નિદ્રાનો કુદરતી ક્રમ •••••••••••••••••••

રાત્રીનાં ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે, જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.

🏀 તમે ૧૧ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછી જ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરાં ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.

🏀 હવે તમે જો ૧૨ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૩ કલાક જ મળે. જો ૧ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૨ કલાક જ મળે અને જો ૨ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૧ જ કલાક મળે.
🏀 જ્યાં ૪ કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછાં કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.

🏀 થોડુંક વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યાં હો ત્યારે ગમે તેટલાં કલાક ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.

🏀 શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ૩ થી ૫ નાં સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયાનું સ્થાન છે તે વખતે તમારે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ. જેથી બ્રહ્માંડીય ઊર્જા જે તે સમયે વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય. તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયોનની માત્રા ખૂબજ વધારે હોય છે.

🏀 ૫ થી ૭ શુદ્ધ થયેલાં રક્તનો સંચાર તમારાં મોટાં આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખાં દિવસ દરમિયાન લેવાતાં પોષક તત્વો ગ્રહણ કરવાં માટે તૈયાર કરે છે.

🏀 પછી સૂર્યોદયના સમયે ૭ થી ૯ દરમિયાન શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરનાં પેટ અને આમાશય તરફ વહે છે. આ સમય છે જ્યારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ.

🏀 તમારાં દિવસનો તે સૌથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તો ન કરતાં લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે.

🏀 આ કુદરતે તમારાં શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે, એને અનુસરવાથી ચિતા સુધી ચાલતાં જઈ શકાય.

🏀 હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું ? હું તો વિનંતી કરીશ કે કામ જલ્દી સૂઈને વહેલાં ઊઠીને ન કરી શકાય ?

🏀 બસ, તમારાં મોડી રાતનાં કાર્યોને વહેલાં ઊઠીને કરવાની આદત પાડો. સમય તો સરખો જ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે.

आरोग्य वैसे धनम् !

સાભાર : સ્વાસ્થય સેવા whatsapp ગ્રુપમાંથી

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram