શબ્દ જ્ઞાન :- ફદિયું
તળપદી ભાષામાં ફદિયું શબ્દનો ઉપયોગ થતો. હવે આ શબ્દ વિસરાતો ગયો છે. હવે વ્યવહારમાં નથી. ફદિયું એટલે પૈસો, ચાર પાઇ, ગળી ભાખરી. દોલત, ધન, નાણું શબ્દ પૈસા માટે વપરાય છે. ચલણમાં હોય તે સિક્કાને ચલણી નાણું કહેવાય.
પૈસો શબ્દ વ્યવહારમાં અવાર નવાર વપરાય છે. પૈસા ઉડાડવા, પૈસા ઉડાડી જવું, પૈસા કૂદવા, પૈસા ઉપજવા, કિંમત, નાણાભીડ, ફૂગાવો, વિગેરે. અલગ અલગ જગ્યાએ તે અલગ અલગ નામે ઓળખાય છે. ભણતર માટે આપવામા આવે તેને ‘ફી’ કહેવાય. કામ કે નોકરીના બદલામાં ચૂકવાય તેને ‘પગાર’ કહેવાય. ધર્મ પાછળ વપરાય ત્યારે ‘ધર્માદા’, બ્રાહ્મણને અપાતા દાનને ‘દક્ષિણા’, પુષ્ટિમાર્ગમાં ‘ન્યોછાવર’. ખરીદતી વખતે ચૂકવેલા મૂલ્ય, બદલો કે વળતરને ‘કિંમત’ કહેવાય. દલાલ તરીકેના મહેનતાણાને ‘દલાલી’ કે ‘કમીશન’ કહેવાય. ભાડા માટે ચૂકવાય તેને ‘ભાડુ’, નાણાં ધીરે ત્યારે ‘વ્યાજ’, વીમા કંપની ચૂકવે તેને ‘વળતર’. તાબેદારી સ્વીકારી, તે પેટે રકમ આપે તેને ‘ખંડણી’ કહેવાય. ગેરકાયદેસર કામ કઢાવવા માટે આપવામાં આવે તેને ‘કટકી’ કહેવાય. શાખપત્ર, અવેજ, આડત, વટાવ, હૂંડી, શરાફ, ધીરાણ, દ્રવ્ય, પૂંજી, રોકડ, વિગેરે પૈસાનાં સ્વરૂપો છે. ‘કાળુ નાણું’ પણ હોય અને ‘સફેદ નાણુ’ પણ હોય. ભારતમાં નોટબંધી વખતે, કાળુ નાણુ છૂપાવનાર અનેક લોકો બેનકાબ બન્યા હતા.
પૈસો એટલે લક્ષ્મી. જે સ્વભાવે ચંચળ હોય છે. જેની પાસે લક્ષ્મી હોય તે લક્ષ્મીપતિ કહેવાય. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. તે કયા રસ્તે આવે છે તે અગત્યનું છે. એમ કહેવાય છે કે લક્ષ્મી જેવા રસ્તે આવે તેવે રસ્તે જાય છે. કોઇ રાતોરાત લક્ષ્મી ગુમાવીને રોડપતિ થાય છે તો કોઇ રાતોરાત લક્ષ્મી મેળવીને કરોડપતિ બને છે. પૈસો હંમેશા તેનો રંગ બતાવે જ છે. સંસ્કારી અને વિવેકી ગર્ભશ્રીમંત પૈસાને પચાવી શકે છે બાકી સહેલાઇથી આવેલો પૈસો ઝાઝુ ટકતો નથી. કેટલાંક પૈસાને પરમેશ્વર માને છે. પૈસો ના હોય તેને કંગાળ કહેવામાં આવે છે. પૈસાને કારણે માણસ સ્વભાવે લોભી, કરકસરવાળો, કંજૂસ કે ઉદાર બને છે. શૂન્યમાંથી એક કરવો અઘરો છે પરંતુ એકમાંથી અનેક કરવા સહેલા છે. પૈસો પૈસાને ખેંચે છે. મનુષ્ય હંમેશા પુણ્યનો હિસાબ રાખે છે. કોઇને એકાદ ફદિયું આપ્યુ હોય તો યાદ રાખે છે પણ પાપ કે ભોગવિલાસમાં કેટલું ખર્ચ કરે છે તેનો હિસાબ રાખતો નથી. પૈસાની અસર પારીવારિક સંબંધો પર તેમજ દેશના અર્થતંત્ર પર પડે છે. પરાપૂર્વથી અમીરો અને ગરીબો વચ્ચે આર્થિક અસામનતા ચાલી આવી છે. ઝૂંપડામાં વસતા દીન-દુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક જરૂરીઆતો પણ મળતી નથી ત્યારે કવિ કરશનદાસ માણેકની, ‘આવું શાને થાય છે?’ રચનામાં વ્યથા વ્યક્ત થાય છે, ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે!’ સમાજની આ વાસ્તવિક્તા છે.
એ જાણીતું છે કે મરતી વખતે સમ્રાટ સિકંદરની ઇચ્છા હતી કે, ‘તેના જનાજાની આગળ પાછળ રસ્તા પર સિક્કા વેરજો જેથી દુનિયાને ખબર પડે કે પૈસાની કોઇ જ કિંમત નથી, તે મરતાને બચાવી શકતો નથી.’ કારણકે પૈસો તેને એક ઉછીનો શ્વાસ આપી શકે તેમ ન હતો. તેની બીજી ઇચ્છા હતી કે ‘તેના બન્ને હાથ જનાજાની બહાર રાખે’ જેથી લોકોને ખબર પડે કે આખી દુનિયાને જીતનાર સમ્રાટને પણ ખાલી હાથે જવું પડે છે.
આ બધુ જાણવા છતાં આખી જીન્દગી મનુષ્ય ફદિયા પાછળ દોડતો રહે છે. બુધ્ધિશાળી માણસ આ અજ્ઞાનતામાં જીવે છે. તેનું પણ કારણ છે, ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’, આ કહેવત સૌ જાણે છે. ફદિયાંમા એટલી તાકાત છે કે પહેલાં તેને મેળવવા માટે માનવ તેની જાત ઘસી નાંખે છે, સ્વાસ્થ્ય કથળતુ જાય છે અને પછી કમાયેલો એજ પૈસો તે સ્વાસ્થ્યને પાછું મેળવવા માટે ખર્ચી નાંખે છે. આ તો છે સમયની વક્રતા! પૈસો હાથનો મેલ છે છતાં એક વાત તો સાચીજ છે કે ફદિયું એટલે કે ‘પૈસો બોલે છે!’
✍– કલ્પના રઘુ
પૈસો શબ્દ વ્યવહારમાં અવાર નવાર વપરાય છે. પૈસા ઉડાડવા, પૈસા ઉડાડી જવું, પૈસા કૂદવા, પૈસા ઉપજવા, કિંમત, નાણાભીડ, ફૂગાવો, વિગેરે. અલગ અલગ જગ્યાએ તે અલગ અલગ નામે ઓળખાય છે. ભણતર માટે આપવામા આવે તેને ‘ફી’ કહેવાય. કામ કે નોકરીના બદલામાં ચૂકવાય તેને ‘પગાર’ કહેવાય. ધર્મ પાછળ વપરાય ત્યારે ‘ધર્માદા’, બ્રાહ્મણને અપાતા દાનને ‘દક્ષિણા’, પુષ્ટિમાર્ગમાં ‘ન્યોછાવર’. ખરીદતી વખતે ચૂકવેલા મૂલ્ય, બદલો કે વળતરને ‘કિંમત’ કહેવાય. દલાલ તરીકેના મહેનતાણાને ‘દલાલી’ કે ‘કમીશન’ કહેવાય. ભાડા માટે ચૂકવાય તેને ‘ભાડુ’, નાણાં ધીરે ત્યારે ‘વ્યાજ’, વીમા કંપની ચૂકવે તેને ‘વળતર’. તાબેદારી સ્વીકારી, તે પેટે રકમ આપે તેને ‘ખંડણી’ કહેવાય. ગેરકાયદેસર કામ કઢાવવા માટે આપવામાં આવે તેને ‘કટકી’ કહેવાય. શાખપત્ર, અવેજ, આડત, વટાવ, હૂંડી, શરાફ, ધીરાણ, દ્રવ્ય, પૂંજી, રોકડ, વિગેરે પૈસાનાં સ્વરૂપો છે. ‘કાળુ નાણું’ પણ હોય અને ‘સફેદ નાણુ’ પણ હોય. ભારતમાં નોટબંધી વખતે, કાળુ નાણુ છૂપાવનાર અનેક લોકો બેનકાબ બન્યા હતા.
પૈસો એટલે લક્ષ્મી. જે સ્વભાવે ચંચળ હોય છે. જેની પાસે લક્ષ્મી હોય તે લક્ષ્મીપતિ કહેવાય. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. તે કયા રસ્તે આવે છે તે અગત્યનું છે. એમ કહેવાય છે કે લક્ષ્મી જેવા રસ્તે આવે તેવે રસ્તે જાય છે. કોઇ રાતોરાત લક્ષ્મી ગુમાવીને રોડપતિ થાય છે તો કોઇ રાતોરાત લક્ષ્મી મેળવીને કરોડપતિ બને છે. પૈસો હંમેશા તેનો રંગ બતાવે જ છે. સંસ્કારી અને વિવેકી ગર્ભશ્રીમંત પૈસાને પચાવી શકે છે બાકી સહેલાઇથી આવેલો પૈસો ઝાઝુ ટકતો નથી. કેટલાંક પૈસાને પરમેશ્વર માને છે. પૈસો ના હોય તેને કંગાળ કહેવામાં આવે છે. પૈસાને કારણે માણસ સ્વભાવે લોભી, કરકસરવાળો, કંજૂસ કે ઉદાર બને છે. શૂન્યમાંથી એક કરવો અઘરો છે પરંતુ એકમાંથી અનેક કરવા સહેલા છે. પૈસો પૈસાને ખેંચે છે. મનુષ્ય હંમેશા પુણ્યનો હિસાબ રાખે છે. કોઇને એકાદ ફદિયું આપ્યુ હોય તો યાદ રાખે છે પણ પાપ કે ભોગવિલાસમાં કેટલું ખર્ચ કરે છે તેનો હિસાબ રાખતો નથી. પૈસાની અસર પારીવારિક સંબંધો પર તેમજ દેશના અર્થતંત્ર પર પડે છે. પરાપૂર્વથી અમીરો અને ગરીબો વચ્ચે આર્થિક અસામનતા ચાલી આવી છે. ઝૂંપડામાં વસતા દીન-દુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક જરૂરીઆતો પણ મળતી નથી ત્યારે કવિ કરશનદાસ માણેકની, ‘આવું શાને થાય છે?’ રચનામાં વ્યથા વ્યક્ત થાય છે, ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે!’ સમાજની આ વાસ્તવિક્તા છે.
એ જાણીતું છે કે મરતી વખતે સમ્રાટ સિકંદરની ઇચ્છા હતી કે, ‘તેના જનાજાની આગળ પાછળ રસ્તા પર સિક્કા વેરજો જેથી દુનિયાને ખબર પડે કે પૈસાની કોઇ જ કિંમત નથી, તે મરતાને બચાવી શકતો નથી.’ કારણકે પૈસો તેને એક ઉછીનો શ્વાસ આપી શકે તેમ ન હતો. તેની બીજી ઇચ્છા હતી કે ‘તેના બન્ને હાથ જનાજાની બહાર રાખે’ જેથી લોકોને ખબર પડે કે આખી દુનિયાને જીતનાર સમ્રાટને પણ ખાલી હાથે જવું પડે છે.
આ બધુ જાણવા છતાં આખી જીન્દગી મનુષ્ય ફદિયા પાછળ દોડતો રહે છે. બુધ્ધિશાળી માણસ આ અજ્ઞાનતામાં જીવે છે. તેનું પણ કારણ છે, ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’, આ કહેવત સૌ જાણે છે. ફદિયાંમા એટલી તાકાત છે કે પહેલાં તેને મેળવવા માટે માનવ તેની જાત ઘસી નાંખે છે, સ્વાસ્થ્ય કથળતુ જાય છે અને પછી કમાયેલો એજ પૈસો તે સ્વાસ્થ્યને પાછું મેળવવા માટે ખર્ચી નાંખે છે. આ તો છે સમયની વક્રતા! પૈસો હાથનો મેલ છે છતાં એક વાત તો સાચીજ છે કે ફદિયું એટલે કે ‘પૈસો બોલે છે!’
✍– કલ્પના રઘુ
0 Comments