કૉપિરાઇટ Copyright

કૉપિરાઇટ શું છે?

કૉપિરાઇટ એ કોઈપણ મૂળ કલાકૃતિ, સંગીત, સાહિત્ય, સોફ્ટવેર, ફિલ્મો, ફોટોગ્રાફ્સ વગેરે માટે એક પ્રકારનું કાનૂની સુરક્ષણ છે. આનો અર્થ એ થાય કે જે વ્યક્તિએ આવી કૃતિ બનાવી છે તેને તેની કૃતિનો ઉપયોગ કરવાનો વિશેષ અધિકાર હોય છે. કોઈ બીજી વ્યક્તિ આવી કૃતિને પરવાનગી વગર નકલ કરી શકતી નથી, વેચી શકતી નથી અથવા તેનો ઉપયોગ કોઈ બીજા હેતુ માટે કરી શકતી નથી.

કૉપિરાઇટ ક્યારે લાગુ થાય છે?

જ્યારે કોઈ કૃતિ મૂળ હોય ત્યારે.

જ્યારે કૃતિને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે.

જ્યારે કૃતિને કોઈ ભૌતિક સ્વરૂપમાં અથવા ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હોય ત્યારે.

કોપીરાઇટનો ભંગ કે કોપીરાઇટ ઉલ્લઘન શું છે?

કોઈ બીજી વ્યક્તિની કૉપિરાઇટેડ કૃતિને પરવાનગી વગર નકલ કરવી, વેચવી અથવા તેનો ઉપયોગ કરવો એ કૉપિરાઇટનો ભંગ છે. કૉપિરાઇટનો ભંગ એક ગુનો છે અને તેના માટે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ભારતમાં કૉપિરાઇટ અધિનિયમ

કૉપિરાઇટ અધિનિયમ એક કાયદો છે જે કોઈપણ વ્યક્તિની મૂળ રચનાઓ જેવી કે પુસ્તકો, સંગીત, ચિત્રો, ફિલ્મો, કમ્પ્યુટર પ્રોગ્રામ વગેરેને કાનૂની રીતે સુરક્ષિત કરે છે. આ અધિનિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ તેની રચનાઓને બીજા વ્યક્તિ દ્વારા અનધિકૃત રીતે નકલ કરવા, પ્રકાશિત કરવા અથવા વેચવાથી રક્ષણ મેળવી શકે છે.

ભારતમાં, કૉપિરાઇટ અધિનિયમ, 1957 કૉપિરાઇટને નિયંત્રિત કરે છે. આ અધિનિયમ સર્જકને તેમની કૃતિના જીવનકાળ પછીના 60 વર્ષ સુધી કૉપિરાઇટ આપે છે.

કોપીરાઇટ અધિનિયમ, 1994 એ સુધારા સાથે રજૂ થયેલ જેમાં પણ ભારતમાં મૂળ રચનાઓનું રક્ષણ કરતો વ્યાપક કાયદો છે. આ કાયદો સાહિત્ય, કલા, સંગીત, નાટક તેમજ ખાસ સુધારો પાયરસી અંગેનો હતો જેમાં ફિલ્મો, સોફ્ટવેર, ડેટાબેસ વગેરેની નકલ ન થાય તે મહત્વનો મુદ્દો હતો.


કોપીરાઇટ ઉલ્લંઘન ન ગણાતી બાબતો

કોપીરાઇટ કાયદો મૂળ રચનાઓના સર્જકોને તેમના કાર્યો માટે રક્ષણ આપે છે. પરંતુ કેટલીક બાબતો કોપીરાઇટ ઉલ્લંઘન ગણાતી નથી. આવી કેટલીક બાબતો નીચે મુજબ છે:

  • કોઈ પુસ્તક, ફિલ્મ કે અન્ય બાબતોની ટૂંકી સમીક્ષા લખવી.
  • સમાચાર અહેવાલ લખવામાં કોપીરાઇટેડ સામગ્રીનો થોડો ભાગ ઉપયોગમાં લેવો.
  • શૈક્ષણિક હેતુ માટે કોપીરાઇટેડ સામગ્રીનો મર્યાદિત ઉપયોગ.
  • મૂળ સર્જનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને નવું સર્જન કરવું. 
  • તારીખો, ઘટનાઓ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો જેવી સામાન્ય જ્ઞાનની બાબતો કોપીરાઇટથી સુરક્ષિત નથી.
  • સરકાર દ્વારા પ્રકાશિત કરાયેલી માહિતી સામાન્ય રીતે કોપીરાઇટથી મુક્ત હોય છે.
  • કોપીરાઇટ માત્ર મૂળ રચનાઓનું રક્ષણ કરે છે, વિચારો, સિદ્ધાંતો કે પદ્ધતિઓનું નહીં.
  • જો કોઈ વ્યક્તિએ કોઈ સર્જન સ્વતંત્ર રીતે બનાવ્યું હોય અને તે બીજાના સર્જનની નકલ ન હોય તો તે કોપીરાઇટ ઉલ્લંઘન ન ગણાય.

મહત્વની નોંધ:

દરેક દેશમાં કોપીરાઇટ કાયદામાં થોડો ફેરફાર હોઈ શકે છે. કોપીરાઇટ સંબંધિત કોઈપણ ગંભીર મુદ્દા માટે, કાયદાના નિષ્ણાતની સલાહ લેવી હંમેશા સલાહભર્યું છે.

દા.ત.

જો તમે કોઈ પુસ્તક કે ફિલ્મની સમીક્ષા લખો છો અને તેમાંથી થોડા વાક્યો ઉદાહરણ તરીકે આપો છો, તો તે નિષ્પક્ષ ઉપયોગ ગણાશે. પરંતુ જો તમે સમગ્ર પુસ્તક કે ફિલ્મની નકલ કરો છો, તો તે કોપીરાઇટ ઉલ્લંઘન ગણાશે.

ટુંકમાં સરળ શબ્દોમાં કહીએ તો

કોપીરાઇટનો ઉદ્દેશ્ય સર્જકોને તેમના કાર્ય માટે રક્ષણ આપવાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ પણ રીતે કોઈપણ કાર્યનો ઉપયોગ કરી શકાતો નથી. કેટલીક પરિસ્થિતિઓમાં, કોપીરાઇટેડ સામગ્રીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.





કૉપીરાઈટ ઉલ્લંઘન અને સાહિત્યની ચોરી (Plagiarism)  નો પરિચય

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram