Monday, November 20, 2023

હરિદ્વાર પ્રવાસ આયોજન.. રહેવા માટે બેસ્ટ લોકેશનની યાદી..

રહેવા માટે ધર્મશાળા

◼️હરિદ્વાર માં ગુજરાત  જેવી ફીલિંગ લેવી હોઈ તો શિવમૂર્તિ ગલી છે જે  રેલવે સ્ટેશનથી માત્ર 200 મિટર દૂર છે.ત્યાં ઘણા આશ્રમ  અને ધર્મશાળાઓ છે. બાપા સીતારામ, શાહુવાલાl, આર્ય નિવાસ , મોદી ભવન વગેરે....

◼️બીજું છે નકલંક ધામ જે આશ્રમ થોડો કોસ્ટ વધારે લેય છે પણ સુવિધા 5 સ્ટાર જેવી આપે છે

◼️ત્રીજો છે ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર જે પટેલ ગ્રુપ ઊંઝા ઉમિયાધામ દ્વારા સંચાલિત છે સાથે એમાં પણ સુવિધાઓ સારી મળે

◼️ કચ્છી આશ્રમ જે ભારત માતા મંદિર પાસે છે જે મોટા ભાગ એ ગુજરાતની પબ્લિક થી ભરેલો જ હોઈ છે.. 

◼️ કચ્છી આશ્રમ પાસે મોરબી કડવા પટેલ સમાજ..ભારતમાતા મંદિર બાજુમાં, નેપાળ આશ્રમ ની પાછળ બેસ્ટ રેવાની એને જમવાની વ્યવસ્થા. 

ગુજરાતી સમાજ, Haridwar 

હરિદ્વાર માં રોકવા માટે ગુજરાતી સમાજ વાળી ગલી માં.. ગુજરાતી સમાજ માં. ૩૫૦ રૂપિયા. અને આજુબાજુ માં ૫૦૦/૮૦૦ માં રૂમ મળી જશે... ગુજરાતી સમાજ.રેલવે સ્ટેશન થી ૩૦૦ મીટર જ દૂર છે. તેથી રીક્ષા માં જવું નહિ... રીક્ષા વાળા ૨૦૦/૩૦૦ કહે છે... પણ સ્ટેશન થી બહાર નીકળી ડાબી બાજુ.૧૫૦ મીટર ચાલસો એટલે સર્કલ આવશે. અને એજ ગુજરાતી સમાજ.

ત્યાં પોરબંદરવાળા ની સરસ લૉજ છે. જમવાની મજા આવશે. તે ગલીમાં અન્ય પણ ઘણી લૉજ છે.

નકલંકધામ, હરિદ્વાર  

જો તમે હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી કે ચારધામ યાત્રાની યોજના બનાવી રહ્યા હો, તો *નકલંકધામ હરિદ્વાર* શ્રેષ્ઠ સ્થળ છે રહેવા અને શાંતિનો અનુભવ કરવા માટે.  

અત્યાધુનિક સગવડો સાથે, અહીં તમને ઘર જેવો આરામ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ભોજન મળશે.  

અહીં રહેવા માટે ઑનલાઇન બુકિંગ ઉપલબ્ધ નથી, તમારે આશ્રમમાં વ્યક્તિગત રીતે પહોંચી ને બુકિંગ કરવી પડશે. 

✔ 3 ભવ્ય ઇમારતો  

✔ 100+ AC અને Non AC રૂમ  

આ આશ્રમ પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ (મહંત શ્રી નકલંકધામ તોરાણિયા - હરિદ્વાર - રામદેવરા) ના માર્ગદર્શન હેઠળ સંચાલિત છે

શ્રી નકલંકધામ હરિદ્વાર, ભૂપતવાલા, ભારતમાતાપુરમ,

હરિદ્વાર, ઉત્તરાખંડ 8449907268, 9719020444

વિડિઓ જોવા માટે


ઉમિયાધામ આશ્રમ - હરિદ્વાર

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - ઊંઝા, ગુજરાત સંચાલિત છે.

સરનામું 

ગલી નં. ૫, દેવ સંસ્કૃતિ યુનિવર્સીટી પાસે, બિરલા ફાર્મ રોડ, હરિપુર કલા, હરિદ્વાર. 

મો. ૮૧૭૧૧ ૩૦૯૮૨

ચેતવણી

ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર ના બુકિંગમાં ભળતા નામથી ફ્રોડ થાય છે. તો ચોકસાઈ કરીને રૂમ બુકીંગ કરાવશો.

ઉમિયાધામ આશ્રમ - હરિદ્વાર વેબસાઈડ દ્વારા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી.

રૂમ બુકિંગ માત્ર સંસ્થાનના ફોન અને WHATSAPP પ્રક્રિયાથી સંસ્થાના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ ડીપોઝીટ કરાવ્યા બાદ થાય છે.

બુકિંગ માટે નંબર :  મો. ૮૧૭૧૧ ૩૦૯૮૨

વિડિઓ જોવા માટે...


શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર

સરનામું :- ભારતમાતા મંદિર પાસે,  Sapt Sarovar Marg, Bhoopatwala, Haridwar

અહીં કોઈપણ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ કે બુકિંગ લેતા નથી.

પૂછપરછ માટે એક જ નંબર છે.

Mob. 783 073 8944

(અહીં રૂમ ન મળે તો જુગાડ કરી શકો છો. બરોબર કચ્છી આશ્રમ સામે ગંગા કાંઠે સાઉથના બેક આશ્રમ છે. ત્યાં રોકાવાનું અને જમવાનું કચ્છી આશ્રમમાં, તેનો અલગથી પાસ કઢાવવો.)

વિડિઓ જોવા માટે

################################

આ સિવાય ભારતમાતા મંદિર આસપાસ, ભૂપત વાલા વિસ્તારમાં ગુજરાતી સમાજો અને હોટેલ ઘણી સસ્તા ભાવમાં મળી જાય છે. બેસ્ટ રોકાવા માટે અને ઋષિકેશ તથા મસુરી જવા માટે અહીં થી સરળતા રહે છે.

તમે હરિદ્વારના પ્લાનિંગમાં હોવ તો સૌ પ્રથમ ટ્રેન મુસાફરી કરીને આવ્યા હશો. તો રેલવે સ્ટેશન થી સાવ નજીક ગુજરાતી સમાજ કે અન્ય હોટેલ માં રોકાઈ શકો અને હરકી પૌડી ની આરતી તેમજ ગંગા ઘાટ પર સ્નાન કરી શકો છો. બીજા દિવસે તમે ભૂપત વાળા અથવા કચ્છી આશ્રમ બાજુ રહેવા માટે નક્કી કરી આવવું.. આ સરળ પડે.

###########################

ઉપર દર્શાવેલ આશ્રમોમાં રૂમ ન મળે તો જુગાડ કરી શકો છો. બરોબર કચ્છી આશ્રમ સામે ગંગા કાંઠે સાઉથના બેક આશ્રમ છે. ત્યાં રોકાવાનું અને જમવાનું કચ્છી આશ્રમમાં, તેનો અલગથી પાસ કઢાવવો.

માહિતી નીચે મુજબ આપેલ છે. જ્યાં હું દર વર્ષે રોકાવ છું.

Sri Ganapathy Sachchidananda Ashrama bhadrakali Peetham.

Opp. Kutchhi Ashram, Saptsarovar Road, Near Bharat Mandir, Motichur, Haridwar, Uttarakhand 249411

Contact:- 093190 05714






વિડિઓ જોવા અહીં ક્લિક કરો