કમાલના અભિનેતા - ઉત્પલ દત્ત
બંગાળી રંગમંચ અને હિન્દી ફિલ્મોના કમાલના અભિનેતા ઉત્પલ દત્ત અગર જીવતા હોત તો તેઓ ૯૧ વર્ષના થાત. ૨૯ માર્ચ, ૧૯૨૯ના રોજ પૂર્વ બંગાળના બારીસાલમાં ઉત્પલનો જન્મ થયો હતો. તેઓ ઊંચી કોટીના અભિનેતા, નિર્દેશક, નાટ્ય લેખક હતા. બંગાળી રંગમંચ પર તેઓ ખુબ ખેલ્યા. જેને આધુનિક ભારતીય રંગભૂમિ કહેવાય તેના ઉત્પલ આધારશીલા સમાન હતા. ૧૯૪૭માં કોલકાતામાં તેમને ‘લીટલ થિયેટર’ની સ્થાપના કરી હતી, જેના દ્વારા તેમણે ‘એપિક થિયેટર’ સમયના અંગ્રેજી, શેક્સપિયરન, બ્રેખ્તના નાટકો કર્યા. ત્યાર બાદ તેમનો ઝુકાવ પૂર્ણ રાજકીય અને રેડીકલ થિયેટર તરફ ગયો. તેમના નાટકો તેમની માર્ક્સવાદી વિચારધારા પ્રગટ કરવાનું સાધન બની ગયાં હતાં. જેમાં કલ્લોલ (૧૯૬૫), માનુંશેર અધિકાર, લોઉંહા મનોબટી વધુ, મહા વિદ્રોહ જેવાં નાટકો હતાં. તેની સાથે ઉત્પલ દત્તે ૪૦ વર્ષો સુધી ૧૦૦ જેટલી બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. તેમાંની કેટલીક યાદગાર ભૂમિકાઓ મૃણાલ સેનની ‘ભુવન શોમ’, સત્યજીત રાયની ‘આગંતુક’, ગૌતમ ઘોષની ‘પદ્મા નાદિર માઝી’ કે હૃષીકેશ મુખર્જીની હિન્દી કોમેડીઝ ‘ગોલમાલ’ (૧૯૭૯) કે ‘રંગ બેરંગી’ રૂપે યાદ કરી શકાય. ઉત્પલ દત્તના મહત્વના સન્માનમાં ૧૯૭૦માં ‘ભુવન શોમ’ના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ, સંગીત નાટક અકાદમીનો એવોર્ડ અને ફેલોશિપ મુખ્ય છે.
તેમના પિતાનું નામ ગિરજારંજન દત્ત હતું. ૨૯ માર્ચ, ૧૯૨૯ના રોજ હિંદુ કાયસ્થ પરિવારમાં પૂર્વ બંગાળના બારીસાલમાં ઉત્પલનો જન્મ થયો હતો. આરંભમાં તેઓ શિલોંગમાં ભણ્યા, પછી કોલકાતાની ઝેવિયર્સમાંથી મેટ્રીક થયા. કોલકાતા યુનિવર્સીટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્યમાં અવ્વલ દરજ્જે સ્નાતક થયા હતા.
તેમણે અરબી સમુદ્રમાં અંગ્રેજો સામે ભારતીય ખલાસીઓના બળવાની કથાવાળું નાટક ‘કલ્લોલ’ રજૂ કર્યાના ચાલીસ વર્ષ બાદ ૨૦૦૫માં ‘ઉત્પલ દત્ત નાટ્યોત્સવ’માં ‘ગંગાબોક્સે કલ્લોલ’ નામે ફરીથી રજૂ કરાયું. આ મહોત્સવ કોલકાતાની હૂગલી નદીમાં મંચ બનાવીને ઓફ-શોર રજૂ થયો હતો. ત્યારે યાદ કરાયું કે ‘કલ્લોલ’ માટે દત્તે ૧૯૬૫માં ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલી સજામાં જેલમાં પણ જવું પડ્યું હતું.
શેક્સપિયરના નાટકો ભજવીને પાગલ થઇ ગયેલાં અદાકારની વાત કરતા ઉત્પલ દત્તના નાટક ‘આજકેર શાહજહાં’ પર આધારિત અંગ્રેજી ફિલ્મ ‘ધ લાસ્ટ લીયર’ (૨૦૦૭) બની. તે ફિલ્મનું નિર્દેશન ઋતુપર્ણ ઘોષે કર્યું અને તેને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
૧૯૬૦માં ઉત્પલ દત્તે ફિલ્મ અભિનેત્રી શોભા સેન સાથે લગ્ન કર્યા હતા. તેમની એકમાત્ર દીકરી ડૉ. બીશનુંપ્રિય દત્ત નાટકના ઇતિહાસના અધ્યાપક રૂપે જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી, નવી દિલ્હીમાં કાર્યરત છે.
