મહાભારત રામાયણ વિશે અમુક માન્યતાઓની વાત
આપણે ત્યાંની અમુક માન્યતાઓએ આપણને આપણી સંસ્કૃતિની ઘણી ઉપયોગી વાતોથી, ઘણાં રત્નોથી અળગા રાખ્યા છે. આવી એક માન્યતા જે ઘણાં મિત્રોએ ગઈકાલની પોસ્ટ પર મૂકી એ અનેક સ્વરૂપે જોવામાં અને સાંભળવામાં આવી છે. ‘મહાભારત ઘરમાં ન રખાય’ કે ‘મહાભારત આખું ન વંચાય’ કે ‘મહાભારત વાંચવાથી ઘરમાં ઝઘડા થાય’ કે ‘મહાભારત ભાઈ ભાઈ વચ્ચે મનમેળ હોય તો પણ તોડાવી દે એટલે એનું પઠન ઘરમાં ન કરાય’ કે ‘’ગુરુડપુરાણ આખું ન વંચાય’ કે ભગવદગીતા પણ યુવાની પછી જ વાંચવી જોઈએ વગેરે વગેરે.. મેં પણ મારા નાની અને દાદી એ બંને સહિત અન્ય ઘણાં વડીલોને મહાભારત ઘરમાં ન રખાય કે આખું ન વંચાય એવી વાત કહેતા સાંભળ્યા છે. ત્યારે પણ એ તર્ક થતો કે આ પુસ્તકો કેમ આપણાં ઘરમાં ન રખાય? આ કોઈ નિયમ નથી કે જડતાથી વળગી રહ્યાં હોય એવી પ્રણાલી પણ નથી પરંતુ આવી વાતો સતત આપણે બધાએ ક્યાંક ને કયાંક સાંભળી છે જ.
મહાભારત પાંચમો વેદ કહેવાયો છે. મહાભારતમાં અનેક મહામોતીઓ છે, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુરનીતી, ભગવદગીતા, યક્ષપ્રશ્ન વાળું આખું પ્રકરણ, આ બધા તો મહાભારતથી અલગ પણ ગ્રંથ તરીકે આપણા માટે અતિશય મૂલ્યવાન છે, તો આ બધાનું મૂળ એવું મહાભારત કેમ આપણાથી આવી માન્યતાઓ દ્વારા દૂર રહ્યું છે? એના અનેક તર્ક મને ધ્યાને આવે છે, એમાં એક એ સમજાય છે કે શાસ્ત્રો મુજબ મહાભારત સદાય કહેવાયું છે, વંચાયું નથી. આપણી સંસ્કૃતિ કાયમ કર્ણોપકર્ણ રહી છે, વક્તા અને શ્રોતા વચ્ચેનો સેતુ આ મહાગ્રંથ કાયમ બનતો રહ્યો છે. વૈશંપાયન જન્મેજયને આ કથા કહે છે, અને તેમને ક્યાંથી મળી એના ઉત્તરમાં વૈશંપાયનને એ વેદવ્યાસ પાસેથી મળી એમ કહેવાયું છે. વ્યાસ પણ ઇન્દ્રની જેમ એક પદવી કે ઓળખ હશે એમ મને સમજાય છે, અને એકથી વધુ વ્યાસ થયા હશે એમ પણ લાગે છે. મહાભારત લખનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ૨૮મા વ્યાસ છે અને દ્રોણપુત્ર અશ્વત્થામા ૨૯મા વ્યાસ થશે એમ લખાયું છે. વિષ્ણુપુરાણ મુજબ ઋષિ તરીકે વ્યાસનું કામ વેદોની ગોઠવણીનું છે. સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. દ્વાપરયુગના આ વૈવત્સ મન્વંતરમાં કૂલ ૨૮ વખત વેદોની પુન:ગોઠવણી થઈ ચૂકી છે. પહેલા વ્યાસ સ્વયં બ્રહ્મા હતા અને બીજા પ્રજાપતિ, ત્રીજા શુક્રાચાર્ય અને ચોથા બૃહસ્પતિ – આવા જ્ઞાનીઓમાંના એક વ્યાસે લખેલ ગ્રંથ અવાચ્ય હોય એવું તો કઈ રીતે શક્ય છે?
મહાભારત મહાત્મ્યમાં વ્યાસે લખ્યું છે,
अस्मिन्नर्थश्च कामश्च निखिलेनोपदेक्ष्यते।
इतिहासे महापुण्ये बुद्धिश्च परिनैष्ठिकी॥
भारतं शृणुयान्नित्यं भारतं परिकीर्तयेत्।
भारतं भवने यस्य तस्य हस्तगतो जयः॥
આ મહાન પવિત્ર ઈતિહાસમાં અર્થ અને કામનો એવો સર્વાંગસંપૂર્ણ ઉપદેશ છે કે જેનાથી વાંચવા અને સાંભળવાવાળાની બુદ્ધિ પરમાત્મામાં નિહિત થઈ જાય છે. એટલે રોજ મહાભારતનું શ્રવણ કરો, નિત્ય તેનો પાઠ કરો, જેના ઘરમાં મહાભારત ગ્રંથ છે તેનો વિજય નિશ્ચિત છે. એટલે મહાભારત ઘરમાં રાખવાથી કોઈ પ્રકારનું અહિત કે હાની થાય એ વાત તાર્કિક લાગતી નથી.
આપણે ત્યાં બે પ્રકારની પરંપરાઓ સતત વહેતી રહી છે, કંઠ:સ્થ પરંપરા અને લેખનની પરંપરા. તામ્રપત્રો, શીલાલેખો અને વિવિધ પ્રકારના પાંદડા વગેરે દ્વારા સચવાયેલ લેખન પરંપરા અને કંઠ:સ્થ પરંપરાથી અનેક ગ્રંથો, સ્તુતિઓ અને મહાત્મય કેટલીય પેઢીઓ સુધી વહેતા રહ્યાં છે.
ભગવદ ગીતા યુવાનીમાં ન વંચાય એવી માન્યતા પાછળનું એક કારણ જે મને સમજાયું છે એ ડર છે કે જે ભગવદ ગીતાને વિગતે સમજીને જીવનમાં ઉતારવાનો યત્ન કરશે એ જીવનના મોહથી મુક્ત થઈ સંન્યાસી થઈ જશે. કદાચ માતાપિતા એવું માનતા હોય કે એમના યુવાન પુત્રો એ રીતે સંસારથી અલિપ્ત થઈ જાય. મહાભારત ઘરમાં ન રાખવાનું કારણ કદાચ એ હોય કે ઘરમાં હોય તો ક્યારેક કોઈક વાંચે, અને જો વાંચે તો એમાંના પાત્ર ચિત્રણથી ખરેખર પ્રભાવિત થઈ જાય.
મહાભારત યુદ્ધની કથા છે, ધર્મ અને અધર્મના યુદ્ધની કથા છે અને બધાની ધર્મની અને અધર્મની સમજણ પોતીકી છે. અને મહાભારત વાંચતી વખતે કયો સાર ગ્રહણ કરવો એ માટે માર્ગદર્શન જરૂરી ગણાયું છે. મહાભારતના મોટાભાગના પાત્રો તદ્દન ધાર્મિક કે તદ્દન અધાર્મિક નથી. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર મૂકે અથવા ‘અશ્વત્થામા નર કે હાથી એ ખબર નથી’ એમ કહે ત્યારે વિદ્વાનોને એમાં અધર્મ દેખાય છે, કર્ણ માટે ઘણાંને સહાનુભૂતિ થાય અને ઘણાંને ગુસ્સો આવે. પાંડવો સિવાયના મોટાભાગના પાત્રો ગ્રે શેડ ધરાવે છે.
કદાચ એ પાત્રોના જીવનમૂલ્યો, એમણે લીધેલા નિર્ણયો કે એમના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થઈ કોઈ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો કુટુંબમાં અવશ્ય કંકાસ થાય. એમાં વડીલોને પણ કોઈ એક પક્ષ લેવાની ફરજ પડે છે, ભાઈઓ યુદ્ધ કરે છે અને વડીલો એમને સાથ આપે છે, સંબંધોની પરિભાષાઓ વિકૃત થઈ છે, સંપત્તિ માટેની લડાઈ હોય કે પોતાના હિત પ્રત્યેની, કુટુંબો માટે એ હાનિકારક હોઈ શકે. આપણી બે પેઢી પહેલાના લગભગ બધા કુટુંબો સંયુક્ત કુટુંબો હતા, એમાં અનેક લોકો વચ્ચે આ પ્રકારનો એક તણખો પણ પરિવારને વિભક્ત કરી મૂકે એ ભયને લીધે કદાચ આવી ધારણા બંધાઈ હોય એમ શક્ય છે. સામે પક્ષે રામાયણ મર્યાદાની અને ત્યાગની કથા છે, ભાઈ માટે ભાઈના ત્યાગની, પિતા માટે પુત્રના ત્યાગની અને પતિ માટે પત્નીના ત્યાગની, એમાં ક્યાંય પરિવારને ન સમજાય એવું કંઈ નથી, એનો ઉપદેશ સ્વયં સ્પષ્ટ છે એટલે એનું પઠન સતત બધે મહાભારતની સરખામણીએ વધુ થયું છે.
અને આ જ પ્રશ્ન મેં આજે ફોન પર આદરણીય નિરંજનભાઈને પણ કર્યો, અને તેમણે પણ કહ્યું કે આ માન્યતા કદાચ મહાભારતના ખોટા અર્થઘટન કે તેના ઉપર દર્શાવ્યા એવા ભયસ્થાનોને લીધે જ હોઈ શકે અન્યથા એવું કંઈ ક્યાંય કહેવાયું કે લખાયું નથી.
