ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ
આજે રજુ થયેલી ભારતની પહેલી ફિલ્મ:
એ પ્રસંગે જાણો ગુજરાતી ફિલ્મોનો ફ્લેશબેક
૧૦૬ વર્ષ પહેલાં ૩ મે ના રોજ રજુ થયેલી ભારતની પહેલી ફિલ્મ. ત્રણ દિવસ પર ગુજરાત રાજ્ય સ્થાપના દિન ગયો. તે નિમિત્તે આજે ગુજરાતી ફિલ્મોની ચડતી પડતી તપાસીએ.
મનોરંજન જગતની મહાન શોધ એટલે સિનેમા. ૧૯૧૨માં અમેરિકામાં લ્યુમીન બ્રધર્સે તેનો આરંભ કર્યો હતો. થોડા માસ બાદ તેમણે એ ફિલ્મ મુંબઈમાં બતાવી હતી. ૩ મે, ૧૯૧૩ના રોજ ‘રાજા હરિશ્ચન્દ્ર’ મુંબઈમાં રજુ થઇ અને તેને ભારતની પહેલી ફીચર ફિલ્મનું માન મળ્યું. ત્યારે ફિલ્મો મૂંગી હતી. મૂંગી ફિલ્મો વ્યવસાયિક રીતે બનાવનારાઓમાં ગુજરાતીઓ મોખરે હતાં. મૂંગી ફિલ્મોના એ સમયખંડમાં વીસથી વધુ નિર્માણ ગૃહોના માલિકો અને ચાળીસથી વધુ નિર્માતા નિર્દેશકો ગુજરાતી હતાં.
અનેક બાબતોમાં અગ્રેસર રહેનારા પારસીઓ ફિલ્મો બનાવવામાં પણ આગળ હતાં. છેક ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઇ અને ‘આલમઆરા’ ભારતની પહેલી બોલતી ફિલ્મ મનાઈ પણ તેના થોડા જ મહિનાઓમાં નાનુભાઈ વકીલ નિર્દેશિત ‘નરસિહ મહેતા’ પહેલી ગુજરાતી ફિલ્મ રૂપે આવી. તે પહેલાં ૧૯૩૧માં જ બે રીલની ‘મુંબઈની શેઠાણી’ નામની ફિલ્મ પહેલી બોલતી ગુજરાતી દસ્તાવેજી ફિલ્મ હતી, જે ૨૫ સપ્તાહ સુધી ચાલી હતી. આમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ હિન્દી ફિલ્મો જેટલો જ જુનો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક ચડતી પડતીમાંથી પસાર થયો છે અને આજે તે ભારતની કોઈ ભાષાની ફિલ્મોથી ઉતરતો નથી. અત્યાર સુધી ૧૩૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો બની ચુકી છે.
ભારતની તમામ ભાષાઓની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ તેના આરંભ કાળથી ધાર્મિક વિષયો અને ‘રામાયણ’ કે ‘મહાભારત’ના પાત્રો-પ્રસંગો આધારિત હતી. ૧૯૩૨માં બનેલી ‘સતી સાવિત્રી’ આવી જ એક નોંધપાત્ર ફિલ્મ હતી. તો પારસી નિર્દેશક હોમી માસ્ટરે ૧૯૩૫માં ‘ઘરજમાઈ’ બનાવી જે આરંભની સામાજિક અને હાસ્ય ફિલ્મ તરીકે માન પામી.
ભારતીય ફિલ્મ જગતમાં સરદારનું હુલામણું નામ પામનાર ગુજરાતી નિર્માતા ચંદુલાલ શાહે ૧૯૨૭માં ‘ગુણસુંદરી’ બનાવી હતી. તેમાં અવાજ ઉમેરાતાં ૧૯૩૪માં ‘ગુણસુંદરી’ ફરી બની. રતિલાલ હેમચંદ પુનાતરે ૧૯૪૮માં ફરીથી ‘ગુણસુંદરી’ બનાવી. તેના પણ બે દાયકા બાદ સુરતના કૃષ્ણકાન્ત જેમાં માનચતુર બનેલા તે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ પણ સુંદર ફિલ્મ હતી.
આઝાદી પહેલાં ચતુર સર્જકો અંગ્રેજોને ન સમજાય તે રીતે ફિલ્મના સબળ માધ્યમનો ઉપયોગ આઝાદીની ચળવળમાં જાગૃતિ લાવવા માટે કરતાં. ‘ભક્ત વિદુર’ આવી એક ફિલ્મ હતી, અંગ્રેજ શાસકોએ તેને એટલા માટે પ્રતિબંધિત કરી હતી કે તેમાં વિદુરનો દેખાવ મહાત્મા ગાંધી જેવો હતો. જોકે આઝાદી મળતાં જ થોકબંધ ગુજરાતી ફિલ્મો બનવા માંડી. એકલા ૧૯૪૭માં જ ૨૬ ફિલ્મો બની હતી. ૧૯૪૬-૫૨ના સમયગાળામાં ૭૪ ફિલ્મો બની હતી, જેમાંથી ૨૭ ફિલ્મો સંત-સતી-ડાકુ કથાઓ આધારિત હતી. ૧૯૪૬માં નાટ્યકાર વિષ્ણુકુમાર વ્યાસે દંતકથા આધારિત ‘રાણકદેવી’ બનાવી જેમાં શીર્ષક ભૂમિકામાં નિરુપા રોય પહેલી વાર પડદા પર આવ્યાં હતાં.
વલસાડના નિરુપા રોયે એજ વર્ષે નાનુભાઈ ભટ્ટની ‘મીરાબાઈ’ અને રતિલાલ પુનાતરની ‘ગુણસુંદરી’ પણ બન્યાં હતાં. પછી તો હિન્દી ફિલ્મોમાં તેઓ દાયકાઓ સુધી દેખાતાં રહ્યાં. ચતુર્ભુજ દોશીએ દહેજના દુષણ સામે લાલબત્તી ધરતી ‘કરિયાવર’ (૧૯૪૮) બનાવી. એજ નિર્દેશકે ઝવેરચંદ મેઘાણીની નવલકથા આધારિત ‘વેવિશાળ’ (૧૯૪૯) પણ બનાવી હતી. રણજીત સ્ટુડીઓની ‘શાદી’ (૧૯૪૧)ને પુનાતરે ‘મંગળફેરા’ રૂપે ૧૯૪૯માં ગુજરાતીમાં ફરી બનાવી હતી. નિર્માતા મનહર રસકપૂર અને નાટ્યકાર ચાંપશીભાઈ નાગડાએ અનેક ફિલ્મો બનાવી, જેમાં ‘જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮), ‘કહ્યાગરો કંથ’ (૧૯૫૦), ‘કન્યાદાન’ (૧૯૫૧), ‘મૂળુ માણેક’ (૧૯૫૫), ‘મળેલા જીવ’ (૧૯૫૬), કે ‘કાદુ મકરાણી; (૧૯૬૦) ઉલ્લેખનીય હતી પણ હિન્દી સ્ટાર્સ સાથે બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ (૧૯૬૦) સૌથી સફળ હતી. એ સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મોના અભિનેત્રી આશા પારેખને લઈને બનેલી ‘અખંડ સૌભાગ્યવતી’ પણ સફળ રહી. સારી ફિલ્મો બનાવવા માટે સરકારે બનાવેલી ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા બનેલી તે પહેલી ગુજરાતી ફિલ્મ હતી. મનહર રસકપૂરે ‘જોગીદાસ ખુમાણ’ ત્રણવાર બનાવી હતી અને ત્રણેય વાર તેમણે જ નિર્દેશિત પણ કરી હતી.
પન્નાલાલ પટેલની ૧૯૩૬ની નવલિકા અને તેને વિસ્તારીને ૧૯૭૦ બનેલી નવલકથા ‘કંકુ’ આધારિત એજ નામની ‘કંકુ’ (૧૯૬૯)ને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો અને તેની ‘મને અંધારા બોલાવે’ ગીત ગાતી નાયિકા પલ્લવી મહેતાને શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં પુરસ્કાર પણ અપાયો હતો.
સુરતના હરિભાઈ જરીવાલા મુંબઈમાં નાટક કરતા હતાં તેમાંથી સંજીવ કુમાર બનીને ‘રમત રમાડે રામ’ (૧૯૬૪), ‘કલાપી’ (૧૯૬૬) અને ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનેલી ‘જીગર અને અમી’ (૧૯૬૭) કે ‘મારે જાવું પેલે પાર’ (૧૯૬૮) દ્વારા ગુજરાતી ફિલ્મોને એક કલાત્મક ઊંચાઈ પર લઇ ગયા હતા. ‘મારે જાવું પેલે પાર’ આધારિત હિન્દી ફિલ્મ ‘ખિલૌના’ બની અને સંજીવ કુમાર હિન્દી ફિલ્મોના અને દેશના ટોચના અભિનેતા બની ગયા.
ગુજરાતી નવલકથા આધારિત ‘વિધાતા’, ‘ચુંદડી ચોખા’, ‘ઘર દીવડી’, ‘નંદનવન’, ‘ઘરની શોભા’, ‘પાનેતર’, ‘બહુરુપી’, ‘સંસારલીલા’ કે ‘જનમટીપ’ બની અને ગુજરાતી સાહિત્ય અને સિનેમાનો ઉજળો સમયખંડ આવ્યો. તેમાંય ચુનીલાલ મડીયા લિખિત ‘લીલુડી ધરતી’ (૧૯૬૮) ગુજરાતની પહેલી રંગીન ફિલ્મ બની હતી. કેશવ રાઠોડની ‘મહિયરની ચુંદડી’ની સફળતાની કથા એવી હતી કે તેની રિ-મેક ભારતની તેર પ્રાદેશિક ભાષાઓમાં બની હતી. તેજ રીતે ‘સોનબાઈની ચુંદડી’ પહેલી ગુજરાતી સીનેમાસ્કોપ ફિલ્મ બની.
અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતી ગુજરાતના લોકનાટ્ય ભવાઈ શૈલીમાં ધીરુબેન પટેલના નાટક આધારિત ‘ભવની ભવાઈ’ કેતન મહેતાએ ૧૯૮૦માં બનાવી. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સ્મિતા પાટીલે તેમાં નિશુલ્ક અભિનય કર્યો હતો. રાષ્ટ્રી ફિલ્મ વિકાસ નિગમની મદદથી માત્ર ૩.૫ લાખની લાગતથી બનેલી આ ફિલ્મને દેશનો માનવંત નરગિસ દત્ત રાષ્ટ્રીય એકતા એવોર્ડ મળ્યો અને મીરા લાખાણીને શ્રેષ્ઠ પ્રોડક્શન ડીઝાઈનનો નેશનલ એવોર્ડ મળ્યો.
‘ભવની ભવાઈ’ આજે પણ ગુજરાતની શ્રેષ્ઠ કલાત્મક ફિલ્મ મનાય છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં સબ ટાઈટલ સાથે દૂરદર્શન પર રજુ થઇ હતી. તેને ફ્રાંસના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પુરસ્કાર મળ્યો હતો.
એકવીસમી સદીના આરંભે ‘દેશરે જોયા દાદા પરદેશ રે જોયા’માં અમેરિકા જઈ નાણા કમાવાનો વિષય હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોદ્યોગની સૌથી સફળ ફિલ્મ બની. તેની સાથે નાટ્યકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા અભિનીત શ્રેણી બદ્ધ ફાળિયાવાળા નાયકની લોકકથાઓ આધારિત ફિલ્મોનો યુગ આથમ્યો. આજે ગુજરાતી ફિલ્મો અર્બન બની છે. તકનીકી દ્રષ્ટિએ તે હિન્દી ફિલ્મો જેવી જ હોય છે અને અનેક ‘હટકે’ વિષયક હોય છે.
છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતી ફિલ્મો ‘અર્બન’ યાને શહેરી બની છે. દેશની અન્ય ભાષાઓની ફિલ્મો જેવી આધુનિક બની છે. હમણાં કોમેડિયન સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત સંવેદનશીલ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ (૨૦૧૯) ગુજરાતના મલ્ટીપ્લેક્સ થીયેટર્સમાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપ્યા. ગત વર્ષ સુરતના મેહુલ સુરતીના સંગીતવાળી ફિલ્મ ‘હેલ્લારો’એ ધૂમ મચાવી. આમ ગુજરાતી ફિલ્મોનો કારવા ચાલતો રહ્યો છે, ચાલતો રહેશે..
લેખન :- નરેશ કાપડિયા
એ પ્રસંગે જાણો ગુજરાતી ફિલ્મોનો ફ્લેશબેક
૧૦૬ વર્ષ પહેલાં ૩ મે ના રોજ રજુ થયેલી ભારતની પહેલી ફિલ્મ. ત્રણ દિવસ પર ગુજરાત રાજ્ય સ્થાપના દિન ગયો. તે નિમિત્તે આજે ગુજરાતી ફિલ્મોની ચડતી પડતી તપાસીએ.
મનોરંજન જગતની મહાન શોધ એટલે સિનેમા. ૧૯૧૨માં અમેરિકામાં લ્યુમીન બ્રધર્સે તેનો આરંભ કર્યો હતો. થોડા માસ બાદ તેમણે એ ફિલ્મ મુંબઈમાં બતાવી હતી. ૩ મે, ૧૯૧૩ના રોજ ‘રાજા હરિશ્ચન્દ્ર’ મુંબઈમાં રજુ થઇ અને તેને ભારતની પહેલી ફીચર ફિલ્મનું માન મળ્યું. ત્યારે ફિલ્મો મૂંગી હતી. મૂંગી ફિલ્મો વ્યવસાયિક રીતે બનાવનારાઓમાં ગુજરાતીઓ મોખરે હતાં. મૂંગી ફિલ્મોના એ સમયખંડમાં વીસથી વધુ નિર્માણ ગૃહોના માલિકો અને ચાળીસથી વધુ નિર્માતા નિર્દેશકો ગુજરાતી હતાં.
અનેક બાબતોમાં અગ્રેસર રહેનારા પારસીઓ ફિલ્મો બનાવવામાં પણ આગળ હતાં. છેક ૧૯૩૧માં ફિલ્મો બોલતી થઇ અને ‘આલમઆરા’ ભારતની પહેલી બોલતી ફિલ્મ મનાઈ પણ તેના થોડા જ મહિનાઓમાં નાનુભાઈ વકીલ નિર્દેશિત ‘નરસિહ મહેતા’ પહેલી ગુજરાતી ફિલ્મ રૂપે આવી. તે પહેલાં ૧૯૩૧માં જ બે રીલની ‘મુંબઈની શેઠાણી’ નામની ફિલ્મ પહેલી બોલતી ગુજરાતી દસ્તાવેજી ફિલ્મ હતી, જે ૨૫ સપ્તાહ સુધી ચાલી હતી. આમ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ પણ હિન્દી ફિલ્મો જેટલો જ જુનો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક ચડતી પડતીમાંથી પસાર થયો છે અને આજે તે ભારતની કોઈ ભાષાની ફિલ્મોથી ઉતરતો નથી. અત્યાર સુધી ૧૩૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો બની ચુકી છે.
ભારતની તમામ ભાષાઓની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ તેના આરંભ કાળથી ધાર્મિક વિષયો અને ‘રામાયણ’ કે ‘મહાભારત’ના પાત્રો-પ્રસંગો આધારિત હતી. ૧૯૩૨માં બનેલી ‘સતી સાવિત્રી’ આવી જ એક નોંધપાત્ર ફિલ્મ હતી. તો પારસી નિર્દેશક હોમી માસ્ટરે ૧૯૩૫માં ‘ઘરજમાઈ’ બનાવી જે આરંભની સામાજિક અને હાસ્ય ફિલ્મ તરીકે માન પામી.
ભારતીય ફિલ્મ જગતમાં સરદારનું હુલામણું નામ પામનાર ગુજરાતી નિર્માતા ચંદુલાલ શાહે ૧૯૨૭માં ‘ગુણસુંદરી’ બનાવી હતી. તેમાં અવાજ ઉમેરાતાં ૧૯૩૪માં ‘ગુણસુંદરી’ ફરી બની. રતિલાલ હેમચંદ પુનાતરે ૧૯૪૮માં ફરીથી ‘ગુણસુંદરી’ બનાવી. તેના પણ બે દાયકા બાદ સુરતના કૃષ્ણકાન્ત જેમાં માનચતુર બનેલા તે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ પણ સુંદર ફિલ્મ હતી.
આઝાદી પહેલાં ચતુર સર્જકો અંગ્રેજોને ન સમજાય તે રીતે ફિલ્મના સબળ માધ્યમનો ઉપયોગ આઝાદીની ચળવળમાં જાગૃતિ લાવવા માટે કરતાં. ‘ભક્ત વિદુર’ આવી એક ફિલ્મ હતી, અંગ્રેજ શાસકોએ તેને એટલા માટે પ્રતિબંધિત કરી હતી કે તેમાં વિદુરનો દેખાવ મહાત્મા ગાંધી જેવો હતો. જોકે આઝાદી મળતાં જ થોકબંધ ગુજરાતી ફિલ્મો બનવા માંડી. એકલા ૧૯૪૭માં જ ૨૬ ફિલ્મો બની હતી. ૧૯૪૬-૫૨ના સમયગાળામાં ૭૪ ફિલ્મો બની હતી, જેમાંથી ૨૭ ફિલ્મો સંત-સતી-ડાકુ કથાઓ આધારિત હતી. ૧૯૪૬માં નાટ્યકાર વિષ્ણુકુમાર વ્યાસે દંતકથા આધારિત ‘રાણકદેવી’ બનાવી જેમાં શીર્ષક ભૂમિકામાં નિરુપા રોય પહેલી વાર પડદા પર આવ્યાં હતાં.
વલસાડના નિરુપા રોયે એજ વર્ષે નાનુભાઈ ભટ્ટની ‘મીરાબાઈ’ અને રતિલાલ પુનાતરની ‘ગુણસુંદરી’ પણ બન્યાં હતાં. પછી તો હિન્દી ફિલ્મોમાં તેઓ દાયકાઓ સુધી દેખાતાં રહ્યાં. ચતુર્ભુજ દોશીએ દહેજના દુષણ સામે લાલબત્તી ધરતી ‘કરિયાવર’ (૧૯૪૮) બનાવી. એજ નિર્દેશકે ઝવેરચંદ મેઘાણીની નવલકથા આધારિત ‘વેવિશાળ’ (૧૯૪૯) પણ બનાવી હતી. રણજીત સ્ટુડીઓની ‘શાદી’ (૧૯૪૧)ને પુનાતરે ‘મંગળફેરા’ રૂપે ૧૯૪૯માં ગુજરાતીમાં ફરી બનાવી હતી. નિર્માતા મનહર રસકપૂર અને નાટ્યકાર ચાંપશીભાઈ નાગડાએ અનેક ફિલ્મો બનાવી, જેમાં ‘જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮), ‘કહ્યાગરો કંથ’ (૧૯૫૦), ‘કન્યાદાન’ (૧૯૫૧), ‘મૂળુ માણેક’ (૧૯૫૫), ‘મળેલા જીવ’ (૧૯૫૬), કે ‘કાદુ મકરાણી; (૧૯૬૦) ઉલ્લેખનીય હતી પણ હિન્દી સ્ટાર્સ સાથે બનેલી ‘મહેંદી રંગ લાગ્યો’ (૧૯૬૦) સૌથી સફળ હતી. એ સફળતાથી પ્રેરાઈને હિન્દી ફિલ્મોના અભિનેત્રી આશા પારેખને લઈને બનેલી ‘અખંડ સૌભાગ્યવતી’ પણ સફળ રહી. સારી ફિલ્મો બનાવવા માટે સરકારે બનાવેલી ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા બનેલી તે પહેલી ગુજરાતી ફિલ્મ હતી. મનહર રસકપૂરે ‘જોગીદાસ ખુમાણ’ ત્રણવાર બનાવી હતી અને ત્રણેય વાર તેમણે જ નિર્દેશિત પણ કરી હતી.
પન્નાલાલ પટેલની ૧૯૩૬ની નવલિકા અને તેને વિસ્તારીને ૧૯૭૦ બનેલી નવલકથા ‘કંકુ’ આધારિત એજ નામની ‘કંકુ’ (૧૯૬૯)ને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો અને તેની ‘મને અંધારા બોલાવે’ ગીત ગાતી નાયિકા પલ્લવી મહેતાને શિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં પુરસ્કાર પણ અપાયો હતો.
સુરતના હરિભાઈ જરીવાલા મુંબઈમાં નાટક કરતા હતાં તેમાંથી સંજીવ કુમાર બનીને ‘રમત રમાડે રામ’ (૧૯૬૪), ‘કલાપી’ (૧૯૬૬) અને ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનેલી ‘જીગર અને અમી’ (૧૯૬૭) કે ‘મારે જાવું પેલે પાર’ (૧૯૬૮) દ્વારા ગુજરાતી ફિલ્મોને એક કલાત્મક ઊંચાઈ પર લઇ ગયા હતા. ‘મારે જાવું પેલે પાર’ આધારિત હિન્દી ફિલ્મ ‘ખિલૌના’ બની અને સંજીવ કુમાર હિન્દી ફિલ્મોના અને દેશના ટોચના અભિનેતા બની ગયા.
ગુજરાતી નવલકથા આધારિત ‘વિધાતા’, ‘ચુંદડી ચોખા’, ‘ઘર દીવડી’, ‘નંદનવન’, ‘ઘરની શોભા’, ‘પાનેતર’, ‘બહુરુપી’, ‘સંસારલીલા’ કે ‘જનમટીપ’ બની અને ગુજરાતી સાહિત્ય અને સિનેમાનો ઉજળો સમયખંડ આવ્યો. તેમાંય ચુનીલાલ મડીયા લિખિત ‘લીલુડી ધરતી’ (૧૯૬૮) ગુજરાતની પહેલી રંગીન ફિલ્મ બની હતી. કેશવ રાઠોડની ‘મહિયરની ચુંદડી’ની સફળતાની કથા એવી હતી કે તેની રિ-મેક ભારતની તેર પ્રાદેશિક ભાષાઓમાં બની હતી. તેજ રીતે ‘સોનબાઈની ચુંદડી’ પહેલી ગુજરાતી સીનેમાસ્કોપ ફિલ્મ બની.
અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતી ગુજરાતના લોકનાટ્ય ભવાઈ શૈલીમાં ધીરુબેન પટેલના નાટક આધારિત ‘ભવની ભવાઈ’ કેતન મહેતાએ ૧૯૮૦માં બનાવી. નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સ્મિતા પાટીલે તેમાં નિશુલ્ક અભિનય કર્યો હતો. રાષ્ટ્રી ફિલ્મ વિકાસ નિગમની મદદથી માત્ર ૩.૫ લાખની લાગતથી બનેલી આ ફિલ્મને દેશનો માનવંત નરગિસ દત્ત રાષ્ટ્રીય એકતા એવોર્ડ મળ્યો અને મીરા લાખાણીને શ્રેષ્ઠ પ્રોડક્શન ડીઝાઈનનો નેશનલ એવોર્ડ મળ્યો.
‘ભવની ભવાઈ’ આજે પણ ગુજરાતની શ્રેષ્ઠ કલાત્મક ફિલ્મ મનાય છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં સબ ટાઈટલ સાથે દૂરદર્શન પર રજુ થઇ હતી. તેને ફ્રાંસના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પુરસ્કાર મળ્યો હતો.
એકવીસમી સદીના આરંભે ‘દેશરે જોયા દાદા પરદેશ રે જોયા’માં અમેરિકા જઈ નાણા કમાવાનો વિષય હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોદ્યોગની સૌથી સફળ ફિલ્મ બની. તેની સાથે નાટ્યકાર ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા અભિનીત શ્રેણી બદ્ધ ફાળિયાવાળા નાયકની લોકકથાઓ આધારિત ફિલ્મોનો યુગ આથમ્યો. આજે ગુજરાતી ફિલ્મો અર્બન બની છે. તકનીકી દ્રષ્ટિએ તે હિન્દી ફિલ્મો જેવી જ હોય છે અને અનેક ‘હટકે’ વિષયક હોય છે.
છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતી ફિલ્મો ‘અર્બન’ યાને શહેરી બની છે. દેશની અન્ય ભાષાઓની ફિલ્મો જેવી આધુનિક બની છે. હમણાં કોમેડિયન સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત સંવેદનશીલ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ (૨૦૧૯) ગુજરાતના મલ્ટીપ્લેક્સ થીયેટર્સમાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપ્યા. ગત વર્ષ સુરતના મેહુલ સુરતીના સંગીતવાળી ફિલ્મ ‘હેલ્લારો’એ ધૂમ મચાવી. આમ ગુજરાતી ફિલ્મોનો કારવા ચાલતો રહ્યો છે, ચાલતો રહેશે..
લેખન :- નરેશ કાપડિયા
0 Comments