તેમની યાદગાર ફિલ્મોમાં ચૌરંગી, સાત હિન્દુસ્તાની, ભુવન શોમ, બોમ્બે ટોકી, ગુડ્ડી, સબ સે બડા સુખ, મેરે જીવન સાથી, હનીમૂન, જુલી, અમાનુષ, શક, દો અંજાને, જન અરણ્ય, સ્વામી, કિસ્સા કુર્સી કા, અતિથી, સફેદ હાથી, તૂટે ખિલૌને, ઈમાન ધરમ, અનુરોધ, દુલ્હન વહી જો પિયા મન ભાયે, ધ ગ્રેટ ગેમ્બલર, ગોલમાલ, અપને પરાયે, શૌકીન, નરમ ગરમ, અંગૂર, અગ્નિ પરીક્ષા, કિસી સે ના કેહના, રંગ બિરંગી યાદ કરી શકાય.
અમિતાભ બચ્ચનની ‘ગ્રેટ ગેમ્બલર’ અને ‘ઇન્કિલાબ’ ફિલ્મોમાં ઉત્પલ દત્ત મુખ્ય વિલન હતાં. અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં તો મુખ્ય ભૂમિકા જ ઉત્પલ દત્તની હતી. હિન્દી સિનેમામાં ઉત્પલ દત્ત ખુબ ઓછી પણ કલાત્મક ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ કરીને જાણીતા હાસ્ય કલાકાર પણ બન્યા હતા. ‘ગોલમાલ’, ‘નરમ ગરમ’ અને ‘રંગબેરંગી’માં તેમના અભિનય માટે ઉત્પલ દત્તને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યાં હતાં. તે ઉપરાંત ‘ગુડ્ડી’ અને ‘શૌકીન’ની તેમની હાસ્ય ભૂમિકાઓ પણ યાદગાર હતી. તેની સમાંતરે ઉત્પલજી બંગાળી નાટકોમાં ખુબ જ ગંભીર ભૂમિકાઓ કરીને પણ ખુબ લોકચાહના મેળવતા રહ્યા. બંગાળમાં ઉત્પલ દત્તને વીસમી સદીના શ્રેષ્ઠ નાટ્યકાર માનવામાં આવે છે. તેઓ આજીવન માર્ક્સીસ્ટ વિચારસરણી ધરાવનાર મહાનુભાવ રહ્યા. સી.પી. એમ. પક્ષના તેઓ કાયમી ટેકેદાર રહ્યા. પક્ષના કાર્ય રૂપે તેમણે અનેક શેરી નાટકો પણ કર્યા.તેમની ડાબેરી વિચારસરણી ધરાવતી ‘ક્રાંતિકારી નાટ્ય પ્રવૃત્તિ’ આધુનિક બંગાળી નાટ્ય જગતમાં અભૂતપૂર્વ ગણાય છે.
૧૯ ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ ઉત્પલ દત્ત હોસ્પિટલમાંથી ડાયાલીસીસ કરાવીને ઘરે પરત થયા અને છાતીમાં દુખાવો થયો અને તે માસીવ હાર્ટ એટેકમાં તેઓ કાયમ માટે શાંત થઇ ગયા.
'એપ્રિલ માસના સિતારા - નરેશ કાપડીઆ' પુસ્તકમાંથી - આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
તેમના પિતાનું નામ ગિરજારંજન દત્ત હતું. ૨૯ માર્ચ, ૧૯૨૯ના રોજ હિંદુ કાયસ્થ પરિવારમાં પૂર્વ બંગાળના બારીસાલમાં ઉત્પલનો જન્મ થયો હતો. આરંભમાં તેઓ શિલોંગમાં ભણ્યા, પછી કોલકાતાની ઝેવિયર્સમાંથી મેટ્રીક થયા. કોલકાતા યુનિવર્સીટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્યમાં અવ્વલ દરજ્જે સ્નાતક થયા હતા.
તેમણે અરબી સમુદ્રમાં અંગ્રેજો સામે ભારતીય ખલાસીઓના બળવાની કથાવાળું નાટક ‘કલ્લોલ’ રજૂ કર્યાના ચાલીસ વર્ષ બાદ ૨૦૦૫માં ‘ઉત્પલ દત્ત નાટ્યોત્સવ’માં ‘ગંગાબોક્સે કલ્લોલ’ નામે ફરીથી રજૂ કરાયું. આ મહોત્સવ કોલકાતાની હૂગલી નદીમાં મંચ બનાવીને ઓફ-શોર રજૂ થયો હતો. ત્યારે યાદ કરાયું કે ‘કલ્લોલ’ માટે દત્તે ૧૯૬૫માં ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલી સજામાં જેલમાં પણ જવું પડ્યું હતું.
શેક્સપિયરના નાટકો ભજવીને પાગલ થઇ ગયેલાં અદાકારની વાત કરતા ઉત્પલ દત્તના નાટક ‘આજકેર શાહજહાં’ પર આધારિત અંગ્રેજી ફિલ્મ ‘ધ લાસ્ટ લીયર’ (૨૦૦૭) બની. તે ફિલ્મનું નિર્દેશન ઋતુપર્ણ ઘોષે કર્યું અને તેને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
૧૯૬૦માં ઉત્પલ દત્તે ફિલ્મ અભિનેત્રી શોભા સેન સાથે લગ્ન કર્યા હતા. તેમની એકમાત્ર દીકરી ડૉ. બીશનુંપ્રિય દત્ત નાટકના ઇતિહાસના અધ્યાપક રૂપે જવાહરલાલ નેહરુ યુનિવર્સીટી, નવી દિલ્હીમાં કાર્યરત છે.
તેમની યાદગાર ફિલ્મોમાં ચૌરંગી, સાત હિન્દુસ્તાની, ભુવન શોમ, બોમ્બે ટોકી, ગુડ્ડી, સબ સે બડા સુખ, મેરે જીવન સાથી, હનીમૂન, જુલી, અમાનુષ, શક, દો અંજાને, જન અરણ્ય, સ્વામી, કિસ્સા કુર્સી કા, અતિથી, સફેદ હાથી, તૂટે ખિલૌને, ઈમાન ધરમ, અનુરોધ, દુલ્હન વહી જો પિયા મન ભાયે, ધ ગ્રેટ ગેમ્બલર, ગોલમાલ, અપને પરાયે, શૌકીન, નરમ ગરમ, અંગૂર, અગ્નિ પરીક્ષા, કિસી સે ના કેહના, રંગ બિરંગી યાદ કરી શકાય.
અમિતાભ બચ્ચનની ‘ગ્રેટ ગેમ્બલર’ અને ‘ઇન્કિલાબ’ ફિલ્મોમાં ઉત્પલ દત્ત મુખ્ય વિલન હતાં. અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં તો મુખ્ય ભૂમિકા જ ઉત્પલ દત્તની હતી. હિન્દી સિનેમામાં ઉત્પલ દત્ત ખુબ ઓછી પણ કલાત્મક ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ કરીને જાણીતા હાસ્ય કલાકાર પણ બન્યા હતા. ‘ગોલમાલ’, ‘નરમ ગરમ’ અને ‘રંગબેરંગી’માં તેમના અભિનય માટે ઉત્પલ દત્તને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યાં હતાં. તે ઉપરાંત ‘ગુડ્ડી’ અને ‘શૌકીન’ની તેમની હાસ્ય ભૂમિકાઓ પણ યાદગાર હતી. તેની સમાંતરે ઉત્પલજી બંગાળી નાટકોમાં ખુબ જ ગંભીર ભૂમિકાઓ કરીને પણ ખુબ લોકચાહના મેળવતા રહ્યા. બંગાળમાં ઉત્પલ દત્તને વીસમી સદીના શ્રેષ્ઠ નાટ્યકાર માનવામાં આવે છે. તેઓ આજીવન માર્ક્સીસ્ટ વિચારસરણી ધરાવનાર મહાનુભાવ રહ્યા. સી.પી. એમ. પક્ષના તેઓ કાયમી ટેકેદાર રહ્યા. પક્ષના કાર્ય રૂપે તેમણે અનેક શેરી નાટકો પણ કર્યા.તેમની ડાબેરી વિચારસરણી ધરાવતી ‘ક્રાંતિકારી નાટ્ય પ્રવૃત્તિ’ આધુનિક બંગાળી નાટ્ય જગતમાં અભૂતપૂર્વ ગણાય છે.
૧૯ ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ ઉત્પલ દત્ત હોસ્પિટલમાંથી ડાયાલીસીસ કરાવીને ઘરે પરત થયા અને છાતીમાં દુખાવો થયો અને તે માસીવ હાર્ટ એટેકમાં તેઓ કાયમ માટે શાંત થઇ ગયા.
'એપ્રિલ માસના સિતારા - નરેશ કાપડીઆ' પુસ્તકમાંથી - આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
0 Comments