મેંદાનો પરિચય ત્થા કેટલીક ભયાનક વિગતો.-- હિતેષ એ. મોઢા
મેંદો ઘંઉના (બ્રાન)ઉપલા લાલ ભાગને દુર કરીને બનાવવામાં આવે છે. તેમ ઘણી વાર મેંદો વધારે સફેદ થાય તે માટે અનેક બ્લીચીંગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘંઉમાં કોઈ મહત્વનો ભાગ હોય છે, તે છે બ્રાન યાને લાલ સ્તર. આથી જ અગાઉ ઘંઉની રોટલી રોટલા જાડા લોટની બનાવવાંમાં આવતી, અને આ એક આરોગ્યપ્રદ માર્ગ છે/હતો.
ઘંઉનાં મુલાયમ લોટની કોઈ પણ વાનગી આંતરડા માટે હાનિકારક જ છે. ખાસ કરીને, ડ્રાય અને વેટ ટ્રોપિકલ(ઉષ્ણકટિબંધ) + સબટ્રોપિકલ-હ્યુમીડ + આરીડ -સેમી આરીડ વિસ્તારમાં. જ્યાં વાતાવરણ અતિ ઠંડુ હોય ત્યાં ઘંઉનો મુલાયલ લોટ કે ઓર્ગેનિક મેંદો ચાલે છે. ગુજરાતમાં આરીડ સેમી આરીડ, ટ્રોપિકલ વાતાવરણ છે. આરીડ એટલે કચ્છથી ઉતર ગુજરાત સુધીનો વિસ્તાર. સેમી આરીડ સૌરાષ્ટ્રથી મહેસાણા વડૉદરા સુધીનો વિસ્તાર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ચોરવાડથી મહુઆ આ બધા ટ્રોપિકલ વિસ્તારો છે. આ બધા વિસ્તાર મેંદા માટે નકામા છે. અલ્પાઈન ફકત કાશ્મિર અને હિમાલય રેંજમાં જોવા મળે છે.
રોજીંદા ઉપયોગમાં મેંદો.
A બિસ્કીટ, ખારી, અન્ય બેક આઈટેમ્સ.
B ખારી પૂરીઓ તેમજ અમુક મિષ્ટ વાનગીઓ
C નાન, કુલચાઓ + પીઝા + અમુક પ્રકારનાં નુડલ્સ અને પાસ્તા,
D અમુક પ્રકારનાં થીક શેઈક. આ ઉપરાંત અનેક પ્રકારનાં કો-ફૂડ તરીકે મેંદો વપરાય છે.
B ખારી પૂરીઓ તેમજ અમુક મિષ્ટ વાનગીઓ
C નાન, કુલચાઓ + પીઝા + અમુક પ્રકારનાં નુડલ્સ અને પાસ્તા,
D અમુક પ્રકારનાં થીક શેઈક. આ ઉપરાંત અનેક પ્રકારનાં કો-ફૂડ તરીકે મેંદો વપરાય છે.
કેટલીક વિગતો
૧ ) ઘઉંનો લોટ કરતાં સસ્તો કેમ ??? લોટની પડતર કરતાં મેંદો ૩૦ થી ૪૦ ટકા મોંઘો હોવો જોઈએ... કુછ તો ગરબડ હૈ. મેંદો બનાવવાંમાં કોઈ પણ પ્રકારનાં નબળા ઘંઉ પણ ચાલે છે. ઘંઉની કઈ જાત છે, તે બાબતે ઈલ્લે ઈલ્લે....
૨ ) મેંદો બનાવવાની પ્રક્રિયાથી ગ્લુટેન પણ આઈસોલેટ્ડ થઈ જાય છે, તે પણ ખતરનાક સાબીત થાય છે. આનાથી થતી બીમારીનું બહુ મોટુ લિસ્ટ છે. આ ન્યુરોલોજીક ડિસફંકશનીગ, સાઈક્યાટ્રીક ડિસઓર્ડર પણ ..... લીવર કિડની અને મેટાબોલીઝમ પર બહુ ખરાબ પ્રભાવ આપે છે. તેમ ઘંઉની ઉપર રહેલ લાલ પળમાં ડાયેટરી ફાઈબર હોય છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં ૧૦૦ ગ્રામ ઘંઉમાં ૧૨ થી ૧૪ ગ્રામ આ ફાઈબર હોય છે. + ૧૩ ગ્રામ જેટલુ પ્રોટીન હોય છે. તેમ આર્યન + વિટામીન બી. જે મિલી ગ્રામમાં હોય છે, તે બધા નાશ પામે છે. મેંદોમાં મહતમ કાર્બોહાઈડ્રેટ + ગ્લુટેન આઈસો. હોય છે.
૩ ) અમુક તમુક સસ્તા ઉત્પાદ માટે ફ્લોર બ્લીચીંગ એજ્ન્ટસનો ઉપયોગ કરવાંમાં આવે છે. જેવાં કે ઓક્ઝેલન, બેંઝોયલ પેરોકસાઈડ, કેલ્સિયમ પેરોકસાઈડ. નાઈટ્રોઝન ડાયોકસાઈડ, ક્લોરીન, ક્લોરીન ડાઓકસાઈડ. એઝોડાયકાર્બોનામાઈડ... આ બધા ખતરનાક કેમિકલ્સ છે. જેનાંથી શું નુકશાન થશે તેની વિગતવાર આગાહી કરવી જ મુશ્કેલ છે. કહીં ભી કુછ ભી હો શકતા હૈ !!! કાયમી લટકતી તલવાર જેવો ઘાટ.
4 ) ઉપરોકત રસાયણ, યુરોપિયન યુનિયન દ્વારા યુરોપના દેશમાં બેન છે.
૫ ) મેંદામાં ડાયેટરી ફાઈબર ન હોવાંથી, કબજીયાત ફરજીયાત છે. મેંદો આવક જાવકની પ્રક્રિયા બગાડી નાખતાં, સમયે ખુલાસો ન થતાં દિન પ્રતિદિન આંતરડાઓ તેમની કાર્ય શક્તિ ગુમાવી દે છે.
૬ ) મેંદામાં નર્યો સ્ટાર્ચ હોવાંથી બ્લડ સ્યુગરનું પ્રમાણ વધી જાય છે. આને પચાવવામાં પેંક્રીઆસને ગધા મજુરી કરવી પડે છે. તેનાં કારણે ડાયાબીટીઝ.......
૭) મેંદો બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. તેમાંથી બનતી પ્રોડકટ જેવી કે બેક પ્રોડકટમાં પુષ્કળ પ્રમાણમાં ખમીર નાખવામાં આવે છે, આ ઈંડ ખમીર પણ શરીરને ....... અમુક રેસ્તોરાંમાં રોટી પણ મેંદાની બને છે સાથે તેમાં ખમીરની ઠોકાઠોક હોય છે.
આપ ફૂડ લવર હોવ તો અને વારંવાર રેસ્તોરાંમાં જતાં હોવ તો મેંદોની બનેલ તમામ વાનગીને હળવે હળવે ત્યાગવી. બાળકોને મેંદોની ખાદ્ય વાનગી વિશે બાલ્યાવસ્થાથી સભાન કરવાં. અને ધીમે ધીમે ઘરમાંથી રેડીમેડ મેંદોનો ત્યાગ કરવો, કરાવવો. આજે દરેક ઘરમાં ઘરઘંટી છે, તો ઘરે જ ઘંઉનો કરકરો કે કણી વાળો કે જાડો લોટ બનાવવો વધુ હિતકારી રહેશે. તેમાંથી દરેક બેક આઈટેમ્સ શક્ય છે.
ઈંગ્લીશ ભાષામાં એક કહેવત છે, ફૂડ ઇઝ બેસ્ટ મેડીસીન food is best medicine. તેમ આવું કહી શકાય કે ફૂડ ઈઝ બેસ્ટ પોઈઝન food is best poison. અમૃત કે વિષ એ આપના હાથમાં છે.
અપૂર્ણમ --સંપૂર્ણમ
જય ભારત જય આર્યવર્ત
// અસ્તુ//
પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ આરડી ચેમ્બર્સ છાંયા ચોકી
પોરબંદર ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com
0 Comments