Wednesday, June 28, 2023

સમોસા સિંઘ :- સફળતાની કહાની

30 લાખના પગાર વાળી નોકરી છોડીને સમોસાનો ધંધો શરૂ કર્યો આ ટાઈટલ વાંચીને કેવું લાગે? 

સમોસાનો ધંધા માટે 30 લાખના પગાર વાળી નોકરી છોડી દીધી. શિખર બાયોકોનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક હતા અને નિધિ એક ફાર્મા કંપનીમાં ભૂતપૂર્વ કર્મચારી છે.

આ સાહસ કર્યું હતું નિધિ સિંહ અને શિખર વીર સિંહ દ્વારા અને એ હતું વર્ષ 2015. આજે 45 કરોડનું ટર્નઓવર ધરાવતું એક સ્ટાર્ટઅપ નામ સમોસા સિંઘ. 

આપણને અકલ્પનીય લાગશે કારણ કે નિધિ સિંહ અને શિખર વીર સિંહે જ્યારે 2015 માં સ્ટાર્ટઅપ "સમોસા સિંઘ" શરૂ કર્યું ત્યારે ઘણાને શંકા હતી કે આ ખરેખર ખોટું સાહસ છે. આનું કારણ પણ હતું, એમણે આ સમોસા સિંઘ શરૂ કર્યું એ સમયે મુડી રોકાણ માટે તેનું 80 લાખનું ઘર વેચી દીધું હતું. એના વડે કિચનને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કર્યું. 

એમની સફળતા માટે કારણો : 

શિખર વીર સિંહને સમોસા માટે બહુ જ પ્રેમ હતો. એ જ્યારે પણ બહાર સમોસા ખાતા ત્યારે સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ગુણવત્તાનો અભાવ જોતાં એમને થયું કે આમાં બહુ મોટો બિઝનેસ છે. 

જુસ્સો અને લોભ નહીં, તે ઊંચે ઉડવા માટે બંધાયેલ છે. શિખર વીર સિંહને સમોસા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. સમોસાની રેસિપીમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું. 

રિટેલ આઉટલેટ ચેઈન શરૂ કરવાની સાથે સાથે કોર્પોરેટ ઓર્ડર પર ફોકસ કર્યું. શરૂઆતમાં તેઓએ કોલ્ડ કોલ કરવાનું શરૂ કર્યું અને આ રીતે તેઓને કોર્પોરેટ ઓર્ડર મળી ગયા.

પ્રાઈસીંગમાં પણ સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું. એકદમ વ્યાજબી કિંમતે સમોસા સર્વ કરી રહ્યા છે. 

આલુ સમોસાના રૂ. 20/પ્લેટ (બે પીસ) અને રૂ. 55/પ્લેટ ચિકન મખની સમોસા.

આનાથી તેમની સમોસાની માંગમાં વધારો થયો. આજે SAMOSA SINGH બ્રાન્ડ હેઠળ WoknStove Foodworks Pvt Ltd નામનું આ સાહસ સમગ્ર ભારતમાં 40 આઉટલેટ ધરાવે છે.

આપણે બધા આપણને જે ગમે છે તેના વિશે વાત કરીએ છીએ. એમાં કાંઈ કરવું જોઈએ એવી લાગણી પણ થાય છે. પરંતુ માત્ર થોડા જ લોકો પહેલું પગલું ભરીને આગળ વધે છે અને તેના પર કામ કરે છે.

એમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે  સમોસા વેચવાનો વિચાર શિખરને જ્યારે તે ભણતો હતો ત્યારે આવ્યો હતો. પરંતુ, કુટુંબ અને સમાજના  ધારા ધોરણોને ધ્યાનમાં રાખીને અને તેમની પાસે રહેલી ડિગ્રીઓને ધ્યાનમાં રાખીને, તેમણે વૈજ્ઞાનિક બનવાનું પસંદ કર્યું હતું.

અહીં બિઝનેસને લગતા કેટલાક પાઠ સમજાય છે....

ગમે તે હોય તમારા પેશનને અનુસરવામાં કોઈ શરમ નથી.

દરેક સાહસોમાં નવી પ્રોડક્ટ કે નવી તક શોધવાની જરૂર નથી. જે નીવડેલી પ્રોડક્ટ છે એમાં વેલ્યુ એડિશન કરીને નવો ટ્રેન્ડ શરૂ કરી શકાય છે. જેમ કે - સમોસા એ બજારમાં છવાયેલી સ્થાપિત પ્રોડક્ટ છે. તેઓએ હમણાં જ એક નવું સેગમેન્ટ બનાવ્યું છે જે હાઇજીનીક રીતે બનાવેલા સમોસા પીરસે છે.

સમોસાની સાથે હવે કચોરી, દાબેલી અને વડાપાઉં પણ સર્વ કરી રહ્યા છે. 

પ્રોડક્ટના ભાવ દરેકને પોષણક્ષમ રાખ્યા. જે સફળતા માટે મહત્વપૂર્ણ બાબત પુરવાર થઈ. 

માર્કેટ પરિસ્થિતિ, સ્થાનિક ખાણીપીણીની આદતો મુજબ મેનુ અપનાવતા જવાની તૈયારી. 

તમારા જીવનસાથીને બિઝનેસ પાર્ટનરમાં ફેરવવું ફળદાયી બની શકે છે. જવાબદારી વહેંચાઈ જાય અને ઝડપી નિર્ણય લેવામાં ફાયદો થાય છે. 

https://www.samosasingh.com/

સાભાર :-

#આ_તો_એક_વાત #મજ્જાની_લાઈફ #d202306 #entrepreneurship #entrepreneurmindset










કમ્પ્યુટરની પેઢીઓ અને વિવિધ કમ્પ્યુટર

આપણાં માટે આજે કમ્પ્યુટરનો અર્થ ઘણો વિશાળ છે કારણ કે તેની મદદથી આપણે વિચારી ન શકીએ એવા કામો કરી શકીએ છીએ પણ જૂના સમયમાં જ્યારે આજના સમય જેવુ કમ્પ્યુટર વિકાસ પણ ન પામ્યું હતું તે સમયમાં લોકો કમ્પ્યુટરનો અર્થ ગણતરી કરનાર સાધન તરીકે સમજતા હતા.  કમ્પ્યુટર પેઢી પરથી સમજવા મળશે કે કમ્પ્યુટરની શરૂઆત કેવી રીતે થઈ હતી અને આજે કમ્પ્યુટરની ટેક્નોલોજી કેટલી આગળ વધી ગઈ છે.

કમ્પ્યુટરમાં અત્યાર સુધીમાં જે કંઇ પણ ફેરફારો થયા છે. તેમાં જે સંસોધનનો અમૂક ચોકકસ સમયગાળો નકકી કરવામાં આવ્યો છે તેને કમ્પ્યુટર જનરેશન કહે છે. 

સૌથી પહેલા તો મિકેનિકલ કમ્પ્યુટર બન્યું હતું અને પછી વિજળીથી ચાલતા કમ્પ્યુટર આવ્યા. પછી હાલમાં AIની મદદથી કમ્પ્યુટરને વધારે સ્માર્ટ બનાવવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટરની generation ની વાત આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે જેમ જેમ કમ્પ્યૂટર વિકસિત થયું તેમ તેમ તેને જુદી જુદી generation ઓમાં વહેંચવા માં આવ્યું જેથી તેમને યોગ્ય રીતે સમજવામાં સરળતા રહે.

કમ્પ્યુટરનો વિકાસ ક્યારે શરૂ થયો તે યોગ્ય રીતે સાબિત કરી શકાતું નથી.પરંતુ development રીતે કોમ્પ્યુટરના વિકાસને generation પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આ મુખ્યત્વે 5 ભાગોમાં વહેંચાયેલા છે.


પ્રથમ પેઢી :- 

Vaccume Tube
Machine language

1920 ની આસપાસ Vaccume Tube નામનું સાધન ઈલેક્ટ્રીકલ સાધન શોધાયું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવાથી તેની ઝડપ અનેક ગણી વધી હતી. તેઓ size માં ખૂબ મોટા હતા. તેમને ચલાવવા માટે ઘણી શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ENIAC થી થઈ. 1946માં જે. પ્રેસ્પર એકર્ટ અને જહોન ડબલ્યુ. મોચલી નામના અમેરિકન ઈજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એનિઆક (ENIAC) (Electronic Numerical Integrator and Calculator) નામે ગણતરી કરતું યંત્ર વિકસાવ્યું. આથી એનિઆક સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું.

કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. એનિઆક ગણતરી કરી શકતું હોવાથી તે કમ્પ્યુટર કહેવાયું. તેમાં 18000 ટ્યુબ ગોઠવવામાં આવી. તે 1 સેકન્ડમાં 5000 સરવાળા અને 500 બે અંકના ગુણાકાર કરી શકતું. એનિઆકને હાલના કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય. તે વિશાળ જગ્યા રોકતું હતું. આવાં કમ્પ્યુટર શરૂ થતાં 52 મિનિટનો સમય લાગતો હતો. આ પેઢીના કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારા થઈ શકતા ન હતા. 1951 માં મોચલી અને એકર્ટ દ્વારા IBM UNIVAC 1 (Universal Automatic Computer) બનાવવામાં આવ્યું હતું.

આ કમ્પ્યુટર ખૂબ મોટી સાઈઝના હોવાને કારણે, તેને ગરમીની ઘણી સમસ્યા હતી, જેના કારણે તેમાં ઘણી વખત ખામી સર્જતી હતી.




બીજી પેઢી:- 

Assembly language
Transistors

1948 માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝીસ્ટરની શોધ કરી. ટ્રાન્ઝિસ્ટર્સે ખૂબ ઓછી જગ્યા લીધી, નાની હતી, ઝડપી હતી, સસ્તી હતી.. તેનાથી કમ્પ્યુટરનુ કદ નાનું થયું. વીજ વપરશ ઘટ્યો અને ઝડપ વધી. 

આ કમ્પ્યુટરની યાંત્રિક ભાષામાં (Machine Language) કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી એસેમ્બલી લેંગ્વેઝમાં કામ કરવાનું શક્ય બન્યું. IBM 1620 એ બીજી પેઢીનું કમ્પ્યુટર છે. મશીન લેંગ્વેઝની તકલીફોને નિવારવા એસેમ્બલી લેંગ્વેઝનો ઉપયોગ આ સમય દરમ્યાન થવા લાગ્યો.



