માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

હિન્દી ફિલ્મોની ખુબ જાણીતી અભિનેત્રીઓ પૈકીના એક માધુરી દીક્ષિત ૫૩ વર્ષના થશે. ૧૫ મે, ૧૯૬૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. તેમની નૃત્ય કુનેહ અને અભિનયને કારણે તેમની ખુબ સરાહના થાય છે. માધુરીને છ ફિલ્મફેર એવોર્ડસ મળ્યાં છે. જેમાં ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીના, એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો અને એક સ્પેશિયલ એવોર્ડ સામેલ છે. તેમને સૌથી વધુ ૧૪ વાર શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું ફિલ્મફેર નામાંકન મળ્યું છે. તેમને ૨૦૦૮માં પદ્મશ્રીના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
‘અબોધ’ (૧૯૮૪)થી તેમની અભિનય યાત્રા શરૂ થઇ હતી. જોકે ‘તેઝાબ’થી તેઓ ખુબ લોકપ્રિય થયાં હતાં. ‘રામ લખન’, ‘પરિંદા’, ‘દિલ’, ‘સાજન’, ‘બેટા’, ‘ખલનાયક’, ‘હમ આપ કે હૈ કૌન’, ‘રાજા’ કે ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મોથી માધુરી દીક્ષિત હંમેશા યાદ રહેશે. તેમના ‘અંજામ’, ‘મૃત્યુદંડ’, ‘પુકાર’, ‘લજ્જા’ કે ‘દેવદાસ’ના અભિનય માટે ખુબ સરાહના થઇ હતી. ૨૦૦૨માં તેમણે સ્વૈચ્છિક બ્રેક લઇને પોતાના સંતાનો ઉછેરવાનું નક્કી કર્યું અને ૨૦૦૭માં ‘આજા નચલે’ થી તેઓ પરત પણ થયાં. છેક ૨૦૧૪માં ‘દેઢ ઈશ્કિયા’ અને ‘ગુલાબ ગેંગ’ સુધી તેઓ લોકપ્રિય રહ્યાં છે. અભિનય ઉપરાંત માધુરી ટેલેન્ટ જજ તરીકે ડાન્સ રીયાલીટી શો ‘ઝલક દિખલા જા’ માં પણ દેખાય છે. તેમણે જાતે પણ અનેક સ્ટેજ શોમાં નૃત્યો કર્યા છે અને તેઓ દયા-દાનની પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત છે. ડૉ. શ્રીરામ નેને ને તેઓ પરણ્યા છે અને તેમને બે સંતાન છે.
૧૫ મે, ૧૯૬૭ના રોજ તેમનો મુંબઈમાં ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં શંકર અને સ્નેહલતા દીક્ષિતને ત્યાં જન્મ થયો હતો. માધુરી ડીવાઈન ચાઈલ્ડ હાઈસ્કૂલ અને મુંબઈ યુનિવર્સીટીમાં ભણ્યા અને માઈક્રોબાયોલોજીસ્ટ થયાં છે. તેઓ માત્ર ૩ વર્ષના હતાં ત્યારથી નૃત્ય તરફ તેમનું આકર્ષણ હતું. તેઓ બાળપણથી કથક શૈલીનું નૃત્ય શીખ્યા અને પછીતો તાલીમબદ્ધ કથક નર્તકી બન્યાં. ફિલ્મોમાં તેમને એન. ચંદ્રાની ફિલ્મ ‘તેઝાબ’થી લોકપ્રિયતા મળી હતી. પછી સુભાષ ઘાઈની ‘રામ લખન’માં પણ તેમની જોડી અનીલ કપૂર સાથે બની. ફિલ્મ સુપર હીટ બની. મિથુન ચક્રવર્તી સાથેની ‘પ્રેમ પ્રતિજ્ઞા’ નિષ્ફળ રહી. જોકે માધુરીના વખાણ થયાં અને ફિલ્મફેર નામાંકન પણ મળ્યું હતું. રાજીવ રાયની ‘ત્રિદેવ’માં તેઓ નસીરુદ્દીન, જેકી અને સની સાથે હતાં, જેમાં તેમની જોડી સની દેઓલ સાથે હતી. આ ફિલ્મ પણ હીટ રહી. વિધુ વિનોદ ચોપ્રાની ‘પરિંદા’માં વધુ એક વાર અનીલ કપૂર સાથે આવ્યાં અને નાની ભૂમિકા હોવા છતાં સફળ થયાં.
