Thursday, June 12, 2025

नैनीताल

 3 दिन में नैनीताल घूमें फ्री या मिनिमम खर्च में! 

सोलो ट्रैवलर के लिए अल्टीमेट गाइड 🔥


अगर बजट कम है और घूमने का दिल बड़ा तो नैनीताल में ऐसी कई जगहें हैं जहाँ आप पैदल या लोकल ट्रैवल से घूम सकते हैं बिना जेब ढीली किए।


👇पूरा प्लान पढ़ो!


Day 1 – नैनीताल टाउन वॉक (सिर्फ पैदल)


📍 Naini Lake – झील के चारों ओर 2.5–3 km वॉक


📍 Naina Devi Temple – झील के किनारे ही


📍 Tibetan Market – मंदिर से सटा हुआ


📍 Mall Road – 1.5 km का सुंदर वॉक


📍 Thandi Sadak – झील के दूसरी तरफ, शांत और हरियाली भरा रास्ता


सभी लोकेशन एक-दूसरे से सिर्फ 5–10 मिनट की दूरी पर हैं।


Day 2 – ऊंचाई और व्यू पॉइंट्स


🚡 Snow View Point – केबल कार से (₹250-300 राउंड ट्रिप) या 3 km ट्रैक


Tiffin Top (Dorothy’s Seat) – 4 km ट्रैक (2–2.5 घंटे)


Lovers Point + Suicide Point – रास्ते में ही


Land’s End – 2 km आगे ट्रैक-

पूरा दिन ट्रैकिंग और नज़ारों से भरा होगा।


Day 3 – पास की झीलें (बस या शेयर टैक्सी से)


Bhimtal – 22 km (₹40–₹50 लोकल टैक्सी


Naukuchiatal – 26 km (Bhimtal से 4 km और)


Sattal – 23 km (Bhimtal से थोड़ा हटकर)


ये तीनों झीलें एक दिन में कवर हो सकती हैं बस सुबह जल्दी निकलो।


कुल खर्च (3 दिन का अनुमान)


लोकल ट्रैवल: ₹250–₹350


खाने-पीने: ₹700–₹800


रहने का खर्च: 

₹300–₹500 यानी करीब 1500-1700रु 3 दिन के।

(डॉरम/लोकल लॉज/डोरमेट्री) मॉल रोड से थोड़ा दूर लेने पर बजट में


कुल बजट 3 दिन का खुलकर माने तो 3000-3500 



Sunday, June 8, 2025

DigiPIN

પિન કોડને અલવિદા, ટપાલ વિભાગે DigiPIN રજૂ કર્યું, તમારું ડિજિટલ સરનામું કેવી રીતે શોધવું?

ટપાલ સરનામાંનું આકર્ષણ રહેલા પિન કોડનો યુગ પૂરો થઈ ગયો છે, અને ભારતીય ટપાલ વિભાગે તેના વિકલ્પ તરીકે 'DigiPIN' નામનું ડિજિટલ સરનામું રજૂ કર્યું છે. DIGIPIN હવેથી દેશમાં નવી સરનામાં સિસ્ટમ હશે. પરંપરાગત પિન કોડ વિશાળ વિસ્તારને આવરી લે છે, જ્યારે 10-અંકની DigiPIN સિસ્ટમ તમારા ઘર અથવા વ્યવસાયનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. ચાલો જાણીએ કે PIN કોડ અને DigiPIN વચ્ચે શું તફાવત છે.

ભારતીય ટપાલ વિભાગે ચોક્કસ સ્થાન સમજવા માટે DIGIPIN સિસ્ટમ રજૂ કરી છે. DigiPIN માં 10-અંકનો ડિજિટલ કોડ છે. પરંપરાગત પિન કોડને બદલે, જે વિશાળ વિસ્તારને આવરી લે છે, DigiPIN ચોક્કસ સ્થાન માહિતી પ્રદાન કરશે. એટલે કે, તમારા ઘર અથવા વ્યવસાયનું ચોક્કસ સ્થાન આ DigiPIN દ્વારા શોધી શકાય છે. તમે DigiPIN બનાવવા માટે નિયુક્ત સરકારી વેબસાઇટની મુલાકાત લઈને અને કોડ શોધીને તમારું ઘર શોધી શકો છો.  DigiPIN નો ફાયદો એ છે કે તે યોગ્ય જગ્યાએ પત્રવ્યવહાર પહોંચાડશે અને એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ જેવી કટોકટી સેવાઓને સ્થાન સમજીને સચોટ રીતે ત્યાં પહોંચવામાં મદદ કરશે. એવી આશા છે કે DigiPIN ગ્રામીણ વિસ્તારો સહિત દૂરના વિસ્તારોમાં ફાયદાકારક રહેશે.

એવો દાવો કરવામાં આવે છે કે DigiPIN ફક્ત પત્રવ્યવહાર માટે જ નહીં, પરંતુ ઈ-કોમર્સ વેબસાઇટ્સ માટે પણ યોગ્ય સ્થાને પાર્સલ પહોંચાડી શકશે.

તમારો Digipin કેવી રીતે શોધવો?

સરકારી વેબસાઇટ 

indiapost.gov.in

તમારા Digipin શોધવા માટે તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટની મુલાકાત લઈને અને તમને મળેલા સ્થાન પર ક્લિક કરીને, તમે તમારા 10-અંકના Digipin શોધી શકો છો. Digipin ને અન્ય સરનામાં સિસ્ટમોથી અલગ બનાવતી બાબત એ છે કે તમે ચાર મીટરની ત્રિજ્યામાં તમારું ચોક્કસ સ્થાન જાણી શકો છો. ઇન્ડિયા પોસ્ટે IIT હૈદરાબાદ, NRSC અને ISRO સાથે મળીને Digipin નામની જીઓકોડેડ ડિજિટલ સરનામાં સિસ્ટમ વિકસાવી છે. Digipin નો ઉપયોગ ઑફલાઇન પણ કરી શકાય છે.




Saturday, June 7, 2025

ચિનાબ ‌બ્રિજ : એક ઇજનેરી અજાયબી

કાશ્‍મીરમાં ‌ચિનાબ નદી પર બનેલા જગતના સૌથી ઊંચા રેલવે પુલ ‌વિશે ‌‘‌જિપ્સી’માં આપેલો લેખ અહીં સમયો‌ચિત અપડેટ સાથે વાંચો....

જમ્‍મુનો રિયાસી તાલુકો હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે. ઓછામાં ઓછા પ,૦૦૦ ફીટ અને મહત્તમ ૧૪,૦૦૦ ફીટ ઊંચા પહાડોના ઢોળાવો પર તેમજ ખીણોની ગોદમાં અનેક ગામો વસેલાં છે. આ પૈકી બક્કાલ અને કૌરી વચ્‍ચેની ઊંડી ખીણમાં વહેતી ચિનાબ નદી પર છેલ્‍લાં કેટલાંક વર્ષથી વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બની રહ્યો છે. પોલાદનો એ સેતુ arch/ આર્ચ પ્રકારનો એટલે કે કમાનાકાર છે. નદીના સામસામા કિનારેથી એકસાથે બે નોખી કમાનોનું બાંધકામ ઘણા વખતથી ચાલતું હતું. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ઇજનેરોએ બન્‍ને કમાનો વચ્‍ચે હસ્‍તમેળાપ કરાવી બહુ મોટું સીમાચિહ્ન પાર કર્યું.

ચિનાબ બ્રિજ તરીકે ઓળખાતો પુલ કઠિન ઇજનેરી પડકાર હતો. બ્રિજ પૂર્ણતઃ બની રહ્યા પછી તેની ગણના ઇજનેરી અજાયબી તરીકે થઈ છે. અલબત્ત, ઇજનેરી ઉપરાંત તેનું વ્‍યવહારિક મહત્ત્વ પણ છે. કારણ કે ચિનાબ બ્રિજ થકી પહેલી વાર જમ્‍મુ અને કાશ્‍મીર ખીણપ્રદેશ રેલવે લાઇન થકી એકબીજા જોડે સાંકળાયા છે. એક જ રાજ્યના (હવે કેંદ્રશાસિત પ્રદેશના) બે જુદા ભૌગોલિક છેડા વચ્‍ચે ઇતિહાસમાં પહેલી વાર રેલલિંક સ્‍થપાઈ છે. આજે જાણીને નવાઈ લાગે કે જમ્‍મુ-શ્રીનગરને લોઢાના પાટે સાંકળી લેવાનો માટેનો પ્રસ્‍તાવ છેક ૧૯૦પમાં મુકાયો હતો—અને છતાં પૂરાં ૧૨૦ વર્ષે હસ્‍તમેળાપનું મુહૂર્ત નીકળ્યું છે!

એપ્રિલ ૧૭, ૧૮પ૩ના રોજ મુંબઈના બોરીબંદર અને થાણે વચ્‍ચે પહેલી ટ્રેન દોડી એ સાથે હિંદુસ્‍તાનમાં રેલયુગનાં મંડાણ થયાં. પચાસેક વર્ષના સમયગાળામાં તો હિંદુસ્‍તાનનાં ઘણાં મુખ્‍ય શહેરો રેલવે થકી સંકળાઈ ચૂક્યાં હતાં. કાશ્‍મીર રજવાડાને રેલવેનો લાભ ૧૮૯૭માં મળ્યો. જમ્‍મુ અને  સિઆલકોટ (વર્તમાન પાકિસ્‍તાન) વચ્‍ચે તે વર્ષે નિયમિત રેલવે સેવા શરૂ થઈ. આઠેક વર્ષ પછી બ્રિટિશહિંદની સરકારે શ્રીનગરને રાવલપિંડી (વર્તમાન પાકિસ્‍તાન) તથા જમ્‍મુ સાથે રેલમાર્ગે જોડવાની કાશ્‍મીરના મહારાજા પ્રતાપ સિંહ  સમક્ષ રજૂઆત કરી. મહારાજાએ મંજૂરી પણ આપી, પરંતુ પ્રોજેક્ટની રૂપરેખા કાગળ પર જ રહી ગઈ. આઝાદી સુધી તો ઠીક, સ્‍વતંત્રતા મળ્યા બાદ પણ કાશ્‍મીર ખીણ ટ્રેનસેવાથી વંચિત રહી. દરમ્‍યાન જમ્‍મુ નગર પઠાણકોટ અને જાલંધર જેવાં શહેરો મારફત રેલવેના પાટે બાકીના ભારતથી જોડાયું.

વર્ષો વીત્‍યાં. જમ્‍મુ-શ્રીનગર રેલલિંકના ૧૯૦પમાં રજૂ કરાયેલા અને પછી ભૂલી જવાયેલા સૂચિત પ્રોજેક્ટને ૧૯૯૪માં ફરી યાદ કરાયો. ભારતીય રેલવેએ તે માટે બજેટ ફાળવ્યું, પરંતુ પાટા બિછાવવાનું કામકાજ હોતા હૈ, ચલતા હૈ ધોરણે આગળ વધ્યું. કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં ઇચ્‍છાશક્તિ નિર્ણાયક પરિબળ હોય છે. અહીં તેનો તીવ્ર દુકાળ હતો. ગોકળગાયને પણ ઉસૈન બોલ્‍ટ કહેવડાવે એ ગતિએ ચાલતા કાર્યમાં થોડીઘણી ઝડપ આવી હોય તો ૨૦૦૨ પછી કે જ્યારે કેંદ્ર સરકારે જમ્‍મુ-શ્રીનગર રેલવે લાઇનને રાષ્‍ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરી ૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવી આપ્યું.

નાણાંકોથળી ખૂલ્‍યાના ત્રણેક વર્ષ પછી જમ્‍મુ-ઉધમપુર રેલસેવા શરૂ થઈ. ફક્ત પ૩ કિલોમીટર લાંબા પાટા બિછાવવામાં ૨૧ વર્ષ લાગ્યાં! આટલો બધો વિલંબ થવાનું બીજું લોજિકલ કારણ દુર્ગમ પહાડી ક્ષેત્ર હતું. હિમાલયના પર્વતોમાં બારૂદી ધડાકા કરીને કુલ ૨૨ બોગદાં કોતરવા પડ્યાં, જેમાંનું એક તો અઢી કિલોમીટર લાંબું હતું. ત્રેપન કિલોમીટરના રૂટ પર ઊભા કરાયેલા પુલોની સંખ્‍યા ૧પ૮ કરતાં ઓછી નહોતી.

આ તરફ જમ્‍મુની ઉત્તરે ઉધમપુર સુધી અને ત્‍યાર પછી ઉધમપુરથી વધુ ઉત્તરે વૈષ્ણોદેવી ધામના કતરા સુધી રેલવેના પાટાની બિછાત થઈ. પેલી તરફ શ્રીનગર તથા તેની દક્ષિણે બનિહાલ લગી ટ્રેક નખાયો. જમ્‍મુ-શ્રીનગર રૂટ પર હવે કોઈ કામ બાકી રહ્યું તો કતરાને બનિહાલ જોડે સાંકળવાનું—અને ત્‍યાં એક કહેતાં અનેક ભૌગોલિક અડચણો હતી. હિમાલયના પર્વતોનો ખીચોખીચ પથારો હતો, જેમાં રેલમાર્ગ ચાતરવા માટે બધું મળીને ૬૩ કિલોમીટર લાંબી ટનલો તથા કુલ સાડા સાત ‌‌કિલોમીટર લાંબા પુલો બનાવવા પડે તેમ હતા. સૌથી મોટી સમસ્‍યા તો જમ્‍મુના રિયાસી જિલ્‍લાના બક્કાલ અને કૌરી ગામો વચ્‍ચેની ઊંડી કોતરમાંથી વહેતી ચિનાબ નદીને ઠેકી જવાની હતી. કોતરની ઊંડાઈ લગભગ બારસો ફીટ અને પહોળાઈ પંદરસો ફીટ હોવાનું જોતાં પુલનું નિર્માણ સખત ચેલેન્‍જિંગ સાબિત થવાનું હતું.

ચિનાબના સામસામા કાંઠાનું ભૂસ્‍તરીય બંધારણ તપાસ્‍યા પછી ઇજનેરોએ arch/ આર્ચ પ્રકારનો બ્રિજ બનાવવાનું ઠરવ્‍યું. આર્ચ યાને કમાન, જે ઉપર તરફ વળેલી હોવાને લીધે તેના પર ટ્રેનનું વજન આવે ત્યારે તે પોતાના ડાબા-જમણા છેડા તરફ તેને ટ્રાન્સ્ફર કરે છે. કેટલુંક વજન આર્ચને આધાર આપતા મજબૂત સ્‍તંભોને પણ વરતાય, જેમની કસોકસ બાંધણી પુલને મજબૂતી પ્રદાન કરે છે.

અલબત્ત, ઇજનેરી પ્‍લાનમાં જ ડખો હોય તો તેના પરથી બનેલો આર્ચ બ્રિજ ફસક્યા વિના રહે નહિ. કમાન વધુ પડતી લાંબી હોય કે પછી તેને ટેકો દેનારા સ્‍તંભો જોઈએ તેટલા મજબૂત ન હોય ત્‍યારે પુલની સુરક્ષા જોખમાય છે. ભારેખમ ટ્રેનનું વજન કમાનના બન્‍ને છેડા તરફ ટ્રાન્‍સફર થતું સ્‍તંભોને કડાકાભેર તોડી નાખે. માનો કે સ્‍તંભ પોતે અડીખમ છે, પણ કમાનમાં કચાશ રહી ગઈ, તો એવે વખતે ડાબા-જમણા સ્‍તંભોનું વળતું દબાણ કમાનને વચલા ભાગે કડાકાભેર બટકાવી નાખે. આ બધા અને આવા તો બીજા અનેક તકાદા ધ્‍યાનમાં રાખી ઇજનેરોએ કમાનની અને સ્‍તંભોની વરસોવરસ ટકે તેવી ઠસોઠસ મજબૂતીવાળી ડિઝાઇન તૈયાર કરી દીધી.

કેટલાંક વર્ષ પછી ચિનાબ નદીના બેય કાંઠે પર્વતીય ઢોળાવ ઉપર ૪૨૬ ફીટ અને ૩૨૮ ફીટ ઊંચા બે સ્‍તંભો ઊભા કરી દેવાયા. આગામી તબક્કો ધાતુની મજબૂત કમાન રચવાનો હતો—અને તે સૌથી કઠણ કાર્ય હતું.  ચિનાબ નદીએ રચેલી ૧,૨૦૦ ફીટ ઊંડી અને ૧,પ૦૦ ફીટ પહોળી કોતરથી ઉત્તુંગ ઊંચાઈએ કશા આધાર વિના હવામાં લટકતી કમાન રચતી વખતે એક જોખમ સૂસવતા પવનનું હતું. આ પહાડી વિસ્‍તારમાં ઘણી વાર કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. આટલી તીવ્ર થપાટો લોખંડના કાચા માળખાને હલબલાવી નાખે અને હાડમાંસના માણસને તો ક્યાંય ફંગોળી દે. આથી ઇજનેરોએ તથા શ્રમિકોએ સાવધાની વર્તવી પડે.

બીજું, મેદાની પ્રદેશોમાં પુલો માટે જે સ્‍ટીલ વપરાય તે અહીંના વિષમ વાતાવરણમાં ન ચાલે. શિયાળામાં બક્કાલ અને કૌરી ગામોનું તાપમાન શૂન્‍ય નીચે પંદર અંશે સરી જાય ત્‍યારે કઠોર ઠંડીમાં સામાન્‍ય પોલાદની મજબૂતીનો ગુણધર્મ જોખમાય. આથી ચિનાબ બ્રિજ માટે ખાસ પ્રકારનું સ્‍ટીલ બનાવવું પડે. ઇજનેરોએ તે માટે ઇન્‍ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ, રૂરકી તથા ઇન્‍ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્‍સિસ, બેંગલુરુના ધાતુનિષ્‍ણાતોને રોક્યા. આઇસ કોલ્‍ડ વાતાવરણમાં પણ મજબૂતીનો ગુણધર્મ જાળવી રાખે તે પ્રકારનું ઉચ્‍ચ ગુણવત્તાનું સ્‍ટીલ તૈયાર કરાયું અને તેના વડે ૬૩ મિલિમીટર જાડાઈ ધરાવતા સેક્શન્સ (ટુકડા) ઘડવામાં આવ્યા. સ્‍ટીલની મજબૂતી કેટલી તેનો ખ્‍યાલ એ વાતે મળે કે ભવિષ્‍યમાં ધારો કે કોઈ આતંકવાદી ડાઇનામાઇટ વડે પુલની કમાનમાં ધડાકો કરે તો પણ ધાતુના સેક્શન્સને નુકસાન પહોંચવાની સંભાવના નહિવત્ જેવી છે. ધાતુની કમાન જેના ટેકે ઊભી કરાઈ છે તે સ્‍તંભોનું કોંક્રિટ પણ પ્રચંડ બારૂદી વિસ્‍ફોટની માર ખમી લે એટલું કાઠું છે.

કુલ મળી ૨પ,૦૦૦ ટન સ્‍ટીલમાંથી બનેલી હજારો પેનલોને પરસ્‍પર જોડવા માટે ૬,૦૦,૦૦૦ જેટલા નટ-બોલ્‍ટ તથા રીવેટો વપરાયા છે. વેલ્‍ડિંગના અસંખ્‍ય ટાંકા પણ લેવાયા છે. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ચિનાબ બ્રિજની કમાન પૂર્ણતઃ રચાઈ ત્‍યારે સપાટીથી તેનું લેવલ લગભગ ૧,૨૦૦ ફીટે હતું. (એક સરખામણી : ફ્રાન્‍સનો એફિલ ટાવર ૧,૦૬૩ ફીટ ઊંચો છે.) વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઊંચાઈએ રેલવે સેતુનું નિર્માણ કરાયું નથી. ભારતના ચિનાબ બ્રિજે એ બાબતે વર્લ્ડ-રેકોર્ડ પ્રસ્‍થાપિત કર્યો છે. 

સાભાર:-

લેખન : હર્ષલ પુષ્‍કર્ણા (જિપ્સી મેગેઝિન)




Wednesday, June 4, 2025

માલસર નર્મદા કાંઠે

નર્મદા મૈયાના પવિત્ર કિનારે પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા-ડભોઇ-શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.

અહીં પ.પૂ. ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાજેઁ બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.

કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી-પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એક વાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા-જમવાની વ્યવસ્થા છે. પ.પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે.

દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ.

આ આશ્રમની વહીવટી વ્યવસ્થા શ્રી પ્રકાશભાઈ ઓઝા કરે છે તેઓના મોબાઈલ નંબર::93165 93616 છે.

તેઓને અગાઉથી ફોન દ્વારા વાત કરીને,સંસ્થાના બેંક ઓફ બરોડા, સીનોરના સેવિંગ એકાઉન્ટ નંબર:: 33460100009062 ઉપર અગાઉથી પૂરેપૂરી રકમ જમા કરવાની રહેશે. 

આ સંસ્થાની મેન્ટેનન્સ વ્યવસ્થા શ્રી દિનેશભાઈ જાની સંભાળે છે તેઓના મોબાઇલ નંબર::99780 67344 છે તે જાણ માટે. 

રૂમ રિઝર્વ રાખવા અંગે શ્રી પ્રકાશભાઈ ઓઝાનો સંપર્ક કરવો.💐

મેનેજર વિષ્ણુભાઈ નો નં : +919327796904


પુજ્ય ડોંગરેજી મહારાજ પુણ્ય તિથિ પર શત શત નમન

નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ માલસર, અહીં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે.

સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર પાંચેક કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. પુરાણ પ્રસિદ્ધ સ્થાન ન હોવા છતાં ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહ ત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું. એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. ચરૈવેતિનો સ્વભાવ ધરાવતા પૂ. બાપજીને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો, પ્રતિ વર્ષ અહીં એકાદ વાર કથા ન કરે ત્યાં સુધી ચેન ન પડે.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

પરમાત્મા શ્રી કૃ્ષ્ણ સાથે સાક્ષાત સંવાદ કરનાર રામચંદ્ર ડોંગરેજીની પ્રત્યેક કથામાં અનેરો આનંદ આવતો, પરંતુ અહીંના વ્યાસાસનની તો વાત જ કાંઈક ઓર હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતુ, જ્યાં તેઓ કૃષ્ણકથા કરતા. પટાંગણમાં ભારે ભીડ જામતી, કરોડો શ્રોતાઓની આસ્થાનું કેન્દ્ર એવા બાપજી કથા કરે ત્યારે પવિત્ર શ્રાવણ કે અધિક માસમાં જાણે શુકદેવજી મહારાજ સ્વમુખે ભાગવત નારાયણનું ગાન કરી રહ્યા હોવાનો અનુભવ થતો.

    માલસરમાં બાપજી એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા, ઓરડીમાં આજે પણ કણ કણમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે. જ્યાં અનેક અનુષ્ઠાનો થયા છે એ ઓરડીમાં મન સ્વાભાવિક કૃષ્ણભક્તિમાં લીન થઈ જાય છે. બાપજી જે ભાગવતજી પોથીની પૂજા કરતા તે, તેમનો લાલો, એટલે કે બાલકૃષ્ણની ધાતુની મુર્તિ, તેમની ત્રિકાળ સંધ્યાવંદનના સાધનો, આચમનિ-તરભાણા સહિત ટોર્ચ અને તેમની રૂદ્દાક્ષની માળાઓ વિદ્યમાન છે.

બરાબર ઓરડીની નીચે બાબજીનું મંદિર છે. સેવા-પૂજા અને પ્રભાતફેરી નિત્યક્રમ મુજબ થતી રહે છે. શ્રદ્ધા અને વિશ્વાસના તાંતણે બંધાએલા ભક્તો વારે તહેવારે અહીં દર્શનાર્થે આવે છે. અને નર્મદાના નીરમાં સ્નાન કરી વૈતરણી તર્યાનો અનુભવ કરે છે.

Sunday, June 1, 2025

Free Ashram in India

भारत के एक से बड़कर एक 10 बेहतरीन आश्रम, जहां खाने और रहने के नही लगते पैसे, ठहरने की है बिल्कुल फ्री सुविधा !

आश्रम जिनमे रह सकते है बिल्कुल फ्री।


1. ऋषिकेश का गीता भवन 

https://gitabhawan.org

2. स्वामी दयानंद सरस्वती आश्रम, ऋषिकेश, उत्तराखंड

https://dayananda.org/contact-ashram/

3.अनामय आश्रम, कौसानी ,हिमालय, उत्तराखंड

https://anamayashram.org/volunteer/ 

4.गायत्री तीर्थ शांतिकुंज, हरिद्वार, उत्तराखंड

https://www.awgp.org

5. मणिकरण साहिब गुरुद्वारा 

http://shrimanikaransahib.com/

6. तमिलनाडु का श्री रामनाश्रमम 

https://www.sriramanamaharshi.org/contact-us

7. केरल का आनंदाश्रम 

https://anandashram.org/

8.Bhagirathi Dham Ashram

श्री भागीरथी धाम आश्रम, ऋषिकेश

9. ईशा फाउंडेशन, कोयंबटूर, Tamil Nadu

https://isha.sadhguru.org 

10. श्री राम सेवा आश्रम, वृंदावन, उत्तर प्रदेश

11. श्री श्याम मित्र मंडल, धर्मशाला, खाटू श्याम, राजस्थान 

https://youtu.be/nAa7jh1DN78

Friday, May 30, 2025

Cheapest Dharamshala in Somnath

Cheapest Dharamshala in Somnath - Veraval - Somnath Trust  |  Lodge, Guest House, Hotel & Homestay


आज मैं आपको सोमनाथ की सबसे सस्ती और सबसे अच्छी 10 धर्मशाला के बारे में बताउंगी ।


याद रहें पिक सीजन अर्थात त्योहार, जैसे शिवरात्रि, सावन के महीने में सोमनाथ के सभी धर्मशालाओं में रूम आसानी से नहीं मिलते । इसीलिए इनके रेट ऊपर नीचे हो सकते हैं। 


--------------------------------------------------------------------

1. प्रजापती धर्मशाला ।


ये धर्मशाला सोमनाथ मंदिर से 1.2 किलोमीटर दूर, त्रिवेणी रोड पर श्रीराम मंदिर के पास हैं ।


पता : त्रिवेणी रोड, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link


फोन नंबर : 9824103447

--------------------------------------------------------------------


2. तन्ना अतिथि भवन कैम्पस ।


ये धर्मशाला श्री सोमनाथ ट्रस्ट द्वारा चलायी जाती है, और सोमनाथ मंदिर से 500 मीटर दूर, प्रभास पाटण रोड पर बस स्टॉप के पास हैं ।

 

पता : बस स्टैंड के पास, श्री सोमनाथ ट्रस्ट कॉमप्लेक्स, प्रभास पाटन, सोमनाथ गूगल मैप लिंक : Location Link

फोन नंबर : +91-2876-231212


--------------------------------------------------------------------

3. श्रीमन नारायण धर्मशाला ।


ये धर्मशाला भी सोमनाथ मंदिर से 500 मीटर दूर, लक्ष्मीनारायण मंदिर के पास हैं ।


पता : लक्ष्मीनारायण मंदिर के पास, सोमनाथ मंदिर रोड, प्रभास पाटन, सोमनाथ गूगल मैप लिंक : Location Link फोन नंबर : 9512995944

--------------------------------------------------------------------

4. जैन देरासर धर्मशाला ।


ये धर्मशाला भी सोमनाथ मंदिर से 300 मीटर दूर, पुराने राम मंदिर के पास हैं ।

पता : पुराने राम मंदिर के पास, प्रभास पाटन, सोमनाथ

गूगल मैप लिंक : Location Link

फोन नंबर : 02876231638


--------------------------------------------------------------------

5. श्याम गेस्ट हाउस ।

ये गेस्ट हाउस भी सोमनाथ मंदिर से 300 मीटर दूर, जैन देरासर धर्मशाला के पास हैं ।


पता : पुराने राम मंदिर के पास,जैन देरासर धर्मशाला के पास, प्रभास पाटन, सोमनाथ

गूगल मैप लिंक : Location Link

फोन नंबर : 09409462268

--------------------------------------------------------------------


6. श्री शांती नाथ जैन यात्रिक भवन ।


ये धर्मशाला सोमनाथ से 5 किलोमीटर दूर वेरावल शहर में, जलाराम सिनेमा के पास हैं ।


पता : जैन देरासर रोड, जलाराम सिनेमा के पास, टीचर्स कॉलोनी, वेरावल

गूगल मैप लिंक : Location Link फोन नंबर : 09374849393

--------------------------------------------------------------------

आप अगर समूह में ज्यादा लोग आ रहे है, तो आपके लिए कम दाम में अच्छी सुविधा श्री सोमनाथ ट्रस्ट ने भी की हुई है । अब मैं आपको उनकी जानकारी दूँगी ।


7. सांस्कृतिक भवन यात्री निवास/ यात्री सुविधा केंद्र ।


ट्रस्ट की ये धर्मशाला सोमनाथ मंदिर से 500 मीटर दूर, एन्ट्री गेट के पास, सोमनाथ ट्रस्ट कॉम्प्लेक्स में हैं । 


पता : बस स्टैंड के पास, श्री सोमनाथ ट्रस्ट कॉमप्लेक्स, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link


फोन नंबर : 02876233433


Online Booking Wesite : https://somnath.org/guesthouse/guesthouse-booking-new/

--------------------------------------------------------------------

8. डोरमेटरी अतिथि गृह ।


ट्रस्ट की ये धर्मशाला भी सोमनाथ मंदिर से 500 मीटर दूर, सोमनाथ ट्रस्ट कॉम्प्लेक्स में सांस्कृतिक भवन के बगल में हैं, । 


पता : बस स्टैंड के पास, श्री सोमनाथ ट्रस्ट कॉमप्लेक्स, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link


फोन नंबर :

02876233433 (Non-AC DORMITORY)

09428214810 (Non-AC DORMITORY)


06357571008 (AC DORMITORY)

09978686966 (AC DORMITORY)


Online Booking Wesite : https://somnath.org/guesthouse/guesthouse-booking-new/

--------------------------------------------------------------------

9. सुलभ यात्री निवास ।


ट्रस्ट की ये धर्मशाला भी सोमनाथ मंदिर से 500 मीटर दूर, एंट्री गेट के बिल्कुल पास में ही हैं । 

पता : बस स्टैंड के पास, श्री सोमनाथ ट्रस्ट कॉमप्लेक्स, प्रभास पाटन, सोमनाथ गूगल मैप लिंक : Location Link फोन नंबर : उपलब्ध नही हैं ।

--------------------------------------------------------------------

थोड़े अधिक पैसे खर्च करके हॉटेल जैसी सुविधा चाहते है, तो उसके लिए भी सोमनाथ ट्रस्ट द्वारा संचालित 2 धर्मशालाएं है ।


10-11. श्री सोमनाथ माहेश्वरी समाज अतिथि भवन और लीलावती अतिथि भवन ।


ट्रस्ट की ये दोनों धर्मशाला भी सोमनाथ मंदिर से 500 मीटर दूर, सोमनाथ ट्रस्ट कॉम्प्लेक्स में हैं । 


पता : बस स्टैंड के पास, श्री सोमनाथ ट्रस्ट कॉमप्लेक्स, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link (Lilavati)

                       Location Link (Maheshwari)


फोन नंबर :

02876233033 (Lilavati)

09409309655 (Lilavati)

02876233130 (Maheshwari)

09409309652 (Maheshwari)


Online Booking Wesite : https://somnath.org/guesthouse/guesthouse-booking-new/

--------------------------------------------------------------------

सोमनाथ मंदिर परिसर में ऐसे कुछ गेस्ट हाउस भी है, जिनमे आपको 300 से 500 रुपये में रूम मिल जाते है, जैसे, पटेल होटल और पारस गेस्ट हाउस ।


12. पटेल होटल ।


ये हॉटेल सोमनाथ मंदिर परिसर से 100 मीटर दूर, होटल सोमनाथ दर्शन के सामने हैं ।


पता : पुराने सोमनाथ मंदिर परिसर के पास, हॉटेल सोमनाथ दर्शन के सामने, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link 


फोन नंबर : 

09574487335

09824882312

07874515448

--------------------------------------------------------------------


13. पारस गेस्ट हाउस ।


ये गेस्ट हाउस पुराने सोमनाथ मंदिर के पास में ही हैं ।


पता : पुराने सोमनाथ मंदिर परिसर के पास, हॉटेल सोमनाथ दर्शन के सामने, प्रभास पाटन, सोमनाथ


गूगल मैप लिंक : Location Link 


फोन नंबर : 

08140494353

09824920448

09737250202

--------------------------------------------------------------------


सोमनाथ में भोजन की बात करें तो, वैसे सोमनाथ ट्रस्ट गेस्टहाउस में रुकने पर, कम दाम में भोजन दिया जाता हैं, किन्तु अब ट्रस्ट ने बिल्कुल फ्री में स्वादिष्ट भोजन की व्यवस्था भी चालू की है, जिसका नाम है सोमनाथ ट्रस्ट भोजनालय ।


इस स्वादिष्ट भोजन प्रसाद में आपको चावल अथवा खिचड़ी, दाल, रोटी, सब्जी, कढ़ी और छाछ अर्थात बटरमिल्क दी जाती हैं । तथा समयानुसार अलग अलग व्यंजन दिए जाते है ।



इसका पता कुछ इस प्रकार है ।


सोमनाथ ट्रस्ट भोजनालय, अहिल्या बाई द्वारा निर्मित पुराने सोमनाथ मंदिर के पास, प्रभास पाटन, सोमनाथ ।


गूगल मैप लिंक : Location Link 


यहां दोनों समय का अर्थात डिनर और लंच आप बिल्कुल फ्री में कर सकते हैं ।



इसके टाइमिंग कुछ इस प्रकार है ।


सुबह 11 से दोपहर 3 बजे तक ।

और शाम 7 से रात 11 बजे तक ।



तो ये थी सोमनाथ की कुछ सस्ती तो कुछ अच्छी धर्मशालाएं ।



आपको इसमें से कौनसी सबसे अच्छी लगी ? कमेंट में बताए !



हमारा प्रयास है कि हम आपको सभी तीर्थस्थानों की जानकारी उपलब्ध कराए, इसीलिए विडिओ अच्छा लगे तो लाइक और सब्सक्राइब करना ना भूलें ।

Thursday, May 29, 2025

એક જમાનો અમારો પણ હતો...

 ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૭, ૧૯૫૮, ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૧, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪, ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૯ અને ૧૯૯૦ માં જન્મેલા લોકો માટે - આ લેખ તમને સમર્પિત છે.


આ પેઢી હવે ૩૦ થી ૬૦ ના દાયકામાં છે. આ પેઢીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓએ જબરદસ્ત પરિવર્તન જોયું અને તેને આત્મસાત કર્યું. અને સૌથી મોટો પડકાર એ હતો કે આ પેઢી હંમેશા ઉંબરે ઉભી રહી - ન તો સંપૂર્ણપણે પરંપરાગત કે ન તો સંપૂર્ણપણે આધુનિક.


તેઓએ ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૨૫ અને ૫૦ પૈસાના સિક્કા જોયા. તેઓ મહેમાનો પાસેથી ખચકાટ વિના પૈસા સ્વીકારતા હતા. સ્લેટ અને ચાકથી લઈને પેન્સિલ, પેન અને હવે સ્માર્ટફોન, લેપટોપ અને પીસી સુધી - આ પેઢી તેમના પછીના વર્ષોમાં પણ ટેકનોલોજી સાથે સરળતાથી અનુકૂલન સાધ્યું છે.


સાયકલ એક સમયે તેમના બાળપણમાં વૈભવી હતી, અને હવે તેઓ આત્મવિશ્વાસથી સ્કૂટર ચલાવે છે અને વૃદ્ધાવસ્થામાં કાર ચલાવે છે. ક્યારેક તોફાની, ક્યારેક ગંભીર - તેઓએ ઘણું બધું જોયું છે અને સહન કર્યું છે, છતાં મૂલ્યોમાં ઊંડા મૂળિયાં રહ્યા છે.


ટેપ રેકોર્ડર અથવા પોકેટ ટ્રાન્ઝિસ્ટર એક સમયે કિંમતી સંપત્તિ હતી.


તેઓ છેલ્લી પેઢી હતી જેમનું બાળપણ માર્કશીટ કે ટેલિવિઝન દ્વારા ચોરાયું ન હતું.


તેઓ કૂકરની વીંટી અને ટાયરનો ઉપયોગ કરીને રમતો રમતા હતા, અને ક્યારેય શરમ અનુભવતા નહોતા.


જમીનમાં સોય નાખવાને પણ રમત માનવામાં આવતી હતી.

કાચી કેરી તોડવી એ ચોરી નહોતી - એ બાળપણનો આનંદ હતો.કોઈપણ સમયે કોઈપણ પાડોશીનો દરવાજો ખટખટાવવો એ કોઈ "નૈતિકતા" તોડતો નથી.


મિત્રની માતા દ્વારા ભોજન મેળવવું એ ઉપકાર નહોતો, અને મિત્રના પિતા દ્વારા ઠપકો આપવાથી અહંકારને નુકસાન થતું નહોતું - આ છેલ્લી પેઢી હતી જેણે આવા શુદ્ધ બંધનોનો અનુભવ કર્યો હતો.


શાળામાં, તેઓ પોતાની બહેનો સાથે વાત કરવામાં પણ શરમાતા હતા.


જો કોઈ મિત્ર બે દિવસ ગેરહાજર રહેતો, તો તેઓ શાળા પછી તરત જ તેમની સ્કૂલ બેગ લઈને તેના ઘરે જતા.


જો કોઈ સહાધ્યાયીના પિતા શાળાએ આવતા, તો બાળકો પૂર ઝડપે બૂમ પાડતા, "તમારા પપ્પા અહીં છે! જલ્દી આવો!" - તેઓ કુરિયર જેવા સંદેશાઓ વહન કરતા, તાકીદ અને વફાદારીથી ભરેલા.


જો શેરીમાં કોઈ ઘરમાં કોઈ સમારંભ હોય, તો આ પેઢી ધાર્મિક વિધિઓ કે સામાજિક ધોરણોની ચિંતા કર્યા વિના મદદ કરશે.તેઓ કપિલ, સુનીલ ગાવસ્કર, વેંકટરાઘવન, પ્રસન્ના જેવા કલાકારોને ક્રિકેટમાં જોતા મોટા થયા; પેસ, ભૂપતિ, સ્ટેફી ગ્રાફ, અગાસી, સાયપ્રસ ને ટેનિસમાં; રાજ કપૂર, દેવ આનંદ, દિલીપ કુમારથી લઈને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, અને આમિર, સલમાન, શાહરૂખ, માધુરી, અનિલ કપૂર સુધી - તેમણે સિનેમાનો સુવર્ણ યુગ જોયો.


તેઓએ VCR ભાડે લેવા અને સાથે 4-5 ફિલ્મો જોવા માટે પૈસા ભેગા કર્યા - આ તેમની નેટફ્લિક્સ પાર્ટીઓનું સંસ્કરણ હતું.


તેઓ લક્ષ્મીકાંત બ્રધર્સ અને અશોક કુમાર, નાના પાટેકર, ઓમ પુરી, શબાના આઝમી, સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, ગોવિંદા, જગ્ગુ દાદા, વર્ષા ઉસગાંવકર, સોનમ, કિમી, સોનાલી જેવા પ્રશંસનીય કલાકારોની સ્વચ્છ કોમેડી પર હસ્યા.


શિક્ષકો દ્વારા ઠપકો મળવો અથવા માર મારવો સામાન્ય હતો - એકમાત્ર ડર એ હતો કે માતાપિતાને ખબર ન પડે, કારણ કે તેનો અર્થ ઘરે વધુ સજા થાય છે.


તેઓએ ક્યારેય શિક્ષકો સામે અવાજ ઉઠાવ્યો નહીં, અને વર્ષો પછી પણ, જો તેઓ કોઈ નિવૃત્ત શિક્ષકને જોતા, તો તેઓ આદરપૂર્વક નમીને તેમનું સ્વાગત કરતા.જ્યારે કોલેજોમાં રજા રહેતી ત્યારે તેઓ પોતાના ભવિષ્ય વિશે સપના જોતા.


મોબાઈલ નહોતા, એસએમએસ નહોતા, વોટ્સએપ નહોતા - તેઓ પોતાના પ્રિયજનોને રૂબરૂ મળવાની આતુરતાથી રાહ જોતા હતા.


પંકજ ઉધાસનું "તુને પૈસા બહુત કમાયા, ઇસ પૈસા ને દેશ છૂડાયા" ગીત સાંભળીને તેઓ પોતાના આંસુ લૂછતા હતા.


તેઓ દિવાળીની પાંચ દિવસની આખી વાર્તા જાણતા હતા.


લીવ-ઇન ભૂલી જાઓ - પ્રેમ લગ્ન પણ બોલ્ડ માનવામાં આવતા હતા.


શાળા કે કોલેજમાં છોકરીઓ સાથે વાત કરવાથી તમે "ખૂબ જ આધુનિક" લાગતા હતા.


શું આપણે ફરીથી આંખો બંધ કરીશું?

દસથી વીસ... એંસી, નેવું... ગણો અને તે સોનેરી યાદોને ફરી યાદ કરો. તેઓ "એ દિવસો ગયા" એમ નથી કહેતા કારણ કે તેઓ માને છે કે:


આજની ક્ષણો આવતીકાલની યાદો હશે.


તેઓ ખરેખર સમૃદ્ધ જીવન જીવતા હતા.


પૂર્વશાળા જેવી કોઈ વસ્તુ નહોતી. બાળકો 6-7 વર્ષની ઉંમરે શાળા શરૂ કરતા હતા, અને જો તેઓ હાજરી ન આપે તો પણ કોઈને બહુ ચિંતા નહોતી.


બાળકોને સ્કૂલ બસ કે સાયકલ દ્વારા મોકલવામાં આવતા નહોતા - બાળકો માતાપિતાના ડર વિના એકલા ચાલતા જતા હતા.


તેઓ "પાસ" અને "નાપાસ" ને સમજતા હતા - ટકાવારીની કોઈ વિભાવના નહોતી.


તેઓ ટ્યુશનમાં ગયા કે નહીં તે સ્વીકારવામાં શરમાતા હતા - કારણ કે તેનો અર્થ એ હતો કે તમે "મૂર્ખ" છો.


તેઓ માનતા હતા કે પુસ્તકોમાં પાન કે મોરનું પીંછું રાખવાથી તમે વધુ સ્માર્ટ બનશો.


તેઓ કાપડમાંથી સ્કૂલ બેગ અને પછી ધાતુના બોક્સ બનાવતા હતા - સર્જનાત્મકતા શ્રેષ્ઠ હતી.


શાળા વર્ષ શરૂ થાય તે પહેલાં પુસ્તકોને ભૂરા કાગળથી ઢાંકવા એ વાર્ષિક તહેવાર હતો.


સેકન્ડ હેન્ડ પુસ્તકો વેચવા અને ખરીદવાથી શરમ આવતી ન હતી. તેમના માતા-પિતાને તેમના શિક્ષણથી આર્થિક બોજ નહોતો લાગતો.


તેઓ એક જ સાયકલ પર બે કે ત્રણ સવારી કરતા હતા અને જ્યાં ઈચ્છા થાય ત્યાં જતા હતા.


શિક્ષકો દ્વારા માર ખાવાથી અને કાન પકડીને ઊભા રહેવાથી પણ તેમના અહંકારને નુકસાન થતું ન હતું - કારણ કે તેઓ જાણતા ન હતા કે અહંકાર શું છે.


માર ખાવો એ શાળાના જીવનનો એક નિયમિત ભાગ હતો, અને દરેક વ્યક્તિ - શિક્ષક પણ - તેને શાંતિથી લેતા હતા.


જેને માર મારવામાં આવતો હતો તે ફક્ત ખુશ હતો કે ગઈકાલ કરતાં ઓછું હતું!


તેઓ ખુલ્લા પગે ક્રિકેટ રમતા હતા, લાકડાના બેટ અને કોઈપણ પ્રકારના બોલ સાથે - શુદ્ધ આનંદ.


તેઓએ ક્યારેય ખિસ્સાના પૈસા (હાથ ખર્ચી) માંગ્યા નહીં, અને માતાપિતાએ પણ ક્યારેય આપ્યા નહીં. તેમની જરૂરિયાતો ઓછી હતી, અને જો કોઈ હોય તો, કોઈ વડીલ તેમને પ્રેમથી પૂરી કરતા.


તહેવારો દરમિયાન ફૂલેલા ભાત ખાવાથી તેઓ અતિ ખુશ થતા.


તેઓ એકલા ફટાકડા ફોડવાનો આનંદ માણતા હતા, અથવા ફક્ત કોઈ બીજાની પાછળ દોડીને ફટાકડા ફોડતા હતા. તેમણે ક્યારેય તેમના માતાપિતાને કહ્યું નહીં કે તેઓ તેમને કેટલો પ્રેમ કરે છે - કારણ કે તેઓ જાણતા નહોતા કે "હું તમને પ્રેમ કરું છું" કેવી રીતે કહેવું.


આજે, તેઓ જીવનના ત્રાસ અને સંઘર્ષો સહન કરે છે, દરેક પોતાની રીતે - કેટલાકે તેમના સપના પ્રાપ્ત કર્યા છે, કેટલાક હજુ પણ શોધે છે...


તે શાળા સમયના મિત્રો જેમણે ડબલ કે ટ્રિપલ સીટ શેર કરી હતી, જેમણે તેમને શાળાની બહાર મીઠાઈઓ ખવડાવી હતી - તેઓ હવે ક્યાં છે?


આજે તેઓ ગમે ત્યાં હોય, એક સત્ય રહે છે:


તેઓ વાસ્તવિક દુનિયામાં રહેતા હતા, અને તેમાં મોટા થયા હતા.


તેઓ ક્યારેય તેમના કપડાંને કરચલીઓથી મુક્ત રાખી શક્યા નહીં અથવા સંબંધોમાં ઔપચારિકતા જાળવી શક્યા નહીં.


તેઓ જાણતા ન હતા કે "મિડ-મીલ નાસ્તો" શું છે - તેમના માટે, ભાખરી અને ભાજી (બ્રેડ અને કઢી) બધું જ હતું.


તેઓએ ક્યારેય ભાગ્યને દોષ આપ્યો નહીં. તેઓ હજુ પણ સ્વપ્ન જુએ છે - કદાચ તે સપના જ તેમને ચાલુ રાખે છે.


તેઓ જે જીવન જીવ્યા... તેની તુલના આજની દુનિયા સાથે કરી શકાતી નથી.


ભલે સારું હોય કે ખરાબ, આપણો પણ આપણો યુગ હતો...

Tuesday, May 27, 2025

પલાઠી વાળીને જમવા બેસવું આરોગ્ય માટે લાભદાયી

ભારતીય પરંપરા પ્રમાણે પલાઠી વાળીને જમવા બેસવું આરોગ્ય માટે લાભદાયી

મોટા ભાગે લગ્ન સમારંભ તથા પાર્ટીઓમાં વેસ્ટર્ન સ્ટાઈલ બુફે ભોજન ચાલે છે પરંતુ બુફે તથા ડાઇનિંગ ટેબલ કરતા જમીન પર બેસીને જમવું એક આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે..

અમેરિકામાં હેલ્થ પરના એક મેગેઝિનમાં પ્રકાશિત માહિતી મુજબ જમીન પર બેસીને જમવાથી કરોડરજજ્જુ પર શરીરનું વજન આવતુ હોવાથી શરીર આરામ અનુભવે છે. આ ઉપરાંત માંસપેશીઓમાં ખેચાણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. શરીરના કોઈ ભાગમાં પેઈન થતું હોયતો પણ રાહત રહે છે.

ઉભા રહીને જમવા કરતા બેસીને શાંતિથી જમવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. આથી વજનમાં વધારો થતો નથી અને શરીરમાં મેદ પણ જામતો નથી. શરીર આરામ અનુભવે છે

એટલું જ નહી ખોરાક માટે ડીશ તરફ ઝુકવું પડતું હોવાથી પેટના સ્નાયુને પણ સ્વભાવિક કસરત મળે છે. આજકાલ સોફા અને ડાઇનિંગ ટેબલ પર જમવાના કારણે પલાઠી વાળીને બેસવાનું ભૂલાઈ ગયું છે. તેથી શરીરમાં થાક અને માંસ પેશીઓમાં સતત દુખાવો વધે છે. 

આમ ભારતમાં પહેલાના સમયમાં કોઈને ત્યાં જમવાનું આમંત્રણ મળે ત્યારે આસનપટ્ટા પર બેસાડીને જમણવાર થતો હતો. જેને પંગતપ્રથા કહેવામાં આવતી જે વધુ સારી હોવાનું સાબીત થયું છે.

Sunday, May 4, 2025

પ્રયાગરાજ સંપૂર્ણ માહિતી

ગંગા, યમુના, સરસ્વતી જે નદી પાતાળમાં વહે છે. ત્રણેયનું સંગમ સ્થાન.

પૃથ્વીને બચાવવા માટે, ભગવાન બ્રહ્માએ અહીં એક વિશાળ યજ્ઞ કર્યો. બ્રહ્માજીએ યજ્ઞ કરવા માટે પૃથ્વી પર પ્રયાગ પસંદ કર્યો અને તેને બધા તીર્થસ્થાનોમાં મહાન તીર્થરાજ તરીકે જાહેર કર્યું. 

બ્રહ્માજીએ વિશ્વની રચના પછી અહીં પહેલું યજ્ઞ કર્યું હતું, તેથી તેનું નામ પ્રયાગ રાખવામાં આવ્યું. સંસ્કૃતમાં, પ્રયાગનો અર્થ 'બલિદાનનું સ્થળ' પણ થાય છે. પુરાણો અનુસાર, પ્રાચીન સમયમાં પ્રયાગ કોઈ નગર નહોતું પણ તપ અને તીર્થસ્થાન હતું. માન્યતા અનુસાર, આ તીર્થસ્થળ લગભગ 15 હજાર વર્ષ પૂર્વેથી અસ્તિત્વમાં છે. ત્રણ હજાર વર્ષથી અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

અક્ષય વટ 

જ્યારે બ્રહ્માજી દ્વારા આ જગ્યાએ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતે પુજારી બન્યા, ભગવાન વિષ્ણુ યજમાન બન્યા અને ભગવાન શિવ તે યજ્ઞના દેવતા બન્યા. પછી ત્રણેય દેવતાઓએ પૃથ્વી પરના પાપનો ભાર હળવો કરવા માટે તેમની શક્તિથી એક 'વૃક્ષ' બનાવ્યું. તે એક વડનું ઝાડ હતું જે આજે અક્ષયવટ તરીકે ઓળખાય છે.

ઔરંગઝેબે આ વૃક્ષનો નાશ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેને ખોદીને બાળી નાખવામાં આવ્યું, પરંતુ આ અક્ષયવટ વૃક્ષ જેને વરદાન મળ્યું હતું તે આજે પણ હાજર છે. આજે પણ ઔરંગઝેબ દ્વારા સળગાવવામાં આવેલા નિશાનો જોઈ શકાય છે.

સંગમ સ્થાન 

પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે દેવતા અને રાક્ષણો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનું પાત્ર નીકળ્યું હતું. 12 દિવસ સુધી દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન ધરતી પર 4 સ્થળ – પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના અમુક ટીપા પડ્યા હતા. આ 4 સ્થળો પર દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.

નિષાદ રાજ પાર્ક :- 

ભગવાન રામ સાથે જોડાયેલ આ સ્થળ.. સીતા સ્વયંવર પછી, દશરથ રામને રાજા બનાવવા માંગતા હતા, પરંતુ કૈકેયીએ તેમના માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. વનવાસમાં ગયા પછી, રામ સૌથી પહેલા શૃંગાવરપુર ધામ એટલે કે આજના પ્રયાગરાજ પહોંચ્યા. રામ અહીં નિષાદરાજને મળ્યા. રામે અહીં આરામ કર્યો અને પછી કેવટે રામ, સીતા અને લક્ષ્મણને નદી પાર કરવામાં મદદ કરી. એ જ આ સ્થળ.. અને અહીંથી નદી પર કરી તેઓ ભારદ્વાજ મુનિના આશ્રમમાં તેમના આશીર્વાદ લેવા ગયા. અહીં સરસ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રભુ રામ અને કેવટ સાથે જોડાયેલા પ્રસંગો મૂર્તિ સ્વરૂપે જોવા મળે છે.

ચિત્રકૂટ તરફ પ્રયાણ

મહર્ષિ ભારદ્વાજે રામને રોકાવા કહ્યું હતું, પરંતુ રામે કહ્યું હતું કે આ જગ્યા અયોધ્યાથી ખૂબ નજીક છે. અમે અહીં રહીશું તો લોકો અમને મળવા આવતા રહેશે. આ પછી જ ઋષિ ભારદ્વાજે તેમને ચિત્રકૂટ જવાની સલાહ આપી.'

આમ તેઓ અહીંથી ચિત્રકૂટ તરફ ગયા હતા.

સંગમ સ્નાનનું અદકેરું મહત્વ...

જ્યારે રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફરી એકવાર મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં આવ્યા હતા. ભારદ્વાજ મુનિએ રામને કહ્યું હતું કે રાવણ બ્રાહ્મણ છે અને તેમના પર બ્રાહ્મણની હત્યાના પાપનો આરોપ છે. તેઓએ પહેલા સંગમની ત્રિવેણીમાં જઈને સ્નાન કરવું જોઈએ અને પછી જ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. રામ સ્નાન કરીને પછી તેઓ આશ્રમમાં આવ્યા હતા. એટલે જ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ના સ્નાનનું મહત્વ અનેરું છે.

ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ

ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના તટ પર આવેલ ઓમના આકારમાં બનેલા ટાપુ કહો કે પર્વત જેનું નામ માંધાતા પર્વત છે તેના પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. 12 જ્યોર્તિલિંગ માં ચોથા ક્રમે તેનો સમાવેશ થાય છે. 

કહેવાય છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ એવું છે... જ્યાં ભગવાન ભોલેનાથ ત્રણેય લોકના દર્શન કરે છે અને રાત્રે સૂવા માટે રોજ આ મંદિરમાં આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થસ્થાનો આવેલા છે અને અહીં 33 કરોડ દેવતાઓ સાથે ભગવાન શિવ બિરાજમાન છે. જેની પરિક્રમા પણ થાય છે.

આ એકમાત્ર મંદિર છે જે નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે. મહાદેવની અહીં મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે. 

કહેવાય છે કે આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલ છે.  અને નર્મદા નદીના તટમાં જે પણ પથ્થરો રહેલા છે તેને શિવલિંગ તરીકે પૂજી શકાય છે.

અહીં એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં મહાદેવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ જ કારણ છે કે અહીં રાત્રિના સમયે ચોપાટ પાથરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે મંદિરની અંદર જ્યાં પક્ષી પણ ન ફરકી શકે, એવી સ્થિતીમાં ત્યાં સવારે ચોપાટ એવી રીતે જોવા મળે છે કે જાણે કોઇએ તેને રમી હોય.

Tuesday, April 29, 2025

ઝીણાવરી

 Zinavari village

Ta. jamjodhpur

Dis.jamnagar 


 Zinavari સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું પ્રાચીન મંદિર છે.

તે આશરે ઇ.સ. ૫૭૫-૬૫૦ના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલા અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે. તેનું સ્થાપત્ય ગાંધાર કળા અને ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોનો પ્રભાવ ધરાવે છે. આ મંદિરમાં ગર્ભગૃહ ચોરસ છે જેની આજુબાજુ બેવડા ચોગાનો આવેલા છે. તે વિશિષ્ટ પ્રકારનું શિખર ધરાવે છે.






 ઝીણાવરી ગામને જુના અથવા નાના ગોપ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ગોપ ગામની પૂર્વમાં આવેલું છે. તે ઘુમલીની ઉત્તરે, એક ટેકરીની ટોચ પર આવેલું છે. ગોપ મંદિર એ ગુજરાત, ભારતના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં સ્થિત એક સૂર્ય મંદિર છે. આ હિન્દુ મંદિર છઠ્ઠી સદીનું છે અને તે ગુજરાતના સૌથી પ્રાચીન પથ્થર મંદિરોમાંનું એક છે. મૂળ મંદિરમાં ચોરસ યોજના, મંડપ અને ઢંકાયેલ પરિક્રમા માર્ગ હતો જે ખોવાઈ ગયો છે, અને પિરામિડલ ચણતરની છત હતી જે ખંડેર થઈ ગઈ છે પરંતુ જેના આંશિક અવશેષો બચી ગયા છે. મંદિરની ઊંચાઈ 23 ફૂટ છે જેમાં એક નાનો ટાવર શામેલ છે. ટાવરની છત અમલકા કોગ્ડ વ્હીલ-આકારના મુગટ નીચે કમાન જેવી ગવક્ષ બારી આકારથી શણગારેલી છે.

अल्मोड़ा डोल आश्रम

 उत्तराखण्ड का पांचवा धाम 

जहाँ प्रकृति अध्यात्म ध्यान और सादगी का पूरा योग है 🙏 विश्व का सबसे बड़ा श्री यँत्र यहीं हैं 

_____________________________________


महादेव प्रणाम 🙏❤️


अपनी कुमाऊ मंडल की यात्रा के दौरान ज़ब मै अल्मोड़ा से लगभग 40km दूर डोल आश्रम पंहुचा 

जिसे श्री कल्याणिका हिमालय देव स्थानम के नाम से जाना जाता है यह स्थान कनरा गाँव, सोमेश्वर तहसील, अल्मोड़ा मे है 


मै सच मे मन्त्र मुग्ध सा रह गया मुझे समझ आया क्यों उत्तराखण्ड को देव भूमि कहा जाता है 👌👌

यहां प्रकृति अपने वास्तविक स्वरूप मे आज भी मौजूद है जहाँ आपको देवताओ के होने का आभास यूँ ही हो जाता है


देव भूमि का मतलब यहाँ सिद्ध होता है हिमालय क्षेत्र मे यह जगह आपको कितना मोहित कर देगी यह आप वहां जाकर ही महसूस कर पाएगे 

------------------------------------------------------------------


आश्रम के बारे मे -


यह आश्रम की स्थापना बाबा कल्याण दास जी महाराज ने 1990 मे करी थी 

कहते हैं बाबा जी कैलास मानसरोवर की यात्रा के दौरान भगवती के साक्षात्कार के बाद उनकी आज्ञा से  हिमालय क्षेत्र मे इस आश्रम की स्थापना की थी 

बाबा जी 12 वर्ष की आयु मे ग्रह त्याग कर लगभग 20वर्षो तक ध्यान साधना अलग अलग क्षेत्रो मे करते रहे 🙏


भगवती और महादेव के उपासक बाबा जी ने पंच देव परम्परा का निर्वहन किया 


परन्तु इनका मुख्य उद्देश्य ध्यान और साधना है 🙏🙏

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


#विशेष 

यह ऐसा स्थान है जहाँ विश्व का सबसे बड़ा श्री यँत्र स्थापित है जो लगभग डेढ़ टन का है और अष्टधातु का बना है

साथ ही जहा यह स्थापित है वहां ध्यान कक्ष है जहा 500 लोग एक साथ बैठकर ध्यान कर shrikalyanika यह ध्यान साधना और वेदांत पर आधारित आश्रम है ❤️

----------------------------------------------------------------

मेरा अनुभव ---

जैसे ही मै डोल आश्रम पंहुचा विशाल महादेव की प्रतिमा देखकर मै भाव विभोर हो गया हिमालय क्षेत्र की शांत और सुगन्धित हवा मानो मुझे अंदर से शांत करती जा रही थी 

मै इस परिसर की शांति से मुग्ध हो रहा था चाहुओर विशाल पहाड़ पेड़ मुझे अपनी ओर खींच रहे थे ❤️❤️

मै जैसे ही मंदिर परिसर की ओर बढ़ा शिव लिंग दर्शन  मुझे खींचने लगा 

साथ ही भगवती गणेश आदि के दर्शन कर मै बढ़ रहा था श्री यँत्र की तरफ 

जैसे ही कक्ष पर पंहुचा एक असीम शांति पसरी थी लोग आँख मूंदे बैठे थे 


मै जैसे ही गया कक्ष मे बस ध्यान मे विलीन हो रहा था वहां की शांति आपके अंदर की आवाज को सुनने का मौका देती है


आप यहां बस बैठे रहिए अंदर तक उतर जाएगे 


मै बस यहीं बैठा रहना चाहता था परन्तु schedule के हिसाब से जाना था तो निकल गया पर मन वही ठहर गया 


अभी तो दिल भरा नहीं....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

आपको यहाँ रहने के लिए आश्रम मे कमरे मिल जाते हैं जहा आप सशुल्क और निशुल्क (स्वेच्छा दान ) मे रह कर यहां का अनुभव कर सकते है

खाने के लिए यहाँ बढ़िया व्यवस्था हैं जहाँ 150 लोग एक साथ प्रसाद पा सकते हैं 👌👌


इसके लिए आपको shrikalyanika. com पर जाकर रूम आदि बुक कर सकते हैं और अधिक जानकारी ले सकते है


इसके अलवा

 हेलो होटल home स्टे 

और

Dev ganga होटल  आश्रम के पास विकल्प हैं 


___________________________________

#पहुंचे _

दिल्ली से डोल आश्रम तक


कुल दूरी: लगभग 380–400 किमी

समय: 10–12 घंटे (सड़क मार्ग से)


विकल्प 1: सड़क मार्ग (कार या बस से)


दिल्ली → गजरौला → रामनगर → रानीखेत → डोल आश्रम (कनरा गाँव, अल्मोड़ा)


रास्ता सुंदर पहाड़ियों और घने जंगलों से होकर गुजरता है।


विकल्प 2: रेल + टैक्सी


दिल्ली से काठगोदाम रेलवे स्टेशन तक ट्रेन (रानीखेत एक्सप्रेस, शताब्दी आदि)

______________________________________

यात्रा का बेहतर समय -


वैसे तो यहां आप कभी भी जाइए आप मोहित हो ही जाएगे परन्तु यात्रा का सर्वोत्तम समय

मार्च से जून और सितंबर से नवंबर सबसे अच्छा समय है।

गर्मियों में मौसम सुहावना और ठंड में बेहद ठंडा (बर्फबारी संभव) होता है।

_______________________________________


बाबा कल्याण दास जी अभी मौजूद हैं उनके दर्शन और प्रवचन सुनना स्वयं मे एक आध्यत्मिक ऊर्जा से पूर्ण होने वाली यात्रा हैं 


मुझे अपनी इस यात्रा मे इस स्थान की महत्ता बहुत ज्यादा लगी इस स्थान की ऊर्जा आपको संमोहित कर लेगी 


मेरा मन अभी भरा नहीं यहां कम से कम एक हफ्ता रुकना चाहिए या फिर 3-5 घंटा ध्यान क्षेत्र मे 


महादेव जब मौका दे मै फिर से जाना चाहुँगा कुछ समय बिताने 


शिवम् गौतम जी

Saturday, April 26, 2025

રામ વનવાસ પડાવ




અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ એટલે કે આજે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામનો જન્મ ભલે અયોધ્યામાં થયો હોય, પરંતુ રામની કથામાં ઘણી એવી જગ્યાઓ છે જેનું ખૂબ મહત્ત્વ છે. ભાસ્કરની ટીમ ભારત, નેપાળ અને શ્રીલંકામાં આવાં 10 સ્થળોએ પહોંચી હતી. અહીં અમને માત્ર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની નિશાનીઓ જ નહીં પરંતુ ઘણી એવી વાર્તાઓ, તળાવ અને મંદિરો મળ્યાં, જેના વિશે તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય.








- Divya Bhaskar


- Divya Bhaskar

અયોધ્યા... એ જગ્યા જ્યાં ભગવાન શ્રીરામનો જન્મ થયો, તેમનું બાળપણ વીત્યું. આ જ જગ્યાએથી તેમને 14 વર્ષના વનવાસ પર જવું પડ્યું. અંતે ગો-લોક જવાની પહેલાં આ નગરીની વચ્ચે વહેનારી સરયૂ નદીમાં તેમણે જળસમાધિ લીધી. હવે જોવા જઈએ તો અયોધ્યા જ રામનો આધાર છે. તેમની જીવનના બધા જ પડાવોની પેલા અને છેલ્લો છોડ છે અયોધ્યા.

ભગવાન રામનો જન્મની કહાનીઓ અયોધ્યાના અખાડા, મઠો અને શેરીઓમાં વસી છે. રામમંદિરના મુખ્ય પૂજારી મહારાજ સત્યેન્દ્ર દાસ જણાવે છે, મનુ અને શતરૂપાએ કઠિન તપસ્યા કરી હતી. આનાથી ખુશ થઈને ભગવાન પ્રગટ થયા. તેમની સામે બન્નેએ વરદાન માગ્યું:

दानि सिरोमनि कृपानिधि नाथ कहउं सतिभाउ। चाहउं तुम्हहि समान सुत प्रभु सन कवन दुराउ॥

આનો અર્થ થાય છે- હે દાતાઓના શિરોમણી, હે કૃપાનિધાન. હે નાથ... હું મારા મનના સાચા ભાવથી કહું છું કે હું તમારા સમાન જ પુત્ર ઇચ્છું છું. પ્રભુથી ભલુ શું છુપાવવાનું.

મનુની વાત સાંભળીને ભગવાન ખુશ થયા, તેમણે બન્નેને વરદાન આપ્યું કે-

देखि प्रीति सुनि बचन अमोले। एवमस्तु करुनानिधि बोले। आपु सरिस खोजौं कहं जाई। नृप तव तनय होब मैं आई॥

આનો અર્થ થાય છે- આવું જ થશે...હે રાજન્. હું પોતાના સમાન (બીજા) જ બીજે ક્યાં શોધવા જઉં. એટલે હું પોતે જ આવીને તમારો પુત્ર બનીશ. આ પછી સતયુગમાં મનુએ દશરથ અને શતરૂપાએ કૌશલ્યા રૂપમાં જન્મ લીધો. તેમને જે પુત્ર થયો તે ભગવાન સમાન જ હતા. નામ હતું- રામ.

સત્યેન્દ્ર દાસ કહે છે, 'રાજા દશરથને 3 રાણીઓથી તેમને ભગવાન રામ સહિત 4 પુત્રો થયા. ચારેય અયોધ્યામાં જ મોટા થયા. પછી જુવાનીમાં ભગવાન રામ શિક્ષા લેવા માટે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમ આવ્યા હતા.'

- Divya Bhaskar

ભગવાન રામે જ્યાં તાડકા વધ કર્યો હતો, તે વિસ્તાર આજે બિહારના બક્સર જિલ્લામાં આવેલું માનવામાં આવે છે. બક્સરમાં અમારી મુલાકાત પંડિત વિદ્યાશંકર ચૌબે સાથે થઈ. શંકર ચૌબે કહે છે, 'ત્રેતા યુગમાં બક્સરનું નામ બામનાશ્રમ હતું. અહીં ઋષિ-મહર્ષિઓનો ગઢ હતો. જો કે, તપોભૂમિ હોવા છતાં પણ રાક્ષસોનું ઝૂંડ ઋષિઓને હેરાન કરી રહ્યું હતું. યજ્ઞ કુંડમાં હાડકા, માંસના ટુકડા ફેંકી દેતા હતા.

મહર્ષિ વિશ્વામિત્રએ મહારાજા દશરથને આપવીતી જણાવી અને રામ-લક્ષ્મણને પોતાની સાથે બક્સર લઈ ગયા. ભગવાન રામે સૌથી પહેલા તાડકા રાક્ષીસનો વધ કર્યો. તાડકાનો વધ કરવા માટે ભગવાન રામ પર બ્રાહ્મણી હત્યાનો દોષ લાગ્યો હતો. જેના પશ્ચાત્તાપ માટે રામે બક્સરના રામરેખા ઘાટ પર ગંગા સ્નાન કર્યું. પછી રામ અને લક્ષ્મણનું મુંડન કર્યું હતું. આ પછી તેમના પરથી બ્રાહ્મણી હત્યાનો દોષ હટ્યો હતો.

અહિલ્યા ઉદ્ધાર તાડકા વૈધ પછી ભગવાન રામે પાંચ ઋષિઓના આશ્રમની યાત્રા કરી હતી. કહાની એવી છે કે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણને સીત સ્વયંવર જોવા જનકપુર લઈને જઈ રહ્યા હતા. રામ સૌથી પહેલા બિહારના દરભંગા જિલ્લાના અહિયારી ગામ પહોંચ્યા.

બિહાર રાજ્ય ધાર્મિક ન્યાય સમિત, દરભંગાના સચિવ હેમંત ઝા જણાવે છે, અહિયારી ગામ પહોંચવા પર રામે વિશ્વામિત્રને પૂછ્યું કે અહીંની જમીન પર પથ્થર કેમ છે? વિશ્વામિત્રએ રામને જણાવ્યું કે ઘણાં વર્ષોથી અહીં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. વિશ્વામિત્રએ કહેલી અહિલ્યાની કહાની સાંભળતા જ રામ સીધા અહિલ્યાના આશ્રમે પહોંચ્યા. તેમના ચરણ સ્પર્શથી જ અહિલ્યા ગૌતમ ઋષિએ આપેલા શ્રાપથી મુક્ત થઈ ગઈ.

મહિલા પંડિત કરે છે પૂજા અહિયારી ગામમાં અહિલ્યા માતાનું મંદિર આજે પણ છે. મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર મહિલા પંડિત જ પૂજા કરે છે. મંદિરના પંડિત રેખાદેવી મિશ્રા કહે છે, 'પહેલાં મારાં સાસુ અહીં પંડિત હતાં. તેઓ 105 વર્ષનાં છે, તેથી હવે મારી પુત્રવધૂ અહીં પંડિત છે. તે પોતાના પતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ ગઈ છે. તેથી જ હું આગામી કેટલાક મહિનાઓ માટે અહીં પંડિત છું. અહિલ્યા મા એક પરિણીત સ્ત્રી હતી. બધા પુરુષો તેમના પુત્રો જેવા હોય છે, તેથી તેઓ તેમના પર સિંદૂર અને બિંદી લગાવી શકતા નથી, તેથી ફક્ત સ્ત્રીઓ જ પૂજા કરાવે છે.

અહિયારી ગામમાં અહિલ્યા માતાનું મંદિર. આ મંદિરમાં માત્ર મહિલાઓ જ પૂજારી હોય છે. હાલમાં રેખાદેવી મિશ્રા અહીં પૂજા કરે છે. - Divya Bhaskar
અહિયારી ગામમાં અહિલ્યા માતાનું મંદિર. આ મંદિરમાં માત્ર મહિલાઓ જ પૂજારી હોય છે. હાલમાં રેખાદેવી મિશ્રા અહીં પૂજા કરે છે.

મંદિરની પાછળ અહિલ્યા કુંડ છે. તે અંગે વાત કરતાં અહીંના લોકોએ જણાવ્યું હતું કે તેમાં કુલ 5 તળાવો બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે આમાં સ્નાન કરવાથી શરીરના રોગો દૂર થાય છે. લોકો માને છે કે તળાવનો રસ્તો સીધો પાતાળ લોક તરફ જાય છે.

અહિયારી ગામમાં અહિલ્યા કુંડ - Divya Bhaskar
અહિયારી ગામમાં અહિલ્યા કુંડ

દરભંગા મહારાજે અહિલ્યા મંદિરની સામે બીજું પહેલિયા માનું મંદિર બનાવ્યું હતું. જેમાં ભગવાન રામની સાથે સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાન અને ગૌતમ ઋષિ પણ હાજર છે. આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. જો કે આ મંદિરની હાલત અત્યારે બહુ સારી નથી.

અહિલ્યા મંદિરથી લગભગ 3 કિમી દૂર ગૌતમ ઋષિનો આશ્રમ અને ગૌતમ કુંડ છે. જે આજે સિદ્ધ પીઠ મહર્ષિ ગૌતમ આશ્રમ તરીકે ઓળખાય છે. આશ્રમની બહાર જ ગૌતમ કુંડ છે. અહીં સાલ મહોત્સવ દરમિયાન લોકોની ભીડ જામે છે.

પંચકોશી યાત્રા રામ સૌ પ્રથમ અહિલ્યા આશ્રમ ગયા, જ્યાં તેમણે પુઆ-પકવાન ખાધા હતા. આ પછી તેઓ નારદ ઋષિના આશ્રમ નદવા ગયા. અહીં રામે ખીચડી ખાધી. નદવાથી નીકળ્યા પછી, તેઓ ભભુઆર ગામમાં ભાર્ગવ ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં તેમણે ચૂડા-દહીં ખાધું. પછી અહીંથી તેઓ ઉનાવ ગામમાં ઉદ્દાલક ઋષિના આશ્રમમાં ગયા અને સત્તૂ-મૂળી ખાધાં. આ પછી અંતે ભગવાન રામે આનંદમયમાં વિશ્વામિત્ર સ્થાન પર લિટ્ટી-ચોખા ખાધાં હતાં.

પંચકોશી યાત્રા દર વર્ષે બક્સરમાં પાંચ કોસ (15 કિમી)માં ફેલાયેલા આ ગામોમાં કરવામાં આવે છે, જ્યાં ભગવાન રામે વિવિધ વાનગીઓ ખાધી હતી. 5 દિવસ દરમિયાન, ભક્તો એ જ ખાય છે જે ભગવાન રામે ખાધું હતું. અહીંથી રામ સીતા સ્વયંવર માટે નેપાળના જનકપુર ગયા.

- Divya Bhaskar

નેપાળની રાજધાની કાઠમંડુથી 225 અને અયોધ્યાથી 518 કિલોમીટર દૂર જનકપુર આવેલું છે. આ શહેરની સૌથી પ્રખ્યાત જગ્યા છે જાનકી મંદિર. થોડુંક ચાલ્યા પછી આવે છે રંગભૂમિ. જાનકી મંદિર આવનારા લોકો રંગભૂમિ પણ જાય છે. એવું માનવામાં આવે છે કે આ જ જગ્યા પર ભગવાન રામે વિવાહની પહેલાં શિવજીનું પિનાક ધનુષ્ય તોડ્યું હતું. આ મોટું મેદાન છે, જેને ખાલી રખાયું છે.

એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર રામે લગ્ન પહેલાં શિવજીનું પિનાક ધનુષ્ય તોડ્યું હતું. આ એક મોટું મેદાન છે, જેને ખાલી રાખવામાં આવ્યું છે. - Divya Bhaskar
એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર રામે લગ્ન પહેલાં શિવજીનું પિનાક ધનુષ્ય તોડ્યું હતું. આ એક મોટું મેદાન છે, જેને ખાલી રાખવામાં આવ્યું છે.

જનકપુર ધામના કાર્યકારી મહંત રામરોશન દાસ કહે છે, રંગભૂમિ 12 વીઘાના નામથી પણ ઓળખાય છે. રામાયણ મુજબ, આ વિશાળ મેદાનમાં જ તમામ રાજા-મહારાજ માતા સીતા પાસે વિવાહની ઇચ્છા લઈને આવ્યા હતા. મેદાનથી ત્રણ કિલોમીટર દૂર મણિમંડપમાં સ્વયંવર થયો હતો.

મણિમંડપ રંગભૂમિ પછી અમે મણિમંડપ પહોંચ્યા ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલા મણિમંડપની સામે એક તળાવ હતું. મંદિરમાં રામ અને સીતાની સુંદર મૂર્તિઓ છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન રામ સહિત ચારેય ભાઈઓનાં લગ્ન થયાં હતાં. મંદિરમાં મહંતની ભૂમિકા ભજવી રહેલી રાજકુમારી દેવી કહે છે, 'રામાયણથી લઈને તમામ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ રામ અને સીતાનાં લગ્નનું સ્થળ છે. અહીં ફેરા થયા હતા. મંદિરની સામે તળાવ છે જ્યાં પગ ફેરાની રસમ થઈ હતી.'

મણિમંડપ વિશે એવું માનવામાં આવે છે કે રામ સહિત ચારેય ભાઈઓનાં લગ્ન આ સ્થાન પર થયાં હતાં. - Divya Bhaskar
મણિમંડપ વિશે એવું માનવામાં આવે છે કે રામ સહિત ચારેય ભાઈઓનાં લગ્ન આ સ્થાન પર થયાં હતાં.

ધનુષા ધામ મણિમંડપ પછી અમે ધનુષા ધામ પહોંચ્યા. ધનુષા ધામ જનકપુરથી 20 કિમી દૂર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શિવનું ધનુષ્ય તૂટી ગયું ત્યારે તેનો એક ભાગ અહીં પડ્યો હતો. પિનાક ધનુષ્યના અવશેષો આજે પણ અહીં પથ્થરના રૂપમાં હાજર છે. ધનુષા ધામના મહંત ભરતદાસના જણાવ્યા અનુસાર, 'પિનાક ધનુષ્ય મહર્ષિ દધીચિના અસ્થિમાંથી બનાવવામાં આવ્યું હતું. શિવે આ ધનુષ્ય પરશુરામને આપ્યું હતું અને પરશુરામે રાજા જનકને આપ્યું હતું. રામે તેને સ્વયંવરમાં તોડી નાખ્યું. ધનુષ્યનો જમણો ભાગ આકાશમાં ગયો, જે રામેશ્વરમમાં ધનુષકોડી તરીકે પ્રખ્યાત છે. ડાબો પાતાળ લોકમાં ગયો અને વચ્ચેનો ટુકડો અહીં પડ્યો.'

- Divya Bhaskar

મહંતનો દાવો છે કે પીપળનું ઝાડ જેની સાથે ધનુષ્ય જોડાયેલું છે તે પણ 550 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે. હવે આ ધનુષ્યની લંબાઈ પૂર્વ તરફ વધી રહી છે. લંબાઈ વધવાને કારણે અહીં મંદિર બનાવવાને બદલે માત્ર બ્લોક લગાવવામાં આવ્યા છે.

'અહીં એક તળાવ પણ છે, પાતાળગંગા. ધનુષ્ય પડ્યું ત્યારે તેના અવાજ સાથે જમીન ફાટી ગઈ. અમારા વિસ્તાર માટે આ સૂચક છે કે આ વખતે વરસાદ અને પાક કેવો રહેશે. તળાવનું સ્તર જેટલું ઊંચું હશે, તેટલો સારો પાક અને વરસાદ છે. તેનું પાણીનું સ્તર નીચે જવું અશુભ માનવામાં આવે છે.'

- Divya Bhaskar

સીતા સ્વયંવર પછી, દશરથ રામને રાજા બનાવવા માંગતા હતા, પરંતુ કૈકેયીએ તેમના માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. વનવાસમાં ગયા પછી, રામ સૌથી પહેલા શૃંગાવરપુર ધામ એટલે કે આજના પ્રયાગરાજ પહોંચ્યા. રામ અહીં નિષાદરાજને મળ્યા. રામે અહીં આરામ કર્યો અને પછી કેવટે રામ, સીતા અને લક્ષ્મણને નદી પાર કરવામાં મદદ કરી.

નદી પાર કરીને રામ જ્યાં પહોંચ્યા ત્યાં ભારદ્વાજ મુનિ તેમના આશ્રમમાં યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન રામ મહર્ષિ ભારદ્વાજની મુલાકાત લેવા અને તેમના આશીર્વાદ લેવા માંગતા હતા. ભારદ્વાજ આશ્રમના પૂજારી કલાનિધિ ગોસ્વામી કહે છે, 'મહર્ષિ ભારદ્વાજે રામને રોકાવા કહ્યું હતું, પરંતુ રામે કહ્યું હતું કે આ જગ્યા અયોધ્યાથી ખૂબ નજીક છે. અમે અહીં રહીશું તો લોકો અમને મળવા આવતા રહેશે. આ પછી જ ભારદ્વાજે તેમને ચિત્રકૂટ જવાની સલાહ આપી.'

રાવણનો વધ કરીને રામ અહીં પરત ફર્યા કલાનિધિ ગોસ્વામી કહે છે, 'જ્યારે રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફરી એકવાર મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં આવ્યા હતા. ભારદ્વાજ મુનિએ રામને કહ્યું હતું કે રાવણ બ્રાહ્મણ છે અને તેમના પર બ્રાહ્મણની હત્યાના પાપનો આરોપ છે. તેઓએ પહેલા સંગમની ત્રિવેણીમાં જઈને સ્નાન કરવું જોઈએ અને પછી જ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. રામ સ્નાન કરીને અંદર આવ્યા.

આશ્રમની આસપાસ લગભગ 80 મંદિરો છે. તેમાં બે ટનલ જેવી ગુફાઓ પણ છે. આમાં ભારદ્વાજ મુનિના ગુરુ યાજ્ઞવલ્ક્ય મુનિનો આશ્રમ છે. આ ગુફામાં યાજ્ઞવલ્ક્ય મુનિની નાની પ્રતિમા પણ છે. અહીં આવવા-જવાના અલગ-અલગ રસ્તા છે. બીજી ગુફાના ઉપરના ભાગમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ છે. પૂજારી કહે છે કે સીતાજીએ અહીં સોના અને ચાંદીનું દાન કર્યું હતું.'

- Divya Bhaskar

રામ વનવાસ માટે પહેલા ચિત્રકૂટ આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે રામે અહીં 12 વર્ષનો વનવાસ વિતાવ્યો હતો. જ્યારે રામ અહીં આવ્યા ત્યારે સૌથી પહેલા તેઓ ઋષિ વાલ્મીકિને મળ્યા અને પૂછ્યું કે તેમારે ક્યાં રહેવું જોઈએ. વાલ્મીકિએ જવાબ આપ્યો, "चित्रकूट गिरी करहु निवासु, जहा तुम्हार सब भात सुपासू". આ ચોપાઈ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખી છે.

ભરત રામને મનાવવા માટે ચિત્રકૂટ પહોંચ્યા હતા. તેઓ જ્યાં મળ્યા તે સ્થળ ભરત મિલાપ મંદિર તરીકે ઓળખાય છે. તે ચિત્રકૂટના કામદગિરી પરિક્રમા માર્ગથી પહોંચી શકાય છે. પરિક્રમાનો રૂટ 5 કિલોમીટર લાંબો છે. ખોહી ગામની પહેલાં ભરત મિલાપ મંદિર આવેલું છે.

આ મંદિરના પૂજારી શિવવરણ સિંહે કહ્યું, 'રામ 11 વર્ષ, 6 મહિના, 27 દિવસ સુધી ચિત્રકૂટમાં રહ્યા. સભા દરમિયાન ભરત અહીં પડ્યા ત્યારે રામે તેમને ઉપાડ્યા. આ સમય દરમિયાન, તેમના પગ, ધનુષ્ય અને ઘૂંટણના નિશાન આ ખડકોમાં બની ગયા હતા. આ નિશાનો આજે પણ હાજર છે.'

ભરત મંદિરના મહંત દિવ્ય જીવનદાસ મહારાજ કહે છે, 'તેમના વનવાસ દરમિયાન રામ અહીં આવ્યા હતા અને મંદાકિની નદીને પ્રણામ કરીને સ્નાન કર્યું હતું. મહર્ષિ અત્રિ મુનિના આશ્રમમાં ગયા, જ્યાં તેમની પત્ની સતી અનુસૂયાએ માતા સીતાને વસ્ત્રો આપ્યાં હતાં.'

- Divya Bhaskar

રામ, લક્ષ્મણ અને સીતા તેમના વનવાસ દરમિયાન પંચવટી આવ્યાં હતાં, જે આજના નાસિકમાં છે. પંચવટી ગોદાવરી નદીના કિનારે 5 કિમી સુધી વિસ્તરેલું છે. તેને તપોવન પણ કહેવાય છે. પંચવટી એટલે પાંચ વટવૃક્ષ. સીતા ગુફાથી પંચવટીની શરૂઆત થાય છે. સીતા અગ્નિકુંડ અંતિમ પડાવ છે.

સીતા ગુફા એવું માનવામાં આવે છે કે આ ગુફા રામની વિનંતી પર લક્ષ્મણે સીતા માટે બનાવી હતી. જ્યારે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું ત્યારે તેના બે ભાઈઓ ખર અને દુષણ અને 10 હજાર રાક્ષસો રામ અને લક્ષ્મણ સામે લડવા આવ્યા. ત્યારબાદ સીતાને સુરક્ષિત રાખવા માટે આ ગુફા બનાવવામાં આવી હતી. ગુફામાં પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ગુફાની ઊંચાઈ 2.5થી 3 ફૂટ છે. ગુફામાં બે રૂમ છે. પહેલા રૂમમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. બીજા રૂમમાં શિવલિંગ છે.

અહીંના પૂજારી મનોજ મહાજન કહે છે, 'રામ, સીતા અને લક્ષ્મણે તપોવનમાં ઘણો સમય વિતાવ્યો હતો. દંડકારણ્યનું જંગલ ખૂબ ગાઢ હતું, તેથી ગુફાને ઓળખવા માટે, રામે પાંચ વડનાં વૃક્ષો વાવ્યાં હતાં, જેથી તેઓ ક્યારેય ગુફા તરફ જવાનો રસ્તો ભટકી ન જાય. તેથી જ તેને પંચવટી કહેવામાં આવે છે.

સીતા ગુફામાં પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ગુફાની ઊંચાઈ 2.5થી 3 ફૂટ છે. અંદર બે રૂમ છે. પહેલા રૂમમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. બીજા રૂમમાં શિવલિંગ છે. - Divya Bhaskar
સીતા ગુફામાં પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ગુફાની ઊંચાઈ 2.5થી 3 ફૂટ છે. અંદર બે રૂમ છે. પહેલા રૂમમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. બીજા રૂમમાં શિવલિંગ છે.

પર્ણકુટી પર્ણકુટી તે જ જગ્યા છે, જ્યાં સીતાનું હરણ થયું હતું. અહીં પહોંચવાનો રસ્તો આજે પણ ગાઢ જંગલથી ઘેરાયેલો છે. પંડિત રોહિત રાજહંસ અને તેમના પિતા ઘણાં વર્ષોથી પર્ણકુટીની સેવા કરે છે. રોહિત કહે છે, 'સીતા પર્ણકુટીમાં રહેતાં હતાં. રાવણ સંન્યાસી બનીને ભિક્ષા માગવા આવ્યો હતો. આ જ જગ્યાએથી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો હતો. પર્ણકુટીની સામે ગોદાવરી નદીનો પાતળો પ્રવાહ વહી રહ્યો છે. ત્યાં લક્ષ્મણરેખા પણ છે. ત્રેતાયુગમાં અગ્નિરેખા અહીં હતી.'

ગોદાવરી નદી પર્ણકુટી પાસે વહે છે. - Divya Bhaskar
ગોદાવરી નદી પર્ણકુટી પાસે વહે છે.

લક્ષ્મણ શેષનાગ અવતાર લક્ષ્મણ મંદિર પર્ણકુટીથી થોડે દૂર છે. ભારતમાં લક્ષ્મણનું આ એકમાત્ર મંદિર છે જ્યાં તેમના શેષનાગ અવતારની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર લક્ષ્મણે શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખ્યાં હતાં. આ સ્થળ ગોદાવરી સંગમ પાસે છે. લક્ષ્મણે તેનું નાક કાપીને આ ગોદાવરી નદીમાં ફેંકી દીધું હતું. જેના કારણે નદીની બીજી બાજુએ બનેલું શહેર આજે 'નાસિક' કહેવાય છે.

રામતીર્થ માન્યતા છે કે આ તે જગ્યા છે, જ્યાં રામના કહેવા પર સીતા અગ્નિમાં વિલીન થઈ ગયાં હતાં. અહીં તેમનું માયા સ્વરૂપ પણ પ્રકટ થયું હતું અને વાસ્તવમાં રાવણે માયા સ્વરૂપનું જ હરણ કર્યું હતું. અહીંના પૂજારી વિનાયક દાસ કહે છે, 'અહીં ભગવાન રામ અને માતા સીતા સ્નાન કરવાં આવતાં હતાં. આ જ જગ્યા પર કપિલા નદી અને ગોદાવરી નદીનો સંગમ છે. રામચંદ્ર વનવાસે આવ્યા, ત્યારે તેમણે માતા સીતાને આદેશ આપ્યો હતો કે રાક્ષસોનો નાશ થાય ત્યાં સુધી તમારું મૂળ સ્વરૂપ અગ્નિમાં છુપાવી રાખો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સાક્ષી રાખી માતા સીતા અગ્નિમાં અદૃશ્ય થઈ ગયાં. રામે માતા સીતાનું માયાવી સ્વરૂપ બનાવ્યું. અગ્નિ દેવતાએ માતા સીતાના મૂળ સ્વરૂપને પાર્વતી મા પાસે રાખ્યું. માયાવી સ્વરૂપનું નામ વેદવતી હતું. વેદવતીને પંચવટીમાં પર્ણકુટીમાં રાખવામાં આવ્યાં હતાં. રાવણે આ જ માયાવી સીતાનું હરણ કર્યું હતું.'

- Divya Bhaskar

જ્યારે રાવણે સીતાહરણ કર્યું ત્યારે રામ બે મહિનાની યાત્રા પૂર્ણ કરીને કર્ણાટકના રામદુર્ગ પહોંચ્યા. રામ બેલગામથી લગભગ 90 કિમી અને રામદુર્ગથી 20 કિમી દૂર જંગલોમાં સીતાને શોધી રહ્યાં હતાં, આ દરમિયાન તેમની મુલાકાત શબરી સાથે થઈ.

આજે આ સ્થળ ‘શબરી કોલા’ અથવા ‘શબરી આશ્રમ’ તરીકે ઓળખાય છે. અહીં મા શબરીનું મંદિર પણ છે. નિવૃત્ત શાળાના શિક્ષક યતનૂર મંદિરની સેવા કરનારાઓમાં સામેલ છે. કન્નડમાં લખાયેલ Kumudendu Ramayanaને ટાંકતા તેઓ કહે છે, 'ભીલ સમુદાયમાંથી આવેલાં શબરીનું સાચું નામ 'શ્રમણા' હતું. તે હાલનાં છત્તીસગઢનાં રહેવાસી હતાં. શબરીનાં લગ્ન પહેલાં તેમનાં પિતાએ 200 પશુઓની બલિ ચઢાવી હતી. આ વાતથી શબરીને ગુસ્સો આવ્યો અને લગ્નના એક દિવસ પહેલાં જ તેમણે ઘર છોડી દીધું અને કર્ણાટકના દંડકારણ્ય જંગલમાં રહેવાં લાગ્યાં.

યતનૂરના જણાવ્યા મુજબ, 'શબરી માતંગ ઋષિની સેવા કરવા માગતાં હતાં, પરંતુ તે શક્ય ન હતું કારણ કે તે ભીલ જાતિનાં હતાં. તે ઋષિઓ પાસે જઈ શકતાં ન હતાં, પરંતુ તે વહેલી સવારે ઊઠીને આશ્રમ અને નદી તરફ જતો રસ્તો સાફ કરતાં. તે રસ્તામાંથી કાંટા ઉપાડતા અને ફૂલો પાથરી દેતાં. એક દિવસ ઋષિ માતંગે તેમને આમ કરતાં જોયાં. તે ખૂબ જ ખુશ હતા અને જ્યારે તેમની છેલ્લી ક્ષણો આવી ત્યારે તેમણે શબરીને બોલાવી અને તેમના આશ્રમમાં રામની રાહ જોવા કહ્યું. તે ચોક્કસપણે મળવા આવશે. શબરીએ 85 વર્ષની ઉંમર સુધી રામની રાહ જોઈ.

યતનૂર કન્નડ રામાયણમાંથી બીજી વાર્તા કહે છે. જે મુજબ, 'જ્યારે રામ મળ્યા, ત્યારે શબરીએ તેમને ખાવા માટે બોર આપ્યાં. તે આપતાં પહેલાં દરેક બોર ચાખતી હતી, જેથી રામ અને લક્ષ્મણને માત્ર મીઠા બોર મળે. લક્ષ્મણે શબરીનાં બોર ન ખાધાં. રાવણ સાથેના યુદ્ધ દરમિયાન જ્યારે તે મેઘનાદના બાણનો શિકાર થયા ત્યારે આ જ બોરમાંથી બનેલી સંજીવની જડીબુટ્ટી તેમના માટે ઉપયોગી બની હતી.

શબરીની ભક્તિથી પ્રસન્ન થઈને, રામે તેમને 9 નવધ ભક્તિ ઉપદેશ આપ્યા. આશીર્વાદ પછી, શબરીએ તેમનાં ચરણોમાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. શબરી જ્યોત સ્વરૂપે સ્વર્ગમાં ગઈ.

આશ્રમમાં હજારો વર્ષ જૂનું બોરનું ઝાડ શબરી આશ્રમમાં અમે મંદિરના પૂજારી સુવર્ણા પાટીલને મળ્યા. તેમણે કહ્યું કે આજે પણ આ જગ્યાએ સેંકડો વર્ષ જૂનું બોરનું ઝાડ છે. જો કે, લીલુંછમ હોવા છતાં ફળ આપતું નથી. તે છેલ્લાં 40 વર્ષથી દિવસમાં બે વખત શબરી માની મહાઆરતી કરે છે. તેમના પતિ મંદિરના ટ્રસ્ટી છે.

શબરી આશ્રમમાં સેંકડો વર્ષ જૂનું બોરનું ઝાડ છે. - Divya Bhaskar
શબરી આશ્રમમાં સેંકડો વર્ષ જૂનું બોરનું ઝાડ છે.

મંદિરના ગર્ભગૃહમાં શબરીનું રૌદ્ર સ્વરૂપ પણ છે મંદિરની બહારના ભાગમાં જ્યોતિ સ્તંભ પણ છે. અહીં લોકો તલનું તેલ ચઢાવે છે. આ તેલનો ઉપયોગ માની અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે કરવામાં આવે છે. અહીં શબરીને પાર્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં રૌદ્ર રૂપમાં દેવી શબરીની મૂર્તિ પણ છે. આમાં તેમના એક હાથમાં ત્રિશૂળ, એકમાં તલવાર, બીજામાં ડમરુ છે. તેમના એક પગ નીચે રાક્ષસનું માથું છે.

- Divya Bhaskar

બેંગલુરુથી 342 કિમી અને હોસ્પેથથી 20 કિમી દૂર હમ્પી અગાઉ કિષ્કિંધા શહેર તરીકે ઓળખાતું હતું. આ એ જ જગ્યા છે જ્યાં રામ અને સુગ્રીવ મળ્યા હતા અને બાદમાં રામે બાલીનો વધ કર્યો હતો. રામનાં નિશાન શોધતા અમે કર્ણાટકના રામદુર્ગથી હમ્પી પહોંચ્યા. શબરીને મળ્યા પછી રામ અને લક્ષ્મણ અહીં આવ્યા. અહીં અમે હમ્પીના ગાઇડ મંજુનાથ ગૌડાને મળ્યા. મંજુનાથ કર્ણાટક ગાઈડ એસોસિયેશનના પ્રમુખ પણ છે.

મંજુનાથના જણાવ્યા અનુસાર, 'વાલ્મીકિ રામાયણમાં કહેવામાં આવ્યું છે કે કિષ્કિંધા પર વાનર જાતિનું શાસન હતું. જ્યારે રામ અહીં પહોંચ્યા ત્યારે બાલી રાજા હતો. તેણે પોતાના ભાઈ સુગ્રીવને ગાદી પરથી હટાવી રાજ્યમાંથી હાંકી કાઢ્યો. સુગ્રીવ તેના મિત્ર હનુમાન સાથે માતંગ ટેકરી પર છુપાયેલો હતો. જ્યારે રામ અને લક્ષ્મણ આવ્યા, ત્યારે સુગ્રીવે વિચાર્યું કે બાલીએ તેમને મારવા મોકલ્યા છે. જો કે, હનુમાને તેમને ઓળખી લીધા. હનુમાન બંનેને પોતાના ખભા પર ઉઠાવીને સુગ્રીવને મળવા લાવ્યા. જ્યારે સુગ્રીવે સીતાને શોધવાનું વચન આપ્યું, ત્યારે રામે તેને રાજ્ય પાછું અપાવવાનું વચન આપ્યું.

- Divya Bhaskar

આ વિસ્તારમાં હજુ પણ એક ગુફા છે, જેને લોકો સુગ્રીવ ગુફા કહે છે. સુગ્રીવની ગુફા વિઠ્ઠલ મંદિરના માર્ગ પર તુંગભદ્રા નદીના કિનારે છે. ગુફાની બહાર, ઘણા મીટર લાંબા ખડકો પર એક અદ્ભુત જાડી રેખા છે. એવું માનવામાં આવે છે કે આ રેખા સીતા દ્વારા નીચે ફેંકવામાં આવેલા વસ્ત્રની નિશાની છે. અહીં જ રામ અને સુગ્રીવે બાલીનો વધ કરીને માતા સીતાને શોધવાની યોજના બનાવી હતી. આજે પણ ગુફામાં એક પથ્થર છે, જેના પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન કોતરેલાં છે.

જ્યારે રામે બાલીનો વધ કર્યો ત્યારે સુગ્રીવનો રાજ્યાભિષેક તુંગભદ્રા નદી પર થયો હતો. બાદમાં આ જગ્યા પર કોદંદરમ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં રામ અને સીતાની સાથે હનુમાનની નથી, પરંતુ સુગ્રીવની હાથ જોડેલી પ્રતિમા છે.. હમ્પીમાં અંજનેયા હિલ એ છે જ્યાં હનુમાનનો જન્મ થયો હતો. અહીં ઋષિમુખ પર્વત છે, જ્યાં હનુમાન રામ અને લક્ષ્મણને પહેલી વાર મળ્યા હતા.

કિષ્કિંધા એટલે કે હમ્પી પછી અમે ભારતના છેલ્લા છેડા રામેશ્વરમ પહોંચ્યા. હમ્પીથી રામેશ્વરમનું અંતર 953.4 કિલોમીટર છે. અહીં અમે વૈરાગી મઠના મહામંડલેશ્વર સીતારામ દાસને મળ્યા.

રામેશ્વરમમાં છેલ્લાં 40 વર્ષથી રહેતા સીતારામ દાસ કહે છે, 'લંકા પર વિજય મેળવવા માટે ભગવાન રામે આ સ્થાન પર દરિયાની રેતીમાંથી શિવલિંગ બનાવીને ભોલેનાથની પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રકાશના રૂપમાં પ્રગટ થયા અને રામને વિજય માટે આશીર્વાદ આપ્યા. તેમણે આ જગ્યાનું નામ ‘શ્રી રામેશ્વરમ’ રાખ્યું. આ પછી, પ્રભુ રામની વિનંતી પર તેમની અહીં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપના કરવામાં આવી.

સીતારામ દાસ આગળ કહે છે, 'ગંધમાદન પર્વત રામેશ્વરમ શહેરથી લગભગ દોઢ માઈલ ઉત્તર-પૂર્વમાં છે. હનુમાનજીએ આ પર્વત પરથી સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી. બાદમાં રામે લંકા પર ચઢાઈ કરવા માટે અહીં એક વિશાળ સેના તૈયાર કરી. આ પર્વત પર એક સુંદર મંદિર છે, જ્યાં શ્રી રામના પગનાં નિશાનની પૂજા કરવામાં આવે છે. તેને પાદુકા મંદિર કહેવામાં આવે છે.

ધનુષકોડી અને રામસેતુ રામેશ્વરમ પછી અમે ધનુષકોડી તરફ આગળ વધ્યા. અહીં અમે પંડિત ચંદ્રશેખર શર્માને મળ્યા. ચંદ્રશેખરના પિતા, તમિલ ધાર્મિક સાહિત્યના વિદ્વાન, રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી હતા. ચંદ્રશેખરે જણાવ્યું કે અહીંથી લગભગ 22 કિલોમીટર દૂર ભારતના છેલ્લા રસ્તાના છેડે ધનુષકોડી એક સુંદર શંખ આકારનો ટાપુ છે જે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો છે.

કહેવાય છે કે લંકા પર હુમલો કરતા પહેલાં ભગવાન રામે અહીંથી એક પથ્થરનો પુલ બનાવ્યો હતો, જેના પર ચડીને વાનર સેના લંકા પહોંચી હતી. બાદમાં વિભીષણની વિનંતી પર રામે આ રામસેતુ તોડી નાખ્યો. 18 કિલોમીટર લાંબા પુલના અવશેષો હજુ પણ દરિયામાં જોવા મળે છે.

ધનુષકોડી ચક્રવાતમાં બરબાદ થઈ ગયો 1964ના ચક્રવાત પહેલાં, ધનુષકોડી એક ઊભરતું પ્રવાસન અને તીર્થ સ્થળ હતું. અહીંથી સિલોન (હવે શ્રીલંકા)નું અંતર માત્ર 18 માઈલ છે. તેમાંથી હવે 3 માઈલ ભારતમાં છે અને 15 માઈલ શ્રીલંકામાં છે. 1964 પહેલાં, શ્રીલંકાના ધનુષકોડી અને થલાઈમન્નાર વચ્ચે ઘણી સાપ્તાહિક ફેરી સેવાઓ મુસાફરો અને માલસામાનનું વહન કરતી હતી.

તે દરમિયાન અહીં એક રેલવે સ્ટેશન પણ હતું, જે 1964ના ચક્રવાતમાં નાશ પામ્યું હતું. તે દિવસોમાં અહીં એક હોટેલ, કપડાંની દુકાનો અને ધર્મશાળાઓ, એક નાની રેલવે હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને મત્સ્ય વિભાગની ઓફિસ પણ હતી. આ બધું પણ ચક્રવાતમાં નાશ પામ્યું હતું. રામેશ્વરમ આવતા મોટાભાગના પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે ચોક્કસ આવે છે.

જ્યારે હનુમાનને લંકામાં સીતા મળ્યાં, ત્યારે તેઓ રામને જાણ કરવા રામેશ્વરમ પાછા ફર્યા. લંકા બાળતા પહેલાં સીતાએ તેમને પોતાનો ચૂડામણિ આપ્યો હતો. રામ તે પરથી ઓળખી શક્યા કે હનુમાન જે વ્યક્તિને મળ્યા તે સીતા હતાં. રામસેતુ દ્વારા સમુદ્ર પાર કર્યા પછી, રામની સેનાએ સુબેલ પર્વત પર પડાવ નાખ્યો હતો. વિભીષણ અહીં રામને મળવા આવ્યા હતા.

માન્યતા અનુસાર, શ્રીલંકામાં હાજર દુનુવિલા તે સ્થાન છે જ્યાંથી રામે રાવણ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. શ્રીલંકામાં જ્યાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું તે સ્થળ યુદ્ધગણવ તરીકે ઓળખાય છે. રામાયણની કથા અનુસાર, યુદ્ધ પછી રાવણના બ્રાહ્મણ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે પણ રાવણનું શરીર ગુફાઓમાં હોવાનું માનવામાં આવે છે શ્રીલંકામાં અન્ય એક પ્રચલિત વાર્તા એ છે કે નાગા જાતિના લોકોએ રાવણના શરીરને કેટલીક જડીબુટ્ટીઓની પેસ્ટ લગાવીને સુરક્ષિત કર્યું હતું. રાવણના શરીરને કેટલીક ઊંડી ગુફાઓમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. તેમનું માનવું હતું કે જો સંજીવની ઔષધિની મદદથી લક્ષ્મણને જીવિત કરી શકાય છે, તો રાવણને પણ એ જ ઔષધિઓથી જીવિત કરી શકાય છે.

એવો દાવો કરવામાં આવે છે કે રાવણના નશ્વર અવશેષો હજુ પણ આ ગુફાઓમાં મમીના રૂપમાં સચવાયેલા છે.

રગ્ગાલા ગુફાઓમાં રાવણનો ખજાનો રગ્ગાલા કોલંબોથી લગભગ 200 કિલોમીટર દૂર એક નાનું શહેર છે. આજકાલ, આ શહેર તેના ચાના બગીચા માટે પ્રખ્યાત છે, પરંતુ આ સુંદર ખીણોમાં રાવણ સાથે જોડાયેલાં ઘણાં રહસ્યો હજુ પણ જીવંત છે.

શ્રીલંકન સરકારના દસ્તાવેજો અનુસાર, આજે જ્યાં નાની વસાહતો છે, ત્યાં એક સમયે રાવણનો આલીશાન મહેલ હતો. કહેવાય છે કે આ ગુફાઓમાં રાવણનો ખજાનો છુપાયેલો છે.

એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર રાવણનો મહેલ હતો.

અશોક વાટિકા અને નાગદ્વીપ વાલ્મીકિ રામાયણ અનુસાર, રાવણે માતા સીતાનું પંચવટીમાંથી અપહરણ કર્યું હતું અને તેમને અશોક વાટિકામાં લઈ આવ્યા હતા. હવે આ જગ્યા 'સેતા એલિયા' તરીકે ઓળખાય છે. તે નુવારા એલિયા નામની જગ્યા પાસે છે. અહીં સીતાજીનું મંદિર છે. નજીકમાં એક ધોધ પણ વહે છે. એવું માનવામાં આવે છે કે દેવી સીતા અહીં સ્નાન કરતાં હતાં.

નાગદ્વીપ આ ધોધની બરાબર નજીક છે. કહેવાય છે કે હનુમાનજીએ તેમનું પહેલું પગલું અહીં જ મૂક્યું હતું. સિંધલી ભાષામાં તેને પાવલા મલાઈ કહેવામાં આવે છે. આ પર્વત લંકાપુરા અને અશોક વાટિકા વચ્ચે છે.

સંશોધન બાદ નાગદ્વીપમાં વિશાળકાય પગના નિશાન મળ્યા, જેને હનુમાનના પગના નિશાન માનવામાં આવે છે.

જ્યાં સીતાનાં આંસુ પડ્યાં જ્યારે રાવણ સીતાનું હરણ કરીને તેમને લંકા લાવ્યો ત્યારે જ્યાં તેમનાં આંસુ પડ્યાં તે સ્થળને 'સીતા અશ્રુ તાલ' કહેવામાં આવે છે. આ સ્થળ શ્રીલંકાના કેન્ડીથી લગભગ 50 કિલોમીટર દૂર નામ્બારા એલિયા રોડ પર સ્થિત છે. જ્યારે ઉનાળામાં આસપાસના તળાવો સુકાઈ જાય છે, ત્યારે પણ તે સુકાતું નથી. ખાસ વાત એ છે કે તેની નજીક આવેલા તળાવનું પાણી મીઠું છે, પરંતુ આ તળાવનું પાણી ખારું છે.

જ્યાં સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી એવું પણ કહેવાય છે કે શ્રીલંકામાં વેલીમાડા નામના સ્થળે દિવરુમપાલા મંદિર છે. અહીં માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી. સ્થાનિક લોકો આ સ્થળે સુનાવણી કરીને ન્યાય આપવાનું કામ કરે છે.

એવું માનવામાં આવે છે કે જેમ આ સ્થાન પર દેવી સીતાએ સત્ય સાબિત કર્યું હતું, તેવી જ રીતે અહીં લેવામાં આવેલ દરેક નિર્ણય સાચો સાબિત થાય છે. શ્રીલંકાના સિંહાલમાં વેરાગનાટોટા વિશે કહેવાય છે કે રાવણનું પુષ્પક વિમાન અહીં ઊતર્યું હતું. આ જગ્યા આજે પણ છે.