્યાવરણ

બહારના દેશમાંથી પગપેસારો કરનાર કોરોના વાયરસ ભારતમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી,જેના કારણે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાય.

જો કે વડાપ્રધાનના આ નિર્ણયને દેશની જનતાએ લોકડાઉનનું સમર્થન કર્યું છે,લોકડાઉનના કારણે દેશની જનતા ઘરમાં જ રહેતી થઈ અને વ્યવસાય પણ સંપૂર્ણ પણે બંધ થયા,જેના કારણે રસ્તાઓ સુના બન્યા અને હવામાન પણ શુદ્ધ થવા લાગ્યું, લોકડાઉનની સકારાત્મક અસરો થતી જોવા મળી રહી છે.

આપણામાં કહેવત છે કે સિક્કાની હંમેશા બે બાજુ પણ હોય જ છે, તેવી જ રીતે કોરોના વાયરસની નકારાત્મક અસરોની જેમ સકારાત્મરક બાજુ પણ છે. બીજી તરફ જોઈએ તો આ વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવાથી પર્યાવરણ પર તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

કોરોના  વાયરસના કારણે એક તરફ સમગ્ર દુનિયામાં હજારો લોકોના મૃત્યુ નિપજ્યાછે ત્યારે બીજી તરફ લોકડાઉન પર્યાવરણ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે વાયુ અને જળના પ્રદુષણમાં ભારે ઘટાડો નોંધાયો છે.

ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ. 

પર્યાવરણના જાણકાર ભૂષણનું કહેવું છે કે કોરોના વાયરસના કેરના કારણે આજે સમગ્ર દુનિયામાં લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. ભાગતી દુનિયાની ઝડપ ઓછી થઈ છે. કાર્બન ઉત્સર્જન ખુબ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન 5 ટકા ઘટશે. જેનો ફાયદો સીધો આપણા જીવન પર જોવા મળશે. 

તેઓના કહેવા મુજબ પ્રદૂષણની વાત કરીએ તો લોકડાઉનમાં વાયુ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું છે. જેની અસર એ છે કે જાનવરો અને જીવજંતુ બહાર નીકળે છે. તેમને પણ ખુબ રાહત મળી છે. 

સમર્ગ દેશમાં લોકડાઉન બાદ દેશના વિવિધ શહેરમાં પ્રદૂષણમાં ધટાડો નોંધાયો છે. રોજિંદા સમયે અમુક શહેરોમાં એર કવોલિટી ઈન્ડેક્સ સરેરાશ 150 થી 200 સુધીમાં રહેતો હતો. જેથી શ્વાસના દર્દીઓ તેમજ નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. પરંતુ લોક ડાઉન બાદ અમુક શહેરોમાં જ્યાં ભારે ટ્રાફિક હોય છે. જેના કારણે પ્રદૂષણ વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્સ 100થી નીચે આવ્યો છે. જેથી પ્રદૂષણ ઘટ્યું છે.

જો પ્રદૂષણમાં ઘટાડાની વાત કરવામાં આવે તો 144ની કલમ લાગુ કરતા શહેરો તથા ગામડાઓ સજ્જડ બંધ જોવા મળે છે. કોરોના વાયરસના કારણે નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા માટેની સૂચના અપાઈ છે. જેનું નાગરિકો અને પોલીસ કર્મીઓ દ્વારા પણ પાલન કરવામાં આવે છે. જેથી શહેરીજનો આવી પરિસ્થિમાં કામ વગર બહાર નિકળતા નથી. જેથી વાહનોનો ઝેરી ધુમાડો હવાને પ્રદુષિત કરતો નથી. બીજી બાજુ વાત કરવામાં આવે તો તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના તમામ દુકાનો કે કેમિકલ કે અન્ય ફેક્ટરીઓ બંધ છે. જેને કારણે તેનો ઝેરી ધુમાડો હવામાં ભરતો નથી. જેથી હવાનું પ્રદૂષણ થતું નથી. તેમજ ઘટાડો પણ જોવા મળી  રહ્યો છે. જોકે આગામી દિવસોમાં હજી પણ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળી  રહેશે. તેમજ શહેરીજનોને શુદ્ધ હવા મળી રહેશે. જેથી કહી શકાય કે લોક ડાઉન કરવાથી પ્રદૂષણમાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે


કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે લોકોને ભલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હોય, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિ માટે તો આ લોકડાઉન લાભદાયી નિવડ્યું છે. લોકડાઉનના કારણે પ્રદૂષણમાં અભુતપૂર્વ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નદીઓના પાણી પણ એકદમ શુદ્ધ અને પ્રદૂષણમુક્ત થાય છે. સરકાર જે કામ કરોડો રુપિયાના ખર્ચ છતા ના કરી શકી તે ગંગા અને યમુના નદીને સ્વચ્છ કરવાનું કામ લોકડાઉને કરી આપ્યું છે.

ગંગા નદીનું પાણી એટલું શુદ્ધ થયું છે કે તળીયાની જમીન ઉપરથી જ સ્પષ્ટ દેખાવા લાગી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ગંગા નદીના પાણીમાં હાનિકારક જીવાણુ અને ગંદકીમાં અભુતપૂર્વ ઘટાડો થયો છે. ઋષિકેશ, હરિદ્વાર, બનારસ, બિહાર વગેરે તમામ જગ્યા પર ગંગા નદીનું પાણી એકદમ શુદ્ધ થયું છે. પાણી એટલું શુદ્ધ થયું છે કે હવે તે સીધું પીવાલાયક છે.

લોકડાઉનના કારણે ગંગાના કિનારા ઉપર તમામ પ્રકારની પ્રવૃતિ થંભી ગઇ છે. ઉપરાંત આસપાસની તમામ ફેક્ટરી, ઉદ્યોગો અને માનવ પ્રવૃતિ પણ બંધ છે. જેથી ગંગાને આ નવજીવન મળ્યું છે, તેમ કહી શકાય. જે માછલીઓ ગંદકી અને પ્રદૂષણના કારણે મોતને ભેટતી હતી, તેઓ હવે ઘાટના પગથિયા પર જોવા મળે છે. ગંગા કિનારે રહેતા લોકો જણાવે છે કે છેલ્લા 40 વર્ષમાં ગંગા પહેલી વખત આટલી શુદ્ધ થઇ છે.

લોકડાઉનના કારણે હાલ માત્ર નદીઓ જ નહી પરંતુ હવામાન પણ શુદ્ધ બન્યું છે,હવામાં પ્રદુષણનું પ્રમાણ મોટે ભાગે ઘટી ગયું છે તો બીજી તરફ પશું-પક્ષીઓ પણ શુદ્ધ હવામાં ફરકતા જોવા મળી રહ્યા છે, જ્યારે માનવ જાત હાલ ઘરોમાં બંધ છે ત્યારે પશુઓ તથા પક્ષીઓ બહાર ફરી રહ્યા છે, કુદરતી આફતે આજે પૃથ્વી પરના પ્રયાવરણને શુદ્ધ બનાવ્યું છે. યમુના નદી,ગંગા નદી અને બીજી ધણી નદીઓના પાણીઓ શુદ્ધ થયા છે.નદીઓની સુધરેલી ગુણવત્તા જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે,આ તમામ પ્રકારના પર્યાવરમ પ્રદુષમ માટે માત્રને માત્ર માનવ જ જવાબદાર છે.


શું તમે વિચારી શકો છો કે આપણે અત્યાર સુધી જે કામ કર્યા તેનાથી પૃથ્વીને કેટલી બરબાદી ઝેલવી પડી છે. જે હાલ તો ખુબ ઓછી થઈ ગઈ છે. 2016ના એક રિપોર્ટ મુજબ 6 અબજ  કિલોગ્રામ ઔદ્યોગિક કચરો રોજ સમુદ્રમાં ઠલવાતો હતો જે હવે નહિવત જેવું છે. 

જો ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે પ્રદૂષણના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડે છે. જ્યારે જળ પ્રદૂષણના આંકડા દર્શાવે છે કે દર 8 સેકન્ડમાં એક બાળક ગંદા પાણીના કારણે મરે છે. વાયુ પ્રદૂષણનું સ્તર પણ એ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું કે માત્ર મુંબઈમાં એક સ્વસ્થ વ્યક્તિનું શ્વાસ લેવું એ 100 સિગરેટ બરાબર જોવા મળતું હતું. 


આજે જ્યારે ચારેબાજુ લોકડાઉન છે તો એવામાં માણસોના ફેફસા, કિડની અને હ્રદય પર પડનારી પ્રદૂષણની અસર ઓછી થઈ છે. પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યાં મુજબ જો ભવિષ્યમાં આ જ પ્રકારે કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાની કેટલીક અલગ કોશિશો કરવામાં આવે તો આ ધરતીનું સંકટ ઘણું ઓછું થઈ શકે છે. 

ટૂંકમાં જો આપણે ખરેખર પર્યાવરણમાં પરિવર્તન લાવવું હોય તો લોંગ ટર્મ કાર્બન ઉત્સર્જન ઓછું થાય તેવી કોશિશ કરવી જોઈએ. બધાને આસમાની આકાશ અને ચોખ્ખુ પાણી ગમે છે. જેને કાયમ રાખવા માટે ઈન્ડસ્ટ્રીમાં કડકાઈથી પ્રતિબંધો લાદવા જોઈએ. જેથી કરીને તેઓ પ્રદૂષણ ન કરે. રોડ પર ગાડીઓને ઈલેક્ટ્રિક મોડ પર લઈ જવી જોઈએ, સોલર ઉર્જા અને વાયુ ઉર્જાનો વધુ ઉપયોગ થવો જોઈએ. જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય. ત્યારે જ આપણે આવનારા સમયમાં પૃથ્વી દિવસ પર પૃથ્વીને સાચી અને સુંદર ભેટ આપી શકીશું. જેથી કરીને તે પણ આપણને સારી રિટર્ન ભેટ આપી શકે. 

ઇતિહાસનું અજાણ્યું પાનું :- કાનજી માલમ

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?

ઈતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો દ ગામાને આપે છે. પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો, ત્યારે કચ્છના દરિયો ખુંદનાર માલમો આફ્રિકા સુધી પોતાના વહાણો લઈને જતા. ભારત સુધી પહોંચવામાં વાસ્કો દ ગામાને માર્ગ બતાવનાર માંડવીના કાનજી માલમની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે. કાનજી માલમે વાસ્કો દ ગામાને કાલીકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો, તેણે અરબ સાગરમાં વાસ્કો દ ગામાનું વહાણ પણ હંકાર્યું હતું. જેટલો જશ વાસ્કો દ ગામાને મળ્યો એટલો તે વખતે કાનજી માલમને મળત તો ઈતિહાસ કંઈક જુદો હોત.

એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે. તેમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે. માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટપટા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોળામાં રમતું બાળક. કચ્છના લોહાણા, ભાટિયા, ખોજા, મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી. પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી. તે સમયે કચ્છનાં ભદ્રેશ્વર, કોટેશ્વર, માંડવી અને મુંદ્રા જેવા બંદરીય નગરોમાં રહેતા વેપારીઓ ઈરાન, અરબસ્તાન, મોમ્બાસા, પૂર્વી આફ્રિકા ઝાંઝીબાર, જાવા, સુમાત્રા, એડન, મલીન્દી, દમાસ્કસ, મસ્કત જેવા વિદેશી બંદરો સાથે વેપાર કરતા. મીઠુ, અફીણ, ઢાલ, તલવાર, ચપ્પુ, કિનખાબી કાપડ, ધાબળા, ઢાલ અને પગરખાં જેવી ચીજવસ્તુઓને લઈને જતા અને ત્યાંથી ખજુર, હાથીદાંત, ઘઉં, ચોખા, નારીયેળી, સુકો મેવો, રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતા. એ વેપારીઓના વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રે જ શૌર્ય અને દિશા બતાવી હતી. જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા, ત્યારે કચ્છની વહાણવટાના ઈતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય તેવો કાનજી માલમ નામનો વહાણવટી પોતાની દરિયા વિશેની આગવી સુઝ દરિયાઈ પવનો અને એના આધારે ચલતા વહાણોની દિશા નક્કી કરી શકતો હતો. તે કાળી દીબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાનથી વહાનને સાચી દિશા આપી શકતો. કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડુ જ્ઞાન હતું. આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છી ભાષા. કાનજી માલમ કચ્છી બોલતો. ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઇને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા, મલીન્દી, મોગાદીસુ, કીલ્વા, ઝાઝીવાર અને દારેસલામ જેવા બંદરોની સફરે જતો. પરંતુ વિશ્વનો વહાણવટાનો ઈતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમા છૂટા છવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમજ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે.

વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો. કાનજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો દ ગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયેલો હતો. ૧૪૪૭ની આઠમી જુલાઈએ વાસ્કો દ ગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો. હતો. તેના કાફલામાં એકસો સીતેર માણસો હતા. પોર્ટુગલનાં લિસ્વન બંદરથી રવાના થઇને વાસ્કો જ્યારે ૧૪ મી એપ્રિલ ૧૪૯૮માં મલીંદી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિંદુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી. તેને ભારત પહોંચાડે તેવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરુર ઊભી થઈ. જોકે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતી. તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો. મુંજાયેલા વાસ્કો દ ગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી. યોગાનુયોગે કાનજી માલમ આરબ શેખનો અતિ વિશ્વાસુ માણસહતો. ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો. એટલે શેખના કહેવાથી કાનજી માલમ વાસ્કો દ ગામાના કાફલા સાથે ૧૪મી એપ્રિલ ૧૪૯૮ના રોજ મલિંદી બંદરથી ભારત આવવા નીકળ્યો. કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતું. વાસ્કો દ ગામા પણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે દરિયાના છોરુ કાનજીના અગાધ જ્ઞાન અને કુશળતા ઉપર વારી ગયો. રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું. એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. ઈતિહાસના પાના ઉપર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી. જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો. આ કચ્છી માણસની અસલિયત છે. આરબ શેખના કહેવાથી, જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો દ ગામાને તેણે ૨૦મી મે ૧૪૯૮ના રોજ દક્ષિણ ભારતાના કાલીકટ જે હવે કોમીકોડ તરીકે ઓળખાય છે તે બંદરે પહોંચાડ્યો. કાલીકટ બંદરમાં તે વખતે ઝામોરીન નામે રાજા હતો. તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે. એ કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામાના કાફલાને આવકાર્યો. વાસ્કો દ ગામાએ રાજાને કિંમતી ભેટ સોગાદોથી રાજી કર્યો અને કાલીકટમાં રહેવાની અનુમતી માગી. પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય તે પહેલા પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો. એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા. પરંતુ તે દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો. ૧૫૦૨ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો. ૨૪ ડીસેમ્બર ૧૫૨૪ના દિવસે કોઈ રહસ્યમય બિમારીને ને લીધે વાસ્કો દ ગામાનું મૃત્યુ થઈ ગયું. પણ અધકચરા ઈતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને જે યશ મળ્યો તેવો યશ તેને માર્ગ બતાવનાર કાનજી માલમને ન મળ્યો. કેટલાક ઈતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભોમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એલેકઝાન્ડર બર્ન્સ નામનો એક અંગ્રેજ તે વખતે કચ્છી વણવટીઓના પરિચયમાં આવ્યો હતો. તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને ૧૮૩૪ની સાલમાં આવું લખ્યું છે - યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારનાં દેશોમાં ઘૂમતા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો, આલેખનો (ચાર્ટસ) અને નકશાઓનો ઉપયોગ કરીને તેમનાં વહાણો આજે (૧૮૩૪) પણ હંકારે છે. તેના નમૂનાઓ ઉપલબ્ધ છે. તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે - વાસ્કો-દ-ગામાનાં વહાણો લિમ્બન બંદરથી મલિન્દી આવ્યાનાં નવ દિવસ બાદ મલિન્દીમાં રહેતા 'માલમ 'કાનાકવા' (કાનજી માલમ) નામના ભારતીય સુકાનીએ તેનું વહાણ હિંદી મહાસાગરમાં હંકાર્યું હતું. તે સહી સલામત રીતે પોર્ટુગીઝ કાફલાને મલિન્દીથી કાલિકટ લઈ આવ્યો હતો. વાસ્કો દ ગામાની ભારત આવ્યાની ઘટનાના સવા ચારસો વર્ષ બાદ ૧૯૨૦માં અંગ્રેજી લેખક પીયર્સે લખ્યું છે કે, હું ખાતરીપૂર્વક કહું છું, કે કચ્છનાં રહેવાસી કાનજી માલમે મલિન્દી બંદરથી વહાણ હંકાર્યું હતું અને તે હિંદી મહાસાગર તથા કેપ ઓફ ગુડ હોપ ઓળંગતો ઓળંગતો મલબાર કિનારાનાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો-દ-ગામાને એણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો. ઈટાલિયન ઇતિહાસકાર સિંથિયા સલ્વાડોરી પોતાના સંશોધન માટે ૧૯૮૯માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા. ત્યાં તેમણે કચ્છી વણાહણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો. અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ. દરિયો અમારો દેવ છે અને શીકોતર અમારી માતા છે. એટલું જ નહીં કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ.

Monday, May 18, 2020

મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ (જન્મદિવસ)

એ વાતને તો ઘણો વખત વહી ગયો છે પણ વાત હજી ભુલાઇ નથી.ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે.

તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી.જોરાવર બોરડી!મીઠા મધ જેવા,જોતા લાળ ટપકી પડે એવા,ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.

થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો હિઝ હાઇનેસ રાઓલસાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો.

“કોણ છે ?”

સિપાઇઓ બહારના રસ્તે દોડ્યા.થોડીવારમાં એક મેલાં-ઘેલા લૂંગડા પહેરેલ માણસને પકડી લાવ્યાં.ગરીબ લાગતા એ આદમીના અંગેઅંગ ધુણવા માંડ્યા હતાં.હવે તો ચોક્કસ ધરખમ સજા મળવાની!

બનેલું એમ કે,બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ,એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા.અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો.એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે!સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે!

“કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!”

“કેમ પથ્થર ફેંક્યો હતો,ભાઇ?”

“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય,બાપુ!”એ થથરતો હતો.

કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું.અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો.

“લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું.મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”

આવા હતાં ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ!કેવો પ્રજાપ્રેમ!કેવી દિલાવરીયુક્ત દાતારી!આજે પણ લોકો એની કીર્તિની અમરગાથાને યાદ કરીને આંખના ખૂણા ભીંજવે છે.રંક હોય કે અમીર,ભાવેણામાં સૌ સરખાં રહેતા જ્યારે કૃષ્ણકુમારસિંહના રાજ તપતાં !

આઝાદ ભારતના એકીકરણ માટે સૌપ્રથમ ભારતસંઘ સાથે જોડાનાર રાજ્ય ભાવનગર હતું.અને હસતે મુખે રાજને માં ભારતના શરણે ધરી દેનાર રાજવી હતાં કૃષ્ણકુમારસિંહજી.

Friday, May 15, 2020

રામાયણ સીરિયલના સીતાજી અને રાવણ વિશે...

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

હિન્દી ફિલ્મોની ખુબ જાણીતી અભિનેત્રીઓ પૈકીના એક માધુરી દીક્ષિત ૫૩ વર્ષના થશે. ૧૫ મે, ૧૯૬૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. તેમની નૃત્ય કુનેહ અને અભિનયને કારણે તેમની ખુબ સરાહના થાય છે. માધુરીને છ ફિલ્મફેર એવોર્ડસ મળ્યાં છે. જેમાં ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીના, એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો અને એક સ્પેશિયલ એવોર્ડ સામેલ છે. તેમને સૌથી વધુ ૧૪ વાર શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું ફિલ્મફેર નામાંકન મળ્યું છે. તેમને ૨૦૦૮માં પદ્મશ્રીના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
‘અબોધ’ (૧૯૮૪)થી તેમની અભિનય યાત્રા શરૂ થઇ હતી. જોકે ‘તેઝાબ’થી તેઓ ખુબ લોકપ્રિય થયાં હતાં. ‘રામ લખન’, ‘પરિંદા’, ‘દિલ’, ‘સાજન’, ‘બેટા’, ‘ખલનાયક’, ‘હમ આપ કે હૈ કૌન’, ‘રાજા’ કે ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મોથી માધુરી દીક્ષિત હંમેશા યાદ રહેશે. તેમના ‘અંજામ’, ‘મૃત્યુદંડ’, ‘પુકાર’, ‘લજ્જા’ કે ‘દેવદાસ’ના અભિનય માટે ખુબ સરાહના થઇ હતી. ૨૦૦૨માં તેમણે સ્વૈચ્છિક બ્રેક લઇને પોતાના સંતાનો ઉછેરવાનું નક્કી કર્યું અને ૨૦૦૭માં ‘આજા નચલે’ થી તેઓ પરત પણ થયાં. છેક ૨૦૧૪માં ‘દેઢ ઈશ્કિયા’ અને ‘ગુલાબ ગેંગ’ સુધી તેઓ લોકપ્રિય રહ્યાં છે. અભિનય ઉપરાંત માધુરી ટેલેન્ટ જજ તરીકે ડાન્સ રીયાલીટી શો ‘ઝલક દિખલા જા’ માં પણ દેખાય છે. તેમણે જાતે પણ અનેક સ્ટેજ શોમાં નૃત્યો કર્યા છે અને તેઓ દયા-દાનની પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત છે. ડૉ. શ્રીરામ નેને ને તેઓ પરણ્યા છે અને તેમને બે સંતાન છે.
૧૫ મે, ૧૯૬૭ના રોજ તેમનો મુંબઈમાં ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં શંકર અને સ્નેહલતા દીક્ષિતને ત્યાં જન્મ થયો હતો. માધુરી ડીવાઈન ચાઈલ્ડ હાઈસ્કૂલ અને મુંબઈ યુનિવર્સીટીમાં ભણ્યા અને માઈક્રોબાયોલોજીસ્ટ થયાં છે. તેઓ માત્ર ૩ વર્ષના હતાં ત્યારથી નૃત્ય તરફ તેમનું આકર્ષણ હતું. તેઓ બાળપણથી કથક શૈલીનું નૃત્ય શીખ્યા અને પછીતો તાલીમબદ્ધ કથક નર્તકી બન્યાં. ફિલ્મોમાં તેમને એન. ચંદ્રાની ફિલ્મ ‘તેઝાબ’થી લોકપ્રિયતા મળી હતી. પછી સુભાષ ઘાઈની ‘રામ લખન’માં પણ તેમની જોડી અનીલ કપૂર સાથે બની. ફિલ્મ સુપર હીટ બની. મિથુન ચક્રવર્તી સાથેની ‘પ્રેમ પ્રતિજ્ઞા’ નિષ્ફળ રહી. જોકે માધુરીના વખાણ થયાં અને ફિલ્મફેર નામાંકન પણ મળ્યું હતું. રાજીવ રાયની ‘ત્રિદેવ’માં તેઓ નસીરુદ્દીન, જેકી અને સની સાથે હતાં, જેમાં તેમની જોડી સની દેઓલ સાથે હતી. આ ફિલ્મ પણ હીટ રહી. વિધુ વિનોદ ચોપ્રાની ‘પરિંદા’માં વધુ એક વાર અનીલ કપૂર સાથે આવ્યાં અને નાની ભૂમિકા હોવા છતાં સફળ થયાં.
નેવુંના દશકમાં આમીર ખાન સાથે ‘દિલ’ આવી અને ધનવાન યુવતી રૂપે જામી ગયાં, ફિલ્મ વર્ષની સૌથી સફળ બની. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો એવોર્ડ મળ્યો. તેમના નૃત્યના ‘સૈલાબ’માં ખુબ વખાણ થયાં. હવે માધુરી હિન્દી ફિલ્મોના લીડિંગ અભિનેત્રી હતાં. પછી સલમાન ખાન અને સંજય દત્ત સામે ‘સાજન’ આવી, જેમાં તેઓ વધુ એક વાર સફળ થયાં. અનીલ કપૂર સાથે વધુ એક સફળતા ‘બેટા’માં આવી. માધુરીને અહીં બીજો એવોર્ડ મળ્યો. તેના ‘ધક ધક કરને લગા’ ગીતને કારણે તેઓ ‘ધક ધક ગર્લ’ રૂપે જાણીતા બન્યાં. પછી આવી સુભાષ ઘાઈની ‘ખલનાયક’. જેમાં તેઓ સંજય દત્ત અને જેકી શ્રોફ સાથે હતાં. તેમના નાચતા-ગાતા પોલીસ અધિકારી ગંગાની ભૂમિકાના વખાણ થયાં. અહીં તેઓ ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગાતા નાચતા હતાં. વધુ એક સફળતા તેમને ‘અંજામ’માં શાહરુખ ખાન સામે મળી. અહી વેર લેતી પત્ની અને માતા રૂપે તેમના અભિનયની સરાહના થઇ. વધુ એક એવોર્ડ તેમને નામ થયો. તો ‘પુકાર’, ‘હમ આપકે હૈ કૌન’માં તેમને સૌથી મોટી સફળતા મળી.
આમ સફળતાઓ આવતી રહી. ૨૧મી સદીમાં પણ તે જારી રહી. ૨૦૦૧માં ‘લજ્જા’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૨૦૦૨માં પણ સફળતા ‘હમ તુમ્હારે હૈ સનમ’ માં જારી રહી. સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’માં તેઓ શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય સાથે ચંદ્રમુખી બનીને આવ્યા. તેમના ખુબ વખાણ થયાં. એ ફિલ્મ ૨૦૦૨ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ ‘ટાઈમ’ દ્વારા ‘મિલેનિયમની ૧૦ શ્રેષ્ઠ ફિલ્મો’માંની એક બની. ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી પણ બની. અને માધુરીએ સંતાનો માટે પાંચ વર્ષનો બ્રેક લીધો. તેમાંથી પરત થયાં છતાં તેમનો મિજાજ એજ રહ્યો. મોટા અને નાના પડદે તેમનો ડંકો વાગતો રહે છે.
માધુરી દીક્ષિતના જાણીતા ગીતો: સો ગયા યે જહાં, કેહ દો કે તુમ, એક દો તીન (તેઝાબ), પ્યાર કભી કમ ન કરના સનમ (પ્રેમ પ્રતિજ્ઞા), મુઝે નીંદ ન આયે, હમને ઘર છોડા હૈ, ઓ પ્રિયા પ્રિયા (દિલ), તમ્મા તમ્મા લોગે (થાનેદાર), દેખા હૈ પહલી બાર, મેરા દિલ ભી કિતના પાગલ હૈ, તું શાયર હૈ મૈ તેરી શાયરી, બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમ (સાજન), કોયલ સી તેરી બોલી, ધક ધક કરને લગા (બેટા), પાલખી મે હોકે સવાર ચલી મૈ, ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક), ચને કે ખેત મૈ (અંજામ), અખીયા મીલાઉં કભી (રાજા), મેરા પિયા ઘર આયા ઓ રામજી (યારાના), લે ગઈ લે ગઈ, દિલ તો પાગલ હૈ (શીર્ષક), ડોલા રે ડોલા (દેવદાસ), ઓ રે પિયા, આજા નચ લે (શીર્ષક).
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – સાભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત

Wednesday, May 13, 2020

Corona Vs. આત્મનિર્ભર





હવે આત્મનિર્ભર શબ્દ પકડાઈ ગયો. મારા જેવા કરોડો સલાહકારોનો રાફડો ફાટયો. અડધો પહોર દિ ચડયા પછી ઉઠીને ઘટાટોપ દાતણીયા બાવળના છાંયે બેસી વિદેશનું ટુથ પેસ્ટ મોઢામાં હોય. હાથમાં ચાઈનાનો મોબાઈલ રાખી યુરોપાન પર બેસી હંગતા હંગતા માર્ક ઝુકરબર્ગની fb પર સ્વદેશીની પોસ્ટ મુકવાની. ઈટાલીયન ફર્સ અને વિદેશી ફર્નીચર ઓનલાઈન મંગાવી વિદેશી એપ વોટસએપ પર સ્ટેટસ ગોઠવવાનું. બેતાલીસ ડીગ્રીમાં પણ શુટબુટ આપણી પર્સનાલીટી ગણાય જ છે. અંગ્રેજીના બે ચાર શબ્દો બોલ્યા કે લખ્યા વગર અહી વટ નથી પડતો. વાઈફનો સ્પેલીંગ v થી અને my son ને may san લખનારા પણ અંગ્રેજી સીવાય વાત નથી કરતા. કઈ સારી હોટેલમાં શેરડીનો રસ મળે છે?? ગુજરાતની કઈ પંચતારક હોટેલ(હોટેલનું ગુજરાતી ન આવડયું)માં બાજરાનો રોટલો મળે છે?? યુરોપના બધા દેશ પણ અંગ્રેજી નથી બોલતા યુરોપ કરતા વધારે અંગ્રેજી ભારતમાં બોલાય છે. આપણે ભાષાના એટલા ગુલામ થયા કે જે વસ્તુનું અંગ્રેજી નામ બને કે એની પાછળ ગાંડા થઈએ. લેંઘો દોઢસો રુપિયાનો નથી લેવો પણ 'પ્લાઝો' નામ બનાવો પંદરસોમાં વેંચાય, પોપકોર્ન વેંચાય ધાણીં નામ રાખો કોઈ ન ખાય, જયુસ બધે મળે પણ શેરડીના રસનું ઈંગલીશ ન થયું તો એ સારા મોલમાં નથી મળતું, ચડો ન ગમ્યો પછી એને કેપ્રી કહેવી પડી. ગુજરાતી હોટલ, ગુજરાતી જમવાવાળા, ગુજરાતી વેઈટર, ગુજરાતી રસોયા, ગુજરાતી ભોજન અને મેનું અંગ્રેજીમાં જોયું હશે.
આપણે આપણી પાસે જેટલું સારું છે એ પણ નથી સ્વીકારતા અને પછીં આમા આત્મનિર્ભર કેમ બનવું? પશ્રિમનું ઘણું બધુ બહુ સારું છે એ આપણે નથી સ્વીકારતા. એમનો વિવેક, સામાજિક સમાનતા, તર્કસભર તપાસ, બીજાનો વિચાર કરવો, સેલ્ફ ડીસીપ્લીન, વૈજ્ઞાનિક અભિગમ આમાથી આપણે લગભગ કાંઈ નથી સ્વીકાર્યું. આપણે એમની અપવાદવાળી ભાષા, આબોહવાને પ્રતિકુળ પોષાક, અપૌષ્ટીક ખોરાક વગેરે લીધું, આપણી સંસ્કૃતિમાંથી આપણે ઢોંગ અને અંઘશ્રધ્ધા સીવાય લગભગ નથી લીધું.
હવે સમયસર વખત બદલવાનો ટાઈમ આવી ગયો છે. આપણાં દેશમાં ભારત અને ઈન્ડીયા બન્ને દેશ એક સાથે જીવે છે. જેમાં ભારતનો સમય વહેલી સવારથી શરુ થાય છે. જયારે ઈન્ડીયા રન એટ 11 am. ખેડુત અને ગામડાં મહદઅંશે સવારે જાગે છે. શહેરોમાં બપોરે સવાર થાય છે. આપણી આબોહવા મુજબ બધી ઓફીસો સવારે ખુલતી હોય તો અનુકુળ રહે. ખેડુત દુધ બકાલું વેચવા સવારે આવે અને સાતબારનો દાખલો કઢાવવા બાર વાગે આવવાનું!
નિશાચર પ્રાણીઓને બાદ કરતાં પ્રકૃતિના તમામ પ્રાણીઓ અરુણોદય પહેલાં ઉઠી જાય છે. અરે ગધેડો પણ દિ ઉગ્યા પહેલાં ઉઠે છે. માણસ માત્ર તડકો થયા બાદ ઉઠે છે. જો કે બધું ખુલે જ બપોરે તો વહેલું ઉઠી કરવું એ શુ? વહેલા ઉઠી શું ડાકોરનાં મજીરાં વગાડવા કે મુગટલાલ જોષીના પરભાતીયાં સાંભળવા?
સમય સવારનો થાય તો મન પ્રફુલ્લીત હોય જેથી કાર્યક્ષમતામાં વધારો થાય. વિજળી અને પાણીના વપરાશમાં પણ ઘટાડો થઈ શકે. બપોર પછીનો સમય કુટુંબીજનો અને બાળકો સાથે વિતાવી શકે. ગ્રામ્ય કક્ષાના ઉત્પાદનો અને એમનું બાઝાર બને એમના માટે યોજનાઓ બનવી જરુરી છે. જેથી થોડી ઘણી આપણી હસ્તકળા છે તેને જીવતી રાખી શચાય બાકી આ વૈશ્વિક અને ટેકનોલોજી યુગમાં સંપૂર્ણ આત્મનિર્ભર શકય નથી. અને હા કોઈ દેશ કે પ્રોડકટને બોયકોટ કરી કશું શકય નથી. માત્ર આપણી શકય એટલી સ્થાનિક વસ્તુઓ વાજબી ભાવે લેતા વેંચતા થઈએ..
ચિંટીયો : રઘાએ એપલના મોબાઈલથી ફેસબુક પર અંગ્રેજીમાં.. i support indian product

સાભાર :-
પોપટ ખુંટી
Popat Khunti

Saturday, May 9, 2020

महान हिन्दू योद्धा महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत दुश्मन सैनिक को काट डालते थे।

2.... जब इब्राहिम लिंकन भारत दौरे पर आ रहे थे । तब उन्होने अपनी माँ से पूछा कि- हिंदुस्तान से आपके लिए क्या लेकर आए ? तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना, जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ।”
लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था |
“बुक ऑफ़ प्रेसिडेंट यु एस ए ‘ किताब में आप यह बात पढ़ सकते हैं |

3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|
कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है, तो आधा हिंदुस्तान के वारिस वो होंगे, पर बादशाहत अकबर की ही रहेगी|

लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और अकबर की ओर से 85000 सैनिक युद्ध में सम्मिलित हुए |

7.... महाराणा प्रताप के घोड़े चेतक का मंदिर भी बना हुआ है, जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं | इसी समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है| मैं नमन करता हूँ ऐसे लोगो को |

9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी, जो 8000 राजपूत वीरों को लेकर 60000 मुसलमानों से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे । जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था । वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे ।

आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं, तो दूसरी तरफ भील |

13..... महाराणा प्रताप का घोड़ा चेतक महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है, जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में घूमे ।

16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

महाराणा प्रताप के हाथी की कहानी:
मित्रो, आप सब ने महाराणा प्रताप के घोड़े चेतक के बारे में तो सुना ही होगा,
लेकिन उनका एक हाथी भी था। जिसका नाम था रामप्रसाद। उसके बारे में आपको कुछ बाते बताता हुँ।
रामप्रसाद हाथी का उल्लेख अल- बदायुनी, जो मुगलों की ओर से हल्दीघाटी के
युद्ध में लड़ा था ने अपने एक ग्रन्थ में किया है।

वो लिखता है की- जब महाराणा प्रताप पर अकबर ने चढाई की थी, तब उसने दो चीजो को ही बंदी बनाने की मांग की थी । एक तो खुद महाराणा और दूसरा उनका हाथी रामप्रसाद।

आगे अल बदायुनी लिखता है की- वो हाथी इतना समझदार व ताकतवर था की उसने हल्दीघाटी के युद्ध में अकेले ही अकबर के 13 हाथियों को मार गिराया था ।
वो आगे लिखता है कि- उस हाथी को पकड़ने के लिए हमने 7 बड़े हाथियों का एक
चक्रव्यूह बनाया और उन पर14 महावतो को बिठाया, तब कहीं जाकर उसे बंदी बना पाये।

अब सुनिए एक भारतीय जानवर की स्वामी भक्ति।
उस हाथी को अकबर के समक्ष पेश किया गया ।
जहा अकबर ने उसका नाम पीरप्रसाद रखा।
रामप्रसाद को मुगलों ने गन्ने और पानी दिया।
पर उस स्वामिभक्त हाथी ने 18 दिन तक मुगलों का न तो दाना खाया और न ही
पानी पिया और वो बलिदान हो गया।

तब अकबर ने कहा था कि- जिसके हाथी को मैं अपने सामने नहीं झुका पाया,
उस महाराणा प्रताप को क्या झुका पाउँगा.?

इसलिए मित्रो हमेशा अपने हिन्दू होने पे गर्व करो।
पढ़कर सीना चौड़ा हुआ हो तो शेयर कर देना।

Sunday, May 3, 2020

ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ

આજે રજુ થયેલી ભારતની પહેલી ફિલ્મ:
એ પ્રસંગે જાણો ગુજરાતી ફિલ્મોનો ફ્લેશબેક


૧૦૬ વર્ષ પહેલાં ૩ મે ના રોજ રજુ થયેલી ભારતની પહેલી ફિલ્મ. ત્રણ દિવસ પર ગુજરાત રાજ્ય સ્થાપના દિન ગયો. તે નિમિત્તે આજે ગુજરાતી ફિલ્મોની ચડતી પડતી તપાસીએ.
મનોરંજન જગતની મહાન શોધ એટલે સિનેમા. ૧૯૧૨માં અમેરિકામાં લ્યુમીન બ્રધર્સે તેનો આરંભ કર્યો હતો. થોડા માસ બાદ તેમણે એ ફિલ્મ મુંબઈમાં બતાવી હતી. ૩ મે, ૧૯૧૩ના રોજ ‘રાજા હરિશ્ચન્દ્ર’ મુંબઈમાં રજુ થઇ અને તેને ભારતની પહેલી ફીચર ફિલ્મનું માન મળ્યું. ત્યારે ફિલ્મો મૂંગી હતી. મૂંગી ફિલ્મો વ્યવસાયિક રીતે બનાવનારાઓમાં ગુજરાતીઓ મોખરે હતાં. મૂંગી ફિલ્મોના એ સમયખંડમાં વીસથી વધુ નિર્માણ ગૃહોના માલિકો અને ચાળીસથી વધુ નિર્માતા નિર્દેશકો ગુજરાતી હતાં.

અનેક બાબતોમાં અગ્રેસર રહેનારા પારસીઓ ફિલ્મો બનાવવામાં પણ આગળ હતાં. છેક ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઇ અને ‘આલમઆરા’ ભારતની પહેલી બોલતી ફિલ્મ મનાઈ પણ તેના થોડા જ મહિનાઓમાં નાનુભાઈ વકીલ નિર્દેશિત ‘નરસિહ મહેતા’ પહેલી ગુજરાતી ફિલ્મ રૂપે આવી. તે પહેલાં ૧૯૩૧માં જ બે રીલની ‘મુંબઈની શેઠાણી’ નામની ફિલ્મ પહેલી બોલતી ગુજરાતી દસ્તાવેજી ફિલ્મ હતી, જે ૨૫ સપ્તાહ સુધી ચાલી હતી. આમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ હિન્દી ફિલ્મો જેટલો જ જુનો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક ચડતી પડતીમાંથી પસાર થયો છે અને આજે તે ભારતની કોઈ ભાષાની ફિલ્મોથી ઉતરતો નથી. અત્યાર સુધી ૧૩૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો બની ચુકી છે.

ભારતની તમામ ભાષાઓની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ તેના આરંભ કાળથી ધાર્મિક વિષયો અને ‘રામાયણ’ કે ‘મહાભારત’ના પાત્રો-પ્રસંગો આધારિત હતી. ૧૯૩૨માં બનેલી ‘સતી સાવિત્રી’ આવી જ એક નોંધપાત્ર ફિલ્મ હતી. તો પારસી નિર્દેશક હોમી માસ્ટરે ૧૯૩૫માં ‘ઘરજમાઈ’ બનાવી જે આરંભની સામાજિક અને હાસ્ય ફિલ્મ તરીકે માન પામી.

ભારતીય ફિલ્મ જગતમાં સરદારનું હુલામણું નામ પામનાર ગુજરાતી નિર્માતા ચંદુલાલ શાહે ૧૯૨૭માં ‘ગુણસુંદરી’ બનાવી હતી. તેમાં અવાજ ઉમેરાતાં ૧૯૩૪માં ‘ગુણસુંદરી’ ફરી બની. રતિલાલ હેમચંદ પુનાતરે ૧૯૪૮માં ફરીથી ‘ગુણસુંદરી’ બનાવી. તેના પણ બે દાયકા બાદ સુરતના કૃષ્ણકાન્ત જેમાં માનચતુર બનેલા તે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ પણ સુંદર ફિલ્મ હતી.

આઝાદી પહેલાં ચતુર સર્જકો અંગ્રેજોને ન સમજાય તે રીતે ફિલ્મના સબળ માધ્યમનો ઉપયોગ આઝાદીની ચળવળમાં જાગૃતિ લાવવા માટે કરતાં. ‘ભક્ત વિદુર’ આવી એક ફિલ્મ હતી, અંગ્રેજ શાસકોએ તેને એટલા માટે પ્રતિબંધિત કરી હતી કે તેમાં વિદુરનો દેખાવ મહાત્મા ગાંધી જેવો હતો. જોકે આઝાદી મળતાં જ થોકબંધ ગુજરાતી ફિલ્મો બનવા માંડી. એકલા ૧૯૪૭માં જ ૨૬ ફિલ્મો બની હતી. ૧૯૪૬-૫૨ના સમયગાળામાં ૭૪ ફિલ્મો બની હતી, જેમાંથી ૨૭ ફિલ્મો સંત-સતી-ડાકુ કથાઓ આધારિત હતી. ૧૯૪૬માં નાટ્યકાર વિષ્ણુકુમાર વ્યાસે દંતકથા આધારિત ‘રાણકદેવી’ બનાવી જેમાં શીર્ષક ભૂમિકામાં નિરુપા રોય પહેલી વાર પડદા પર આવ્યાં હતાં.
વલસાડના નિરુપા રોયે એજ વર્ષે નાનુભાઈ ભટ્ટની ‘મીરાબાઈ’ અને રતિલાલ પુનાતરની ‘ગુણસુંદરી’ પણ બન્યાં હતાં. પછી તો હિન્દી ફિલ્મોમાં તેઓ દાયકાઓ સુધી દેખાતાં રહ્યાં. ચતુર્ભુજ દોશીએ દહેજના દુષણ સામે લાલબત્તી ધરતી ‘કરિયાવર’ (૧૯૪૮) બનાવી. એજ નિર્દેશકે ઝવેરચંદ મેઘાણીની નવલકથા આધારિત ‘વેવિશાળ’ (૧૯૪૯) પણ બનાવી હતી. રણજીત સ્ટુડીઓની ‘શાદી’ (૧૯૪૧)ને પુનાતરે ‘મંગળફેરા’ રૂપે ૧૯૪૯માં ગુજરાતીમાં ફરી બનાવી હતી. નિર્માતા મનહર રસકપૂર અને નાટ્યકાર ચાંપશીભાઈ નાગડાએ અનેક ફિલ્મો બનાવી, જેમાં ‘જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮), ‘કહ્યાગરો કંથ’ (૧૯૫૦), ‘કન્યાદાન’ (૧૯૫૧), ‘મૂળુ માણેક’ (૧૯૫૫), ‘મળેલા જીવ’ (૧૯૫૬), કે ‘કાદુ મકરાણી; (૧૯૬૦) ઉલ્લેખનીય હતી પણ હિન્દી સ્ટાર્સ સાથે બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ (૧૯૬૦) સૌથી સફળ હતી. એ સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મોના અભિનેત્રી આશા પારેખને લઈને બનેલી ‘અખંડ સૌભાગ્યવતી’ પણ સફળ રહી. સારી ફિલ્મો બનાવવા માટે સરકારે બનાવેલી ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા બનેલી તે પહેલી ગુજરાતી ફિલ્મ હતી. મનહર રસકપૂરે ‘જોગીદાસ ખુમાણ’ ત્રણવાર બનાવી હતી અને ત્રણેય વાર તેમણે જ નિર્દેશિત પણ કરી હતી.
પન્નાલાલ પટેલની ૧૯૩૬ની નવલિકા અને તેને વિસ્તારીને ૧૯૭૦ બનેલી નવલકથા ‘કંકુ’ આધારિત એજ નામની ‘કંકુ’ (૧૯૬૯)ને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો અને તેની ‘મને અંધારા બોલાવે’ ગીત ગાતી નાયિકા પલ્લવી મહેતાને શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં પુરસ્કાર પણ અપાયો હતો.

સુરતના હરિભાઈ જરીવાલા મુંબઈમાં નાટક કરતા હતાં તેમાંથી સંજીવ કુમાર બનીને ‘રમત રમાડે રામ’ (૧૯૬૪), ‘કલાપી’ (૧૯૬૬) અને ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનેલી ‘જીગર અને અમી’ (૧૯૬૭) કે ‘મારે જાવું પેલે પાર’ (૧૯૬૮) દ્વારા ગુજરાતી ફિલ્મોને એક કલાત્મક ઊંચાઈ પર લઇ ગયા હતા. ‘મારે જાવું પેલે પાર’ આધારિત હિન્દી ફિલ્મ ‘ખિલૌના’ બની અને સંજીવ કુમાર હિન્દી ફિલ્મોના અને દેશના ટોચના અભિનેતા બની ગયા.

ગુજરાતી નવલકથા આધારિત ‘વિધાતા’, ‘ચુંદડી ચોખા’, ‘ઘર દીવડી’, ‘નંદનવન’, ‘ઘરની શોભા’, ‘પાનેતર’, ‘બહુરુપી’, ‘સંસારલીલા’ કે ‘જનમટીપ’ બની અને ગુજરાતી સાહિત્ય અને સિનેમાનો ઉજળો સમયખંડ આવ્યો. તેમાંય ચુનીલાલ મડીયા લિખિત ‘લીલુડી ધરતી’ (૧૯૬૮) ગુજરાતની પહેલી રંગીન ફિલ્મ બની હતી. કેશવ રાઠોડની ‘મહિયરની ચુંદડી’ની સફળતાની કથા એવી હતી કે તેની રિ-મેક ભારતની તેર પ્રાદેશિક ભાષાઓમાં બની હતી. તેજ રીતે ‘સોનબાઈની ચુંદડી’ પહેલી ગુજરાતી સીનેમાસ્કોપ ફિલ્મ બની.
અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતી ગુજરાતના લોકનાટ્ય ભવાઈ શૈલીમાં ધીરુબેન પટેલના નાટક આધારિત ‘ભવની ભવાઈ’ કેતન મહેતાએ ૧૯૮૦માં બનાવી. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સ્મિતા પાટીલે તેમાં નિશુલ્ક અભિનય કર્યો હતો. રાષ્ટ્રી ફિલ્મ વિકાસ નિગમની મદદથી માત્ર ૩.૫ લાખની લાગતથી બનેલી આ ફિલ્મને દેશનો માનવંત નરગિસ દત્ત રાષ્ટ્રીય એકતા એવોર્ડ મળ્યો અને મીરા લાખાણીને શ્રેષ્ઠ પ્રોડક્શન ડીઝાઈનનો નેશનલ એવોર્ડ મળ્યો.
‘ભવની ભવાઈ’ આજે પણ ગુજરાતની શ્રેષ્ઠ કલાત્મક ફિલ્મ મનાય છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં સબ ટાઈટલ સાથે દૂરદર્શન પર રજુ થઇ હતી. તેને ફ્રાંસના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પુરસ્કાર મળ્યો હતો.
એકવીસમી સદીના આરંભે ‘દેશરે જોયા દાદા પરદેશ રે જોયા’માં અમેરિકા જઈ નાણા કમાવાનો વિષય હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોદ્યોગની સૌથી સફળ ફિલ્મ બની. તેની સાથે નાટ્યકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા અભિનીત શ્રેણી બદ્ધ ફાળિયાવાળા નાયકની લોકકથાઓ આધારિત ફિલ્મોનો યુગ આથમ્યો. આજે ગુજરાતી ફિલ્મો અર્બન બની છે. તકનીકી દ્રષ્ટિએ તે હિન્દી ફિલ્મો જેવી જ હોય છે અને અનેક ‘હટકે’ વિષયક હોય છે.

છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતી ફિલ્મો ‘અર્બન’ યાને શહેરી બની છે. દેશની અન્ય ભાષાઓની ફિલ્મો જેવી આધુનિક બની છે. હમણાં કોમેડિયન સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત સંવેદનશીલ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ (૨૦૧૯) ગુજરાતના મલ્ટીપ્લેક્સ થીયેટર્સમાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપ્યા. ગત વર્ષ સુરતના મેહુલ સુરતીના સંગીતવાળી ફિલ્મ ‘હેલ્લારો’એ ધૂમ મચાવી. આમ ગુજરાતી ફિલ્મોનો કારવા ચાલતો રહ્યો છે, ચાલતો રહેશે..

લેખન :- નરેશ કાપડિયા

Saturday, May 2, 2020

રામાયણ અને મહાભારત સિરિયલની રોચક અજાણી વાતો...

‘કભી કભી જીતને કે લિયે કુછ હારના ભી પડતા હૈ...’

જ્યારે પણ શાહરૂખખાનના યાદગાર સંવાદોની વાત નીકળે ત્યારે ‘બાઝીગર’નો ટાઇટલ ડાયલોગ ‘ટોપ ટેન’માં આવે જ. (જેમ કોઇ ગાયનમાં ફિલ્મનું નામ આવે એટલે તેને ‘શિર્ષક ગીત’ કહેવાનો રિવાજ છે, એ જ લોજિકથી ફિલ્મના નામને સાર્થક કરે એવા સંવાદને ‘ટાઇટલ ડાયલોગ’ કહી જ શકાયને?) ‘બાઝીગર’ જ્યારે ૧૯૯૩માં આવ્યું ત્યારે શાહરૂખ નવોદિત પણ નહીં અને જૂનોદિત(!) પણ નહીં એવા કારકિર્દી ખીલવાના તબક્કે હોઇ પ્રેક્ષકોની અપેક્ષા ‘દીવાના’ની ધમાકેદાર એન્ટ્રીથી ઠીક ઠીક વધી હતી. પરંતુ, સલામ કરવી પડે ગુજરાતી ડાયરેક્ટર બેલડી અબ્બાસ-મસ્તાનને કે તેમણે ‘બાઝીગર’માં નવા-સવા શાહરૂખને એક સ્થાપિત સ્ટારની માફક પ્રસ્તુત કર્યો. તે કરતાં પણ વધારે ક્રેડિટ ‘એસઆરકે’ને કે પોતે એક સક્ષમ અભિનેતા જ નહીં એક ‘સુપરસ્ટાર’ જેવી અદાઓ કરી જાણનાર ‘અદાકાર’ પણ બની શકે છે એ સંભાવના ઉપર એક સોલ્લિડ સ્ટેમ્પ લગાડી દીધો.

શાહરૂખના કિસ્મતને પણ દાદ દેવી પડે કે ‘બાઝીગર’ આવ્યું નવેમ્બર ૧૯૯૩માં અને એક જ મહિના પછી ડિસેમ્બર ’૯૩માં એવા જ જબ્બર પર્ફોર્મન્સવાળું ‘ડર’ આવ્યું! માત્ર ચાર-પાંચ અઠવાડિયામાં બબ્બે સુપરહિટ ફિલ્મો... જાણે કે કોઇ તાજા આવેલા બેટ્સમેને સાવ ટૂંકા ગાળામાં બે ડબલ સેન્ચ્યુરી ફટકારી હોય એવો માહૌલ ત્યારે હતો. એ દિવસોમાં ‘બાઝીગર’નો આ શિર્ષક-સંવાદ બચ્ચા બચ્ચાને મોંઢે થઈ ગયો હતો, ‘કભી કભી જીતને કે લિયે કુછ હારના ભી પડતા હૈ ઔર હાર કર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં!’

તેની પ્રસ્તુતિ અબ્બાસ-મસ્તાને શાહરૂખના ટાઇટ ક્લોઝ-અપ સાથે કરી હોઇ દેશભરનાં થિયેટરોના વિશાળ પડદાઓ પર આ નવા ખાનના ગાલમાં પડતા ખંજન (ખાડા) અને વાંકી ચુકી થઈ શકતી ભ્રમરો સાથેના ચહેરાનું પ્રોજેક્શન સીટીઓ અને તાળીઓ ના મેળવી શક્યું હોત તો જ આશ્ચર્ય હોત. પરંતુ, શું એ ચોટદાર સંવાદ ઓરિજિનલ હતો? જો તમે દૂરદર્શન પરથી હમણાં ફરીથી ટેલિકાસ્ટ થયેલી શ્રેણી ‘મહાભારત’ જોઇ હોય તો એ સુપરહિટ ડાયલોગની ક્રેડિટ ડો. રાહી માસુમ રઝાને આપ્યા વિના ના રહો.

‘મહાભારત’નું પ્રસારણ ૧૯૮૮માં એટલે કે ‘બાઝીગર’ કરતાં પાંચ વરસ પહેલાં પૂરું થઈ ગયું હતું. તેમાં પાંડવોએ વસાવેલા ઇન્દ્રપ્રસ્થમાં કૌરવો રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા હસ્તિનાપુરથી આવે છે, ત્યારે યુધિષ્ઠિર અને શકુનિ વચ્ચે સોગઠાબાજી (ચૌસર)નો જુગાર ખેલાય છે. તેમાં મામા શકુનિ હારી જાય છે અને તેનાથી નારાજ ભાણીયો દુર્યોધન અકળાય છે. ત્યારે શકુનિ કહે છે, ‘ભાનજે (એટલે કે ‘ભાણાભાઇ’) રાજનીતિ યે કહતી હૈ કિ કભી કભી જીતને કે લિયે હારના જરૂરી હોતા હૈ...’

એ રીતે જાણીજોઇને હારેલા શકુનિની એ ચાલ ત્યારે સફળ થાય છે જ્યારે વળતી દ્યુતક્રિડા (જુગાર) માટે પાંડવોને નિમંત્રણ અપાય છે, ત્યારે શકુનિએ સંભવિત જીતનું લબડાવેલું ગાજર યુધિષ્ઠિર અને પાંડવોને હસ્તિનાપુર જવાનું આકર્ષણ ઉભું કરે છે. તે જુગટું રમતાં રાજપાટ અને દ્રૌપદીને હારી ગયેલા પાંડવોની હાજરીમાં ચીરહરણની શરમજનક ઘટના બને છે, એ કોણ નથી જાણતું? એટલે એક રીતે કહીએ તો ‘મહાભારત’ના એ અગત્યના વળાંકે, ડો. રાહી માસુમ રઝાએ એક કુટિલ ચાલબાજીને રાજનીતિની કુશાગ્રતાનો વેશ પહેરાવ્યો હતો, તે સિનેમાના મોટા પડદે શાહરૂખને તાળીઓ મેળવતા ‘સ્ટાર’ બનાવવા કામ લાગ્યો.

એ ચોટદાર સંવાદ નાના પડદે કદાચ ધ્યાન બહાર ગયો હોય. કેમ કે શકુનિ બનતા ગુફી પેઇન્ટલ મહાભારતના સૌથી અગત્યના વિલન હતા. મઝાની વાત એ હતી કે ગુફી પેન્ટલ પોતે ‘કાસ્ટિંગ ડાયરેક્ટર’ એટલે કે કલાકારોને પસંદ કરવાની કામગીરીના મહત્ત્વના અગ્રણી હતા અને છતાં એ શકુનિની ભૂમિકા માટે જ્યારે કોઇ આર્ટિસ્ટને આગળ ધરતા ત્યારે નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપ્રા અને તેમના પુત્ર રવિ નાપસંદ કરતા. શકુનિની એન્ટ્રી થવાના શૂટિંગને દસેક દિવસ બાકી હતા અને ચોપ્રા પિતા-પુત્રની જોડી તથા લેખનકાર્ય સાથે સંકળાયેલા ડો. રાહી માસુમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા સહિતના સૌએ ગુફીને કહ્યું કે ‘ટીમે પહેલેથી જ શકુનિ તરીકે તમને ફાઇનલ કરી દીધા છે’!

ગુફી પેઇન્ટલને મનોરંજનની દુનિયામાં ત્યાં સુધી તો કોમેડિયન પેઇન્ટલના મોટાભાઇ તરીકે જ સૌ ઓળખતા. એ નાનાભાઇએ તો બડેભૈયાથી પહેલાં પુનાથી એક્ટિંગનો ડિપ્લોમા લીધો હતો. તેણે મુંબઈ આવીને અભિનેતા તરીકે પોતાની અટક ‘પેઇન્ટલ’ને જ નામ તરીકે રાખી હતી... બાકી તેમનું આખું નામ કંવરજીત પેઇન્ટલ છે. જ્યારે મોટાભાઇ ગુફીનું અસલ નામ સરબજીત છે, પણ ‘શકુનિ’ના એ રોલમાં એવું કામ કર્યું કે હવે એ જ કાયમી નામ થઈ ગયું છે. ગુફીને ક્લાકારોના ઓડિશન લેવાની કામગીરી મળી હોઇ કાસ્ટિંગમાં કેવી ફેરબદલી થઈ હતી તેના એ સૌથી સત્તાવાર જાણકાર કહી શકાય.

તેમના કહેવા પ્રમાણે તો જે પાત્રથી મુકેશ ખન્નાને ‘મહાભારત’ના પ્રસારણના દિવસોમાં ‘નાના પડદાના અમિતાભ’ તરીકે પણ નવાજવામાં આવ્યા હતા, તેમને છેલ્લે સુધી ‘દ્રોણાચાર્ય’ની ભૂમિકા આપવામાં આવી હતી. બલ્કે મહુરતના દિવસે પણ એ ‘દ્રોણાચાર્ય’ની વેશભૂષામાં ઉપસ્થિત હતા! મુકેશ ખન્ના પોતે તો કર્ણ અથવા અર્જુન થવા માંગતા હતા. ‘અર્જુન’ના રોલ માટે જેકી શ્રોફ છેલ્લે સુધી રેસમાં હતા. પરંતુ, ‘મહાભારત’ને ૧૦૪ હપ્તાની મંજૂરી મળી હતી. (જુઓ ‘બી.આર.’ની ખાનદાની... ૧૦૪ હપ્તાની મંજૂરી હોવા છતાં ૯૪ એપિસોડમાં કથા સમાપ્ત થઈ શકી તો ૧૦ હપ્તા બિનજરૂરી ખેંચ્યા નહીં... બાકી મહાભારતમાં તો દરેક તબક્કે કેટકેટલા ફણગા ફુટી શકે એવા હોય જ છેને!) તેથી જાણીતા કલાકારો એટલા લાંબા સમય સુધી તારીખો આપી શકશે કે કેમ એ શંકાસ્પદ હતું.

પરિણામે ‘અર્જુન’નો રોલ ફિરોઝખાન નામના સ્ટ્રગ્લર મુસ્લિમ એક્ટરને મળ્યો. પોતાનું નામ ‘કુરબાની’ જેવી ફિલ્મના હીરોના નામ સાથે ગેરસમજ ન કરાવે એટલા માટે તેણે સ્ક્રિન માટેનું નામ પણ ‘અર્જુન’ જ રાખ્યું. એ જ રીતે ‘દ્રૌપદી’ તરીકેની રેસમાં, અન્ય ખૂબસુરત યુવતિઓની સાથે, ૧૯૮૪માં ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતનાર જુહી ચાવલા પણ એક ગંભીર ઉમેદવાર છેલ્લે સુધી હતી. પરંતુ, એ જ અરસામાં આમિરખાનને લૉન્ચ કરતી ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં તક મળતાં જુહીએ ‘મહાભારત’ છોડી દીધી. તે પછી ફરી સેમી ફાઇનલ અને ફાઇનલ કરવાની થઈ. છેલ્લે સાઉથની રમ્યા ક્રિશ્ન અને રૂપા ગાંગૂલી વચ્ચે હરિફાઇ રહી.

રૂપા ગાંગૂલીની હિન્દી સાઉથની રમ્યાની સરખામણીએ વધારે સારી હોવાથી ‘દ્રૌપદી’ તરીકે તેની પસંદગી થઈ હતી અને આજે તે સંસદ સભ્ય છે. જ્યારે રમ્યાએ પોતાની જગ્યા દક્ષિણનાં પિક્ચરોમાં જમાવી, જેમને હિન્દી સિનેમાના શોખીનોએ તાજેતરમાં ‘બાહુબલી-ટુ’માં ‘રાજમાતા શિવાગામી’ તરીકે જોયાં છે. ‘મહાભારત’માં તે સમયના જાણીતા કલાકારોમાં એક માત્ર રાજ બબ્બરને લીધા હતા, જેમને ‘બી.આર. ફિલ્મ્સ’ની ‘ઇન્સાફ કા તરાજુ’માં મોટી તક મળી હતી.

તેમને ‘રાજા ભરત’ બનાવ્યા હતા અને એક જ દિવસના શૂટિંગમાં તેમનું કામ પતાવી દેવામાં આવ્યું હતું. જ્યારે તે સમયના અન્ય જાણીતા કલાકારોમાં રેણુકા ઇસરાની કહી શકાય જેમણે આંખે પાટા બાંધીને પોતાના ચક્ષુહીન પતિ ધૃતરાષ્ટ્રનો સાથ નિભાવ્યો હતો. રેણુકાએ ત્યાં સુધીમાં ભારતના સૌ પ્રથમ સોપ ઓપેરા (દૈનિક સિરિયલ) ‘હમલોગ’માં કોમેડી પાત્ર ‘લલ્લુ’ની પત્ની ‘ઉષારાની’ તરીકે નામના કમાઇ હતી. પણ સૌથી વધુ ચાહના એક બહુ જાણીતા નહીં એવા અભિનેતા વીરેન્દ્ર રાઝદાને ‘વિદુર’ તરીકે મેળવી!

‘વિદુર નીતિ’નાં સંનિષ્ઠ વચનો સમય સમય પર મહાભારતની કથામાં કરોડરજ્જુ (રીડ કી હડ્ડી)નું કામ કરે છે. તેને માટે ધીર ગંભીર અવાજ એ પ્રાયોરિટી હતી અને વીરેન્દ્ર રાઝદાન તેમાં બરાબર ફીટ બેસતા હતા. વીરેન્દ્રએ તે અગાઉ રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’માં મૌલાના આઝાદના પાત્રમાં પોતાના વોઇસની ક્વોલિટી દેખાડી ચૂક્યા હતા. એ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂક્યા હોઇ અવાજના આરોહ-અવરોહની તાલીમ હતી જ. કમનસીબે વીરેન્દ્ર રાઝદાન ૨૦૦૩માં માત્ર ૫૩ વરસની ઉંમરે આ દુનિયાથી વિદાય થઈ ગયા.

એ જ રીતે ‘મહાભારત’ના સર્જક પિતા-પુત્ર બી.આર અને રવિ ચોપ્રા હોય કે પછી કલમ-બેલડી ડો. રાહી માસુમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા હોય અથવા સંગીતકાર રાજ કમલ અને ગાયક મહેન્દ્ર કપૂર એ સૌ ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ ‘પિતાશ્રી’, ‘ભ્રાતાશ્રી’, ‘માતાશ્રી’ કે પછી ‘પ્રણામ’ અને ‘આયુષ્યમાન ભવ’ સરખા ભારતીય સંસ્કૃતિના શબ્દોને સુરક્ષાકવચ આપીને ગયા છે.

એટલે અત્યારના અણધાર્યા વેકેશનમાં સહકુટુંબ રહેવાના સમયમાં કેવી વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઇ છે...’૮૦ના દાયકામાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ પ્રસારિત થવાના સમયે કરફ્યુ જેવો સન્નાટો રોડ પર આપમેળે છવાઇ જતો એક પેઢીએ જોયો અને આજે લૉકડાઉનના સન્નાટામાં એ જ મહાકથાઓ નવી પેઢીઓએ પણ જોઇ. શું એ સમયની ‘એક કહાની’, ‘કથા સાગર’ કે ‘સુરભિ’ કે ઇવન ‘ભારત એક ખોજ’નું પણ પુનઃપ્રસારણ ના થઈ શકે?

તિખારો!
કપિલ શર્માના શો લૉકડાઉનને લીધે આજકાલ બંધ છે. એટલે તેણે પોતાના ચાહકો સાથે વાર્તાલાપ કરવાનું સોશ્યલ મીડિયા પર આયોજન કર્યું હતું. તેમાં થતી મજાક-મસ્તીથી ખુશ એવા સૌ ફૅન વતીથી એક ભાગ લેનાર મહિલાએ સુઝાવ મૂક્યો, ‘તમે આ સેશન આખો દિવસ ચલાવોને?’
કપિલનો જવાબ, “ઐસા? તો બર્તન કૌન ધોએગા?!’

આજ તા. ૩ મે રવિવારના ‘સંદેશ’માં પ્રગટ થયેલો ‘ફિલમની ચિલમ’ કોલમનો લેખ

Friday, May 1, 2020

વાવ વિષે :-

♨️ગુજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે.

♨️આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે.

♨️તેમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે.

💠વાવના સાત પ્રકાર છે.

★(૧) એક મુખી - નન્દાવાવ

★(ર) બે મુખી-ભદ્ર વાવ

★(૩) ત્રી મુખી-જયા વાવ

★(૪) ચાર મુખી-વિજ્યા વાવ

★(પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ

★(૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી

★(૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી. 

🔆વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે. 

🌀કૂવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...