એક રાજા હતાં. એમનું નામ રાજા સુખ-ચેન હતું. તેમનાં નગરમાં સહુ સુખ-ચેનથી રહેતાં હતાં. એક દિવસ રાજા નગરમાં ફરવા નીકળ્યો. ફરતાં-ફરતાં નગરની બહાર પહોંચી ગયો. ત્યાં તેણે એક સાધુને જોયા. રાજાને શું સૂઝયું કે એમણે પેલા સાધુને કહ્યું, "હે સન્યાસી ! શું આપ મારા મહેલમાં પધારવાનું પસંદ કરશો ?" રાજાને એમ કે સાધુ વળી ક્યાં મહેલમાં આવશે ! પેલા સાધુએ તો એક ક્ષણના વિલંબ વિના આવવાની હા પાડી દીધી.
રાજા તો સાધુને લઈને મહેલમાં આવ્યો. રાજાએ પોતાનાં રૂમ જેવો જ રૂમ તેમને ઉતારા માટે આપ્યો. પોતાનાં જેટલાં સેવકો હતાં તે બધાને સાધુની સેવામાં મોકલી આપ્યા. સવારે નાસ્તામાં કાજુ-બદામ-મેવા, બપોર અને રાત્રે બત્રીસ ભાતના વ્યંજનોનો જમણવાર. સૂવા માટે મખમલી ગાદી-ગોદડા. ફરવા માટે હાથી-ઘોડા. જે સગવડો રાજા ભોગવતો એ તમામ સગવડો સાધુને મળવા લાગી. આમ ને આમ દસ દિવસ વીતી ગયાં. રાજાને એક વિચાર આવ્યો, "હું જે રાજ-ઠાઠ ભોગવું છું એવા જ રાજ-ઠાઠ આ સાધુ ભોગવે છે તો મને એ સમજાતું નથી કે એને સાધુ શી રીતે કહી શકાય ? મારામાં અને એનામાં શું ફેર રહ્યો ?" રાજા જેવા સેમ ટુ સેમ વિચાર અત્યારનાં ઘણાં લોકોને પણ આવે છે !!!
રાજાએ આ જ વાત સાધુને આવીને કરી, "સાધુજી, તમારું ને મારુ જીવન એકસરખું છે તો આ રાજા-સન્યાસીનો ભેદ કેમ ?" સાધુ એ રાજાને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે આવવા કહ્યું. બીજા દિવસે રાજા સમયસર સાધુ પાસે પહોંચી ગયો. સાધુ કહે, "ચાલો, મારી સાથે તમને જવાબ આપું." રાજા અને સાધુ ચાલવા લાગ્યા. સવારના સાત વાગી ગયા પણ સાધુ કઈ બોલતા નથી. રાજા અકળાયો.
રાજા કહે, "હવે તો જવાબ આપો." સાધુ કહે, "જવાબ તો ક્યારનો આપી ચૂક્યો છું. તું સમજ્યો નથી. તું અહીથી મહેલમાં પાછો જઈશ જ્યારે હું પાછો નહી આવું. મારામાં અને તારામાં તફાવત શોધતો હતો ને તો આ તફાવત છે કે હું છોડી શકું છું અને તું પકડી રાખે છે. મને શાંતિ જોઈએ છે અને તારે સુખ જોઈએ છે. મારુ લક્ષ્ય શાંતિ મેળવવાનું છે અને તારું લક્ષ્ય સુખ મેળવવાનું છે. શાંતિનું કોઈ સરનામું હોતું નથી. એ તો તમારી સમજણની ઊંચાઈ કેટલી છે તેની પર નિર્ભર કરે છે."
સાધુએ આગળ વાત કરી. એકવાર ભગવાને માણસ સિવાય તમામ પશુ-પંખીઓને મિટિંગ માટે બોલાવ્યા. સૌને બેઠકનો એજન્ડા જણાવ્યો. "મારી પાસે દુનિયાની સૌથી દુર્લભ ચીજ શાંતિ છે. મારે એને એવી જગ્યાએ સંતાડવી છે કે લાયકાતવાળા મનુષ્ય સિવાય એ કોઈને ન મળે."
પક્ષીઓનાં રાજા ગરૂડે કહ્યું," પ્રભુ, મને આજ્ઞા આપો તો હું એ શાંતિને આકાશમાં એટલે ઊંચે કોઈ ગ્રહ પર મૂકી આવું કે કોઈને ન મળે." ઈશ્વર કહે, "ના, માનવી ભવિષ્યમાં ત્યાં પણ પહોંચી જશે. કોઈ અધૂરી લાયકાત ધરાવતો મનુષ્ય ત્યાં પહોંચી જાય તો ? આઈડિયા કેન્સલ." આ રીતે માછલીએ સાગરના તળીયે અને સાપે પાતાળમાં શાંતિને છૂપાવવાની વાત કરી. પ્રભુને જાણ હતી કે આ તમામ જગ્યાઓએ માનવી પહોંચવાનો છે. એટલે બધાં ઠરાવોનો અસ્વીકાર કર્યો.
આખરે સૌથી સમજુ હાથીએ કહ્યું, "પ્રભુ, માનવી બધે જ પહોંચશે પણ પોતાનાં હદયમાં નહી પહોંચે. તે હંમેશા મગજને મહત્વ આપે છે. તેની જ વાત સાંભળે છે. માનવી ગ્રહો પર, પાતાળમાં, પાણીમાં બધે જશે પણ હદયમાં તો લાયક માણસ જ ડોકિયું કરશે. તો શાંતિને માણસના હદયમાં જ સંતાડો તે યોગ્ય રહેશે." પરમેશ્વરે ગજરાજની વાતને અનુમોદન આપ્યું. "રાજા, તારામાં અને મારામાં આ પણ એક ફરક છે કે મને શાંતિ મળી ગઈ છે અને તને એ મળવાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી." એમ કહી સાધુ ચાલતાં થયાં.
સદીઓ અગાઉ ઋષિ કપિલે કહ્યું હતું કે આ સંસારમાં કોઈ સુખી નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ મૃત્યુલોકમાં શાંતિની સ્થાપના થાય તે હેતુથી યુનાઈટેડ નેશનનો તારીખ 24 મી ઓક્ટોબર 1945 ના રોજ જન્મ થયો. આ ચાર્ટરમાં એ મતલબની વાત લખી છે કે શાંતિ વગર પ્રગતિ સંભવ નથી.
સૃષ્ટિના ઈતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે નિયમોના પાલનથી શાંતિ મળે છે. આપણે બહુ ખાંડ ખાતાં હોઈએ તો જાણી લઈએ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, સ્વયં આ પૃથ્વી સૌ ચોક્કસ નિયમોમાં રહીને ચાલે છે. એટલે જ અબજો વર્ષોથી ટકી રહ્યાં છે. જેણે નિયમો માનવાથી ઈનકાર કર્યો એ ટુકડાઓમાં વિભાજીત થઈ બ્રહ્માંડમા રઝડી રહ્યાં છે.
આપણે ઘણીવાર વ્યસનીઓ પાસેથી એવું સાંભળ્યુ જ હશે- મફતકાકા 65 વર્ષથી તમાકુ ખાય છે તોય તેમને કશું થયું ? અપવાદને નિયમ માની બેસનારા પોતે તો મરે છે આખા પરિવારને પણ મારતાં જાય છે. આદમજાત માટે ત્રણ પ્રકારનાં નિયમો બનાવવામાં આવ્યા છે. (1) શારિરીક નિયમો (2) સામાજિક નિયમો અને (3) પ્રાકૃતિક નિયમો.
ડોક્ટરો જેનાં નામે પ્રતિજ્ઞા લે છે એ હિપોક્રેટ્સ પોતાના મહાન પુસ્તક "હિસ્ટ્રી ઑફ મેડીસીન" માં લખે છે- જે પોતાનાં સ્વાસ્થ્ય માટે ટાઈમ કાઢતાં નથી તેમણે ડોક્ટર માટે સમય કાઢવો પડે છે. લાઈફમાં ટોટલ શાંતિ માટે શરીરને પરસેવા અને પાણીથી નવડાવો. શ્વાસને પ્રાણાયામથી, આત્માને તપથી, સ્મૃતિને મનન-ચિંતનથી નવડાવો. મનને સત્યથી, બુધ્ધિને જ્ઞાનથી, અહંકારને સેવાથી, ભોજનને બનાવતી અને જમતી વખતે સકારાત્મક વિચારોથી, અનુભૂતિને પ્રેમથી અને ધનને દાનથી નવડાવવા જોઈએ.
વાત જ્યારે નિયમોના પાલનની હોય ત્યારે ભાવનાઓ કામ લાગતી નથી. દરેક પ્રકારની શાંતિ પર તેની કિંમતની ટેગ લાગેલી હોય છે. એ કિંમત ચૂકવ્યા સિવાય એ મળે નહી. રોલેક્સ ઘડીયાળના શો રૂમ પર જાઓ. ત્યાં જઈને ગોલ્ડ પ્લેટેડ સાડા છ લાખની વોચ પસંદ કરો. પછી ખિસ્સામાથી રોકડા પાંચ રૂપિયા કાઢી મેનેજરને આપી કહો - આ ઘડિયાળ મને આપી દો. તમે પૈસા સામું ન જોશે. મારી ભાવના જુઓ. તો શું મેનેજર તમને એ મહામૂલી વોચ આપી દેશે ???
I want peace... મને શાંતિ જોઈએ છે. તો અંગ્રેજી વાક્યમાંથી I=હું,અહમ કાઢી નાંખો અને want=કોઈપણ વસ્તુ મેળવવાની ઘેલછા કાઢી નાંખો, શાંતિ આપોઆપ મળી જશે.
જે.કે.સાંઈ
રાજા તો સાધુને લઈને મહેલમાં આવ્યો. રાજાએ પોતાનાં રૂમ જેવો જ રૂમ તેમને ઉતારા માટે આપ્યો. પોતાનાં જેટલાં સેવકો હતાં તે બધાને સાધુની સેવામાં મોકલી આપ્યા. સવારે નાસ્તામાં કાજુ-બદામ-મેવા, બપોર અને રાત્રે બત્રીસ ભાતના વ્યંજનોનો જમણવાર. સૂવા માટે મખમલી ગાદી-ગોદડા. ફરવા માટે હાથી-ઘોડા. જે સગવડો રાજા ભોગવતો એ તમામ સગવડો સાધુને મળવા લાગી. આમ ને આમ દસ દિવસ વીતી ગયાં. રાજાને એક વિચાર આવ્યો, "હું જે રાજ-ઠાઠ ભોગવું છું એવા જ રાજ-ઠાઠ આ સાધુ ભોગવે છે તો મને એ સમજાતું નથી કે એને સાધુ શી રીતે કહી શકાય ? મારામાં અને એનામાં શું ફેર રહ્યો ?" રાજા જેવા સેમ ટુ સેમ વિચાર અત્યારનાં ઘણાં લોકોને પણ આવે છે !!!
રાજાએ આ જ વાત સાધુને આવીને કરી, "સાધુજી, તમારું ને મારુ જીવન એકસરખું છે તો આ રાજા-સન્યાસીનો ભેદ કેમ ?" સાધુ એ રાજાને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે આવવા કહ્યું. બીજા દિવસે રાજા સમયસર સાધુ પાસે પહોંચી ગયો. સાધુ કહે, "ચાલો, મારી સાથે તમને જવાબ આપું." રાજા અને સાધુ ચાલવા લાગ્યા. સવારના સાત વાગી ગયા પણ સાધુ કઈ બોલતા નથી. રાજા અકળાયો.
રાજા કહે, "હવે તો જવાબ આપો." સાધુ કહે, "જવાબ તો ક્યારનો આપી ચૂક્યો છું. તું સમજ્યો નથી. તું અહીથી મહેલમાં પાછો જઈશ જ્યારે હું પાછો નહી આવું. મારામાં અને તારામાં તફાવત શોધતો હતો ને તો આ તફાવત છે કે હું છોડી શકું છું અને તું પકડી રાખે છે. મને શાંતિ જોઈએ છે અને તારે સુખ જોઈએ છે. મારુ લક્ષ્ય શાંતિ મેળવવાનું છે અને તારું લક્ષ્ય સુખ મેળવવાનું છે. શાંતિનું કોઈ સરનામું હોતું નથી. એ તો તમારી સમજણની ઊંચાઈ કેટલી છે તેની પર નિર્ભર કરે છે."
સાધુએ આગળ વાત કરી. એકવાર ભગવાને માણસ સિવાય તમામ પશુ-પંખીઓને મિટિંગ માટે બોલાવ્યા. સૌને બેઠકનો એજન્ડા જણાવ્યો. "મારી પાસે દુનિયાની સૌથી દુર્લભ ચીજ શાંતિ છે. મારે એને એવી જગ્યાએ સંતાડવી છે કે લાયકાતવાળા મનુષ્ય સિવાય એ કોઈને ન મળે."
પક્ષીઓનાં રાજા ગરૂડે કહ્યું," પ્રભુ, મને આજ્ઞા આપો તો હું એ શાંતિને આકાશમાં એટલે ઊંચે કોઈ ગ્રહ પર મૂકી આવું કે કોઈને ન મળે." ઈશ્વર કહે, "ના, માનવી ભવિષ્યમાં ત્યાં પણ પહોંચી જશે. કોઈ અધૂરી લાયકાત ધરાવતો મનુષ્ય ત્યાં પહોંચી જાય તો ? આઈડિયા કેન્સલ." આ રીતે માછલીએ સાગરના તળીયે અને સાપે પાતાળમાં શાંતિને છૂપાવવાની વાત કરી. પ્રભુને જાણ હતી કે આ તમામ જગ્યાઓએ માનવી પહોંચવાનો છે. એટલે બધાં ઠરાવોનો અસ્વીકાર કર્યો.