*
આપણી ગ્રંથોથી દૂર રહેવાની આવી માન્યતઓએ કેટલું નુકસાન કર્યું એનો સહજ ખ્યાલ મને અચાનક જ આવ્યો જ્યારે ઇન્ટરનેટ પર ડૉ. જેમ્સ દ અલ્વિસ (૧૮૨૩-૧૮૭૮) નું નામ આવ્યું. આ ભાઈએ બૌદ્ધ સાહિત્યનો શ્રીલંકામાં રહી અભ્યાસ કર્યો અને ૧૮૬૨માં એ વિશે તેમનું લખાણ પ્રકાશિત થયું. એક વાત તેમણે એવી મૂકી કે વાલ્મિકી રામાયણ બૌદ્ધ સાહિત્ય પર આધારિત છે, અને રામકથા આખી બૌદ્ધ સાહિત્યની કથામાં ફેરફાર કરીને લખાઈ છે. એમના મતે બૌદ્ધ કથાઓ પહેલા આવી અને પછી એની પ્રેરણાથી વાલ્મિકીએ રામાયણ રચ્યું. આપણે ત્યાં અનેક પ્રકારની અને ભિન્ન પ્રસંગો અને પાત્ર તથા પરિસ્થિતિને લઈને લખાયેલી રામકથાઓ છે, અને આપણે કદી એ કથાઓ વચ્ચે કોઈ રીતે સરખામણી કરી નથી કે એને એકબીજાની સાથે ત્રાજવે મૂકી નથી, પણ આ ભાઈના અભ્યાસને આધાર લઈ અને તેમના કહેવાતા રિસર્ચ વડે બર્લિનના ડૉ. આલ્બ્રેટ વેબરે એક પુસ્તક લખ્યું, ‘On the Ramayana’ જેનો જર્મનમાંથી અંગ્રેજીમાં ડી. સી. બોયડે અનુવાદ કર્યો અને ૧૮૭૩માં પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કર્યો.
આ પુસ્તકે એ સમયે ખૂબ હલચલ કરી, પુસ્તકની પ્રસ્તાવનામાં વેબર પોતાનો મત નોંધે છે કે વાલ્મિકીનું રામાયણ બૌદ્ધ સાહિત્ય પછીનું છે. એ અનેક સરખામણીઓ દ્વારા સાબિત કરવાનો યત્ન છે કે મૂળ બૌદ્ધ સાહિત્યમાંની જાતકકથા જે દશરથ જાતક તરીકે પ્રસિદ્ધ છે એ વાલ્મિકી રામાયણનો આધાર છે એ સાબિત કરવા આખું પુસ્તક લખે છે. આપણી બદનસીબી એ છે કે આપણે અંદર એટલા ઝઘડતાં રહ્યાં કે બહારના લોકોએ આપણા ધર્મને અને ધાર્મિક માન્યતાઓ કે કથાઓને લગભગ મજાક બનાવી મૂકી દીધી. એણે સિફતપૂર્વક બૌદ્ધ સાહિત્યને રામાયણની સામે લાવી મૂકી દીધું, બૌદ્ધ સાહિત્ય પણ આપણું સાહિત્ય છે, જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો આપણાં જ ધર્મગ્રંથો છે, એનો અને રામાયણ જેવા આપણા બધા જ શ્રદ્ધેય ગ્રંથોનો અભ્યાસ કરી અને એને ફક્ત પુસ્તકો ગણી જર્મનો અને અંગ્રેજોએ સંશોધનના નામે આ કૃત્યો આચર્યા હોય એમ મને લાગે છે. અને એમાં એમનો વાંક હું ઓછો જોઉં છું અને આપણી ઉપર ચર્ચા કરી એવી માન્યતાઓ કે ખોટી ધારણાઓનો ફાળો મોટો લાગે છે. આપણા લોકો પણ છેલ્લી એક સદીથી વધારે સમયથી વેબરના અને અલ્વિસના પુસ્તકોને આધારભૂત ગણી અનેક તર્કો કર્યા કરે છે. જો કે એના આ પુસ્તકને અને એના સઘળા કુતર્કનો તાર્કિક અને મુદ્દાસર જવાબ ૧૮૭૩માં જ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે આપ્યો.
હવે આ વાતની વિગતમાં જઈએ. આ વિગતોમાં ઉતરવાનો મારો કોઈ ઇરાદો નહોતો, પણ જેમ જેમ રામાયણ વિશે વધારે પ્રશ્નો થતા જાય છે તેમ તેમ ક્રમબદ્ધ રીતે હું આમાં અજાણતા જ ઉંડો ઉતરી રહ્યો છું. વેબરનું કે તૈલંગજીનું પુસ્તક કદી વાંચીશ એવો કોઈ વિચાર ક્યારેય કર્યો નહોતો પણ આજે એ બંને પુસ્તકોના એકે એક પેજ વાંચી તેમની સરખામણી કરી રહ્યો છું, પ્રશ્નો અને તેના ઉત્તરો, પ્રતિપ્રશ્નો અને વિચારણીય મુદ્દા નોંધી રહ્યો છું એટલે આ કસરત તો લાંબી ચાલશે અને એમાંથી મને યોગ્ય લાગશે એ આપ સૌ સાથે વહેંચતો જઈશ. આ લખવા પાછળનો મારો હેતુ પણ આ છેલ્લા ત્રણ દિવસમાં જે વાંચ્યું છે એને સૌ મિત્રો સમક્ષ મૂકવાનો જ છે અને એથી જો કોઈની લાગણી દુભાતી હોય તો ક્ષમા કરશો – પણ એ ધ્યાન રાખજો કે આ આખી વાતમાં એક પણ વાક્ય મારો મત નથી, એ વેબરનો કે અન્ય સર્જકોનો જ મત છે જે એમના પુસ્તકોમાંથી અને અન્ય રેફરન્સમાંથી લીધો છે કારણ કે આવો કોઈ મત આપવા જેટલી મારી કોઈ પાત્રતા કે અભ્યાસ નથી.
તો શરૂઆત તરીકે વેબરે જેનો આધાર લીધો છે એ બૌદ્ધ જાતક કથાઓમાંની દશરથ જાતક જોઈએ અને પછી વાલ્મિકી રામાયણ અને દશરથ જાતક વિશેનો વેબરે ઉભો કરેલો ભેદ વિચારીએ. વેબરનો હેતુ અભ્યાસનો નહોતો એમ પણ મને લાગે છે અને એનું કારણ મને એના પુસ્તકના અમુક વાક્યો પરથી મળ્યું અને પછી જ્યારે તૈલંગજીનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે એનો આખો હેતુ સાવ સ્પષ્ટ થઈ ગયો. એ મુદ્દા પર પછી આવું, પહેલા દશરથ જાતક જોઈએ. લગભગ બધા જ સર્જકો કે ઇતિહાસકારો બૌદ્ધ દશરથ જાતકકથામાં ઉંડા ઉતરવા માંગતા નથી એવું દેખાય છે, એને મૂંઝવણનો વિષય ગણીને કે એની ચર્ચાથી અળગા રહીને જ વાત કરાઈ છે. જાતક કથાઓ આપણી સંસ્કૃતિની ખૂબ આદરપાત્ર કથાઓ છે, એ પવિત્ર ગ્રંથ છે અને એને ફક્ત એક પુસ્તક ગણી, એના અનુવાદોનો આધાર લઈ વેબર જેવાઓએ આખો તર્ક ઘડી કાઢ્યો. જાતક કથાઓના અંગ્રેજી પુસ્તકમાંથી જ એનો મેં અનુવાદ કર્યો એ અહીં મૂકું છું. એમાં કોઈ ક્ષતિ દેખાય તો સૂચવશો.
દશરથ જાતક ભગવાન બુદ્ધ દ્વારા જેતવન વિહારના એક જમીન માલિકને કહેવામાં આવી હતી, એના પિતા મૃત્યુ પામ્યા એથી જમીન માલિક એટલો દુ:ખી થયો કે તે બધા કામ છોડીને નિરાશામાં ડૂબી ગયો, પછી તથાગત દ્વારા આ વાર્તા તેમને કહેવામાં આવી એમ લખાયું છે.
વારાણસીના મહારાજા દશરથની સોળ હજાર રાણીઓ હતી. પટરાણીએ બે પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. પ્રથમ પુત્રનું નામ રામપંડિત હતું, બીજાનું લખનકુમાર હતું અને પુત્રીનું નામ સીતાદેવી હતું. પાછળથી, પટરાણીનું અવસાન થયું. અમાત્યોએ બીજી પટરાણીની નીમણૂક કરી. તેણે ભરત નામના પુત્રને જન્મ આપ્યો. રાજાએ પ્રેમથી રાણીને કહ્યું - “ભદ્રે! હું તમને વરદાન આપવા માંગું છું, માંગો.” રાણીએ વરદાન બાકી રાખ્યું, કુમાર મોટો થયો ત્યારે રાજા પાસે જઈ રાણીએ કહ્યું, “ભગવાન! તમે મને વરદાન આપ્યું છે, હવે હું માંગું છું, મારા પુત્રને રાજ્ય આપો." રાજાને એ ગમ્યું નહીં. તેણે રાણીને ડરાવીને કહ્યું - “ચાંડાલીની! તારો નાશ થાય.. મારા બંને પુત્રો રામપંડિત અને લખનકુમાર ગુણવાન છે. તેમને મારી તારા પુત્રને રાજ્ય અપાવવા માંગે છે. એ ડરીને પોતાના શયનખંડમાં જતી રહી અને વારંવાર રાજા પાસે પોતાના પુત્ર માટે રાજ્યની યાચના કરતી રહી. રાજાએ વિચાર્યું કે સ્ત્રીઓ તો જૂઠ્ઠી હોય છે, ક્યાંક એ ખોટી રાજાજ્ઞા અથવા ખોટી રાજમુદ્રાનો ઉપયોગ કરી મારા પુત્રોને મરાવી ન નાખે. એટલે એણે રામપંડિત અને લખનકુમારને ચુપચાપ બોલાવીને કહ્યું, “તાત, અહીં તમારે જીવનું જોખમ છે, તમે અત્યારે વનમાં જઈને રહો અને મારા મૃત્યુ પછી આવીને રાજ્ય પરનો અધિકાર લઈ લેજો. એણે જ્યોતિષિઓને બોલાવ્યા અને પૂછ્યું કે મારી ઉંમર કેટલી બચી છે? જ્યોતિષિઓએ બાર વર્ષ કહ્યાં એટલે એણે પુત્રોને કહ્યું કે તમે બાર વર્ષ પછી આવજો.
આ સાંભળીને બંનેએ પિતાને પ્રણામ કર્યા અને મહેલની બહાર આવી ગયા. સીતાદેવીએ કહ્યું, "હું પણ ભાઈઓ સાથે જઈશ." તેણે પણ પિતાને નમન કરી રાજ્ય છોડી દીધું. આમ ત્રણેય દુ:ખી હૃદયથી શહેરની બહાર આવ્યા. રાજ્યની પ્રજા પણ તેમની પાછળ ગઈ. રામપંડિતે તેમને સમજાવ્યા પછી એ પાછા ફર્યા. એ ત્રણેય હિમાલયની એવી જગ્યા પર પહોંચ્યા જ્યાં પાણી અને ફળો સુલભ હતા. તેઓએ ત્યાં આશ્રમો બનાવીને રહેવાનું શરૂ કર્યું. લખનકુમાર અને સીતાદેવીએ રામપંડિતને પ્રાર્થના કરી કે તમે આશ્રમમાં રહો. અમે જંગલમાંથી ફળો અને ફૂલો લાવીશું અને તમારું પોષણ કરીશું. ત્યારથી જ રામપંડિત આશ્રમમાં રહ્યા અને તેમણે તેમની સેવા કરવાનું શરૂ કર્યું.
આ પ્રકારે નવ વર્ષ વીતી ગયા અને રાજા દશરથ મૃત્યુ પામ્યા. પછી રાણીએ પોતાના પુત્ર ભરતને રાજ્યસત્તા સંભાળવા કહ્યું. પણ મંત્રીઓને એ યોગ્ય ન લાગ્યું, તેમણે કહ્યું કે રાજ્યનો અસલી હકદાર તો વનમાં છે. ભરતકુમારે વિચાર્યું, હું મારા મોટા ભાઈ રામપંડિતને જંગલથી લાવીને રાજ્ય આપીશ. તે પોતાના ચતુરંગી સૈન્ય સાથે રામપંડિતના આશ્રમમાં પહોંચ્યો અને થોડેક અંતરે છાવણી ગોઠવી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી ફળ લેવા જંગલમાં ગયા હતા. રામ પંડિત ધ્યાનમાં એકલા ખુશ બેઠા હતા. ભરતકુમારે તેમને નમન કર્યા અને તેના પિતાના મૃત્યુના સમાચાર કહીં મંત્રીઓ સાથે તેમના પગ પર પડી રડ્યા. રામપંડિત ન ચિંતિત હતા, ન રડ્યા. તેમના આકારમાં કોઈ વિકૃતિ નહોતી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી આશ્રમમાં પાછા આવ્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને તે બંને મૂર્છિત થઈ ગયા. શોક ફરી ચેતના પામતાં રહ્યા. ભરતકુમારે વિચાર્યું કે, ‘મારા ભાઈ લખનકુમાર અને સીતાદેવી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને દુ:ખ સહન કરી શક્યા નહીં, પરંતુ રામપંડિત ન તો શોક કરે છે અને ન તો રડે છે તેનું કારણ શું? હું તેમને એ પૂછીશ.’
ભરતે પૂછ્યું, ”હે રામ! તમે કયા પ્રભાવને લીધે દુ:ખી નથી? પિતાના અવસાનના સમાચાર સાંભળીને તમને દુ:ખ નથી થતું?
રામપંડિતે કહ્યું, “તરુણ, બુદ્ધ, મૂર્ખ, પંડિત, ધનિક અને ગરીબ - બધા નશ્વર છે. આમ વિશ્વમાં તમામ નાશવંત, નશ્વર છે. જેમ માણસ બહુ શોક કર્યા પછી કે રડ્યા પછી જીવીત નથી રહી શક્તો એના માટે કોઈ બુદ્ધિશાળી પ્રતિભાવાન વ્યક્તિ પોતાની જાતને કેમ મુશ્કેલીમાં મૂકે? રડવાથી મૃત માણસનું પોષણ થતું નથી, એ નિરર્થક છે. જે ધૈર્ય ધરાવે છે, બધાનું સાંભળે છે, એ ખૂબ કષ્ટ હોવા છતાં તેનું હૃદય મનને ત્રાસ આપતું નથી. રામપંડિતનો આ ઉપદેશ સાંભળીને બધા શોકમુક્ત થયા.
ત્યારબાદ ભરતકુમારે રામપંડિતને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી - "વારાણસી ચાલો અને તમારું રાજ્ય સંભાળો." રામપંડિતે કહ્યું, "તાત! લખનકુમાર અને સીતાદેવીને લઈ જઈને રાજ્ય પર શાસન કરો."
"અને ભગવાન! તમે? "
"તાત!, પિતાજીએ મને કહ્યું હતું કે બાર વર્ષ પછી આવો અને રાજ કરો. જો હું હમણાં જઉં તો મારા પિતાની આજ્ઞાનું પાલન નહીં થાય, હજી ત્રણ વર્ષ બાકી છે. એ પૂર્ણ થયા પછી જ હું આવીશ."
"તો એટલો વખત સુધી રાજ્ય કોણ ચલાવશે?"
"તમે શાસન કરો"
"હું નહીં ચલાવું."
"તેથી હું આવું ત્યાં સુધી આ પદુકા રાજ્ય સંભાળશે."
ત્રણેયે રામપંડિતની પાદુકા લીધો, નમન કર્યાં અને વારાણસી પરત ફર્યા. પાદુકાઓએ ત્રણ વર્ષ શાસન કર્યું. કોઈ સાચો જવાબ આપે તો એ ચૂપ રહેતી અને ખોટું બોલે તો એ બે અથડાઈને પોતાનો મત રજૂ કરતી. રામપંડિત, ત્રણ વર્ષ પછી જંગલમાંથી પાછા આવ્યા અને વારાણસી શહેર પહોંચ્યા, અમત્યાઓએ મહેલમાં રામપંડિતને મુગટ પહેરાવ્યો અને રાજ્યાભિષેક કર્યો. (દશરથ જાતક કથા ૪૬૧, દશરથ જાતક પાલી જાતકટ્ઠવણ્ણનામાં છે)
અહીં સમજાય છે કે દશરથ જાતકમાં સીતાહરણ અને રાવણવધની કથા નથી. અને વેબરે એના માટે પણ તર્ક શોધી કાઢ્યો છે, એ લખે છે કે એ આરોપ મૂકવા નથી માંગતો કે એમ પણ કહેવા નથી માંગતો કે વાલ્મિકીએ નકલ કરી, પણ પછી એ બહુ સિફતથી આ ઘટનાઓને ગ્રીક હોમરના કાવ્ય ઇલિયડ અને ઓડિસી પરથી પ્રેરિત બતાવે છે. ઇન્ટરનેટ પર જે દલીલો દેખાય છે તેમાં વેબરના મત સાથે કોઈ સહમત હોય એમ દેખાતું નથી. અમુક વિદ્વાનો એમ પણ માને છે કે હોમર પોતે રામાયણથી પ્રેરિત હતા અને અનેક સ્વરૂપે તેણે રામાયણમાંથી પ્રેરણા લઈ પોતાની કથાઓ લખી છે.
અને હવે આવું લખનાર વેબરના તર્કને ભાંગીને ભૂક્કો કરી નાખે એવો તર્કબદ્ધ અને આધારભૂત જવાબ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે પુસ્તક દ્વારા આપ્યો છે, ‘શું રામાયણ હોમરની નકલ હતી? – પ્રોફેસર વેબરને જવાબ..’ અને એ પુસ્તકમાં તર્ક દ્વારા એમણે સિદ્ધ તો કર્યું જ છે કે રામાયણ સૌથી પ્રાચીન અને મૂળ ગ્રંથ છે, પણ એમાં વધુ માણવા જેવા એ કટાક્ષ છે જે તેલંગજી વેબરને તાકીને મૂકે છે. એ વેબરને કહે છે કે બૌદ્ધ કથાઓ પણ અમારી જ છે અને એને સમજવા ફક્ત તર્કથી કામ નહીં ચાલે, આ સંસ્કૃતિ અને તેના વૈવિધ્યને પણ સમજવું પડશે. અને આમ કરીને એ વેબરના અજ્ઞાન પર સીધો કટાક્ષ કરે છે.
મને તૈલંગજીનું આ પુસ્તક વાંચીને ખૂબ મજા આવી ગઈ અને એટલે જ ગઈકાલે એ વાંચવામાં જ સમય ગયો. આ પંચોત્તેર પાનાનું પુસ્તક છે જેનું પચાસેક પેજનું પેપર તેમણે મુંબઈમાં ૨ સપ્ટેમ્બર ૧૮૭૨ના રોજ સ્ટુડન્ટ્સ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીમાં વાંચ્યું હતું. એ પેપર પછી કેટલાક ઉમેરણ છે જેમાં તેઓ આ બાબતના વધુ આધાર એ પેપર મૂક્યા પછી પણ તેમાં ઉમેરે છે. પુસ્તક પરિચયમાં તેઓ લખે છે કે = રામાયણ શું છે એ વિશે ઘણાં પ્રશ્નો કરાઈ રહ્યાં છે, કેટલાક એવું માને છે કે આ ભૂમિના મૂળ લોકો સામે આર્યોનો વિકાસ દર્શાવે છે, બીજો એક ભાગ તેને બ્રાહ્મણ અને બુદ્ધો વચ્ચેના વિખવાદનું વિવરણ માને છે (વેબર રાવણને બૌદ્ધ રાજા છે એવો તર્ક બતાવે છે.) અને એક ત્રીજો ભાગ તેને કૃષિકળાના વિકાસ અને સમૃદ્ધિના રૂપક તરીકે જુએ છે. અને આ બધાની સાથે રામાયણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પ્રશ્ન ચર્ચામાં આજકાલ આવ્યો છે, એ પોતે જ મૂળભૂત છે કે પછી બૌદ્ધ સાહિત્યને આધારે લખાયું છે કે પછી બીજા કોઈ સાહિત્યમાંથી ઉધાર લઈને લખાયું છે – આ અને આવા અનેક પ્રશ્ન હમણાં ખૂબ ધ્યાને લેવાયા છે, અને આ પ્રશ્નો ઉભા કરવાનું સઘળું શ્રેય બર્લિનના પ્રોફેસર વેબરને ફાળે જાય છે. મને નથી લાગતું કે પ્રોફેસર વેબરના તર્ક અથવા એમના મત સાથે આ ધરતીનું કોઈ કદી સંમત થાય, રામાયણ – એવું અમર કાવ્ય અને અદ્રુત ગ્રંથ જેની સાથે આપણાં અનેક મનોરમ્ય જીવનપદ્ધતિઓ અને સંસ્કૃતિ જોડાયેલી છે, એ વાત જે માનવના માનવતાથી પણ ક્યાંય ઉચ્ચ આદર્શો સિદ્ધ કરતા મહામાનવની વાત આલેખે છે, એવા દેવતા જેણે પોતાના કર્મે પોતાના આદર્શો મર્યાદાથી સાબિત કર્યા, જે આ દેશના રક્તમાં વણાયેલું છે, એટલે એવું કહેવું કે એ બૌદ્ધ કથામાં હોમરની ટ્રોજન યુદ્ધની વાર્તાનો અનુવાદ ઉમેરણ માત્ર છે એ ઘણાંને નહીં ગમે, પણ હું આ બધું એક તરફ રાખી ફક્ત તર્કપૂર્ણ વાત કરવા માંગુ છું. કોઈ મારી પાસે એનો વૈજ્ઞાનિક અભ્યાસ અને એના આધારે એનું મૂળ હોવું પુરવાર કરવાનું કહે તો આજકાલની એવી માન્યતા કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અપાયેલ સાબિતી જ સચોટ સાબિતી છે એ માનીને હું આ ગ્રંથની પ્રમાણભૂતતા સાબિત કરવાનો યત્ન કરું છું.
તેઓ નવમા પેજ પર લખે છે કે પ્રોફેસર વેબરનું આખું પુસ્તક હું વાંચી ગયો પણ ક્યાંય એમણે બુદ્ધ કથાના મૂળ હોવા વિશે અને વાલ્મિકી રામાયણના એની નકલ હોવા વિશે કોઈ પુરાવા આપ્યા નથી, તો પછી એથી ઉંધું હોય એ માની ન શકવા માટે તેમની પાસે કયું કારણ છે? તેઓ બૌદ્ધ સાહિત્યને અને જાતક કથાઓને જૂની ‘માનીને’ એના પર પ્રશ્ન ન કરી શકાય એમ ગણાવીને રામાયણને નકલ ગણાવે છે પણ હું પૂછવા માંગુ છું કે બૌદ્ધ સાહિત્યના કાળ વિશે તેમની પાસે કયા પુરાવા છે? વેબર જેને બૌદ્ધ સાહિત્યનો આધાર માને છે એ પુસ્તક પણ શ્રીલંકામાં રહેલા એક જર્મનનું જ લખેલું છે, મારા મતે તો બૌદ્ધ કથાનું મહત્વનું પાત્ર બ્રાહ્મણ (રાવણ) હોય એ ન માની શકાય, એથી એ પ્રસંગ રામાયણમાં નહીં લેવાયો હોય, એટલે એક તરફ રાવણને બૌદ્ધ ગણાવતા વેબર બીજી તરફ એ પ્રસંગ જાતકકથામાં કેમ નથી એ વિશે કોઈ તર્ક મૂકી શક્તા નથી. પણ બ્રાહ્મણો અને બૌદ્ધ સાહિત્ય વચ્ચેનો સંબંધ તેમને સમજમાં નહીં આવ્યો હોય. હોમરના કાવ્યો પરથી પ્રેરણા લેવાયાની વાત પર પણ તેલંગજી તર્કબદ્ધ ઝાટકણી ખૂબ આદરસભર શબ્દોમાં કાઢે છે, તેઓ લખે છે, જો કે વેબર પોતે વાલ્મિકીએ હોમરની નકલ કરી છે એમ લખવાથી બચતા દેખાય છે, પણ હોમર અને એમના કાવ્યોના રામાયણ સાથેના ઉલ્લેખથી અને એ પહેલા લખાયું છે અને રામાયણ પછી એવા તર્કથી એમનો હેતુ સમજાય છે, અને આ ભાગ તો અંગ્રેજીમાં વાંચવાની જ મજા આવશે..
જુઓ.. What comparison can there be between the very feminine Paris, who was the ravisher of Helen, and the conqueror of the world, the dreaded enemy of the Gods themselves, who was the ravisher of Sita? What comparison can there be between the mean coquetry of the Greek heroine and the heavenly purity of King Janaka’s child? Agamemnon is Menelaus’s brother, Sugriva is not the brother of Rama, Lakshmana is the brother of Rama and is not killed; Patroklus is not the brother of Achilles and is killed. Further if Rama is to be compared to Achilles, who is to be impressed to do service for Menelaus? And if on account of his wife having been ravished, Rama is to be likened to Menelaus, whom on this theory, has the Ramayuana to show as the analogue of Achilles of him whose wrath was ‘to Greece the direful spring of woes unnumbered?’ You will find greater similarity between the main story and the principal characters of Shakespeare’s Othello and sir Walter Scott’s Kenilworth. Yet nobody ever dreamt of contending that Sir Walter Scott took his varney from Iago or his Amy from Desdemona. Professor Weber lays no stress on this.
આ લખવાનો તો કોઈ અંત નહીં આવે કારણ કે તેલંગજીનું આ આખું પુસ્તક આવા જ જવાબો અને તર્કોથી ભરપૂર છે. છેલ્લે પુસ્તકમાં તેઓ લખે છે કે આ અભ્યાસ માટે હોમરની કૃતિઓ વાંચ્યા પછી મારો તર્ક કહે છે કે ગ્રીક અને હિંદુઓ વચ્ચે હિંદુઓ લેવાવાળા નહીં પરંતુ આપનાર છે, તેમને લાગે છે કે ગ્રીક જાતિઓ પાસે પૂર્વની પ્રેરણા હશે. હોમરનું મૂળ કાવ્ય સમય સાથે બદલાયું હશે પણ એનું મૂળ તો રામાયણ જ હોવું જોઈએ.. હોમરે પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો હતો એને અવગણીને એમ કહી દેવું કે હોમર જ મૂળ રચયિતા હતો અને એ જ્યાં ગયો ત્યાંના લોકોએ તેના સર્જનની નકલ કરી એ કોઈ પણ સંસ્કૃતિને શોભે તેવું નથી.
તેલંગજીના પુસ્તકમાં શ્રવણના શ્રાપ વિશેની પણ ખૂબ વિગતે અને તથ્યપૂર્ણ વાત મૂકાઈ છે, તેમનું વાંચન કેટલું ઉંડુ હશે એની સાબિતી તેમણે મૂકેલા ભર્તુહરી અને કાલિદાસના સાહિત્યના અનેક રેફરન્સ અને એથી સાબિત કરેલ એમનો સમયગાળો, એ તારણ કે કાલીદાસ ભર્તુહરી પહેલા થયેલા, નીતીશતક, મૃચ્છકટિકમ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ, પશ્ચિમના અનેક વિદ્વાનોના તર્કો અને તારણો અને જાતક કથાઓ વગેરેનો ગહન અભ્યાસ દેખાઈ આવે છે, આ પુસ્તકનો અને વેબરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ, કે ઇવન હિન્દી અનુવાદ દેખાતો નથી, એ કરવો જોઈએ એમ મને લાગે છે જેથી એ વિશે પશ્ચિમના વિદ્વાનોએ ફેલાયેલી ભ્રમણાઓની જાળ તોડીને આપણે આપણા પોતાના ગ્રંથો વિશે સાચી માહિતી મેળવી શકીએ.
રામાયણ વિશે અનેક કથાઓ અને સંસ્કરણો ઉપલબ્ધ છે, તો શું આપણે એ કથાઓથી આહત થઈ જવું જોઈએ? અનેક દેશોમાં આ કથાઓ અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે, જાવાની રામ કલિંગ અને મલાયાની સેરીરામમાં સીતાજીને દશરથની પુત્રી દેખાડાયા છે, તિબેટ, ઇન્ડોનેશિયા, વગેરેમાં માતા સીતાને મંદોદરીની દીકરી પણ બતાવાયા છે. શું આ કથાઓને આપણે માતા સીતાના અપમાન સ્વરૂપે ગણવી જોઈએ? મને લાગે છે કે દશરથ જાતક સહિત સમગ્ર બૌદ્ધ સાહિત્ય અને આ કથા તો આપણી પોતાની પાસે ઉપલબ્ધ કથા છે, આપણી જ સંસ્કૃતિની દેણગી છે જેને આપણે જોઈ, પણ એ સિવાય અનેક દેશોમાં ભિન્ન સંસ્કૃતિઓમાં આપણી આ જ કથાઓ અનેક સ્વરૂપે સચવાઈ છે અને અંતે આપણી માન્યતાઓ ‘જ’ સાચી છે એમ માની અન્યોની વાતને ખોટી ગણવી એ ઉદ્દેશ ન જ હોવો જોઈએ, આપણે આ બધી જ કથાઓથી એક અનોખા પ્રકારની વિચારસરણી સાથે જોડાઈએ છીએ.
ધર્મનું મૂળ એક સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચનામાં છે, અને આ કથાઓ જ્યાં પણ છે ત્યાં બધે તેમનો પવિત્ર પ્રભાવ દેખાઈ આવે છે. ધર્મપ્રેમી વ્યક્તિએ પણ અન્યોના મત અને સંસ્કૃતિનો આદર કરવો જોઈએ એવું જ આપણને આપણી સંસ્કૃતિ શીખવે છે, એટલે એ બધી જ કથાઓનો સંપૂર્ણ આદર અને સ્વીકાર હોવો જોઈએ. પરંતુ વેબર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોના તર્કને આધારે આપણી કથાઓની તોડી મરોડીને પ્રસ્તુત કરેલી ભિન્ન આવૃત્તિઓ તર્કબદ્ધ રીતે જ ખોટી સાબિત કરવી જોઈએ અને શ્રી તેલંગ જેવા વિદ્વાનોએ એ કર્યું છે એનો અત્યંત આનંદ છે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
જીજ્ઞેશ અધ્યારું**
મહાભારત પાંચમો વેદ કહેવાયો છે. મહાભારતમાં અનેક મહામોતીઓ છે, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુરનીતી, ભગવદગીતા, યક્ષપ્રશ્ન વાળું આખું પ્રકરણ, આ બધા તો મહાભારતથી અલગ પણ ગ્રંથ તરીકે આપણા માટે અતિશય મૂલ્યવાન છે, તો આ બધાનું મૂળ એવું મહાભારત કેમ આપણાથી આવી માન્યતાઓ દ્વારા દૂર રહ્યું છે? એના અનેક તર્ક મને ધ્યાને આવે છે, એમાં એક એ સમજાય છે કે શાસ્ત્રો મુજબ મહાભારત સદાય કહેવાયું છે, વંચાયું નથી. આપણી સંસ્કૃતિ કાયમ કર્ણોપકર્ણ રહી છે, વક્તા અને શ્રોતા વચ્ચેનો સેતુ આ મહાગ્રંથ કાયમ બનતો રહ્યો છે. વૈશંપાયન જન્મેજયને આ કથા કહે છે, અને તેમને ક્યાંથી મળી એના ઉત્તરમાં વૈશંપાયનને એ વેદવ્યાસ પાસેથી મળી એમ કહેવાયું છે. વ્યાસ પણ ઇન્દ્રની જેમ એક પદવી કે ઓળખ હશે એમ મને સમજાય છે, અને એકથી વધુ વ્યાસ થયા હશે એમ પણ લાગે છે. મહાભારત લખનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ૨૮મા વ્યાસ છે અને દ્રોણપુત્ર અશ્વત્થામા ૨૯મા વ્યાસ થશે એમ લખાયું છે. વિષ્ણુપુરાણ મુજબ ઋષિ તરીકે વ્યાસનું કામ વેદોની ગોઠવણીનું છે. સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. દ્વાપરયુગના આ વૈવત્સ મન્વંતરમાં કૂલ ૨૮ વખત વેદોની પુન:ગોઠવણી થઈ ચૂકી છે. પહેલા વ્યાસ સ્વયં બ્રહ્મા હતા અને બીજા પ્રજાપતિ, ત્રીજા શુક્રાચાર્ય અને ચોથા બૃહસ્પતિ – આવા જ્ઞાનીઓમાંના એક વ્યાસે લખેલ ગ્રંથ અવાચ્ય હોય એવું તો કઈ રીતે શક્ય છે?
મહાભારત મહાત્મ્યમાં વ્યાસે લખ્યું છે,
अस्मिन्नर्थश्च कामश्च निखिलेनोपदेक्ष्यते।
इतिहासे महापुण्ये बुद्धिश्च परिनैष्ठिकी॥
भारतं शृणुयान्नित्यं भारतं परिकीर्तयेत्।
भारतं भवने यस्य तस्य हस्तगतो जयः॥
આ મહાન પવિત્ર ઈતિહાસમાં અર્થ અને કામનો એવો સર્વાંગસંપૂર્ણ ઉપદેશ છે કે જેનાથી વાંચવા અને સાંભળવાવાળાની બુદ્ધિ પરમાત્મામાં નિહિત થઈ જાય છે. એટલે રોજ મહાભારતનું શ્રવણ કરો, નિત્ય તેનો પાઠ કરો, જેના ઘરમાં મહાભારત ગ્રંથ છે તેનો વિજય નિશ્ચિત છે. એટલે મહાભારત ઘરમાં રાખવાથી કોઈ પ્રકારનું અહિત કે હાની થાય એ વાત તાર્કિક લાગતી નથી.
આપણે ત્યાં બે પ્રકારની પરંપરાઓ સતત વહેતી રહી છે, કંઠ:સ્થ પરંપરા અને લેખનની પરંપરા. તામ્રપત્રો, શીલાલેખો અને વિવિધ પ્રકારના પાંદડા વગેરે દ્વારા સચવાયેલ લેખન પરંપરા અને કંઠ:સ્થ પરંપરાથી અનેક ગ્રંથો, સ્તુતિઓ અને મહાત્મય કેટલીય પેઢીઓ સુધી વહેતા રહ્યાં છે.
ભગવદ ગીતા યુવાનીમાં ન વંચાય એવી માન્યતા પાછળનું એક કારણ જે મને સમજાયું છે એ ડર છે કે જે ભગવદ ગીતાને વિગતે સમજીને જીવનમાં ઉતારવાનો યત્ન કરશે એ જીવનના મોહથી મુક્ત થઈ સંન્યાસી થઈ જશે. કદાચ માતાપિતા એવું માનતા હોય કે એમના યુવાન પુત્રો એ રીતે સંસારથી અલિપ્ત થઈ જાય. મહાભારત ઘરમાં ન રાખવાનું કારણ કદાચ એ હોય કે ઘરમાં હોય તો ક્યારેક કોઈક વાંચે, અને જો વાંચે તો એમાંના પાત્ર ચિત્રણથી ખરેખર પ્રભાવિત થઈ જાય.
મહાભારત યુદ્ધની કથા છે, ધર્મ અને અધર્મના યુદ્ધની કથા છે અને બધાની ધર્મની અને અધર્મની સમજણ પોતીકી છે. અને મહાભારત વાંચતી વખતે કયો સાર ગ્રહણ કરવો એ માટે માર્ગદર્શન જરૂરી ગણાયું છે. મહાભારતના મોટાભાગના પાત્રો તદ્દન ધાર્મિક કે તદ્દન અધાર્મિક નથી. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર મૂકે અથવા ‘અશ્વત્થામા નર કે હાથી એ ખબર નથી’ એમ કહે ત્યારે વિદ્વાનોને એમાં અધર્મ દેખાય છે, કર્ણ માટે ઘણાંને સહાનુભૂતિ થાય અને ઘણાંને ગુસ્સો આવે. પાંડવો સિવાયના મોટાભાગના પાત્રો ગ્રે શેડ ધરાવે છે.
કદાચ એ પાત્રોના જીવનમૂલ્યો, એમણે લીધેલા નિર્ણયો કે એમના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થઈ કોઈ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો કુટુંબમાં અવશ્ય કંકાસ થાય. એમાં વડીલોને પણ કોઈ એક પક્ષ લેવાની ફરજ પડે છે, ભાઈઓ યુદ્ધ કરે છે અને વડીલો એમને સાથ આપે છે, સંબંધોની પરિભાષાઓ વિકૃત થઈ છે, સંપત્તિ માટેની લડાઈ હોય કે પોતાના હિત પ્રત્યેની, કુટુંબો માટે એ હાનિકારક હોઈ શકે. આપણી બે પેઢી પહેલાના લગભગ બધા કુટુંબો સંયુક્ત કુટુંબો હતા, એમાં અનેક લોકો વચ્ચે આ પ્રકારનો એક તણખો પણ પરિવારને વિભક્ત કરી મૂકે એ ભયને લીધે કદાચ આવી ધારણા બંધાઈ હોય એમ શક્ય છે. સામે પક્ષે રામાયણ મર્યાદાની અને ત્યાગની કથા છે, ભાઈ માટે ભાઈના ત્યાગની, પિતા માટે પુત્રના ત્યાગની અને પતિ માટે પત્નીના ત્યાગની, એમાં ક્યાંય પરિવારને ન સમજાય એવું કંઈ નથી, એનો ઉપદેશ સ્વયં સ્પષ્ટ છે એટલે એનું પઠન સતત બધે મહાભારતની સરખામણીએ વધુ થયું છે.
અને આ જ પ્રશ્ન મેં આજે ફોન પર આદરણીય નિરંજનભાઈને પણ કર્યો, અને તેમણે પણ કહ્યું કે આ માન્યતા કદાચ મહાભારતના ખોટા અર્થઘટન કે તેના ઉપર દર્શાવ્યા એવા ભયસ્થાનોને લીધે જ હોઈ શકે અન્યથા એવું કંઈ ક્યાંય કહેવાયું કે લખાયું નથી.
*
આપણી ગ્રંથોથી દૂર રહેવાની આવી માન્યતઓએ કેટલું નુકસાન કર્યું એનો સહજ ખ્યાલ મને અચાનક જ આવ્યો જ્યારે ઇન્ટરનેટ પર ડૉ. જેમ્સ દ અલ્વિસ (૧૮૨૩-૧૮૭૮) નું નામ આવ્યું. આ ભાઈએ બૌદ્ધ સાહિત્યનો શ્રીલંકામાં રહી અભ્યાસ કર્યો અને ૧૮૬૨માં એ વિશે તેમનું લખાણ પ્રકાશિત થયું. એક વાત તેમણે એવી મૂકી કે વાલ્મિકી રામાયણ બૌદ્ધ સાહિત્ય પર આધારિત છે, અને રામકથા આખી બૌદ્ધ સાહિત્યની કથામાં ફેરફાર કરીને લખાઈ છે. એમના મતે બૌદ્ધ કથાઓ પહેલા આવી અને પછી એની પ્રેરણાથી વાલ્મિકીએ રામાયણ રચ્યું. આપણે ત્યાં અનેક પ્રકારની અને ભિન્ન પ્રસંગો અને પાત્ર તથા પરિસ્થિતિને લઈને લખાયેલી રામકથાઓ છે, અને આપણે કદી એ કથાઓ વચ્ચે કોઈ રીતે સરખામણી કરી નથી કે એને એકબીજાની સાથે ત્રાજવે મૂકી નથી, પણ આ ભાઈના અભ્યાસને આધાર લઈ અને તેમના કહેવાતા રિસર્ચ વડે બર્લિનના ડૉ. આલ્બ્રેટ વેબરે એક પુસ્તક લખ્યું, ‘On the Ramayana’ જેનો જર્મનમાંથી અંગ્રેજીમાં ડી. સી. બોયડે અનુવાદ કર્યો અને ૧૮૭૩માં પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કર્યો.
આ પુસ્તકે એ સમયે ખૂબ હલચલ કરી, પુસ્તકની પ્રસ્તાવનામાં વેબર પોતાનો મત નોંધે છે કે વાલ્મિકીનું રામાયણ બૌદ્ધ સાહિત્ય પછીનું છે. એ અનેક સરખામણીઓ દ્વારા સાબિત કરવાનો યત્ન છે કે મૂળ બૌદ્ધ સાહિત્યમાંની જાતકકથા જે દશરથ જાતક તરીકે પ્રસિદ્ધ છે એ વાલ્મિકી રામાયણનો આધાર છે એ સાબિત કરવા આખું પુસ્તક લખે છે. આપણી બદનસીબી એ છે કે આપણે અંદર એટલા ઝઘડતાં રહ્યાં કે બહારના લોકોએ આપણા ધર્મને અને ધાર્મિક માન્યતાઓ કે કથાઓને લગભગ મજાક બનાવી મૂકી દીધી. એણે સિફતપૂર્વક બૌદ્ધ સાહિત્યને રામાયણની સામે લાવી મૂકી દીધું, બૌદ્ધ સાહિત્ય પણ આપણું સાહિત્ય છે, જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો આપણાં જ ધર્મગ્રંથો છે, એનો અને રામાયણ જેવા આપણા બધા જ શ્રદ્ધેય ગ્રંથોનો અભ્યાસ કરી અને એને ફક્ત પુસ્તકો ગણી જર્મનો અને અંગ્રેજોએ સંશોધનના નામે આ કૃત્યો આચર્યા હોય એમ મને લાગે છે. અને એમાં એમનો વાંક હું ઓછો જોઉં છું અને આપણી ઉપર ચર્ચા કરી એવી માન્યતાઓ કે ખોટી ધારણાઓનો ફાળો મોટો લાગે છે. આપણા લોકો પણ છેલ્લી એક સદીથી વધારે સમયથી વેબરના અને અલ્વિસના પુસ્તકોને આધારભૂત ગણી અનેક તર્કો કર્યા કરે છે. જો કે એના આ પુસ્તકને અને એના સઘળા કુતર્કનો તાર્કિક અને મુદ્દાસર જવાબ ૧૮૭૩માં જ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે આપ્યો.
હવે આ વાતની વિગતમાં જઈએ. આ વિગતોમાં ઉતરવાનો મારો કોઈ ઇરાદો નહોતો, પણ જેમ જેમ રામાયણ વિશે વધારે પ્રશ્નો થતા જાય છે તેમ તેમ ક્રમબદ્ધ રીતે હું આમાં અજાણતા જ ઉંડો ઉતરી રહ્યો છું. વેબરનું કે તૈલંગજીનું પુસ્તક કદી વાંચીશ એવો કોઈ વિચાર ક્યારેય કર્યો નહોતો પણ આજે એ બંને પુસ્તકોના એકે એક પેજ વાંચી તેમની સરખામણી કરી રહ્યો છું, પ્રશ્નો અને તેના ઉત્તરો, પ્રતિપ્રશ્નો અને વિચારણીય મુદ્દા નોંધી રહ્યો છું એટલે આ કસરત તો લાંબી ચાલશે અને એમાંથી મને યોગ્ય લાગશે એ આપ સૌ સાથે વહેંચતો જઈશ. આ લખવા પાછળનો મારો હેતુ પણ આ છેલ્લા ત્રણ દિવસમાં જે વાંચ્યું છે એને સૌ મિત્રો સમક્ષ મૂકવાનો જ છે અને એથી જો કોઈની લાગણી દુભાતી હોય તો ક્ષમા કરશો – પણ એ ધ્યાન રાખજો કે આ આખી વાતમાં એક પણ વાક્ય મારો મત નથી, એ વેબરનો કે અન્ય સર્જકોનો જ મત છે જે એમના પુસ્તકોમાંથી અને અન્ય રેફરન્સમાંથી લીધો છે કારણ કે આવો કોઈ મત આપવા જેટલી મારી કોઈ પાત્રતા કે અભ્યાસ નથી.
તો શરૂઆત તરીકે વેબરે જેનો આધાર લીધો છે એ બૌદ્ધ જાતક કથાઓમાંની દશરથ જાતક જોઈએ અને પછી વાલ્મિકી રામાયણ અને દશરથ જાતક વિશેનો વેબરે ઉભો કરેલો ભેદ વિચારીએ. વેબરનો હેતુ અભ્યાસનો નહોતો એમ પણ મને લાગે છે અને એનું કારણ મને એના પુસ્તકના અમુક વાક્યો પરથી મળ્યું અને પછી જ્યારે તૈલંગજીનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે એનો આખો હેતુ સાવ સ્પષ્ટ થઈ ગયો. એ મુદ્દા પર પછી આવું, પહેલા દશરથ જાતક જોઈએ. લગભગ બધા જ સર્જકો કે ઇતિહાસકારો બૌદ્ધ દશરથ જાતકકથામાં ઉંડા ઉતરવા માંગતા નથી એવું દેખાય છે, એને મૂંઝવણનો વિષય ગણીને કે એની ચર્ચાથી અળગા રહીને જ વાત કરાઈ છે. જાતક કથાઓ આપણી સંસ્કૃતિની ખૂબ આદરપાત્ર કથાઓ છે, એ પવિત્ર ગ્રંથ છે અને એને ફક્ત એક પુસ્તક ગણી, એના અનુવાદોનો આધાર લઈ વેબર જેવાઓએ આખો તર્ક ઘડી કાઢ્યો. જાતક કથાઓના અંગ્રેજી પુસ્તકમાંથી જ એનો મેં અનુવાદ કર્યો એ અહીં મૂકું છું. એમાં કોઈ ક્ષતિ દેખાય તો સૂચવશો.
દશરથ જાતક ભગવાન બુદ્ધ દ્વારા જેતવન વિહારના એક જમીન માલિકને કહેવામાં આવી હતી, એના પિતા મૃત્યુ પામ્યા એથી જમીન માલિક એટલો દુ:ખી થયો કે તે બધા કામ છોડીને નિરાશામાં ડૂબી ગયો, પછી તથાગત દ્વારા આ વાર્તા તેમને કહેવામાં આવી એમ લખાયું છે.
વારાણસીના મહારાજા દશરથની સોળ હજાર રાણીઓ હતી. પટરાણીએ બે પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. પ્રથમ પુત્રનું નામ રામપંડિત હતું, બીજાનું લખનકુમાર હતું અને પુત્રીનું નામ સીતાદેવી હતું. પાછળથી, પટરાણીનું અવસાન થયું. અમાત્યોએ બીજી પટરાણીની નીમણૂક કરી. તેણે ભરત નામના પુત્રને જન્મ આપ્યો. રાજાએ પ્રેમથી રાણીને કહ્યું - “ભદ્રે! હું તમને વરદાન આપવા માંગું છું, માંગો.” રાણીએ વરદાન બાકી રાખ્યું, કુમાર મોટો થયો ત્યારે રાજા પાસે જઈ રાણીએ કહ્યું, “ભગવાન! તમે મને વરદાન આપ્યું છે, હવે હું માંગું છું, મારા પુત્રને રાજ્ય આપો." રાજાને એ ગમ્યું નહીં. તેણે રાણીને ડરાવીને કહ્યું - “ચાંડાલીની! તારો નાશ થાય.. મારા બંને પુત્રો રામપંડિત અને લખનકુમાર ગુણવાન છે. તેમને મારી તારા પુત્રને રાજ્ય અપાવવા માંગે છે. એ ડરીને પોતાના શયનખંડમાં જતી રહી અને વારંવાર રાજા પાસે પોતાના પુત્ર માટે રાજ્યની યાચના કરતી રહી. રાજાએ વિચાર્યું કે સ્ત્રીઓ તો જૂઠ્ઠી હોય છે, ક્યાંક એ ખોટી રાજાજ્ઞા અથવા ખોટી રાજમુદ્રાનો ઉપયોગ કરી મારા પુત્રોને મરાવી ન નાખે. એટલે એણે રામપંડિત અને લખનકુમારને ચુપચાપ બોલાવીને કહ્યું, “તાત, અહીં તમારે જીવનું જોખમ છે, તમે અત્યારે વનમાં જઈને રહો અને મારા મૃત્યુ પછી આવીને રાજ્ય પરનો અધિકાર લઈ લેજો. એણે જ્યોતિષિઓને બોલાવ્યા અને પૂછ્યું કે મારી ઉંમર કેટલી બચી છે? જ્યોતિષિઓએ બાર વર્ષ કહ્યાં એટલે એણે પુત્રોને કહ્યું કે તમે બાર વર્ષ પછી આવજો.
આ સાંભળીને બંનેએ પિતાને પ્રણામ કર્યા અને મહેલની બહાર આવી ગયા. સીતાદેવીએ કહ્યું, "હું પણ ભાઈઓ સાથે જઈશ." તેણે પણ પિતાને નમન કરી રાજ્ય છોડી દીધું. આમ ત્રણેય દુ:ખી હૃદયથી શહેરની બહાર આવ્યા. રાજ્યની પ્રજા પણ તેમની પાછળ ગઈ. રામપંડિતે તેમને સમજાવ્યા પછી એ પાછા ફર્યા. એ ત્રણેય હિમાલયની એવી જગ્યા પર પહોંચ્યા જ્યાં પાણી અને ફળો સુલભ હતા. તેઓએ ત્યાં આશ્રમો બનાવીને રહેવાનું શરૂ કર્યું. લખનકુમાર અને સીતાદેવીએ રામપંડિતને પ્રાર્થના કરી કે તમે આશ્રમમાં રહો. અમે જંગલમાંથી ફળો અને ફૂલો લાવીશું અને તમારું પોષણ કરીશું. ત્યારથી જ રામપંડિત આશ્રમમાં રહ્યા અને તેમણે તેમની સેવા કરવાનું શરૂ કર્યું.
આ પ્રકારે નવ વર્ષ વીતી ગયા અને રાજા દશરથ મૃત્યુ પામ્યા. પછી રાણીએ પોતાના પુત્ર ભરતને રાજ્યસત્તા સંભાળવા કહ્યું. પણ મંત્રીઓને એ યોગ્ય ન લાગ્યું, તેમણે કહ્યું કે રાજ્યનો અસલી હકદાર તો વનમાં છે. ભરતકુમારે વિચાર્યું, હું મારા મોટા ભાઈ રામપંડિતને જંગલથી લાવીને રાજ્ય આપીશ. તે પોતાના ચતુરંગી સૈન્ય સાથે રામપંડિતના આશ્રમમાં પહોંચ્યો અને થોડેક અંતરે છાવણી ગોઠવી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી ફળ લેવા જંગલમાં ગયા હતા. રામ પંડિત ધ્યાનમાં એકલા ખુશ બેઠા હતા. ભરતકુમારે તેમને નમન કર્યા અને તેના પિતાના મૃત્યુના સમાચાર કહીં મંત્રીઓ સાથે તેમના પગ પર પડી રડ્યા. રામપંડિત ન ચિંતિત હતા, ન રડ્યા. તેમના આકારમાં કોઈ વિકૃતિ નહોતી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી આશ્રમમાં પાછા આવ્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને તે બંને મૂર્છિત થઈ ગયા. શોક ફરી ચેતના પામતાં રહ્યા. ભરતકુમારે વિચાર્યું કે, ‘મારા ભાઈ લખનકુમાર અને સીતાદેવી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને દુ:ખ સહન કરી શક્યા નહીં, પરંતુ રામપંડિત ન તો શોક કરે છે અને ન તો રડે છે તેનું કારણ શું? હું તેમને એ પૂછીશ.’
ભરતે પૂછ્યું, ”હે રામ! તમે કયા પ્રભાવને લીધે દુ:ખી નથી? પિતાના અવસાનના સમાચાર સાંભળીને તમને દુ:ખ નથી થતું?
રામપંડિતે કહ્યું, “તરુણ, બુદ્ધ, મૂર્ખ, પંડિત, ધનિક અને ગરીબ - બધા નશ્વર છે. આમ વિશ્વમાં તમામ નાશવંત, નશ્વર છે. જેમ માણસ બહુ શોક કર્યા પછી કે રડ્યા પછી જીવીત નથી રહી શક્તો એના માટે કોઈ બુદ્ધિશાળી પ્રતિભાવાન વ્યક્તિ પોતાની જાતને કેમ મુશ્કેલીમાં મૂકે? રડવાથી મૃત માણસનું પોષણ થતું નથી, એ નિરર્થક છે. જે ધૈર્ય ધરાવે છે, બધાનું સાંભળે છે, એ ખૂબ કષ્ટ હોવા છતાં તેનું હૃદય મનને ત્રાસ આપતું નથી. રામપંડિતનો આ ઉપદેશ સાંભળીને બધા શોકમુક્ત થયા.
ત્યારબાદ ભરતકુમારે રામપંડિતને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી - "વારાણસી ચાલો અને તમારું રાજ્ય સંભાળો." રામપંડિતે કહ્યું, "તાત! લખનકુમાર અને સીતાદેવીને લઈ જઈને રાજ્ય પર શાસન કરો."
"અને ભગવાન! તમે? "
"તાત!, પિતાજીએ મને કહ્યું હતું કે બાર વર્ષ પછી આવો અને રાજ કરો. જો હું હમણાં જઉં તો મારા પિતાની આજ્ઞાનું પાલન નહીં થાય, હજી ત્રણ વર્ષ બાકી છે. એ પૂર્ણ થયા પછી જ હું આવીશ."
"તો એટલો વખત સુધી રાજ્ય કોણ ચલાવશે?"
"તમે શાસન કરો"
"હું નહીં ચલાવું."
"તેથી હું આવું ત્યાં સુધી આ પદુકા રાજ્ય સંભાળશે."
ત્રણેયે રામપંડિતની પાદુકા લીધો, નમન કર્યાં અને વારાણસી પરત ફર્યા. પાદુકાઓએ ત્રણ વર્ષ શાસન કર્યું. કોઈ સાચો જવાબ આપે તો એ ચૂપ રહેતી અને ખોટું બોલે તો એ બે અથડાઈને પોતાનો મત રજૂ કરતી. રામપંડિત, ત્રણ વર્ષ પછી જંગલમાંથી પાછા આવ્યા અને વારાણસી શહેર પહોંચ્યા, અમત્યાઓએ મહેલમાં રામપંડિતને મુગટ પહેરાવ્યો અને રાજ્યાભિષેક કર્યો. (દશરથ જાતક કથા ૪૬૧, દશરથ જાતક પાલી જાતકટ્ઠવણ્ણનામાં છે)
અહીં સમજાય છે કે દશરથ જાતકમાં સીતાહરણ અને રાવણવધની કથા નથી. અને વેબરે એના માટે પણ તર્ક શોધી કાઢ્યો છે, એ લખે છે કે એ આરોપ મૂકવા નથી માંગતો કે એમ પણ કહેવા નથી માંગતો કે વાલ્મિકીએ નકલ કરી, પણ પછી એ બહુ સિફતથી આ ઘટનાઓને ગ્રીક હોમરના કાવ્ય ઇલિયડ અને ઓડિસી પરથી પ્રેરિત બતાવે છે. ઇન્ટરનેટ પર જે દલીલો દેખાય છે તેમાં વેબરના મત સાથે કોઈ સહમત હોય એમ દેખાતું નથી. અમુક વિદ્વાનો એમ પણ માને છે કે હોમર પોતે રામાયણથી પ્રેરિત હતા અને અનેક સ્વરૂપે તેણે રામાયણમાંથી પ્રેરણા લઈ પોતાની કથાઓ લખી છે.
અને હવે આવું લખનાર વેબરના તર્કને ભાંગીને ભૂક્કો કરી નાખે એવો તર્કબદ્ધ અને આધારભૂત જવાબ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે પુસ્તક દ્વારા આપ્યો છે, ‘શું રામાયણ હોમરની નકલ હતી? – પ્રોફેસર વેબરને જવાબ..’ અને એ પુસ્તકમાં તર્ક દ્વારા એમણે સિદ્ધ તો કર્યું જ છે કે રામાયણ સૌથી પ્રાચીન અને મૂળ ગ્રંથ છે, પણ એમાં વધુ માણવા જેવા એ કટાક્ષ છે જે તેલંગજી વેબરને તાકીને મૂકે છે. એ વેબરને કહે છે કે બૌદ્ધ કથાઓ પણ અમારી જ છે અને એને સમજવા ફક્ત તર્કથી કામ નહીં ચાલે, આ સંસ્કૃતિ અને તેના વૈવિધ્યને પણ સમજવું પડશે. અને આમ કરીને એ વેબરના અજ્ઞાન પર સીધો કટાક્ષ કરે છે.
મને તૈલંગજીનું આ પુસ્તક વાંચીને ખૂબ મજા આવી ગઈ અને એટલે જ ગઈકાલે એ વાંચવામાં જ સમય ગયો. આ પંચોત્તેર પાનાનું પુસ્તક છે જેનું પચાસેક પેજનું પેપર તેમણે મુંબઈમાં ૨ સપ્ટેમ્બર ૧૮૭૨ના રોજ સ્ટુડન્ટ્સ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીમાં વાંચ્યું હતું. એ પેપર પછી કેટલાક ઉમેરણ છે જેમાં તેઓ આ બાબતના વધુ આધાર એ પેપર મૂક્યા પછી પણ તેમાં ઉમેરે છે. પુસ્તક પરિચયમાં તેઓ લખે છે કે = રામાયણ શું છે એ વિશે ઘણાં પ્રશ્નો કરાઈ રહ્યાં છે, કેટલાક એવું માને છે કે આ ભૂમિના મૂળ લોકો સામે આર્યોનો વિકાસ દર્શાવે છે, બીજો એક ભાગ તેને બ્રાહ્મણ અને બુદ્ધો વચ્ચેના વિખવાદનું વિવરણ માને છે (વેબર રાવણને બૌદ્ધ રાજા છે એવો તર્ક બતાવે છે.) અને એક ત્રીજો ભાગ તેને કૃષિકળાના વિકાસ અને સમૃદ્ધિના રૂપક તરીકે જુએ છે. અને આ બધાની સાથે રામાયણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પ્રશ્ન ચર્ચામાં આજકાલ આવ્યો છે, એ પોતે જ મૂળભૂત છે કે પછી બૌદ્ધ સાહિત્યને આધારે લખાયું છે કે પછી બીજા કોઈ સાહિત્યમાંથી ઉધાર લઈને લખાયું છે – આ અને આવા અનેક પ્રશ્ન હમણાં ખૂબ ધ્યાને લેવાયા છે, અને આ પ્રશ્નો ઉભા કરવાનું સઘળું શ્રેય બર્લિનના પ્રોફેસર વેબરને ફાળે જાય છે. મને નથી લાગતું કે પ્રોફેસર વેબરના તર્ક અથવા એમના મત સાથે આ ધરતીનું કોઈ કદી સંમત થાય, રામાયણ – એવું અમર કાવ્ય અને અદ્રુત ગ્રંથ જેની સાથે આપણાં અનેક મનોરમ્ય જીવનપદ્ધતિઓ અને સંસ્કૃતિ જોડાયેલી છે, એ વાત જે માનવના માનવતાથી પણ ક્યાંય ઉચ્ચ આદર્શો સિદ્ધ કરતા મહામાનવની વાત આલેખે છે, એવા દેવતા જેણે પોતાના કર્મે પોતાના આદર્શો મર્યાદાથી સાબિત કર્યા, જે આ દેશના રક્તમાં વણાયેલું છે, એટલે એવું કહેવું કે એ બૌદ્ધ કથામાં હોમરની ટ્રોજન યુદ્ધની વાર્તાનો અનુવાદ ઉમેરણ માત્ર છે એ ઘણાંને નહીં ગમે, પણ હું આ બધું એક તરફ રાખી ફક્ત તર્કપૂર્ણ વાત કરવા માંગુ છું. કોઈ મારી પાસે એનો વૈજ્ઞાનિક અભ્યાસ અને એના આધારે એનું મૂળ હોવું પુરવાર કરવાનું કહે તો આજકાલની એવી માન્યતા કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અપાયેલ સાબિતી જ સચોટ સાબિતી છે એ માનીને હું આ ગ્રંથની પ્રમાણભૂતતા સાબિત કરવાનો યત્ન કરું છું.
તેઓ નવમા પેજ પર લખે છે કે પ્રોફેસર વેબરનું આખું પુસ્તક હું વાંચી ગયો પણ ક્યાંય એમણે બુદ્ધ કથાના મૂળ હોવા વિશે અને વાલ્મિકી રામાયણના એની નકલ હોવા વિશે કોઈ પુરાવા આપ્યા નથી, તો પછી એથી ઉંધું હોય એ માની ન શકવા માટે તેમની પાસે કયું કારણ છે? તેઓ બૌદ્ધ સાહિત્યને અને જાતક કથાઓને જૂની ‘માનીને’ એના પર પ્રશ્ન ન કરી શકાય એમ ગણાવીને રામાયણને નકલ ગણાવે છે પણ હું પૂછવા માંગુ છું કે બૌદ્ધ સાહિત્યના કાળ વિશે તેમની પાસે કયા પુરાવા છે? વેબર જેને બૌદ્ધ સાહિત્યનો આધાર માને છે એ પુસ્તક પણ શ્રીલંકામાં રહેલા એક જર્મનનું જ લખેલું છે, મારા મતે તો બૌદ્ધ કથાનું મહત્વનું પાત્ર બ્રાહ્મણ (રાવણ) હોય એ ન માની શકાય, એથી એ પ્રસંગ રામાયણમાં નહીં લેવાયો હોય, એટલે એક તરફ રાવણને બૌદ્ધ ગણાવતા વેબર બીજી તરફ એ પ્રસંગ જાતકકથામાં કેમ નથી એ વિશે કોઈ તર્ક મૂકી શક્તા નથી. પણ બ્રાહ્મણો અને બૌદ્ધ સાહિત્ય વચ્ચેનો સંબંધ તેમને સમજમાં નહીં આવ્યો હોય. હોમરના કાવ્યો પરથી પ્રેરણા લેવાયાની વાત પર પણ તેલંગજી તર્કબદ્ધ ઝાટકણી ખૂબ આદરસભર શબ્દોમાં કાઢે છે, તેઓ લખે છે, જો કે વેબર પોતે વાલ્મિકીએ હોમરની નકલ કરી છે એમ લખવાથી બચતા દેખાય છે, પણ હોમર અને એમના કાવ્યોના રામાયણ સાથેના ઉલ્લેખથી અને એ પહેલા લખાયું છે અને રામાયણ પછી એવા તર્કથી એમનો હેતુ સમજાય છે, અને આ ભાગ તો અંગ્રેજીમાં વાંચવાની જ મજા આવશે..
જુઓ.. What comparison can there be between the very feminine Paris, who was the ravisher of Helen, and the conqueror of the world, the dreaded enemy of the Gods themselves, who was the ravisher of Sita? What comparison can there be between the mean coquetry of the Greek heroine and the heavenly purity of King Janaka’s child? Agamemnon is Menelaus’s brother, Sugriva is not the brother of Rama, Lakshmana is the brother of Rama and is not killed; Patroklus is not the brother of Achilles and is killed. Further if Rama is to be compared to Achilles, who is to be impressed to do service for Menelaus? And if on account of his wife having been ravished, Rama is to be likened to Menelaus, whom on this theory, has the Ramayuana to show as the analogue of Achilles of him whose wrath was ‘to Greece the direful spring of woes unnumbered?’ You will find greater similarity between the main story and the principal characters of Shakespeare’s Othello and sir Walter Scott’s Kenilworth. Yet nobody ever dreamt of contending that Sir Walter Scott took his varney from Iago or his Amy from Desdemona. Professor Weber lays no stress on this.
આ લખવાનો તો કોઈ અંત નહીં આવે કારણ કે તેલંગજીનું આ આખું પુસ્તક આવા જ જવાબો અને તર્કોથી ભરપૂર છે. છેલ્લે પુસ્તકમાં તેઓ લખે છે કે આ અભ્યાસ માટે હોમરની કૃતિઓ વાંચ્યા પછી મારો તર્ક કહે છે કે ગ્રીક અને હિંદુઓ વચ્ચે હિંદુઓ લેવાવાળા નહીં પરંતુ આપનાર છે, તેમને લાગે છે કે ગ્રીક જાતિઓ પાસે પૂર્વની પ્રેરણા હશે. હોમરનું મૂળ કાવ્ય સમય સાથે બદલાયું હશે પણ એનું મૂળ તો રામાયણ જ હોવું જોઈએ.. હોમરે પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો હતો એને અવગણીને એમ કહી દેવું કે હોમર જ મૂળ રચયિતા હતો અને એ જ્યાં ગયો ત્યાંના લોકોએ તેના સર્જનની નકલ કરી એ કોઈ પણ સંસ્કૃતિને શોભે તેવું નથી.
તેલંગજીના પુસ્તકમાં શ્રવણના શ્રાપ વિશેની પણ ખૂબ વિગતે અને તથ્યપૂર્ણ વાત મૂકાઈ છે, તેમનું વાંચન કેટલું ઉંડુ હશે એની સાબિતી તેમણે મૂકેલા ભર્તુહરી અને કાલિદાસના સાહિત્યના અનેક રેફરન્સ અને એથી સાબિત કરેલ એમનો સમયગાળો, એ તારણ કે કાલીદાસ ભર્તુહરી પહેલા થયેલા, નીતીશતક, મૃચ્છકટિકમ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ, પશ્ચિમના અનેક વિદ્વાનોના તર્કો અને તારણો અને જાતક કથાઓ વગેરેનો ગહન અભ્યાસ દેખાઈ આવે છે, આ પુસ્તકનો અને વેબરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ, કે ઇવન હિન્દી અનુવાદ દેખાતો નથી, એ કરવો જોઈએ એમ મને લાગે છે જેથી એ વિશે પશ્ચિમના વિદ્વાનોએ ફેલાયેલી ભ્રમણાઓની જાળ તોડીને આપણે આપણા પોતાના ગ્રંથો વિશે સાચી માહિતી મેળવી શકીએ.
રામાયણ વિશે અનેક કથાઓ અને સંસ્કરણો ઉપલબ્ધ છે, તો શું આપણે એ કથાઓથી આહત થઈ જવું જોઈએ? અનેક દેશોમાં આ કથાઓ અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે, જાવાની રામ કલિંગ અને મલાયાની સેરીરામમાં સીતાજીને દશરથની પુત્રી દેખાડાયા છે, તિબેટ, ઇન્ડોનેશિયા, વગેરેમાં માતા સીતાને મંદોદરીની દીકરી પણ બતાવાયા છે. શું આ કથાઓને આપણે માતા સીતાના અપમાન સ્વરૂપે ગણવી જોઈએ? મને લાગે છે કે દશરથ જાતક સહિત સમગ્ર બૌદ્ધ સાહિત્ય અને આ કથા તો આપણી પોતાની પાસે ઉપલબ્ધ કથા છે, આપણી જ સંસ્કૃતિની દેણગી છે જેને આપણે જોઈ, પણ એ સિવાય અનેક દેશોમાં ભિન્ન સંસ્કૃતિઓમાં આપણી આ જ કથાઓ અનેક સ્વરૂપે સચવાઈ છે અને અંતે આપણી માન્યતાઓ ‘જ’ સાચી છે એમ માની અન્યોની વાતને ખોટી ગણવી એ ઉદ્દેશ ન જ હોવો જોઈએ, આપણે આ બધી જ કથાઓથી એક અનોખા પ્રકારની વિચારસરણી સાથે જોડાઈએ છીએ.
ધર્મનું મૂળ એક સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચનામાં છે, અને આ કથાઓ જ્યાં પણ છે ત્યાં બધે તેમનો પવિત્ર પ્રભાવ દેખાઈ આવે છે. ધર્મપ્રેમી વ્યક્તિએ પણ અન્યોના મત અને સંસ્કૃતિનો આદર કરવો જોઈએ એવું જ આપણને આપણી સંસ્કૃતિ શીખવે છે, એટલે એ બધી જ કથાઓનો સંપૂર્ણ આદર અને સ્વીકાર હોવો જોઈએ. પરંતુ વેબર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોના તર્કને આધારે આપણી કથાઓની તોડી મરોડીને પ્રસ્તુત કરેલી ભિન્ન આવૃત્તિઓ તર્કબદ્ધ રીતે જ ખોટી સાબિત કરવી જોઈએ અને શ્રી તેલંગ જેવા વિદ્વાનોએ એ કર્યું છે એનો અત્યંત આનંદ છે.
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
જીજ્ઞેશ અધ્યારું**
0 Comments