નેવુંના દશકમાં આમીર ખાન સાથે ‘દિલ’ આવી અને ધનવાન યુવતી રૂપે જામી ગયાં, ફિલ્મ વર્ષની સૌથી સફળ બની. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો એવોર્ડ મળ્યો. તેમના નૃત્યના ‘સૈલાબ’માં ખુબ વખાણ થયાં. હવે માધુરી હિન્દી ફિલ્મોના લીડિંગ અભિનેત્રી હતાં. પછી સલમાન ખાન અને સંજય દત્ત સામે ‘સાજન’ આવી, જેમાં તેઓ વધુ એક વાર સફળ થયાં. અનીલ કપૂર સાથે વધુ એક સફળતા ‘બેટા’માં આવી. માધુરીને અહીં બીજો એવોર્ડ મળ્યો. તેના ‘ધક ધક કરને લગા’ ગીતને કારણે તેઓ ‘ધક ધક ગર્લ’ રૂપે જાણીતા બન્યાં. પછી આવી સુભાષ ઘાઈની ‘ખલનાયક’. જેમાં તેઓ સંજય દત્ત અને જેકી શ્રોફ સાથે હતાં. તેમના નાચતા-ગાતા પોલીસ અધિકારી ગંગાની ભૂમિકાના વખાણ થયાં. અહીં તેઓ ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગાતા નાચતા હતાં. વધુ એક સફળતા તેમને ‘અંજામ’માં શાહરુખ ખાન સામે મળી. અહી વેર લેતી પત્ની અને માતા રૂપે તેમના અભિનયની સરાહના થઇ. વધુ એક એવોર્ડ તેમને નામ થયો. તો ‘પુકાર’, ‘હમ આપકે હૈ કૌન’માં તેમને સૌથી મોટી સફળતા મળી.
આમ સફળતાઓ આવતી રહી. ૨૧મી સદીમાં પણ તે જારી રહી. ૨૦૦૧માં ‘લજ્જા’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ૨૦૦૨માં પણ સફળતા ‘હમ તુમ્હારે હૈ સનમ’ માં જારી રહી. સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’માં તેઓ શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય સાથે ચંદ્રમુખી બનીને આવ્યા. તેમના ખુબ વખાણ થયાં. એ ફિલ્મ ૨૦૦૨ના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ ‘ટાઈમ’ દ્વારા ‘મિલેનિયમની ૧૦ શ્રેષ્ઠ ફિલ્મો’માંની એક બની. ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી પણ બની. અને માધુરીએ સંતાનો માટે પાંચ વર્ષનો બ્રેક લીધો. તેમાંથી પરત થયાં છતાં તેમનો મિજાજ એજ રહ્યો. મોટા અને નાના પડદે તેમનો ડંકો વાગતો રહે છે.
માધુરી દીક્ષિતના જાણીતા ગીતો: સો ગયા યે જહાં, કેહ દો કે તુમ, એક દો તીન (તેઝાબ), પ્યાર કભી કમ ન કરના સનમ (પ્રેમ પ્રતિજ્ઞા), મુઝે નીંદ ન આયે, હમને ઘર છોડા હૈ, ઓ પ્રિયા પ્રિયા (દિલ), તમ્મા તમ્મા લોગે (થાનેદાર), દેખા હૈ પહલી બાર, મેરા દિલ ભી કિતના પાગલ હૈ, તું શાયર હૈ મૈ તેરી શાયરી, બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમ (સાજન), કોયલ સી તેરી બોલી, ધક ધક કરને લગા (બેટા), પાલખી મે હોકે સવાર ચલી મૈ, ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક), ચને કે ખેત મૈ (અંજામ), અખીયા મીલાઉં કભી (રાજા), મેરા પિયા ઘર આયા ઓ રામજી (યારાના), લે ગઈ લે ગઈ, દિલ તો પાગલ હૈ (શીર્ષક), ડોલા રે ડોલા (દેવદાસ), ઓ રે પિયા, આજા નચ લે (શીર્ષક).
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – સાભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram