Sunday, April 30, 2023

દુનિયાનું સૌથી મોટું કિચન... ગોલ્ડન ટેમ્પલ

દુનિયા ની સૌથી મોટી પંગત પંજાબ માં આવેલા ગોલ્ડન ટેમ્પલ ગુરૂદ્વારા માં પડે છે.

આ પંગત એટલી મોટી હોય છે કે તમને દુર દુર સુધી  ખબર જ પડે નહિ કે આ ગુરૂદ્વારામાં કેટલા માણસો છે. આ ગુરુદ્વારા માં જે કોઈ પણ વ્યક્તિ આવે છે તે ક્યારેય ભૂખ્યા જતા નથી. અહી સતત જમણવાર ચાલુ હોય છે.

એક બાજુ જ્યાં દુનિયાની સૌથી મોટી વસ્તીને ભોજન નથી મળતું તો બીજી તરફ એક એવું કિચન પણ છે જ્યાં દરરોજ હજારો લોકો મફતમાં પેટ ભરીને ભોજન કરે છે. આ જગ્યાએ અમીર-ગરીબ, નાના-મોટા જેવા કોઈ ભેદભાવ નથી.

ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં


સીતા નવમી... જાણો નવી વાતો

આજે સીતા નવમી છે, માતા સીતાનો પ્રાકટ્ય દિવસ. વૈશાખ મહિનાની શુક્લ પક્ષ નવમ તિથી અને મંગળવારે પુષ્ય નક્ષત્રમાં માતા સીતા પ્રગટ થયા અને એ જ નક્ષત્રના બીજા ચરણમાં ઊર્મિલા, ત્રીજા ચરણમાં નેહકલી અને ચોથા ચરણમાં પ્રેમકલી તથા ભાઈ લક્ષ્મીનિધિ પ્રગટ થયાં.



પ્રસંગ એવો છે કે જનકપુરમાં દુષ્કાળ પડ્યો છે. મૈથિલીમાં લખાયું છે,


जनक राय के देश में, भइ अकाल कछु काल|| 

अल बिनु सब परजा दुखित, अतिशय भयउ बेहाल॥ 

सतानन्द गौतम तनय, पुरोहित निमि-वंश॥

राज सभा महँ आइके, राजहिं विविधि प्रशंस॥


આ પરિસ્થિતિના ઉપાય સ્વરૂપે મુનિઓએ મહારાજ જનકને કહ્યું કે 


अब राजा लांगल्ल फिरावे तव सुकाल परजा सुख पावे॥ 

महि-पूजा जब बहु विधि करई, तबहिं प्रजा दुख संशय टरई॥


જનકપુરમાં મનાય છે કે સીતાજી નાના બાળક સ્વરૂપે મળ્યા એ પહેલા સાક્ષાત અનાદિ પ્રકૃતિ સ્વરૂપે, માતાજી તરીકે તેમનું પ્રાગટ્ય થયું. મહારાજે હળ ચલાવવાનું શરૂ કર્યું, એક તરફ ગુરુજી અને બીજી તરફ મહારાણી છે, હળ ચલાવ્યું અને માતાજી પ્રગટ થયા, વર્ણન છે.. 


प्रगट भइँ सीता तेहि काला, 

सिया दरस मुद मंगल माला ॥


સીતાજીના એ ભવ્ય દિવ્ય અદ્રુત સ્વરૂપનું વિગતે વર્ણન છે.


तेहि के मध्य सिया अलबेली, 

अद्भुत राजति रूप नवेली॥ 

स्याम केश मस्तक भरि के हैं, 

सूक्ष्म सघन मणि मोति गुहेहैं॥ 

माल विशाल भृकुटि वरबाँकी, 

काम धनुख छवि हरत हराँ की॥ 

लोचन ललित विशाल सोहावन, 

स्वेत स्याम कमला कुतपावन॥ 


સીતાજીએ પ્રસન્ન થઈ જે જોઈએ તે માંગવા જનક મહારાજને કહ્યું,


बोलीं सीता वचन वर, सुनिये नृपति प्रवीण |

योग कियहु सो सिद्धिभो, तब हम दरसन दीन ॥


मैं अनादि परशक्ति हौं, सर्व शक्ति मम अंश॥ 

माया पार सरूप मम, अमित विश्व अवतंश॥ 


अति प्रसन्न मोहि जानिके, जोइ भावे सोइ माँग॥ 

वचन अमिय सम श्रवण करि, उर उपजा अनुराग ॥


મહારાજ જનક પ્રાર્થના કરે છે કે તમે મને બાલ સ્વરૂપે પ્રાપ્ત થાવ, તમારા બાલ વિનોદને પામવાનું, શિશુરૂપને માણવાનું વરદાન આપો.


बोले राव यहि मोहि भाव जो बाल सुभाव करो अवही ॥ 

आबहु गोद बढावहु मोद देखावहु बाल विनोद सही॥ 

 दै वरदान भई शिशुरूप अनूप छवि पुनि रोदन ठानी॥

काहु न जान्यो म छु तव राय उठाय लिये सुख मानी॥


મિથિલામાં સંતાનના જન્મ વખતે સોહર ગાવાનું પ્રચલન છે, સીતાજીના પ્રાગટ્ય વખતે પણ આનંદ અને ઉત્સાહનો અવસર હોવાથી સોહર ગવાય છે. માતા સીતાના જન્મની વધામણી અપાય છે.


आजु जनकपुर मंगल बाजु बधाव हो॥ 

चौदह भुवन सकल सुख नृपगृहि आव हो ॥

देव-वधू सब नाचहि मंगल गावहिं हो ॥ 

सियके चरण सरोज निरषि सुख पावहिं हो॥


घर तोरण बंद नेवार बनाइ हो॥ 

हाटक मणिन जराव वितानन छाई हो॥ 

घर - घर तोरण बंद नेवार बनाइ हो॥ 

हाटक मणिन जराव वितानन छाई हो॥


સૌને સિયા જન્મ પ્રસંગની વધામણી 


જય સિયા રામ! 🚩


સાભાર... લેખન...જીગ્નેશ અધ્યારૂ


Wednesday, April 19, 2023

માતાની પછેડી ... વિશ્વમાં ગૌરવ અપાવનારી કળા

આ આર્ટ કે જે સાબરમતી નદીના કિનારે રહેતા દેવીપૂજક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. 

આ આર્ટ બનાવનારા ભાનુભાઈ ચિતારાને 2023નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.

ઉપરાંત

હાલમાં જ યુનેસ્કો દ્વારા ગુજરાતની કલમકારી કલા ‘માતાની પછેડી’ને જીઓગ્રોફિકલ ઇન્ડેક્સ(જીઆઈ)નો દરજ્જો આપવામાં આવ્યો છે.

જાણવા જેવું...હવે કહેવું છે.

શું છે આ જીઆઈ...?

પૂરું નામ જીઓગ્રોફિકલ ઇન્ડેક્સ(જીઆઈ)


જીઆઈ ટેગનો ફાયદો એ છે કે હવે આ આર્ટ અન્ય કોઈ પ્રદેશના આર્ટિસ્ટ આ કળાને શીખી અને તેની કોપી કરીને તેના મૂળ કારીગરોને નુકસાન ના કરી શકે.

દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ અન્ય વ્યક્તિ આ આર્ટની કોપી કે મેકિંગ કરીને કે બીજા કોઈ નામ કે બ્રાન્ડથી વેચી કે બનાવી શકશે નહીં. 

ગુજરાતમાં અગાઉ સંખેડાનું ફર્નિચર, ખંભાતની અકીક, કચ્છી એમ્બ્રોડરી, સુરતી જરી કામ, પાટણના પટોળા, જામનગરની બાંધણી અને ટાંગલિયા શાલને જીઆઈ ટેગ મળી ચૂક્યા છે.




Wednesday, April 12, 2023

Std 12 :: BA Chep 4 Imp Question

 Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 4  વ્યવસ્થાતંત્ર   

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • વ્યવસ્થાતંત્ર એટલે શું ?
  • સતા સોપણી કોને કહેવાય ?
  • અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું ?
  • ઉતરદાયિત્વ કોને કહેવાય ?
  • ક્યાં વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?


👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • "વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પુરક છે" સમજાવો.
  • "અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે." સમજાવો.
  • વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે ?
  • વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો.
  • રૈખિક વ્યવસ્થાતંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે ?
  • ઉતરદાયિત્વ એટલે શું ?
  • સતા સોપણીના મૂળતત્વોની આકૃતિ સહીત યાદી આપો.
  • શ્રેણિક વ્યવસ્થાતંત્રની માત્ર આકૃતિ દોરી સમજાવો.
  • વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓના નામ આપો.
  • શ્રેણિક વ્યવસ્થાતંત્રનો અર્થ આપો.


👉   નીચેના પ્રશ્નોના મુદાસર  ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )

  • અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો.
  • વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજાવો.
  • કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહીત સમજાવો.
  • સતા સોપણીનું મહત્વ સમજાવો.
  • સતા સોપણીના મૂળતત્વો વિષે સમજાવો.
  • વ્યવસ્થાતંત્ર પ્રક્રિયાના તબક્કા ટુકમાં સમજાવો

Std 12 :: BA Chep 3 Imp Question

Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 3  આયોજન  

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • આયોજન ક્યાં ક્યાં ક્ષેત્રમાં જોવા મળે છે ?
  • "જુઓ અને આગળ વધો" નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે ?
  • એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
  • અંદાજપત્રના પ્રકારો જણાવો.
  • OR નું વિસ્તૃત રૂપ આપો.
  • આયોજનના આધારો જણાવો.
  • વ્યુહ રચના એટલે શું ?
  • નીતિ એટલે શું ?


👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • ગૌણ યોજના કોને કહેવાય ?
  • નીતિ એટલે શું ?
  • આયોજન ખર્ચાળ છે ? શા માટે ?
  • આયોજનના ઘટકો જણાવો.


👉   નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. (પ્રત્યેકના 5 ગુણ )

  • આયોજન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.
  • આયોજનની પ્રક્રિયા સમજાવો.
  • આયોજનની મર્યાદા સમજાવો.
  • યોજનાના પ્રકારો સમજાવો.
  • આયોજનના ઘટકો સમજાવો.

Std 12 :: BA Chep 2 Imp Question

Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 2  સંચાલનના સિદ્ધાતો  

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • સમય નિરીક્ષણ એટલે શું ?
  • વર્તન સંબધિત વિચારધારામાં ક્યાં ક્યાં ખયાલોનો સમાવેશ થાય છે ?
  • પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
  • ક્યાં સંચાલન શાસ્ત્રીએ સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે ?
  • નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
  • ગતિ નિરીક્ષણ એટલે શું ?
  • નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે ?


👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ?
  • "Rule of Thumb" કોને કહે છે ?
  • હુકમની એકવાક્યતા એટલે શું ?
  • વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?


👉   નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )

  • સંચાલનના સિદ્ધાતોનું મહત્વ સમજાવો.
  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતો સમજાવો.
  • સંચાલનના સિદ્ધાતોનું સ્વરૂપ સમજાવો.
  • આધુનિક વિચારધારાઓ વિષે ટૂંક નોંધ લખો.
  • પીટર ડ્રકર નું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.
  • હેનરી ફેયોલના કોઈપણ છ સિદ્ધાંતો સમજાવો.
  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતોની પ્રયુક્તિઓ સમજાવો.
  • હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ? સવિસ્તાર સમજાવો.

Std 12 :: BA Chep 1 Imp Question

 Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 1  સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • સંચાલન એટલે શું ?
  • મધ્ય સપાટી સંચાલન બીજા ક્યાં નામથી ઓળખાય છે ?
  • યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?
  • IIM નું વિસ્તૃત સ્વરૂપ લખો.
  • MBA નું વિસ્તૃત સ્વરૂપ લખો.
  • CEO નું વિસ્તૃત સ્વરૂપ લખો.

👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • સંચાલનથી સમાજને ક્યાં લાભ મળે છે ?
  • સંકલનનો અર્થ આપો ?
  • કિમંત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
  • સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?
  • સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો  ?
  • સંચાલન એક કળા છે સમજાવો ?


👉   નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )

  • સંચાલનનું મહત્વ સમજાવો.
  • "સંચાલનની એક વ્યવસાય છે." સમજાવો.
  • ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો.
  • સંકલનનું મહત્વ જણાવો.
  • સંચાલનની વિવિધ સપાટી વચ્ચેના તફાવતના કોઈપણ પાંચ મુદ્દા લખો.
  • માનવ-સંસાધન સંચાલનનું મહત્વ જણાવો.
  • માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી, તેના કાર્યોની ટૂંકમાં સમજુતી લખો.
  • સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો.
  • સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.
  • નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. 


નવયુગ ... મળવા જેવા માણસ અને જોવા જેવી સંસ્થા

પી.ડી.કાંજિયા કોણ છે ? કેવી રીતે મહિને 700 રૂપિયા પગારની નોકરીથી લઈ નવયુગનું એમ્પાયર ઊભું કર્યું ?.. 


મોરબીમાં શિક્ષણના નવયુગના સર્જક: પી.ડી.કાંજિયા

મોરબી વિશે વાત થાય અને જો નવયુગ શિક્ષણ સંકુલ કે શિક્ષણ સંસ્થાનો ઉલ્લેખ ન થાય તો જ નવાઈ. નવયુગ ગ્રુપ એજ્યુકેશન હેઠળ KG થી PG એટલે કે બાળમંદિર થી લઈને માસ્ટર ડિગ્રી સુધીના વિવિધ અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. મોરબી જિલ્લાની સૌથી મોટી શિક્ષણ સંસ્થા નવયુગમાં સાડા છ હજારથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત થઈ રહ્યા છે. એમ કહી શકાય કે આ નવયુગ એ મોરબીના શિક્ષણક્ષેત્રે એક નવો યુગ છે અને તે શરૂ કરનાર છે પી.ડી.કાંજિયા. આ સંસ્થાને તેમણે પોતાના આંગણાના છોડની જેમ ઉછેરીને આજે વૃક્ષમાં તબદીલ કરી છે. શિક્ષકોની ગુણવત્તા, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિકાસ માટે તેઓ સદા તત્પર છે. પ્રાણજીવન ધનજીભાઈ કાંજિયા, મૂળ ગામ મોરબીનું ખાખરાળા. તેમનો જન્મ મોરબીમાં એસ.ટી. ડિપાર્ટમેન્ટમાં કન્ટક્ટર તરીકે ફરજ બજાવતા ધનજીભાઈને ત્યાં 10 ઓક્ટોબર, 1971ના દિવસે થયો. પ્રાથમિક શિક્ષણ ગામની બરવાળા શાળામાં જ પૂર્ણ કર્યું. મોરબીના વાઘજી ઠાકોર દ્વારા બંધાયેલા બંગલામાં તે સ્કુલ ચાલતી તેથી બરવાળા નામે ઓળખાતી. મોરબીની પ્રખ્યાત વી.સી. હાઈસ્કુલમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું, ધો. 12માં હાઈસ્કુલમાં ત્રીજા ક્રમે પાસ થયા. તર્કશાસ્ત્ર અને હિન્દી વિષયમાં તો સ્કુલ ફર્સ્ટ. ઉચ્ચ શિક્ષણ માટે પરંપરાગત ડિગ્રી પાછળ જવાને બદલે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝનો કોર્સ ઉપલેટાના ડુમિયાણીની કોલેજમાંથી કર્યો અને તે કોર્સના અંતિમ વર્ષે પણ હિન્દી વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યા.

કોલેજના શિક્ષણ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. વકતૃત્વ સ્પર્ધા, ગ્રામ નિવાસી તાલીમ શિબિર, આદિવાસી શિબિર, NSS  સહિતની પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યા. BRSનું ભણતર પૂર્ણ કર્યા પછી પાટીદાર કેળવણી મંડળ મોરબી સંચાલિત કુમાર છાત્રાલયમાં ગૃહપતિ કરીકે નોકરી કરી. શિક્ષણવિદ્ ટ્રસ્ટી જીવરાજભાઈ વીરપરિયાના માર્ગદર્શન અને અનુભવે પી.ડી. કાંજિયાનું ઘડતર કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ એમ.એ. કર્યું અને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી DRDની પદવી તેમણે પ્રાપ્ત કરી GBTC, B.Ed. પણ કર્યું. તે શિક્ષણ તેમણે જૂનાગઢની સુભાષ એકેડેમીમાં લીધું. પી.ડી. કાંજિયાએ મોરબીની સેલ્ફ ફાયનાન્સ સ્કુલમાં આચાર્ય તરીકે કામ કર્યું. આ તબક્કો તેમના ઘડતર અને દિશા દર્શનનો હતો. સ્કૂલ મેનેજમેન્ટની તાલીમ ત્યાં થઈ. મનમાં અનેક સંકલ્પ, પ્રકલ્પ આકાર લેતા હતા. એ વર્ષ હતું. ૧૯૯૯ અને મહિનો જૂન. કેટલાક મિત્રોની સાથે રાખી કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી તેમણે નવયુગ સ્કૂલનો પાયો નાંખ્યો. થોડા જ સમયમાં નવયુગનું નામ ગૂંજતું થયું. જૂન 2006માં નવયુગ શૈક્ષિણક સંકુલ નામની અન્ય સંસ્થા મોરબી શહેરની બહાર વિશાળ જગ્યામાં શરૂ કરી. જેમાં KG થી 12 ધોરણ સુધીના અભ્યાસક્રમ શરૂ થયા. ક્રમશઃ આ સંસ્થાએ B.Sc. મહિલા કોલેજ, LLb, B.B.A, B.Com., B.C.A., M.Sc., B.Ed., M.B.A., D.M.L.T., Nursing જેવા કોર્સિસ પણ શરુ કર્યા. વિદ્યાર્થીઓના ઘડતર માટે NIOS શરુ થયું. 20180થી નવયુગ કેરિઅર એકેડેમી પણ શરૂ કરી.

મોરબીના વિસ્તરતા ફલકને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સ્કુલો શરુ કરી. પ્રિ સ્કુલ, નવયુગ કિડ્સ વગેરેની શરૂઆત થઈ. પી.ડી. કાંજિયાની પ્રતિભા ખીલતી ગઈ.

શિક્ષણની સાથે તેમણે સાંસ્કૃતિક, સામાજિક કાર્યો કાર્યક્રમોમાં પણ જીવંત રસ લેવાનું શરૂ કરી નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપ્યું છે. મોરબીમાં કોઈ પણ રચનાત્મક કાર્ય થાય ત્યાં પી.ડી. કાંજિયાનો હોંકારો હોય જ. પી.ડી. કાંજિયાની આ સફળતા પાછળ તેમનો પરિશ્રમ, ધગશ, સમર્પણ તો શ્રેયસ્કર છે જ પરંતુ તેમના આ સાફલ્યમાં તેમના ધર્મપત્ની રંજનબહેન પૂર્ણ સહભાગી છે. જીવનના તમામ તબક્કે તેમણે આપેલો સહયોગ અને હૂંફ પી.ડી. કાંજિયાની આ યાત્રામાં અત્યંત ઉપયોગી સાબિત થયા છે. સંઘર્ષમાં તેમણે આપેલા સાથથી સપ્તપદીની વ્યાખ્યા સાર્થક થઈ છે.

બન્ને શ્રદ્વાળુ છે. હનુમાનજીનું મંદિર તો સંકુલના પ્રાંગણમાં જ છે. પોતાના કૂળદેવી માટેની તેમની આસ્થા અપાર છે. વતન ખાખરાળામાં કૂળદેવીનું મંદિર તેમણે બંધાવ્યું છે. અત્યાર સુધીમાં 25000 જેટલા વિદ્યાર્થીઓએ આ સંસ્થાના માધ્યમથી પોતાની કારકિર્દી ઘડી છે. શિક્ષકોના ઘડતર માટે તેઓ ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર પણ યોજે છે. તેમણે કરેલી પ્રવૃત્તિથી પ્રેરાઈને મોરબીમાં અન્ય લોકોએ પણ શાળાઓ શરુ કરી છે. સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર તરફથી તેમને મળવા જેવા માણસનો એવોર્ડ મળ્યો છે તે ઉપરાંત માય એફએમ, ઝી ૨૪ તરફથી પણ પુરસ્કૃત થયા છે. કઠોર પરિશ્રમથી કેવાં સુંદર પરિણામ મળી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પીડી કાંજિયા અને નવયુગ શિક્ષણ સંસ્થાન છે.

સંકલન : દુષ્યંત પટેલ 


મોરબીમાં નવયુગ સ્કૂલના પાયોનિયર સાથે વિશેષ વાર્તાલાપ.. જુઓ વિડિઓ

#RBNewsMorbi

આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.   

https://youtu.be/8-Z2VTZd3EQ  


https://fb.watch/jRY6GTQIM2/?mibextid=Nif5oz


https://www.instagram.com/reel/Cq7CZRwNw2w/?igshid=YmMyMTA2M2Y=

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...