આખરે સૌથી સમજુ હાથીએ કહ્યું, "પ્રભુ, માનવી બધે જ પહોંચશે પણ પોતાનાં હદયમાં નહી પહોંચે. તે હંમેશા મગજને મહત્વ આપે છે. તેની જ વાત સાંભળે છે. માનવી ગ્રહો પર, પાતાળમાં, પાણીમાં બધે જશે પણ હદયમાં તો લાયક માણસ જ ડોકિયું કરશે. તો શાંતિને માણસના હદયમાં જ સંતાડો તે યોગ્ય રહેશે." પરમેશ્વરે ગજરાજની વાતને અનુમોદન આપ્યું. "રાજા, તારામાં અને મારામાં આ પણ એક ફરક છે કે મને શાંતિ મળી ગઈ છે અને તને એ મળવાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી." એમ કહી સાધુ ચાલતાં થયાં.
સદીઓ અગાઉ ઋષિ કપિલે કહ્યું હતું કે આ સંસારમાં કોઈ સુખી નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ મૃત્યુલોકમાં શાંતિની સ્થાપના થાય તે હેતુથી યુનાઈટેડ નેશનનો તારીખ 24 મી ઓક્ટોબર 1945 ના રોજ જન્મ થયો. આ ચાર્ટરમાં એ મતલબની વાત લખી છે કે શાંતિ વગર પ્રગતિ સંભવ નથી.
સૃષ્ટિના ઈતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે નિયમોના પાલનથી શાંતિ મળે છે. આપણે બહુ ખાંડ ખાતાં હોઈએ તો જાણી લઈએ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, સ્વયં આ પૃથ્વી સૌ ચોક્કસ નિયમોમાં રહીને ચાલે છે. એટલે જ અબજો વર્ષોથી ટકી રહ્યાં છે. જેણે નિયમો માનવાથી ઈનકાર કર્યો એ ટુકડાઓમાં વિભાજીત થઈ બ્રહ્માંડમા રઝડી રહ્યાં છે.
આપણે ઘણીવાર વ્યસનીઓ પાસેથી એવું સાંભળ્યુ જ હશે- મફતકાકા 65 વર્ષથી તમાકુ ખાય છે તોય તેમને કશું થયું ? અપવાદને નિયમ માની બેસનારા પોતે તો મરે છે આખા પરિવારને પણ મારતાં જાય છે. આદમજાત માટે ત્રણ પ્રકારનાં નિયમો બનાવવામાં આવ્યા છે. (1) શારિરીક નિયમો (2) સામાજિક નિયમો અને (3) પ્રાકૃતિક નિયમો.
ડોક્ટરો જેનાં નામે પ્રતિજ્ઞા લે છે એ હિપોક્રેટ્સ પોતાના મહાન પુસ્તક "હિસ્ટ્રી ઑફ મેડીસીન" માં લખે છે- જે પોતાનાં સ્વાસ્થ્ય માટે ટાઈમ કાઢતાં નથી તેમણે ડોક્ટર માટે સમય કાઢવો પડે છે. લાઈફમાં ટોટલ શાંતિ માટે શરીરને પરસેવા અને પાણીથી નવડાવો. શ્વાસને પ્રાણાયામથી, આત્માને તપથી, સ્મૃતિને મનન-ચિંતનથી નવડાવો. મનને સત્યથી, બુધ્ધિને જ્ઞાનથી, અહંકારને સેવાથી, ભોજનને બનાવતી અને જમતી વખતે સકારાત્મક વિચારોથી, અનુભૂતિને પ્રેમથી અને ધનને દાનથી નવડાવવા જોઈએ.
વાત જ્યારે નિયમોના પાલનની હોય ત્યારે ભાવનાઓ કામ લાગતી નથી. દરેક પ્રકારની શાંતિ પર તેની કિંમતની ટેગ લાગેલી હોય છે. એ કિંમત ચૂકવ્યા સિવાય એ મળે નહી. રોલેક્સ ઘડીયાળના શો રૂમ પર જાઓ. ત્યાં જઈને ગોલ્ડ પ્લેટેડ સાડા છ લાખની વોચ પસંદ કરો. પછી ખિસ્સામાથી રોકડા પાંચ રૂપિયા કાઢી મેનેજરને આપી કહો - આ ઘડિયાળ મને આપી દો. તમે પૈસા સામું ન જોશે. મારી ભાવના જુઓ. તો શું મેનેજર તમને એ મહામૂલી વોચ આપી દેશે ???
I want peace... મને શાંતિ જોઈએ છે. તો અંગ્રેજી વાક્યમાંથી I=હું,અહમ કાઢી નાંખો અને want=કોઈપણ વસ્તુ મેળવવાની ઘેલછા કાઢી નાંખો, શાંતિ આપોઆપ મળી જશે.
જે.કે.સાંઈ