વેજિટેરિયન ખોરાક

વેજિટેરિયન ખોરાક હિંદુસ્તાન જેવો અદભુત કોઈ દેશને આવડતો નથી. જેનેટિક્સ અથવા વંશવિષયના વિશારદ જે.બી.એસ હેલ્ડેને એક વાર કહ્યું હતું કે જગતમાં ત્રણ ખોરાકો શ્રેષ્ઠ છે: ફ્રેંચ, ચાઈનીઝ અને દક્ષિણ ભારતીય ! રવા અથવા ચાવલ અથવા અડદની દાળમાંથી ઢોસા કે ઈડલી જેવી 'ફિનિશ્ડ પ્રોડક્ટ' બની શકે એ જ કોઈ વિદેશી માની શકતો નથી. મારી એક નિકટના સગાની અંગ્રેજ પત્નીએ થાળીમાં ફૂલેલી પૂરીઓ જોઈને અત્યંત વિસ્યમથી પ્રશ્ન કર્યો હતો : તમે આમાં હવા કેવી રીતે ભરો છો?....
વેજિટેરિયન રસોઈ એ જાદુનો ખેલ છે. આપણે પૂરીમાં હવા ભરી શકીએ છીએ, જ્યારે વિદેશીઓને મટનમાં હવા ભરતાં આવડતી નથી. જાતિભાઈઓ કે શાકભાઈઓને ખુશ કરવા આ લખતો નથી, પણ ખરેખર વેજિટેરિયન ખોરાક બનાવનાર આપણી માતાઓ, બહેનો, પુત્રીઓ, પત્નીઓ, પ્રિયાઓ ચાર હાથવાળી દેવીઓ છે. સ્વાદિષ્ટ વેજિટેરિયન રસોઈ બનાવી શકનાર ગૃહિણીને ચાર હાથ હોય જ છે એમ હું નમ્રતાપૂર્વક માનું છું...
-----
શ્રી ચંદ્રકાંત બક્ષી

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram