15 ઓગસ્ટે વડાપ્રધાન અને 26મી જાન્યુઆરીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે?...

15 ઓગસ્ટે વડાપ્રધાન અને 26મી જાન્યુઆરીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે?....
ભારતના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે કે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દિલ્હીમા ધ્વજ ફરકાવે છે. આજે 26મીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમને જરૂરથી એવુ થતું હશે કે આવું કેમ. 15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. આ
સવાલનો જવાબ જાણવો તમને જરૂર ગમશે.
સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી. કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram