અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ/
આચાર્ય વર્ષા ગુણવંતરાય
(જન્મ ૧૦-૪-૧૯૪૦)
નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર.
વર્ષાબહેનનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેઓ મૂળ જામનગરના વતની છે, પરંતુ જન્મભૂમિ અને કર્મભૂમિ મુંબઈ રહી છે. -તેમણે ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ. એ. ની ઉપાધી મેળવી હતી. તેમણે ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી મુંબઈ આકાશવાણીમાં પ્રવકતા તરીકે કાર્ય કર્યુ. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’નાં તંત્રી રહ્યા હતા.
૧૯૬૬ થી લેખન-વ્યવસાય.
‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય લઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં છિન્નભિન્ન બનતું માનવ્યક્તિત્વ તથા ‘એક પળની પરખ’ (૧૯૬૯)માં રજૂ થયેલી અંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં’ (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯) રહસ્મયકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં’ (૧૯૮૧) સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર’ (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.
સાહિત્ય ક્ષેત્રે
એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. નવલકથા 'અણસાર' માટે તેમને 'સાહિત્ય અકાદમી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
ગાંઠ છૂટ્યાની વેળા, બંદીવાન, અણસાર, લાક્ષાગૃહ વગેરે તેમની યશસ્વી કૃતિઓ મનાય છે. ગુજરાતી સાહિત્યમાં મહિલાઓના પ્રદાનની નોંધ લેતી વખતે વર્ષાબહેનનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય છે.
સન્માન
પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ એમને મળી ચૂક્યા છે.
આચાર્ય વર્ષા ગુણવંતરાય
(જન્મ ૧૦-૪-૧૯૪૦)
નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર.
વર્ષાબહેનનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેઓ મૂળ જામનગરના વતની છે, પરંતુ જન્મભૂમિ અને કર્મભૂમિ મુંબઈ રહી છે. -તેમણે ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ. એ. ની ઉપાધી મેળવી હતી. તેમણે ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી મુંબઈ આકાશવાણીમાં પ્રવકતા તરીકે કાર્ય કર્યુ. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’નાં તંત્રી રહ્યા હતા.
૧૯૬૬ થી લેખન-વ્યવસાય.
‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય લઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં છિન્નભિન્ન બનતું માનવ્યક્તિત્વ તથા ‘એક પળની પરખ’ (૧૯૬૯)માં રજૂ થયેલી અંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં’ (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯) રહસ્મયકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં’ (૧૯૮૧) સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર’ (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.
સાહિત્ય ક્ષેત્રે
એમણે વાર્તાલેખન તેમ જ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. નવલકથા 'અણસાર' માટે તેમને 'સાહિત્ય અકાદમી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
ગાંઠ છૂટ્યાની વેળા, બંદીવાન, અણસાર, લાક્ષાગૃહ વગેરે તેમની યશસ્વી કૃતિઓ મનાય છે. ગુજરાતી સાહિત્યમાં મહિલાઓના પ્રદાનની નોંધ લેતી વખતે વર્ષાબહેનનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય છે.
સન્માન
પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર પણ એમને મળી ચૂક્યા છે.