ત્રીજી પેઢી :- 

Higher Level Language 
(Compiler-Translator-Interpreter)
Integrated Circuit


1958 માં જેક કિલ્બીએ સિલિકોનની ચિપની શોધ કરી. Integrated Circuit (IC) તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝીસ્ટર લગાડ્યા. Transistors નાના હતા અને silicon chip ની અંદર નાખવામાં આવ્યા હતા, જેને સેમી કંડક્ટર કહેવામાં આવે છે. આને કારણે, કમ્પ્યુટરની પ્રોસેસિંગ ક્ષમતા ઘણી હદ સુધી વધી જાય છે. આ ચિપના કારણે કદમાં ઘટાડો થતાં એક ટેબલ પર મૂકી શકાય એવા કમ્પ્યુટરનું નિર્માણ થઈ શક્યું. 

પહેલી વાર આ generation ના કમ્પ્યુટર્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે પ્રથમ વખત Monitors, keyboards અને Operating System, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને પ્રથમ વખત બજારમાં ઉતારવામાં આવ્યું હતું.

પ્રોગ્રામીંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઈલર કહે છે. C, COBOL, JAVA વગેરેઆ પ્રકારનાં કમ્પાઈલર છે. IBM 360, PDP 8 અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

ચોથી પેઢી :- 
Structured Query Language
Microprocessors


1969 માં ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે માઈક્રો પ્રોસેસર ચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળા દરમ્યાન વિશેષ ઉપયોગ થયો. જેને કારણે હજારો Integrated Circuit એક જ સિલિકોન chip માં embedded હતા. આનાથી મશીનનું કદ ઘટાડવું ખૂબ જ સરળ બન્યું.


Semi-Conductor Technology ના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો અને કદમાં ઘટાડો થયો. આ ટેકનોલોજી LSI ( Large scale integration) / VLSI ( Very Large scale integration) તરીકે ઓળખાય છે.  ચોથી પેઢીના કમ્પ્યુટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ પેઢીનાં કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાતાં હોવાથી તે Personal Computer (PC) કહેવાયાં. IBM PC અને APPLE 2 એ આ શ્રેણીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.



પાંચમી પેઢી :- 

Artificial Intelligence

આ કમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડભર્યાં બન્યાં. આ પેઢીનાં કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઓપ્ટીકલ ફાઈબર અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. રોબોટના પ્રોગ્રામિંગમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે. IBM Notebook, PENTIUM PC અને PARAM 10000 એ આ પેઢીનાં ઉદાહરણ છે.

આ એક એવી generation છે જ્યાં કોમ્પ્યુટરની Artificial Intelligence ને કારણે, જાતે નિર્ણય લેવાની ક્ષમતા આવી છે. ધીરે ધીરે, તેના તમામ કામ Automated થઈ જશે. 

પાંચમી પેઢી generation આજના યુગની છે જ્યાં Artificial Intelligence એ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. હવે ઘણી નવી તકનીકો જેવી કે નવી ટેક્નોલોજી જેવી Speech recognition, Parallel Processing, Quantum Calculation ઉપયોગમાં આવી રહી છે.



વિવિધ કમ્પ્યુટરનો પરિચય :-

જ્યારે પણ આપણે ક્યારેય કમ્પ્યુટર શબ્દનો ઉપયોગ સાંભળીએ છીએ, ત્યારે જ આપણા મનમાં પર્સનલ કમ્પ્યુટરનું ચિત્ર આવે છે. ચાલો હું તમને જણાવી દઉં કે ઘણા પ્રકારના કોમ્પ્યુટર છે. વિવિધ આકારો અને કદમાં આવે છે. આપણે જરૂરિયાત મુજબ તેમનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પૈસા ઉપાડવા માટે ATM, બારકોડ સ્કેન કરવા માટે સ્કેનર, કોઈપણ મોટી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર. આ બધા વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ છે. ભૂતકાળમાં અને હાલમાં પણ વપરાતા વિવિધ કમ્પ્યુટર યંત્રોનો પરિચય

એબેક્સ :- 

5000 વર્ષ અગાઉ ચીનમાં ગણતરી માટે વપરાતી એક લખોટા ઘોડી કે જે સોરોબનના નામથી પણ ઓળખાતી હતી.

નેપિયર્સ બોન્સ :- 

1614 માં નેપિયર નામના સ્કોટીસ ગણિતજ્ઞે ગુણાકાર કરવા માટે વિકસાવેલું સાધન.
 

સ્લાઈડ રૂલ :- 

નેપિયર બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓડ્રીડ નામના અંગ્રેજ ગણિતજ્ઞે 1620 માં સ્લાઈડ રૂલની શોધ કરી.
 

પાસ્કલાઈન :- 

1642 માં સરવાળા બાદબાકી કરવા માટે બ્લેઈઝ પાસ્કલે ગણતરી કરવાનું એક યંત્ર શોધ્યું. જે પાસ્કલાઈન કહેવાય છે. આ યંત્રનું નિર્માણ તેણે પિતાની મદદથી કર્યું, જે એક ઈન્કમ ટેક્ષ ઓફિસર હતા. ત્યાર બાદ તેણે 1684 માં તૈયાર કરેલા યંત્રમાં ગુણાકાર અને ભાગાકાર પણ થઈ શકતા હતા.

મલ્ટીપ્લાયર વીલ :- 

1674 માં લિબ્નિઝ નામના જર્મન ગણિતજ્ઞે પાસ્કલાઈનમાં સુધારા કરી નવું યંત્ર વિકસાવ્યું. આમાં ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા હતા.


એનેલિટીકલ એન્જિન :- 

1822માં ડિફરન્સ એન્જીન નામના એક મોડલની ડિઝાઈન બનાવી હતી. ત્યારબાદ 1833માં કેમ્બ્રિજ યુનિ.ના પ્રોફેસર ચાર્લ્સ બેબેજ નામના સ્કોટીશ ગણિતજ્ઞે એનેલીટીકલ એન્જિન બનાવ્યું જે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે.
અદ્યતન કમ્પ્યુટરની જેમ એનેલીટીકલ એન્જિનમાં ઈનપુટ ડિવાઈસ, ગણતરી માટેનું યુનિટ, કંટ્રોલ યુનિટ, મેમરી બેન્ક અને આઉટપુટ ડિવાઈસ પણ હતાં. આથી ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતામહ કહેવામાં આવે છે.
 

પંચ કાર્ડ :- 

1890 માં હર્માન હોલેરિથ નામના અમેરિકન જનગણના વિભાગના એક આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે તેમણે પંચ્ડ કાર્ડ (ચોક્કસ અંતરે કાણાં પાડેલો કડક કાગળ) નો ઉપયોગ કર્યો. હર્મનનું આ યંત્ર અંક ની સાથે સાથે અક્ષર વાંચવા પણ સક્ષમ હતું. અમેરિકામાં 1890 માં જનગણતરીમાં આ યંત્રની મદદથી 6 કરોડ લોકોની માહિતી સંભાળીને રાખવામાં આવી હતી. હર્મને પોતાની કંપનીનું નિર્માણ IBMC (International Business Machine Corporation) ના નામથી કર્યું. જે આજે  B.M. ના ટૂંકા નામથી ઓળખાય છે.

હાલમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર

1. Desktop

ઘણા લોકો તેમના ઘરો, શાળાઓ અને તેમના અંગત કામ માટે ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તેઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આપણે તેને ડેસ્ક પર રાખી શકીએ. તેમની પાસે ,Monitor, Keyboard, Mouse,કોમ્પ્યુટર કેસ જેવા ઘણા ભાગો છે.

2. Laptop

તમે લેપટોપ વિશે જાણતા જ હશો જે બેટરી સંચાલિત છે, તે ખૂબ જ પોર્ટેબલ છે જેથી તેઓ ગમે ત્યાં અને ગમે ત્યારે લઈ શકાય.

3. Tablet

હવે વાત કરીએ ટેબલેટની, જેને આપણે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર પણ કહીએ છીએ કારણ કે તેને સરળતાથી હાથમાં પકડી શકાય છે. તેમાં કીબોર્ડ અને માઉસ નથી, ફક્ત ટચ સેન્સિટિવ સ્ક્રીન છે જેનો ઉપયોગ ટાઇપિંગ અને નેવિગેશન માટે થાય છે. Example- iPAD .

4. Servers

સર્વર એ અમુક પ્રકારનું કમ્પ્યુટર છે જેનો ઉપયોગ આપણે માહિતીની આપલે કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે પણ આપણે ઈન્ટરનેટ પર કોઈ વસ્તુની શોધ કરીએ છીએ, ત્યારે તે બધી વસ્તુઓ સર્વરમાં જ સંગ્રહિત થાય છે.

અન્ય પ્રકારના કમ્પ્યુટર્સ

સ્માર્ટફોન:

જ્યારે સામાન્ય સેલ ફોનમાં ઇન્ટરનેટ સક્ષમ હોય છે, ત્યારે આપણે તેનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ, ત્યારે આવા સેલ ફોનને સ્માર્ટફોન કહેવામાં આવે છે.

પહેરવાલાયક: Wearable

એ ટેકનોલોજી ઉપકરણોના જૂથ માટે સામાન્ય શબ્દ છે – જેમાં ફિટનેસ ટ્રેકર અને સ્માર્ટવોચનો સમાવેશ થાય છે – જે દિવસભર પહેરવા માટે રચાયેલ છે. આ ઉપકરણોને ઘણીવાર પહેરવાલાયક કહેવામાં આવે છે.

ગેમ કન્સોલ:(Game Control)

પણ એક ખાસ પ્રકારનું કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ તમે તમારા ટીવી પર વિડીયો ગેમ્સ રમવા માટે કરો છો.

સ્માર્ટ ટીવી:

ટીવી પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે જેમાં હવે ઘણી બધી એપ્લીકેશન અથવા એપ્સનો સમાવેશ થાય છે જે તેને સ્માર્ટ ટીવીમાં રૂપાંતરિત કરે છે. તે જ સમયે, તમે હવે ઇન્ટરનેટ પરથી સીધા તમારા ટીવી પર વિડિઓ સ્ટ્રીમ કરી શકો છો.



કમ્પ્યુટરની જરૂરિયાત અને ઉપયોગો

આજનો યુગ એ Information Technology નો યુગ છે. કોમ્પ્યુટર એ માનવી ની મૂળભૂત જરૂરિયાત બનતું જાય છે. ત્યારે એમ કહી શકાય કે આવતી કાલે કોમ્પ્યુટર ઉપયોગ ન જાણનાર વ્યક્તિ અભણ કહેવાશે. ટાઈમ,સ્પેસ ની બચત તથા ચોકસાઇના જમાનામાં, કંટાળ્યા થાક્યા વગર સતત કામ કરનાર તથા બધી જ બાબતો યાદ રાખનાર સાધન વગર નવી સદીમાં ચાલે તેમ નથી.


કમ્પ્યુટર ના ઉપયોગો

કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? આમ જોવા જઈએ તો હાલના ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર એ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે મેં નીચે કમ્પ્યુટરના કેટલાક ઉપયોગો ની જાણકારી આપી છે.


શિક્ષણમાં કમ્પ્યુટરનો ઉપયોગ: 

શિક્ષણમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો સહયોગ છે. જો કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ બાબતે જાણકારી પ્રાપ્ત કરવી છે તો ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા સેકન્ડોમાં તે માહિતી પ્રાપ્ત કરી શકે છે. તાજેતરમાં થયેલ રિસર્ચ દ્વારા જાણવા મળેલ છે તે કમ્પ્યુટરની મદદથી વિદ્યાર્થીઓના લર્નિંગ પરફોર્મન્સમાં વધારો થયેલો છે હાલના ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ક્લાસ દ્વારા ઘરે બેઠા છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે ‌. એમાં પણ કોરોના ( covid-19) ના સમયગાળામાં જ્યારે તમામ શાળાઓ બંધ છે ત્યારે કમ્પ્યુટર ના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આશીર્વાદરૂપ સાબિત થયું છે.


આરોગ્ય અને દવાઓ : 

આરોગ્ય ક્ષેત્રમાં કમ્પ્યુટર એ વરદાન સમાન છે તાજેતરમાં તેના ઉપયોગ દ્વારા દર્દીઓની સારવાર ખૂબ જ ઝડપી અને સરળતાથી કરી શકાય છે. ખુબ જ સરળતાથી રોગની જાણકારી મળી શકે છે તેમજ તેનો ઇલાજ કરી શકાય છે. કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ઓપરેશન ખૂબ જ સરળ બન્યા છે.


વિજ્ઞાન જગતમાં કમ્પ્યુટરનો ઉપયોગ:

કમ્પ્યુટર એ સાયન્સની તો દેન છે. તેના દ્વારા રિસર્ચમાં ખૂબ સરળતા રહે છે તાજેતરમાં વિજ્ઞાન ક્ષેત્રે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને collaboratory કહેવામાં આવે છે. જેમાં દુનિયાના અલગ-અલગ ખૂણે વસેલા વૈજ્ઞાનિકો એક સાથે મળીને કામ કરી શકે છે.


ઉધોગ: 

ઉદ્યોગ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો હાથ છે તેનો ઉપયોગ મુખ્યત્વે માર્કેટિંગ, retailing, બેન્કિંગ, ટ્રેડિંગમાં થાય છે અહીં બધી જ વસ્તુઓ ડિજિટલ હોવાના કારણે તેની પ્રોસેસિંગ ખૂબ જ ઝડપી થઈ ગઈ છે આજના યુગમાં કેસલેસ ટ્રાન્જેક્શન ને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે એ પણ એક કમ્પ્યુટરની જ દેન છે.


મનોરંજન: 

અત્યારે કમ્પ્યુટર એ મનોરંજન માટેનું એક ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે. મુવી sports યા રેસ્ટોરન્ટ દરેક માં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તાજેતરમાં સ્માર્ટફોન જ મનોરંજન મુખ્ય સાધન બની ગયું છે.


સરકારી ક્ષેત્ર: 

તાજેતરમાં સરકાર પણ કમ્પ્યુટરના ઉપયોગ પર વધુ ભાર આપી રહી છે જો આપણે વાત કરીએ ટ્રાફિક ટુરીઝમ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ શિક્ષણ aviation દરેક જગ્યાએ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કામ ખૂબ જ સરળ બની ગયું છે. તાજુતરમાં ગુજરાત સરકાર દ્વારા ખનિજ ચોરી ૫ર નિયંત્રણ માટે, કોરોના ગાઇડલાઇન ઉલ્લ્ઘન કરતા લોકો ૫ર નજર રાખવા ડ્રોનનો ઉ૫યોગ કરવાનો નિર્ણય કરવામાં આવેલ જેમાં મહદ અંશે સફળતા ૫ણ મળેલ છે. આથી જ આજકાલ સરકાર તેમના ઉપયોગ પર પણ વધુ ધ્યાન આપી રહી છે. જો આપણે Traffic, Tourism, Information & Broadcasting, Education, Aviation વિશે વાત કરીએ તો, તમામ સ્થળોએ તેમના ઉપયોગને કારણે  કાર્ય ખૂબ જ સરળ બની ગયું છે.



Defence (ડિફેન્સ): 

તાજેતરમાં ટેકનોલોજીના યુગમાં સેનામાં પણ કમ્પ્યુટર ના સાધનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . મિસાઇલ, ઉ૫ગ્રહોનુ લોન્ચિંગ ૫ણ એક પ્રકારના કમ્પ્યુટરને જ આભારી છે. સેનાના ઘણા બધા સાધનો કમ્પ્યુટરની મદદથી કંટ્રોલ થઈ શકે છે.


સિવાય અન્ય ઘણા ઉપયોગો આપણે જાણ્યે અજાણ્યે કરી રહ્યા છે... જેમકે..

કમ્પ્યુટરના ઉપયોગો

  • કમ્પ્યુટરનો ઉપયોગ હવાઈ મુસાફરી અને રેલ્વેમાં ઝડપી ટિકિટ કાઢવા માટે થાય છે.
  • કમ્પ્યુટરનો ઉપયોગ શાળાઓ અને કોલેજમાં વિધ્યાર્થીઓના ડોકયુમેંટ અને તેમની માહિતી સાચવવા માટે થાય છે.
  • કમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામો માટે પણ થાય છે.
  • તેનો ઉપયોગ મનોરંજન ક્ષેત્રે ફિલ્મો જોવા, ગેમ રમવા વગેરે માટે પણ થાય છે.
  • કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ માહિતી જાણી શકાય છે.
  • કમ્પ્યુટરમાં યૂટ્યૂબની વેબસાઇટ દ્વારા કોઈ પણ પ્રકારના વિડિયો જોઈ શકાય છે.
  • કમ્પ્યુટર દ્વારા કોઈ પણ નવું કૌશલ્ય શીખી શકાય છે.
  • કમ્પ્યુટરની મદદથી તમે નવી વેબસાઇટ અને એપ પણ બનાવી શકો છો.
  • કમ્પ્યુટરમાં તમે મેસેંજિંગ પણ કરી શકો છો.
  • કમ્પ્યુટર દ્વારા તમે વોઇસ કોલિંગ અને વિડિયો કોલિંગ પણ કરી શકો છો.


સુંધા માતા ... રાજસ્થાનના વૈષ્ણોદેવી

મહાદેવ  બારડ દ્વારા લેખન વાંચો...

ગુજરાતના બનાસકાંઠા સરહદની નજીકમાં અને રાજસ્થાનના વૈષ્ણોદેવી ગણાતા સુંધા માતાનું સ્થાનક રાજસ્થાનના જાલોર જીલ્લાના ભીનમાલ તાલુકામાં આવેલું છે. સુંધા પર્વતના કુદરતી સૌંદર્ય વહેતા ઝરણાં અને પક્ષીઓના મધુરવ કલવર વચ્ચે આવેલા આ સ્થળે માતા ચામુંડા, સુંધા માતાના નામથી બિરાજમાન છે. આ મંદિર ઘણું પ્રાચીન માનવામાં આવે છે. ઐતિહાસિક તથ્યો અનુસાર,જાલોરના શાસક ઉદયસિંહના પુત્ર જાલોર નરેશ ચાચીગદેવે આ ચામુંડા માના મંદિરમાં એક મંડપનું નિર્માણ કરાવ્યુ હતું.અહીંયા એક ઐતિહાસિક શિલાલેખ પણ આવેલો છે.સુંધા માતા મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.


ચોમાસામાં તો સૌગન્ધિક પર્વતમાળાનું સૌંદર્યમાં ખીલી ઉઠે છે. અહીં અલગ અલગ પ્રકારની જડીબુટીઓ મળી રહે છે અહીં ફરવા જવા માટે વાતાવરણ યોગ્ય સમય ઓકટોમ્બરથી જાન્યુઆરી સુધીનો વધુ યોગ્ય રહેશે, કારણ કે અહીં ઉનાળામાં ગરમી વધુ હોય છે. અહીં પહોચવા માટે રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે.


આ ભૂમિમાં કેટલાય સાધુ-સંતોએ ધ્યાન, તપ અને દેવીની આરાધના કરી દૈવી શકિતઓ કેળવી હતી. સુંધા પર્વત પર આવેલા આ સ્થાનકને રાજસ્થાનના લોકો સુંધારો ભાખરથી ઓળખે છે. ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ સુગન્ધગિરિ પહાડી ઓના નામથી કરવામાં આવેલો છે. એવું માનવામાં આવે સ્વયં ભગવાન ભોળાનાથે અહીં ત્રિપુર રાક્ષસ વધ કરવા તપસ્યા કરી હતી.


સુંધા મંદિરની કોતરણી આકર્ષક અને મનમોહક છે. તેની કોતરણી દેખાવમાં દેલવાડાના જૈન દેરાસર જેવી છે. મંદિરનાં પરિસરમાં મોટું ત્રિશૂળ છે. જેના ઉપર શિવ, જગદંબા, ગણેશ અને સૂર્યની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરનું નિર્માણ ૧૨ સ્તંભો ઉપર કરવામાં આવેલું છે. મંદિરના મુખ્યદવારથી અંદર જતા ડાબી તથા જમણી બાજુએ અનુક્રમે ગોરા તથા કાળા ભૈરવજી બિરાજમાન છે. અહીંની વ્યવસ્થા અને દેખરેખ માટે ચામુંડા માતાજી ટ્રસ્ટ કાર્યરત છે.અહીંયા જમવા માટે ભોજનાલયમાં ફ્રીમાં ભોજન વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.ડુંગર પર રોકાવા માટે અનેક સમાજોની અલગ અલગ ધર્મશાળાઓ પણ આવેલી છે.જ્યાં ખુબ નજીવા દરે રાત્રિ રોકાણ કરી શકો છો.અને ડુંગર નીચે ટ્રસ્ટ દ્વારા એસી અને નોન એસી રૂમો પણ નજીવા દરે આપવામાં આવે છે.અને નજીકમાં લોહાણા રિસોર્ટ પણ આવેલો છે.અને અન્ય હોટેલો પણ આવેલી છે.


મંદિરથી નીચેની તરફ મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે. તથા આજુબાજુ નાની મોટી દુકાનો રેસ્ટોરન્ટ વગરે આવેલા છે. અહીં ગોગાજીનું મંદિર, વિષ્ણુ-ગણેશ, હનુમાનજીનાં મંદિરો છે.

અહીં પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ (શરાબ)અને બલિ અર્પણ કરાતા જે છેલ્લા ૩૫ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે.


સુંધા માતાનું મંદિર આશરે નવસો વર્ષ જેટલું જૂનું છે, પ્રાચીન સમયમાં ચામુંડા માતાજી ને દારૂ અર્પણ કરાતો હતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે 1976 થી દારૂ બંધ કરાવ્યો અને સાત્ત્વિક સ્વરૂપ ની પૂજાવિધિ શરૂ થઈ. સુંધા શિલાલેખ અનુસાર,રાજા ચાચીગદેવ ગુજરાતના રાજા વિરમને મારવા, દુશ્મન શલ્યને અપમાનિત કરવા અને સંગ અને પાટુકને હરાવવાના હતા.તેમાંથી વિરમ ગુજરાતના પ્રતાપી રાજા હતા. મંદિરે જવા માટે પગથિયાં દ્વારા ભક્તો ચામુંડા માતાના દર્શને જાય છે. જો કોઈને ચાલીને ન જવું હોય અને ઉડન ખટોલામાં બેસીને જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.રાજસ્થાન રાજ્યની સૌ પ્રથમ ઉડન ખટોલા અહીંયા શરૂ કરવામાં આવી હતી.


 નવરાત્રિ દરમિયાન તેરસના દર્શનનું મહત્વ છે. તે દિવસે અહીં શ્રધ્ધાળુ ભકતો અલગઅલગ દેવી દેવતાઓના વેશમાં ગરબે ઘૂમે છે. માતાજી ધડ રહિત દેવી હોવાથી અધટેશ્વરીના નામે પણ ઓળખાય છે.સુંધા પર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું, તેથી તેમને અધટેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે.


પ્રવેશદ્વાર પર શિલ્પકળાના નમૂના સમા સિંહ કંડારવામાં આવેલા છે. અહીંથી આગળ ગુફા મંદિરમાં ચામુંડાદેવી- સુંધા માતા, બ્રહમાણી, વારાહી વગરે છ જેટલી દેવીઓ સ્થાપિત કરવામાં આવેલી છે. માતાજીના સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ, પાસે ચમકતી તલવાર તથા વર્ષોથી અખંડ દીવો પ્રજવલે છે. સામેના ભાગમાં ભૂરેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અને તેની બાજુમાં ભોયરૂ આવેલું છે. જીવજંતુઓના ભયને કારણે વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું છે અહીંથી આબુનો રાજ પરિવાર માતાના દર્શને આવતો હતો.અહીંયા ડુંગરોમાંથી બારેમાસ ઝરણાં વહેતાં રહે છે.અહીંયા ડુંગરોમાં ઊંચે ઊંચે લટકતા પહાડોના પથ્થરોમાં કુદરતી રીતે ઊગેલું કુંવારપાઠું જોવા મળે છે.


સુંધા માતાજીના મંદિર સામે એક રેતીનો પહાડ ઢગલો આવેલો છે.ખુબ ઊંચો છે તે એક આકર્ષણનું કેન્દ્ર છે.પહેલા તો બધાજ ને એ વિચાર આવે કે અહીંયા ચારેબાજુ પહાડો વચ્ચે આવડો મોટો ઢગલો કેવી રીતે થયો? અને વરસાદના કારણે ધીરે ધીરે પાણીમાં એકદમ નાની રેતી હોવાથી તણાઈ રહી છે. દર્શનાર્થીઓ આ ઢગલા પર ચડે છે,અને ફોટો અને સેલ્ફી લે છે.ડુંગરની બાજુમાં એક એક ગુફા પણ આવેલી છે.જ્યાં ભૈરવ બિરાજમાન છે.અહીંયા વાંદરાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે, દર્શનાર્થીઓ એ પ્રસાદી ને ખુબ સાચવવી પડે છે,અને બાજુમાં ઊંચા ડુંગરો આવેલા છે,તેમાં પથ્થરોમાં કોતરોમાં વાંદરાઓ રહે છે.અહીંયા આસપાસના ડુંગરોમાં રીંછ પણ રહે છે.અનેક નાના મોટા પ્રાણીઓ રહે છે.ચોમાસામાં અહીંયા માણસોનું ઘોડાપૂર હોય છે.ખાસ કરીને શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવે છે.ગુજરાત અને રાજસ્થાનની સરહદે હોવાથી બંને રાજ્યોના લોકો અહીંયા આવે છે.અનેક જ્ઞાતિઓના કુળદેવી છે.ચોમાસામાં જરૂર એક વખત મુલાકાત લેજો જીવનભર કાયમ એક સંભારણું બની જશે.

Tuesday, June 27, 2023

ગુરુપૂર્ણિમા Guru Purnima

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર: 

ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥’

પરમ કૃપાળુ ઈશ્વર બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેટલું જ મહત્વ આપ સૌ ગુરુનું છે અને અને આપ સૌ ગુરુને ભગવાન જેટલો જ આદર આપણી ભારતીય સંસ્કૃતિમાં   આપવામાં આવે છે. આપ સૌ ગુરુને સાદર પ્રણામ....🙏🙏🙏

આજે મારે ગુરુ પરંપરા ના તહેવાર ગુરુ પૂર્ણિમા વિશે વાત કરવી છે.

ગુરુપૂર્ણિમા ભારત, ભૂતાન અને નેપાળમાં હિન્દૂ, જૈન, અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા અષાઢ મહિનામાં પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે હિન્દૂ ધર્મ ગ્રંથ મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીએ સૌવ પ્રથમ શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ દિવસને ગુરુપૂર્ણિમાંના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમજ ભગવાન બુદ્ધએ પણ આ દિવસથીજ ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી.

ગુરુ પરંપરાનો આ દિવસ તમામ આધ્યાત્મિક અને શૈક્ષણિક પરંપરાઓને સમર્પિત છે. જેમાં આધ્યાત્મિક જ્ઞાન અને વ્યક્તિ વિકાસ આધારિત જ્ઞાન બંનેનો સમાવેશ થાય છે અને તેનું ઋણ ચૂકવવાનો અવસર માનવામાં આવે છે.

ચોમાસાની ઋતુમાં અષાઢની પૂર્ણિમાના દિવસે કાળા વાદળો છવાય જાય છે અને અંધારું થઇ જાય છે ત્યારે ચંદ્રમા એ વાદળો વચ્ચેથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચાડીને અજવાળું કરે છે. તે રીતે જ ગુરુ એ ચંદ્ર સમાન બનીને પ્રકાશ પાથરે છે. ગુરુ શબ્દનો અર્થ જ થાય કે અંધારું મિટાવી અજવાળું કરવું એટલેકે મનુષ્ય માંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરવો.

ગુરુપૂર્ણિમા એટલે કે જ્ઞાનનું પર્વ....ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. 

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ.....

બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી.


જે આપને અદૃશ્યમાંથી દૃશ્યમાન તરફ દોરી જાય તે ગુરુ.....

જે આપને એક સામાન્ય તત્વમાંથી દિવ્યતા તરફ દોરી જાય તે ગુરુ.....

જે આપને ક્ષણજીવીમાંથી સનાતન તરફ દોરી જાય તે ગુરુ....

જે આપને અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય તે ગુરુ.....

જીવનની તમામ સમસ્યાને પાછળ છોડી અનુભવોના આધારે તમને ઊંચાઈ સુધી લઈ જાય તે ગુરુ.....

એટલે જ તો કહ્યું છે કે ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ ગુરુએ આપેલા અણમોલ મોતી છે.

ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો દિવસ. કહેવાય છે કે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર આપે છે. જ્યારે તમે મુશ્કેલીમાં ફસાયેલાં હોવ, કોઈ નિર્ણય લઇ શકો નહીં તો ગુરુ આવા મુશ્કેલ સમયનો સામનો કરવા માટે રસ્તો બતાવે છે. એટલે જ આપણે ત્યાં ગુરુનું ખૂબ જ મહત્વ છે.

ગુરુ વગરનું જીવન નકામું છે. આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં જેના કોઈ ગુરૂ નથી... તેને "નુગરા" નું બિરુદ આપી અપમાન કરવામાં આવે છે.. તેમનો જેની પાસેથી કઈક શીખવા મળે છે.. જ્ઞાન પ્રાપ્ત થાય છે.. તે તમારા ગુરુ છે... કહેવાય છે કે ભગવાન દત્તાત્રયે એક-બે નહી પણ ૨૪ ગુરૂને સ્વીકાર્ય કર્યા હતાં...જેમાં પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગીયુ, મધમાખી, હાથી, મધ લઈ જનાર પારધી, હરણ, માછલી, વેશ્યા, ટીટોડી, બાળક, કુમારી, બાણ બનાવનાર, સર્પ, કરોળીયો અને ભમરાનો સમાવેશ થાય છે.

ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા મારા તમામ ગુરુદેવોને નમસ્કાર અને દંડવત વંદન.......



Friday, June 23, 2023

કમ્પ્યુટરના પ્રકાર

 પ્રસ્તાવના

આજની દુનિયા માં દરેક ક્ષેત્ર માં કમ્પ્યુટર નો ઉપયોગ થાય છે, જેમ કે – અંતરિક્ષ, ફિલ્મ નિર્માણ, હવાઈમથક, દવાખાનું, એકા એક ઉદ્યોગ, વ્યાપાર, રેલવે સ્ટેશન, શાળાઓ, કોલેજ વગેરે કમ્પ્યુટર થી દરેક કામ જલ્દી અને ઝડપ થી થાય છે.

આજે કમ્પ્યુટર નો ઉપયોગ દસ્તાવેજ બનાવવા,ઈ-મેલ મોકલવા અને પ્રાપ્ત કરવા, સંગીત જોવા, સાંભળવા, મનોરંજન કરવા, રમતો રમવા તેમજ અન્ય વસ્તુઓ જેવી કે – બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓમાં, ઘરો, દુકાનો વગેરેમાં કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે કમ્પ્યુટર બધાની જિંદગી નું અભિન્ન અંગ બની રહ્યું છે, અને કમ્પ્યુટર એ આપણી દિવસકાર્ય નો એક હિસ્સો બની ગયો છે.આ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે ઘણા નિર્દેશો અનુસાર કાર્ય ને પૂરું કરે છે.


કમ્પ્યુટરના પ્રકાર

પ્રથમ કમ્પ્યુટર ના આગમન પછી, હાલના કોમ્પ્યુટરમાં વિવિધ ફેરફારો જોવા મળ્યા છે, મુખ્યત્વે ચાર પ્રકાર ના કમ્પ્યુટર છે


સુપર કોમ્પ્યુટર (SUPERCOMPUTER)
મેનફ્રેમ કમ્પ્યુટર (MAINFREMCOMPUTER)
મિની કમ્પ્યુટર (MINICOMPUTER)
માઇક્રો કમ્પ્યુટર (MICROCOMPUTER)

સુપર કોમ્પ્યુટર

જયારે કામગીરી અને ડેટા પ્રોસેસિંગની વાત આવે છે, ત્યારે આ કિસ્સામાં સૌથી શક્તિશાળી કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર છે, તે વિશિષ્ટ કમ્પ્યુટર છે, જેનો ઉપયોગ મોટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

સુપર કોમ્પ્યુટર્સનો ઉપયોગ સંશોધન અને સંશોધન હેતુ માટે થાય છે જેમ કે – નાસા લોન્ચિંગ, કન્ટ્રોલિંગ અને અવકાશ સંશોધન હેતુ માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

ભારતે ૧૯૯૧માં પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ ૮૦૦૦ બનાવ્યુ હતુ. ભારત ૨૦૨૨ સુધીમાં ૨૦ મેગા વોટથી ઓછો પાવર વાપરતુ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે. હજુ સુધી દુનિયામાં એક પણ દેશે એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવ્યુ નથી. ભારત સરકાર દ્વારા આ માટેનું મિશનર શરૂ કરી દેવાયુ છે અને આ એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા પાછળ ૪૫૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. 

અમેરિકામાં ગયા અઠવાડિયે 'સમિટ' નામનું સુપર કમ્પ્યુટર ખુલ્લું મુકાયુ. દર છ મહિને જગતના સૌથી શક્તિશાળી ૫૦૦ સુપર કમ્ય્યુટરનું લિસ્ટ તૈયાર થાય છે. તેમાં પહેલા ક્રમે રહેવા માટે વિવિધ દેશો વચ્ચે સ્પર્ધા ચાલતી રહે છે.  હમણાં સુધી સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર ચીનનું સનવે ટીહુલાઈટ હતું. તેના આગલા વર્ષે સ્વિત્ઝરલેન્ડનું કમ્પ્યુટર સુપર પાવરમાં પહેલા ક્રમે હતું. હવે હવે અમેરિકા ફરી ટોચ પર આવી ગયું છે.

આપણે વાપરીએ એ પર્સનલ કમ્પ્યુટર (પીસી) કે પછી લેપટોપ છે. એક ટેબલ પર ગોઠવાઈ જાય, બેગમાં પણ સમાઈ જાય. બીજી તરફ સુપર કમ્પ્યુટર હજારો ચોરસ ફીટ કરતાં ઓછી જગ્યા રોકતું નથી. ઓપરેટ કરવા અનેક માણસોની જરૃર પડે છે. મોનિટરની સ્ક્રીન એકાદી નહીં પણ અનેક હોય છે. સર્વરો પણ ગણ્યાગણાય નહીં એટલા અને વાયરો વિણ્યા વિણાય નહીં એટલા હોય. એ બધા ઉપરાંત આગળ વર્ણવી એવી અનેક ખાસિયતો ભેગી થાય ત્યારે બને એક સુપર કમ્પ્યુટર.

નામ પ્રમાણે એ ગણતરીમાં સુપર હોય અને એટલે જ તેનો પથારો વધતો જાય છે.  સાડા પાંચ દાયકા પહેલા ૧૯૬૨માં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ 'સીડીસી (કન્ટ્રોલ ડેટા કોર્પોરેશન) ૬૬૦૦' નામે એક કમ્પ્યુુટર તૈયાર કર્યું. એ કમ્પ્યુટરનું સૌથી મહત્ત્વનું પાસું તેની આસાધારણ ઝડપ હતી. સેકન્ડે ૩૦ લાખ જેવી પ્રભાવશાળી ગણતરી કરી શકતું સીડીસી-૬૬૦૦ એ વખતના સૌથી ઝડપી કમ્પ્યુટર કરતાં દસગણુ પાવરફૂલ હતું.

પરિણામે તેના માટે માનવાચક શબ્દ વપરાયો: 'સુપર કમ્પ્યુટર.' એ પહેલાં સુપર કમ્પ્યુટર એવો કોઈ અલગ પ્રકાર ન હતો અને સુપર કમ્પ્યયુટર એવો શબ્દ પણ ન હતો. અસાધારણ ઝડપ ધરાવતા કમ્પ્યુટરો હવે સુપર કમ્પ્યુટર તરીકે ઓળખાય છે.

આવા સુપર કમ્પ્યુટર કંઈ વ્યક્તિગત વપરાશ માટે બનતા નથી. જ્યાં કરોડો-અબજોની સંખ્યામાં ગણતરીઓ કરવાની હોય, ગણિતશાસ્ત્રીઓને ઊંધે માથે નાખે એવાં ગાણિતિક સુત્રો ઉકેલવાના હોય, કરોડોની સંખ્યામાં દાખલ કરેલી માહિતીમાંથી ચોક્કસ પ્રકારની વિગતોની તપાસ કરી પરિણામ આપવાનું હોય.. એવા સ્થળોએ જ સુપર કમ્પ્યુટરો વપરાતા હોય છે. હવામાન માપન કેન્દ્રો, પરમાણુ શક્તિ સેન્ટરો, ખનિજતેલની શોધખોળ, ભૂસ્તર તપાસ.. વગેરે ક્ષેત્રો એવા છે, જ્યાં સુપર કમ્પ્યુટરો વપરાય છે.

હવે કેટલીક ખાનગી કંપનીઓ પણ સુપર કમ્પ્યુટરો વાપરતી થઈ છે. પરિણામે દુનિયાભરમાં સુપર કમ્પ્યુટરોનો વ્યાપ પણ વધતો જાય છે.

**મેનફ્રેમ કમ્પ્યુટર**

સુપરકોમ્પ્યુટર્સ કરતાં કદમાં નાના હોવા છતાં આ કોમ્પ્યુટર્સ મોંઘા અને ઝડપી છે. એકી વખતે એકસાથે 100 જેટલા માણસો આ કોમ્પ્યુટર પર કામ કરી શકે છે. ઈલેક્ટ્રોનિક સાધનો અને મોટા યંત્રો ની ડિઝાઈન તૈયાર કરવામાં મોટા ઑધિયોગિક ગૃહો આ પ્રકારના કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે. મોટી સંસ્થાઓમા આ કોમ્પ્યુટર્સનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવા માટે થાય છે.

મેનફ્રેમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર કરતા વધુ શક્તિશાળી નથી, પરંતુ તે ખુબ ખર્ચાળ છે. તેઓનો ઉપયોગ ઘણી મોટી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા તેમના વ્યવસાય માટે કરવામાં આવે છે.  કદમાં મોટા હોવાના કારણે , મેનફ્રેમ કોમ્પ્યુટરને વાતાનુકુલિત ઓરડામાં રાખવામાં આવે છે. સુપર કોમ્પ્યુટર્સની ડેટા સ્ટોરેજ ક્ષમતા ખુબ મોટી છે, જેના કારણે તે સૌથી ઝડપી કાર્યરત કમ્પ્યુટર છે.

તે મોટી માત્રામાં ડેટા પાર પ્રક્રિયા અને સંગ્રહ પણ કરી શકે છે. બેંક શૈક્ષણિક સંસ્થાઓ અને વીમા કંપનીઓ તેમના ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને વીમા પોલીસિ ધારકો વિશેનો ડેટા સ્ટોર કરવા માટે મેનફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

મિની કમ્પ્યુટર

આ કોમ્પ્યુટર્સ કદમાં નાના અને સસ્તા છે. એક વખતે એકસાથે 10 માણસો આ પ્રકારના કોમ્પ્યુટર પર કામ કરી શકે છે. બેન્ક, મોટી મોટી વ્યાપારી સંસ્થાઓમાં અને સરકારી ખાતાઓમાં આનો વ્યાપક ઉપયોગ થાય છે. તે ખુબ નાના છે અને ડિસ્ક પર સમાવી શકાય છે, તેમની પાસે સુપર કમ્પ્યુટર અને મેનફ્રેમ કમ્પ્યુટર જેટલું ડેટા સ્ટોર કરવાની ક્ષમતા નથી.

આ કોમ્પ્યુટર્સ સિંગલ યુઝર માટે રચાયેલી નથી. તેઓ મોટી કંપની અથવા સંગઠનોના વ્યક્તિગત વિભાગોમાં વિશિષ્ટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે ઉત્પાદન વિભાગ ચોક્કસ ઉત્પાદન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવા માટે મીની – કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.

માઇક્રો કમ્પ્યુટર

ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ્સ અને સ્માર્ટફોન વગેરે કોમ્પ્યુટર્સ ‘માઇક્રો કોમ્પ્યુટર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘર , ઓફિસ અને શાળાઓમાં વપરાય છે. કિમતમાં સસ્તા છે. એક વખત એક જ માણસ તેના પર કામ કરી શકે છે. દસ્તાવેજો તૈયાર કરી તેનો સંગ્રહ કરવો, હિસાબોનો સંગ્રહ કરવો અને સગાસંબંધીઓ અને મિત્રોના નામ-સરનામા, ફોન નમ્બર્સ સંગ્રહ કરવા ઉપરાંત PC પર રમતો રમી શકાય છે અને સંગીત પણ માણી શકાય છે. લેપટોપ (Laptop) કોમ્પ્યુટર પણ PC નો એક પ્રકાર છે. એ તમામ પ્રકારના માઇક્રોકોમ્પ્યુટર્સ છે. તેઓ વ્યવસાયપણે ઉપયોગમાં લેવાય છે અને ઝડપથી વિકસી રહ્યા છે. અન્ય ત્રણ પ્રકારના કોમ્પ્યુટર્સની તુલનામાં માઇક્રોકોમ્પ્યુટર સૌથી સસ્તું છે. તે ખાસ કરીને મનોરંજન, શિક્ષણ અને કાર્ય હેતુઓ જેવા સામાન્ય ઉપયોગ માટે રચાયેલ છે. માઇક્રોકોમ્પ્યુટર્સ ના પ્રખ્યાત ઉત્પાદકો ડેલ, એપલ, સેમસંગ, સોની અને તોશિબા છે.

ઉપસંહાર:-

કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર એટલું ઊંડું, અટપટું અને જુદા જુદા ફાંટાવાળું છે કે એમાંથી શું કરવું, શું આજે ડિમાન્ડમાં છે અને શું આવતી કાલે ડિમાન્ડમાં રહેશે એ સમજવું કોઈને પણ માટે મુશ્કેલ છે.

આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. આમ આવનારા દિવસોમાં કમ્પ્યુટરમાં પણ પરિવર્તન આવશે..







EPC-8 Bed Sem 3 Computer New Course 2024

Saurashtra university 

Bed Sem 3

EPC-8 Computer New Course


EPC-8 Syllabus 

ICT and Advance Pedagogy 


યુનિટ -1

ICT અને કમ્પ્યુટર પરિચય

1.1 ICT અને કમ્પ્યૂટરની સંકલ્પના, ઉપયોગ અને મર્યાદા

1.2 MS Word (પરિચય, ઉપયોગિતા) 

પ્રવૃતિ – ટાઈપિંગ, ફોર્મેટિંગ, ફોન્ટ સેટિંગ, પેરેગ્રાફીન્ગ જેવા બેઝિક કાર્યો, મિનિમમ વર્ઝન 2007, અને Google docs નો પરિચય

1.3 MS Excel (પરિચય, ઉપયોગિતા) 

પ્રવૃતિ – ફોર્મ્યુલા સાથે પરિણામ બનાવવું, સમયપત્રક બનાવવું, સેલ ફોર્મેટિંગ જેવા બેઝિક કાર્યો, મિનિમમ વર્ઝન 2007, અને Google sheet नो परियय

1.4 MS PowerPoint (પરિચય અને ઉપયોગિતા)

શબ્દો, ચિત્રો, ઓડિયો અને વિડીયો ઇન્સર્ટ કરી સ્લાઇડ બનાવવી, ડિઝાઇન કરવી અને એનિમેશન આપવું, મિનિમમ વર્ઝન 2007, અને Google slides નો પરિચય


યુનિટ -2

ઇન્ટરનેટ અને ટીચિંગ-લર્નિંગ ટૂલ્સ પરિચય


2.1 ઇન્ટરનેટ, ઈમેઈલ અને બ્લોગ : 

અર્થ, પરિચય, ઉપયોગિતા

2.2 ઓનલાઈન ટીચર સપોર્ટ ટૂલ્સ પરિચય: 

ગૂગલ ક્લાસરૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, ગૂગલ મીટ, ChatGPT


2.3 ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પરિચય: 

SWAYAM, DIKSHA, NROER


2.4 ગૂગલ સર્ચની વિવિધ રીતો

હેકિંગ, કૉપીરાઈટ ઉલ્લંઘન અને સાહિત્યની ચોરી (Plagiarism) नो परियय


યુનિટ -3 

અધ્યતન અધ્યાપનશાસ્ત્રનો પરિચય


3.1 અદ્યતન-અધ્યાપનશાસ્ત્ર : 

અર્થ, સિદ્ધાંતો, જરૂરિયાત


3.2 સંકલિત અધ્યાપનશાસ્ત્ર અને STEAM શિક્ષણ : 

સંકલ્પના અને પરિચય


3.3 5E મોડેલ: 

સોપાન અને શિક્ષકની ભૂમિકા


3.4 ચિંતનાત્મક અધ્યયન : 

સંકલ્પના, Gibs નું ચક્ર અને શિક્ષકની ભૂમિકા


યુનિટ -4 

અધતન અઘ્યાપનશાસ્ત્ર પ્રવાહો

4.1 બલેન્ડેડ લર્નિંગ 

સંકલ્પના, સ્વરૂપો, શિક્ષકની ભૂમિકા


4.2 મૂલ્યાંકનની આધુનિક પ્રયુક્તિઓ : 

સંકલ્પના અને પરિચય: [ કિવઝ (Google form), ગેમ્સ (Kahoot),, સ્ટુડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ (Mentimeter), પીઅર રીવ્યુ ]


4.3 ડિજિટલ પોર્ટફોલિયોઃ 

સંકલ્પના, પ્રકાર, ફાયદા, મર્યાદા


4.4 સંકલ્પના ચિત્રણ: 

સંકલ્પના, પ્રકાર અને મહત્વ શિક્ષણ




Monday, June 19, 2023

રથયાત્રાની ઓછી જાણીતી વાતો

પુરીના જગન્નાથની રથયાત્રાની ઓછી જાણીતી વાતો: 12મી સદીમાં શરૂ થઈ હતી પુરીના જગન્નાથની રથયાત્રા, દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્માએ કરેલી મૂર્તિઓની રચના, જાણો રથયાત્રાનાં 13 ખાસ તથ્યો

1. કેવી રીતે શરૂ થઈ રથ પરંપરાઃ

જ્યારે રાજા ઈન્દ્રદ્યુમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે, રાણી ગુંડિચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને તૈયાર થઈ રહેલી મૂર્તિઓને જોઈ લીધી. જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન આ સ્વરૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારબાદ રાજાએ આ 'અધૂરી મૂર્તિઓ'ને મંદિરમાં સ્થાપિત કરી. એ સમયે પણ આકશવાણી થઈ કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.


2. રથનું નિર્માણ:

લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, જેને 'દારુ' કહેવામાં આવે છે. રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. વસંત પંચમીના દિવસે રથના નિર્માણ માટે લાકડાની પસંદગી કરવામાં આવે છે અને અક્ષયતૃતીયાના દિવસે નિર્માણ કાર્ય શરૂ થાય છે.

3. છર પેહનારા રસમઃ-

જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.

4. ગુંડીચા માર્જન પરંપરા:

રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 'ગુંડીચા મંદિરે' પહોંચે છે. 'ગુંડીચા માર્જન' પરંપરા પ્રમાણે રથયાત્રાના એક દિવસ પહેલા ગુંડીચા મંદિરને ભક્તો દ્વારા શુદ્ધ પાણીથી ધોઈને સાફ કરવામાં આવે છે. આ પરંપરાને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે.


5. ત્રણ રથ તૈયારઃ

રથયાત્રામાં ત્રણ રથ હોય છે. બલરામજીના રથને 'તાલધ્વજ' કહેવામાં આવે છે, જેનો રંગ લાલ અને લીલો છે. બહેન દેવી સુભદ્રાના રથને 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' કહેવામાં આવે છે, જે કાળો અથવા વાદળી અને લાલ રંગનો છે, જ્યારે ભગવાન જગન્નાથના રથને 'નંદીઘોષ' અથવા 'ગરુધ્વજ' કહેવામાં આવે છે. તેનો રંગ લાલ અને પીળો છે. રથયાત્રામાં બલરામજીનો રથ આગળ, પછી દેવી સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણનો રથ પાછળ હોય છે. તે તેમના રંગ અને ઊંચાઈ દ્વારા ઓળખાય છે. નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊંચો છે, તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો છે અને દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો છે.

6.રથયાત્રા પહેલા આવે છે ભગવાનને તાવઃ

રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથને 108 કળશથી શાહીસ્નાન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને ત્યારબાદ તેમને 15 દિવસ માટે અલગ રૂમમાં સુવાડવામાં આવે છે. જેને 'ઓસર ઘર' કહેવાય છે. 15 દિવસના આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી. આ દરમિયાન મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. પ્રભુના બીમાર પડવા પાછળ એક અલગ વાર્તા છે જે ભક્ત માધવદાસ સાથે સંબંધિત છે.


7. સ્વસ્થ થયા પછી ભગવાન યાત્રા પર નીકળે છે:

15 દિવસ પછી ભગવાન સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે. જેને નવયુવાન 'નૈત્ર ઉત્સવ' પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે, મહાપ્રભુ શ્રીકૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે રાજમાર્ગ પર બહાર આવે છે અને રથ પર બેસીને શહેરની યાત્રા પર જાય છે.

8. અષાઢ શુક્લ દ્વિતીયા તિથિના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે:

રથયાત્રા અષાઢ મહિનાની શુક્લપક્ષની બીજના દિવસે શરૂ થાય છે. ભક્તો ઢોલ, નગારા અને શંખના નાદ વચ્ચે આ રથ ખેંચે છે. કહેવાય છે કે જેને રથ ખેંચવાની તક મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

9. રથયાત્રા ગુંડીચા મંદિરે પહોંચે છેઃ

રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડિચા અથવા ગુંડિચા એ રાજા ઇન્દ્રદ્યુમ્નની પત્ની હતી જેણે ગુફામાં બેસીને તપસ્યા કરી હતી જ્યાં સુધી રાજા ઇન્દ્રદ્યુમ્ન બ્રહ્મલોકમાંથી પાછા ન આવે. ગુંડિચાની તપસ્યાને લીધે તે દેવી બની ગઈ અને તેની તપસ્યાના બળથી તે નારદમુનિ સાથે બ્રહ્મલોકની યાત્રા કરવા સફળ થઈ અને તે રાજાને લઈને પાછી ફરી શકી હતી. આ યાત્રા સૌથી પહેલા બલભદ્રજીના રથથી શરૂ થાય છે. તેમનો રથ 'તાલધ્વજ' રવાના થાય છે. ત્યારબાદ સુભદ્રાના 'પદ્મ રથ'ની યાત્રા શરૂ થાય છે. છેલ્લે ભક્તો ભગવાન જગન્નાથના રથ 'નંદી ઘોષ'ને વિશાળ દોરડાની મદદથી ખેંચવાનું શરૂ કરે છે. આ રથયાત્રા ગુંડીચા માના મંદિરે પહોંચીને પૂર્ણ માનવામાં આવે છે. જ્યારે જગન્નાથ યાત્રા ગુંડીચા મંદિરે પહોંચે છે, ત્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રને ધાર્મિક રીતે સ્નાન કરાવવામાં આવે છે અને પવિત્ર વસ્ત્રો પહેરવામાં આવે છે.


10. હેરા પંચમી:

યાત્રાના પાંચમા દિવસે હેરા પંચમીનું મહત્ત્વ છે. આ દિવસે મા લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ પોતાનું મંદિર છોડીને યાત્રાએ ગયા હોય છે.


11. આડપ-દર્શન:

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા ગુંડીચા મંદિરમાં સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને 'આડપ-દર્શન' કહે છે. ગુંડીચા મંદિરને 'ગુંડિચા વાડી' તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ગુંડીચાને ભગવાન જગન્નાથની માસી માનવામાં આવે છે. અહીંયા જ દેવતાઓના 'આર્કિટેક્ટ' ગણાતા વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા પ્રભુના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે, ભગવાન ભક્તોને માન આપીને દર વર્ષે તેમની મુલાકાત લે છે.


12. બહુડા યાત્રા:

અષાઢ મહિનાની દશમીએ બધા રથ ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રયાણ કરે છે. રથ પરત ફરવાની આ યાત્રાની વિધિને 'બહુડા યાત્રા' કહેવામાં આવે છે. જગન્નાથ પુરીમાં, ભક્તો દેવતાના રથને બે કિલોમીટરના અંતરે આવેલા ગુંડીચા મંદિર સુધી ખેંચે છે અને નવમા દિવસે પાછો લાવે છે.


13. એકાદશી સુધી મૂર્તિઓ રથમાં રહે છેઃ

નવમા દિવસે રથયાત્રા ફરી ભગવાનના ધામમાં આવે છે. જગન્નાથ મંદિરમાં પાછા પહોંચ્યા પછી પણ તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. એકાદશીના બીજા દિવસે દેવી-દેવતાઓ માટે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારબાદ વિધિવત સ્નાન કર્યા પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દેવતાઓની પુનઃ સ્થાપના કરવામાં આવે છે.



સાભાર :-ફેસબુક પોસ્ટ (લેખક અજ્ઞાત)

FB Post Link

Wednesday, June 14, 2023

શિવનગર :- કેન્સરની દવા માટે ઉપયોગી માહિતી

મિત્રો આજે હું જે કેન્સર ની દવા માટે વાત કરવા જઈ રહ્યો છું એ કોઈ ફોરવર્ડ મેસેજ કે વોટ્સપીયો મેસેજ નથી, પણ હું આજે અત્યારે ત્યાં આવેલો છું, 5 દિવસ થી અહીં રોકાયેલો છું, ઘણા કેન્સર ના દર્દીઓ ને મળ્યો, અને એમનો અનુભવ અને દવા વિશે પૂછ્યું અને એમને રિજલ્ટ સારું મળ્યું છે.

  આ દવા મળે છે હિમાચલ માં, શિવનગર નામના ગામ માં, ધર્મશાળા થી 6 કિલોમીટર થાય, દવાખાના નું નામ છે સોરિંગ તિબેટીયન હર્બલ ક્લિનિક, અહીંયા ડાયરેક નથી આવવા નું, 15 દિવસ નું વેઇટિંગ હોય છે, એટલે તમારે પહેલા ત્યાં જઈને એપોઇન્ટમેન્ટ ની તારીખ લેવા જવું પડે, ક્યારેક પેશન્ટ સાથે હોય તો લઈ લે છે, વેઇટિંગ ની જરૂર નહીં પણ એનો આધાર ભીડ પર રહે છે, ફોન, ઇમેઇલ, કે બીજી કોઈ રીતે એપોઇન્ટમેન્ટ નથી આપતા, રૂબરૂ આવવું પડે, જે ભાઈ એપોઇન્ટમેન્ટ લેવા આવે એમને પોતાનો અને દર્દી ના આધારકાર્ડ ની ઝેરોક્ષ કોપી લઈ જવાની, ખાસ કે બન્ને ના આધારકાર્ડ એકજ જગ્યા કે જિલ્લા ના હોવા જોઈએ, અહીંયા આવી ને વહેલી સવારે 6 વાગ્યે દવાખાના માં જવાનું ત્યાં એક રજિસ્ટર પડેલું હોય એમાં એક થી 100  સિરિયલ નંબર હોય છે એમાં દર્દી નું નામ, સ્ટેટ, અને મોબાઈલ નંબર લખવાનો, અને તમે જ્યારે રજિસ્ટર માં એન્ટ્રી કરો ત્યારે તમારો સિરિયલ નંબર યાદ રાખવાનો, પછી ફરી પાછું સવાર ના 8:30 વાગ્યે જવાનું અને ત્યાં લાઇન માં બેસવાનું, ત્યાં ના સ્ટાફ આવી ને સિરિયલ નંબર બોલે એમણે એમની પાસે જવાનું અને દર્દી ના આધારકાર્ડ ની ઝેરોક્સ આપવાની, અને એપોઇન્ટમેન્ટ લેવા ગયેલ ભાઈ એમનો આધારકાર્ડ ઓરીજનલ સાથે રાખવાનો, દર્દી ના આધારકાર્ડ પર સ્ટાફ તારીખ લખી આપશે, એપોઇન્ટમેન્ટ ની જે તારીખ લખી આપે એના આગળ ના એક દિવસ દવાખાને આવી જવાનું, દર્દી સાથે નહીં હોય તો ચાલશે, દર્દી નો વહેલી સવાર નો પહેલો પેશાબ સ્વચ્છ બોટલ માં ભરી મેં લઈ આવવા નો રહેશે, સાથે જે દવા ચાલતી હોય એના રિપોર્ટ પણ, સવાર 8:30 જઈને ત્યાં જે એપોઇન્ટમેન્ટ આધારકાર્ડ ની ઝેરોક્ષ પર આપી હતી એ આપવાની એટલે તમને ટોકન આપશે, અને એ દિવસે જે સમયે કહે એ સમયે ડોક્ટરને મળવાનું, હું અહીંયા આવ્યો ત્યારે આખા ભારત માંથી આવેલા લોકો મળ્યા, બધા નું કહેવું એમ હતું કે સારું થઈ ગયું, મારા જ એક ઓળખીતા ભાઈ ને 4th ચોથા સ્ટેજ નું કેન્સર હતું એમને એકદમ સારું થઈ ગયું છે, કહેવાનો મતલબ કે રિજલ્ટ સારું છે 80% લોકો ને ફાયદો છે, બાકી તો ભગવાન જે કરે એ ખરું,
અહીંયા કેન્સર ના દર્દી ના પેશાબ ને ચેક કરી ને દેશી દવા આપવા માં આવે છે, એક મહિના ની, દવા ખતમ થઈ જાય તો ફરી આવવા ની જરૂર નહીં, એ ફોન માં કહી શકો અને દવા ના પૈસા એમના ખાતા માં ભરો એટલે કુરિયર કરે છે આ લોકો.
હવે આ જગ્યા નું અડ્રેસ અને કેવીરીતે પહોંચવું એ સમજાવું,
સોરિંગ તિબેટીયન હર્બલ કલીનીક
શિવનગર (સુધેર), જિલ્લો કાંગડા
હિમાચલ પ્રદેશ
કાંગડા એરપોર્ટ અંદાજે 20 થી 30કિલોમીટર થાય, ગુજરાત થી આવતા લોકો ને જમ્મુ તાવી ટ્રેન પકડવાની, અને પઠાણકોટ ઉતરવાનું, પઠાણકોટ કેન્ટ અને પઠાણકોટ જંકશન બે  સ્ટેશન છે બન્ને જગ્યા એ થી બસ મળશે પણ પઠાણકોટ જંકશન ઉતરો તો વધુ સારું, રેલવે સ્ટેશન થી રીક્ષા ની જરૂર નથી એકદમ નજીક 5 મિનિટ ના રસ્તે પઠાણકોટ બસ સ્ટેન્ડ છે, ત્યાં થી ચમ્બિ ની બસ પકડવાની, ચમ્બિ થી ધર્મશાળા જતી બસ પકડવાની, વચ્ચે શિવનગર આવે ધર્મશાળા થી 6 કિલોમીટર પહેલા, પઠાણકોટ થી અમુક ધર્મશાળા ની ડાયરેક બસો પણ છે જે તમને ડાયરેક શિવનગર ઉતારશે, એકદમ દવાખાના ની સામે, અમદાવાદ થી દરરોજ છે, સવાર ના 11 વાગ્યે, અને મોટા શહેરો માંથી વિકલી ટ્રેન પણ છે પઠાણકોટ માટે,
શિવનગર આમ તો નાનકડું ગામડું છે પણ ભારત ભર માંથી લોકો આવે છે એટલે અહીંયા ઘણી હોટલો અને હોમસ્ટેય પણ છે,  બધાજ હોટલ વાલા વેજ ફૂડ આપે છે ગુજરાતી થાળી જેવું, ચાય નાસ્તો, અને ભાવ પણ ખૂબ રિજનેબલ છે 300 રૂપિયા થી 800 રૂપિયા સુધી,
મેં જાતે જે અનુભવ્યું જોયું એ લખ્યું છે કોઈની એડવર્તાઈસ નથી કરો, મારો ઈરાદો આ લખવાનો એજ કે કેન્સર ના દર્દી ને રાહત થાય જીવન મળે.

હાલમાં મળતી માહિતી મુજબ  શિવનગર હોસ્પિલમાં ડોકટર ના બેબી જેમનું નામ ડો.જંપા છે જે 20 કેસ જોવે છે. જેનું નામ આગલા દિવસ લખાવો બીજા દિવસે વરો આવે છે. જેથી હવે માહિતી અનુસાર એક વ્યક્તિ ને એક ટોકન આપવામાં આવે છે જેથી જે લોકોને કેન્સર હોય તેમણે સાહેબનું ટોકન સરળતાથી મળી જાય કેન્સર સિવાયના કેસ મેડમ ને બતાવી શકાય.  
આ બાબત ની જાણ થતા જેથી કેન્સર વાળા દર્દી નું સાહેબ નું ટોકન લેવું બાકી મેડમ ને બતાવી દેવું જેથી અહીથી જતા લોકો ને તકલીફ પડે નહિ.

ટોકન જોવા માટેના નમ્બર :-98175 30939


માહિતી અંગેનો વિડિઓ ... અહીં ક્લિક કરો



ક્લિનિક વિશેની માહિતી :-

તિબેટીયન હર્બલ ક્લિનિક
ડો.ફેંધેય ચે ક્યોંગ
સુધેર શિવનગર,
જીલ્લો : કાંગરા
(ધર્મશાળા)

ઘણા અસાધ્ય રોગ ની  તિબેટીયન હર્બલ પદ્ધતિ મુજબ સારવાર કરાવવા માટે ત્યાં થી દવા લેવા જવા માટે ની વિશેષ માહિતી.

🚆 રેલ્વે માર્ગ

➡ રાજકોટ રેલ્વે સ્ટેશનથી વિકલી એક ટ્રેન હાપા - કટરા ( 12475 -સર્વોદય ) માં પઠાણકોટ સુધી
➡અમદાવાદ રેલ્વે સ્ટેશનથી દરરોજ  અમદાવાદ - જમ્મૂ તવી (19224) ટ્રેઈનમાં પઠાણકોટ સુધી

✈ હવાઈ માર્ગે
➡રાજકોટ, અમદાવાદ - દિલ્હી - ગગ્ગલ કાંગરા....
એરપોર્ટ પરથી ટેક્સી માં ( ભાડું રૂ.૫૨૦) ક્લિનિક પર

➡અમદાવાદ - જમ્મુ
જમ્મુ થી બસ અથવા ટેક્સી થી ધર્મશાળા (૨૨૫ કિલોમીટર) થઈ ને ક્લિનિક સુધી.
🚘 સારી ગાડી અને સારા ડ્રાઇવરો દ્વારા રોડ માર્ગે  પણ જઈ શકાય

 ➡સરળ માર્ગ રેલ્વે

અમદાવાદ થી દરરોજ સવારે ૧૧વાગ્યે અમદાવાદ - જમ્મુ તવી અથવા હાપા - કટરા (સર્વોદય)  માં પઠાણકોટ સુધી બપોરે ત્રણ ની આસપાસ પહોંચી શકાય.

પઠાણકોટ કેમ્પ રેલ્વે સ્ટેશને ઉતરી ને સ્ટેશન ની પાછળ ના ભાગ માં આવેલ હાઇવે પર ઉભા રહો ત્યાં ધર્મશાળા જવા ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ બસો પાંચ દસ મિનિટ માં મળી રહે છે..( ભાડું અંદાજિત ૧૨૦/૧૩૦)
 
પઠાણકોટ થી ધર્મશાળા ની બસ માં બેઠાં બાદ શિવનગર ની ટીકીટ લેવી. ધર્મશાળા ની આગળ પાંચ કિલોમીટર શિવનગરનો ગેટ આવે ત્યાં ઉતરી જવું. ત્યારબાદ  ત્યાં ઉતર્યા બાદ  સામે જ દેખાતા ક્લિનિક પર બે મિનિટ ના રસ્તે ચાલતા પહોંચી શકાય છે.

ધ્યાન માં રાખવા માટે ના મુદ્દા :-
➡દર્દી નું યુરીન સાથે લઈ જવું.
➡ દર્દી નું આધાર કાર્ડ  ફરજિયાત જરૂરી છે.
➡દર્દી ની સાથે રહેનાર નું આધાર કાર્ડ અથવા કોઈ આઈડી પ્રૂફ જરૂરી છે.
➡દરરોજ ૯૦ દર્દી નો જ વારો આવે છે.
➡ દરરોજ સાંજે પાંચ વાગ્યે ટોકન આપવા માં આવે ત્યારે દર્દી નું આધાર કાર્ડ સાથે હાજર રહેવું જરૂરી છે ગેર હાજર રહેનાર ને ફરી નવેસર થી રજી્ટ્રેશન કરાવવું પડે છે.
➡શનિવારે ક્લિનિક માં રજા રહેતી હોઈ એટલે શુક્રવારે ટોકન મળતા નથી  અને શનિવારે સાંજે દરરોજ ની જેમ પાંચ વાગ્યે ટોકન મળે છે.
➡ઠંડી ના દિવસો માં અને તેના આગળ પાછળ ના મહિના ઓ માં ખુબ જ ઠંડી પડતી હોય છે તેથી ગરમ કપડાં ની વ્યવસ્થા કરી ને જવું.
➡દર્દી ના આગળ ના તથા નજીક ના સમય માં કરાવેલ રિપોર્ટ સાથે લઈ જવા.
➡બને તો તમામ રિપોર્ટ ની સમરી બનાવી લેવી.
➡દર્દી નું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ત્રીજા દિવસે દવા લેવા નો વારો આવી શકે છે તેથી કુલ ૬,૭દિવસ સુધી ની મુસાફરી ની ગણતરી કરી ને વ્યવસ્થા કરવી.
➡રહેવા ની વ્યવસ્થા ત્યાં ક્લિનિક પર અને આજુબાજુ માં જ ઘણા રેસ્ટ હાઉસ માં મળી રહે છે...રૂમ ભાડા રૂપિયા (૩૦૦/૫૦૦) બહાર ના રૂમો માં બાંધ છોડ કરાવી શકાય છે.
➡ જમવા નાસ્તા ની વ્યવસ્થા ક્લિનિક પર અને આજુબાજુ માં અન્ય જગ્યાએ સારી અને સસ્તી છે.
➡કોઈ દવા લેવા જતા હોય અથવા ત્યાં જવાના હોય તો એક બીજા દર્દી ને જાણ કરવા થી દવા મંગાવી હોઈ તો મંગાવી શકાય.
➡ધર્મશાળા એક સારું ફરવા લાયક સ્થળ છે એટલે વચ્ચે ના દિવસો માં ધર્મશાળા ના સુંદર અને રમણીય સ્થળ માં ફરી શકો છો.


વિડિઓ દ્વારા માહિતી માટે અહીં ક્લિક કરો












ઘણા અસાધ્ય રોગ ની  તિબેટીયન હર્બલ પદ્ધતિ મુજબ સારવાર કરાવવા માટે ત્યાં થી દવા લેવા જવા માટે ની વિશેષ માહિતી.

🚆 રેલ્વે માર્ગ
➡ રાજકોટ રેલ્વે સ્ટેશનથી વિકલી એક ટ્રેન હાપા - કટરા ( 12475 -સર્વોદય ) માં પઠાણકોટ સુધી
➡અમદાવાદ રેલ્વે સ્ટેશનથી દરરોજ  અમદાવાદ - જમ્મૂ તવી (19224) માં પઠાણકોટ સુધી

✈️ હવાઈ માર્ગે
 ➡રાજકોટ, અમદાવાદ - દિલ્હી - ગગ્ગલ કાંગરા....
એરપોર્ટ પરથી ટેક્સી માં ( ભાડું રૂ.૫૨૦) ક્લિનિક પર
➡અમદાવાદ - જમ્મુ
જમ્મુ થી બસ અથવા ટેક્સી થી ધર્મશાળા (૨૨૫ કિલોમીટર) થઈ ને ક્લિનિક સુધી.
🚘 સારી ગાડી અને સારા ડ્રાઇવરો દ્વારા રોડ માર્ગે  પણ જઈ શકાય*

સરળ માર્ગ રેલ્વે
અમદાવાદ થી દરરોજ સવારે ૧૧વાગ્યે અમદાવાદ - જમ્મુ તવી અથવા હાપા - કટરા (સર્વોદય)  માં પઠાણકોટ સુધી બપોરે ત્રણ ની આસપાસ પહોંચી શકાય.

પઠાણકોટ કેમ્પ રેલ્વે સ્ટેશને ઉતરી ને સ્ટેશન ની પાછળ ના ભાગ માં આવેલ હાઇવે પર ઉભા રહો ત્યાં ધર્મશાળા જવા ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ બસો પાંચ દસ મિનિટ માં મળી રહે છે..( ભાડું અંદાજિત ૧૨૦/૧૩૦)

પઠાણકોટ થી ધર્મશાળા ની બસ માં બેઠાં બાદ ચંબિ ની ટીકીટ લેવી. ધર્મશાળા ની આગળ દસ બાર કિલોમીટર ચંબી ગામ આવે ત્યાં ઉતરી જવું. ત્યારબાદ ત્યાંની શિવનગર ની ક્લિનિક સુધી પહોંચવા ની બસ પણ પાંચ દસ મિનિટ માં મળતી રહે છે (ભાડું રૂ.૧૫) ત્યાં ઉતર્યા બાદ  સામે જ દેખાતા ક્લિનિક પર બે મિનિટ ના રસ્તે ચાલતા પહોંચી શકાય છે.

 🎯 ધ્યાન માં રાખવા માટે ના મુદ્દા ઓ 🎯
➡દર્દી નું યુરીન સાથે લઈ જવું.
➡ દર્દી નું આધાર કાર્ડ  ફરજિયાત જરૂરી છે.
➡દર્દી ની સાથે રહેનાર નું આધાર કાર્ડ અથવા કોઈ આઈડી પ્રૂફ જરૂરી છે.
➡દરરોજ ૯૦ દર્દી નો જ વારો આવે છે.
➡ દરરોજ સાંજે પાંચ વાગ્યે ટોકન આપવા માં આવે ત્યારે દર્દી નું આધાર કાર્ડ સાથે હાજર રહેવું જરૂરી છે ગેર હાજર રહેનાર ને ફરી નવેસર થી રજી્ટ્રેશન કરાવવું પડે છે.
➡શનિવારે ક્લિનિક માં રજા રહેતી હોઈ એટલે શુક્રવારે ટોકન મળતા નથી  અને શનિવારે સાંજે દરરોજ ની જેમ પાંચ વાગ્યે ટોકન મળે છે.
➡ઠંડી ના દિવસો માં અને તેના આગળ પાછળ ના મહિના ઓ માં ખુબ જ ઠંડી પડતી હોય છે તેથી ગરમ કપડાં ની વ્યવસ્થા કરી ને જવું.
➡દર્દી ના આગળ ના તથા નજીક ના સમય માં કરાવેલ રિપોર્ટ સાથે લઈ જવા.
➡બને તો તમામ રિપોર્ટ ની સમરી બનાવી લેવી.
➡દર્દી નું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ત્રીજા દિવસે દવા લેવા નો વારો આવી શકે છે તેથી કુલ ૬,૭દિવસ સુધી ની મુસાફરી ની ગણતરી કરી ને વ્યવસ્થા કરવી.*
➡ રહેવા ની વ્યવસ્થા ત્યાં ક્લિનિક પર અને આજુબાજુ માં જ ઘણા રેસ્ટ હાઉસ માં મળી રહે છે...રૂમ ભાડા રૂપિયા (૩૦૦/૫૦૦) બહાર ના રૂમો માં બાંધ છોડ કરાવી શકાય છે.
➡ જમવા નાસ્તા ની વ્યવસ્થા ક્લિનિક પર અને આજુબાજુ માં અન્ય જગ્યાએ સારી અને સસ્તી છે.
➡કોઈ દવા લેવા જતા હોય અથવા ત્યાં જવાના હોય તો એક બીજા દર્દી ને જાણ કરવા થી દવા મંગાવી હોઈ તો મંગાવી શકાય.
➡ધર્મશાળા એક સારું ફરવા લાયક સ્થળ છે એટલે વચ્ચે ના દિવસો માં ધર્મશાળા ના સુંદર અને રમણીય સ્થળ માં ફરી શકો છો.

વિશેષ માહિતી માટે આપ નિઃસંકોચ સંપર્ક કરી શકો છો.
➡ધર્મેશભાઈ કનેરિયા - ૯૮૭૯૪૫૩૪૦૪
➡મગનભાઈ મોરી - ૯૪૨૮૫૭૩૫૩૬
➡ પ્રવીણભાઈ મારડિયા - ૯૯૯૮૮૦૭૦૮૦
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...