જાણો "લોકડાઉન" ના કેટલાક હીરોને...

જાણો "લોકડાઉન" ના કેટલાક હીરોને...

સમગ્ર દેશ અત્યારે Lock Down હેઠળ છે ત્યારે કદાચ પ્રથમ વખત ગુજરાતીઓને અમુક અધીકારીઓની સાચી ઓળખ થઇ છે. સામાન્ય રીતે કોઇપણ સરકારમાં બે મહત્વની પાંખો હોય છે.

૧, Political Wing
૨, Bureaucrat Wing.

પોલીટીકલ એટલે કે રાજકીય વ્યક્તિઓ કે જે મતદારો દ્વારા ચુંટાઇને પાંચ વર્ષની મર્યાદા સાથે સત્તા પર આવે છે. ગુજરાત રાજ્ય સ્તરની જો વાત કરીએ તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડ /નિગમના અધ્યક્ષ, બોર્ડના ડીરેક્ટર, મેયર, સ્ટેડીગ કમીટી ચેરમેન, કોર્પોરેટર્સ, સરપંચોનો આ પાંખમા સમાવેશ થાય છે.

જ્યારે બ્યુરોક્રેટ વિંગમા અધીકારી વર્ગ આવે છે જેમાં મુખ્ય સચિવ, અધીક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સચિવ, કમિશ્ર્નર, મેનેજીંગ ડીરેક્ટર, ડાયરેક્ટર, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારીશ્રી, મામલતદાર અને તેમના હાથ નીચે કામ કરતા અસંખ્ય અધીકારીઓ અને કર્મચારીઓ નો મોટો સમુહ આવે છે. અધીકારી વર્ગમાં મુખ્ય ચાર વિભાગો આવે છે.

I.A.S. : Indian Administrative Services
I.P.S. : Indian Police Services
I.F.S. : Indian Forest Services
G.A.S.: Gujarat Administrative Services

અત્યારે ગુજરાત અને અમદાવાદ માં ચાર અધિકારીશ્રી ઓને લોકો ઓળખવા માંડ્યા છે..આ ચાર અધિકારીશ્રીઓ "લોકડાઉન ના હીરો" છે તેમ કહેવું સહેજ પણ અતીશયોક્તી નહીં ગણાય.

૧, શ્રી શિવાનંદ જહાં ( I.P.S.)
પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુજરાત રાજ્ય

મુળ વતન : પટણા ( બીહાર )
૧૯૭૯ માં પટણા યુનિવર્સિટી માંથી સ્નાતક થયા બાદ
૧૯૮૩ ની બેચના બીહાર કેડરના આઇ.પી.એસ. થયા.
જહાં સાહેબે ગોધરા રમખાણો વખતે અને ભુતકાળમાં રથયાત્રા વખતે થયેલા તોફાનો વખતે અમદાવાદના એડીશનલ પોલીસ કમિશ્નર તરીકે ઉત્તમ કામગીરી કરેલી.
તાજેતરમાં મુખ્ય સચિવશ્રી તરીકે નિવૃત થનાર શ્રી જે.એન. સિંહ અને શ્રી શિવાનંદ જહાં સ્કુલ સમયના ખાસ મીત્રો.
ઘણાને ખબર નહીં હોય હમણાં સુધી ગુજરાતની બે મહત્વની પોસ્ટ પર બે બીહારી મીત્રો બીરાજતા હતા ( એક નિવૃત થયા ) એવું કહેવાય છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં આજે પણ આ બન્ને અધીકારીઓનુ નામ અકબંધ છે.
આજે વિશ્ર્વ પર આવી પડેલી મહાઆફતમાં ગુજરાતના પોલીસ વડા તરીકે શ્રી શિવાનંદ જહાં તેમના સુઝબુઝ વાળા નિર્ણયો અને ટીમ લીડર તરીકે ની કુશળ આવડતને કારણે લોકોના અભિનંદન મેળવી રહ્યા છે...સલામ છે આવા અધીકારીને..

૨, શ્રીમતી જયંતી રવિ ( I.A.S.)
અધીક સચિવશ્રી : આરોગ્ય , ગુજરાત રાજ્ય.

સ્વભાવે સરળ સહજ .ભ્રષ્ટાચારનો દાગ નહીં. કડક વહીવટ કરતા જયંતિ રવિજી એ મદ્રાસ યુનિવર્સિટી માંથી સ્નાતક થઇને હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે.
I A S માં ગુજરાત કેડરના અધિકારી છે.
૨૦૦૨ ના રમખાણ સમયે જયંતિજી પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
જયંતિ રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે.
જયંતિ રવિ ૧૧ ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે.
"મેરુ તો ડગે પણ મન ન ડગે" તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે. તેઓશ્રી સનદી સેવામાં જોડાયા તે પેહલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઇંગ્લીશ ટોક્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં . તેઓ આકાશવાણી ના "બી" હાઇ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમ્યાન કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. તાજેતરમાં સોશીયલ મીડીયા પર તેમના કંઠે ગવાયેલ મહીસાશુર મર્દની ખુબ વાયરલ થયેલું. સતત સંવેદનશીલ એવા જયંતિજીના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારીશ્રી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે. આવા બાહોશ અધીકારી શ્રીમતી જયંતિ રવિજીને નતમસ્તકે વંદન...

૩, શ્રી અશ્ર્વિનીકુમાર ( I.A.S.)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના અગ્ર સચિવશ્રી.

જન્મ : ૨૮ , ૧૯૭૫
સરકારી નોકરીમાં જોડાણ : ૦૮:૦૯:૧૯૯૭
બી.ટેક, આઇ.આઇ. ટી. પાસ આઉટ, કેમીકલ એન્જીનીયર, એમ.એસ.સી., પબ્લીક સર્વિસ.
પોલીસી અને મેનેજમેન્ટ : કીગ્સ કોલેજ : લંડન

મેથ્સ ઉપર માસ્ટરી છે. બે દીકરીઓ છે. કુશળ મેનેજમેન્ટ કરે છે. અત્યન્ત મિતભાષી છે. ક્યારેય ટેમ્પર લુઝ કરતા કોઈએ જોયા નથી. આગળનું વિચારીને કુનેહપૂર્વક નિર્ણયો લેવાની એમની કુશળતા છે. મેઘાવી યાદશક્તિ છે. ફોટોગ્રાફીક મેમરી છે. વોરેશિયસ રીડર છે. ખુબ પ્રેમાળ અને સંવેદનશીલ વ્યક્તિત્વના માલિક છે. કાર્યને હંમેશા પરિણામલક્ષીતાથી કરે છે. સિનિયર અને જુનિયર ઓફિસરો સાથે હંમેશા અદભૂત કોઓરડીનેશન જાળવે છે. ટીમવર્ક એમનું સૌથી મોટું જમા પાસું છે. મુશ્કેલ અને કપરી પરિસ્થિતિમાં એમની કાર્યશૈલી કાબિલે તારીફ હોય છે આવી પરિસ્થિતિમા ક્યારેય પેનિક થયા હોય એવું ધ્યાનમાં નથી.
એમના ઘરે બે ડોગી છે. સમય મળે ત્યારે એમની સાથે તેઓ મોજથી રમે છે. આહાર ખુબ સીમિત, સાદો અને નિયમિત છે. દંભ નામ માત્ર એમના વ્યક્તિત્વમાં નથી. અત્યંત પારદર્શક વ્યક્તિ. ઇતિહાસ વિશેની એમની જાણકારી અવર્ણનીય છે. અનેક જીલ્લાઓમા જીલ્લા કલેકટર તરીકે સેવાઓ આપેલી છે. હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલયમાં મુખ્યમંત્રીશ્રી ના અગ્ર સચિવશ્રી તરીકે મહત્વની જવાબદારી સ્વીકારી નિભાવી રહ્યા છે. હાલના કપરા સંજોગોમાં ગુજરાતની પળેપળની માહિતી અને મુખ્યમંત્રીશ્રી તરફથી લેવાતા પ્રજાકીય નિર્ણયો અને તાજેતરમાં જ કાર્યરત એવાં સી.એમ. ડેશબોર્ડ ની જવાબદારી શ્રી અશ્ર્વિનીકુમાર સર બેખુબીથી નિભાવી રહ્યા છે. સલામ છે આવા કર્તવ્યનિષ્ઠ અધીકારીશ્રીને..

૫, શ્રી વિજય નહેરા ( I.A.S.)
કમીશ્નરશ્રી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

જન્મ તારીખ : ૦૬ - ૦૭ : ૧૯૭૫
જન્મ સ્થળ : સીહોટ છોટી , જીલ્લો : સીકાર : રાજસ્થાન
જાટ પરીવાર માં જન્મ, પીતાજી આર્મી જવાન હતા.
સરકારી સહાયથી પ્રાથમિક શિક્ષણ સરકારી સ્કુલમાં જ લીધું. વર્ષ ૨૦૦૧ માં ગુજરાત કેડરના IAS બન્યા.
ગુજરાત રાજ્ય ના ગૃહ વિભાગ માં ( કાયદો અને વ્યવસ્થા ), શ્રી મોદીજીના કાર્યકાળમાં મુખ્યમંત્રીશ્રી ના સચિવ, વડોદરા અને અમદાવાદ ના કલેક્ટર જેવી મહત્વની જગ્યાઓ પર સેવાઓ આપી. વર્ષ ૨૦૦૭ માં વડોદરાના તેમના કાર્યકાળ દરમ્યાન ૧૨૦૦૦ જેટલા સીનીયર સીટીઝન્સ ને ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના હેઠળ જોડી રાજ્ય સરકાર નો એવોર્ડ પણ મેળવ્યો. મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય માં તે સૌથી જુનીયર હોવા છતાં મહત્વ ની જગ્યાએ સ્થાન મળેલું.
આજે શ્રી વિજય નહેરા આ કોરોના ની મહામારી માં ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન અમદાવાદ ને શિસ્તબદ્ધ રાખવામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સામે રક્ષણ આપવાની કામગીરી માં હીરો સાબીત થયા છે.
આજે એકેએક અમદાવાદી સ્વીકારે છે કે આવી કઠીન પરીસ્થીતીમાં પણ દિવસ રાત જોયા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્રેષ્ઠ કામગીરી બજાવી છે.
આવા બાહોશ અધિકારીશ્રીને અમારી સલામ...

આ ઉપરાંત પ્રત્યેક જીલ્લાના કલેકટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જીલ્લા પોલીસ અધીકારીશ્રીઓ, હજ્જારો ડોક્ટર્સ, નર્સ, વોર્ડબોયઝ, મેડીકલ સ્ટાફ, પોલીસ અધીકારીઓ અને કર્મચારીઓ, તંત્રના અન્ય વિભાગો ના અધીકારીઓ અને કર્મચારીઓ, સફાઇ કર્મીઓ સહીત એક આખી મોટી ફોજ અત્યારે આપને સલામત રાખવા કોરોના સામે ઘર પરીવાર ભુલીને દિવસ રાત કામ કરી રહી છે.

મીત્રો, ઘણાને સરકારી ઢાંચા વિષે સમજ નથી હોતી. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં આવા અધીકારીશ્રીઓ અને તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતી તેમની આખી ટીમે સમગ્ર વિશ્વમાં ગુજરાતના પોઝીટીવ કેસો ને કંટ્રોલ કરવામાં ખુબ મોટું કામ કર્યું છે.

આલેખન : અભિલાષ ઘોડા
૯૮૯૮૦૩૨૪૪૩

વિશેષ આભાર : શ્રી પુલક ત્રીવેદી : અધીક માહિતી નિયામકશ્રી, માહિતી ખાતું : ગુજરાત રાજ્ય..

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram