લોકડાઉનના વૃંદાવનમાં PART-14
શહેરની એક નામાંકિત શાળામાં પ્રોગ્રામ હતો. એક વક્તા આવ્યા હતા. તેમણે પોતાનાં વકતવ્ય દરમ્યાન બાળકોને એક પ્રશ્ન પૂછ્યો, "તમને શાળામાં આવવાનો બેલ વાગે એ ગમે છે કે શાળા છૂટવાનો બેલ વાગે એ ગમે છે ?" વિદ્યાર્થીઓ તરફથી દરિયાના વિશાળ મોજાં જેવો જવાબ આવ્યો, "છૂટવાનો બેલ !" વક્તાએ હવે નિરાશ ચહેરાવાળા શિક્ષકો તરફ નજર કરી પૂછ્યું, "આપને સ્કૂલ ચાલુ હોય ત્યારે ગમે કે સ્કૂલ બંધ હોય ત્યારે ગમે ?" લૉ વોલ્યુમમાં જવાબ મળ્યો, "સ્કૂલ બંધ હોય ત્યારે !" હવે વક્તાએ વિશાળ વાલી સમુદાય તરફ મુખ ફેરવ્યું. "તમને શું ગમે ?" વાલીઓએ હાથ ઊંચા કરી જણાવ્યું,"અમને તો સ્કૂલ ચાલુ હોય એ જ ગમે છે !"
શાળા કાલ્પનિક છે, વક્તા કાલ્પનિક છે, પ્રોગ્રામ કાલ્પનિક છે પણ જવાબો એ આજની કડવી હકીકત છે. એકવાર એક શાળાનાં બાળકોને અંગત રીતે પૂછવામાં આવ્યું," તમે તમારાં શિક્ષકોને તેમની ગેરહાજરીમાં કયા હૂલામણા નામે બોલાવો છો ? ગભરાશો નહી. આ વાત આપણી વચ્ચે જ રહેશે." જવાબો સાંભળો- ગબ્બર, ફૂલનદેવી, પ્રિયંકા ચોપરા, વિરપ્પન, ઘોંચું, છોટા ભીમ વગેરે...વગેરે....કાળજું કંપી ગયું. એક, માત્ર એક શિક્ષકનું નામ ન્યૂટન, વિવેકાનંદ, કલામ, લક્ષ્મીબાઈ નથી મળતું. આમાં વાંક કોનો ? બાળકોના ચારિત્ર્યનો કે ગુરૂજનોના માનસિકતાનો ?
બર્ક નામનાં મનોવૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર "બાળ મનોવિજ્ઞાન" શબ્દનો પ્રયોગ કર્યો. સંસારમાં સૌ પ્રથમ પેસ્ટોલોજીએ બાળકોનાં વ્યવહારનું વૈજ્ઞાનિક પધ્ધતિથી અધ્યયન કર્યું. તેમણે પોતાનાં સાડા ત્રણ વર્ષનાં બાળકનાં વ્યવહારનું અધ્યયન કરી એક પુસ્તક લખ્યું "બેબી બાયોગ્રાફી". તેમાં જણાવ્યું કે એક વયસ્ક વ્યક્તિ અને એક બાળકનો વ્યવહાર અલગ હોય છે. સ્ટેનલી હૉલ નામનાં મનોવૈજ્ઞાનિકે બાળકોની તમામ અવસ્થાઓનો ઊંડો અભ્યાસ કરી પહેલી વખત બાળ મનોવિજ્ઞાનની પ્રશ્નાવલી તૈયાર કરી. આથી તેને બાળ મનોવિજ્ઞાનનો જનક કહેવામા આવે છે.
રેલ્વે ટેકનોલોજીમાં એક વાત શીખવવામાં આવે છે કે એન્જિન ગમે તેટલું દમદાર હોય, પાટા ગમે તેટલાં મજબૂત હોય, સિગ્નલ સિસ્ટમ અત્યાધુનિક હોય, સેફ્ટીના તમામ સાધનો હોય છતાં જો ટ્રેનમાં આગળ રહેલ ડ્રાઈવર અકુશળ હોય અને ટ્રેનમાં પાછળ રહેલ ગાર્ડ ગાફેલ હોય એ ટ્રેન ગમે ત્યારે અકસ્માતગ્રસ્ત થશે, થશે ને થશે જ. આગળના એન્જિન અને પાછળના ગાર્ડના ડબ્બાની વચ્ચેના તમામ મુસાફરો પર જોખમ તોળાયેલું રહેશે. એન્જિન એટલે માતા-પિતા અને ગાર્ડ એટલે શિક્ષક.
દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન.....એક સમય હતો કે જ્યાં ભૂલ કરતાં દિકરો ડરતો હતો અને આજે એવો સમય છે કે જ્યાં ભૂલ કાઢતા બાપ ડરી રહ્યો છે ! બાય ડિફોલ્ટ મોબાઈલ સાથે જન્મેલી પેઢી સંસ્કારો અને પરંપરાઓનો કચ્ચરઘાણ વાળી રહી છે. નવી પેઢીને ઉતારી પાડવાનો કોઈ ઈરાદો નથી. બસ, એટલું સમજાય છે કે કોઈનામાં સહેજ પણ બુધ્ધિ ન હોય એ સારું, કોઈનામાં થોડીક બુધ્ધિ હોય એ પણ સારું પણ કોઈનામાં ઘણી બુધ્ધિ હોય અને તે પાછી વિકૃત થયેલી હોય તે કોઈ સંજોગોમાં સારું ન કહી શકાય.
માં-બાપો પોતાના નાનાં બાળકોનાં હાથમાં ચપ્પુ, સોય, અણીદાર વસ્તુ આવી જાય તો તરત જ લઈ લે છે. કારણ કે આ વસ્તુઓ તેના શરીરને ભયંકર નુકશાન પહોંચાડી શકે છે. "મોબાઈલ" વિષે તમારો શું અભિપ્રાય છે ? એ તો તમારાં બાળકની માનસિકતા, સંસ્કાર, ભણતર તમામને અતિ ભયંકર નુકશાન પહોંચાડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મોબાઈલના કેટલાક ફાયદા છે. એમ તો ઝેર, આગ, અને હથિયારોના પણ ફાયદા છે જ ને ! છતાં આપણે તેનો જરૂર પૂરતો અને મર્યાદિત ઉપયોગ કરીએ છીએ.
પાંચ વર્ષનું બાળક હતું. એક દિવસ તેના પિતા તેના માટે હોકાયંત્ર લાવ્યાં. બાળકને એ ડબ્બી ગમી ગઈ. એ દિવસ-રાત એને જ જોતો રહેતો. ધીમે-ધીમે એ બાળકને આ હોકાયંત્રમાં રસ પડ્યો. એનાં મગજમાં એ વાત આવી કે આ યંત્રને ગમે તેટલું હલાવું છુ પણ થોડીવાર પછી તેની સોય ઉતર-દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આવું કેમ થાય છે ? આનું શું કારણ હોઈ શકે ? શું બધાં હોકાયંત્રમાં આવું જ થતું હશે ? આ શા કામમાં આવતું હશે ? એ નાનકડાં બાળકનાં મનમાં પ્રશ્નોનાં ફણગાં ફૂટયા. તેને આમાં રસ પડ્યો. આખરે એ બાળક મોટો થઈને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નામે જગમશહૂર થયો. તેણે કબૂલ્યું કે આ હોકાયંત્રએ તેને વિજ્ઞાનમાં રસ લેતો કર્યો હતો.
બાળકને નાનપણમાં શું રમવા આપવું ? એની પણ વિચારણા કરવા જેવી છે. ક્યારેય બાળક બગડતું નથી, તેના માં-બાપ તેને બગાડે છે. એક ભૂંડને નિયત્રણમાં ન રાખો તો ચાલે કેમકે તે શું બનશે એ આખા જગતને ખબર છે પણ એક બાળક પર નિયંત્રણ ન રાખો તો .....કેમકે તેનામાં સાધુ અને શેતાન બંને બનવાની સંભાવનાઓ છે. જેનામાં આ બંને સંભાવનાઓ પડી હોય તેને નિયંત્રણમાં રાખવા જ પડે. નિયંત્રણનો અર્થ તેનો વિકાસ રૂંધવાનો નથી.
આપણી 'આન્ટી લેન્ગ્વેજ' અંગ્રેજીમાં બે સરસ શબ્દો મળી આવ્યા છે. ગ્રોથ અને ડેવલપમેન્ટ. ગ્રોથ એટલે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. ત્રણ ફૂટ અને વીસ કિલો વજનનું શરીર પાંચ ફૂટ અને પંચાવન કિલોનું થઈ જાય એને વૃધ્ધિ કહેવાય. જ્યારે શરીરની સાથે માનસિક, સામાજિક, ભાષાકીય એમ તમામ પ્રકારની વૃદ્ધિ થાય એને વિકાસ કહેવાય. જંગલમાં આડેધડ ઊગી નીકળેલું ઘાસ એ વૃદ્ધિ છે અને બગીચામાં માળીએ સમજણપૂર્વક ઉગાડેલું ઘાસ એ વિકાસ છે. વૃદ્ધિ એ આંકડાઓની માયાજાળ છે ને વિકાસ એ ક્વોલિટીઓનું ગ્રાન્ડ ટોટલ છે.
માણસમાં સદ-બુધ્ધિ હોય એ અનિવાર્ય છે. જો ન હોય તો આગ્રહ-બુધ્ધિની જરૂર પડે. તમે તમારી કાર યોગ્ય ઝડપે ચાલાવો એ તમારી સદ-બુધ્ધિ છે. જો અમર્યાદિત સ્પીડે ચલાવો તો એ કુબુધ્ધિ છે. હવે આ કુબુધ્ધિને નિયંત્રણમાં લાવવા આગ્રહ-બુધ્ધિનો ઉપયોગ કરવો પડે. આગ્રહ-બુધ્ધિ એટલે રસ્તા પરની સિગ્નલ સિસ્ટમ, ટ્રાફિક પોલીસ. આગ્રહ-બુધ્ધિથી મુશ્કેલી અને નુકશાનને ઓછું કરી શકાય છે. જેઓ મૃત્યુ પામ્યાં છે પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને જેઓ હજુ જીવે છે પ્રભુ એમને સદ્બુદ્ધિ આપે !!!
જે.કે.સાંઈ
શાળા કાલ્પનિક છે, વક્તા કાલ્પનિક છે, પ્રોગ્રામ કાલ્પનિક છે પણ જવાબો એ આજની કડવી હકીકત છે. એકવાર એક શાળાનાં બાળકોને અંગત રીતે પૂછવામાં આવ્યું," તમે તમારાં શિક્ષકોને તેમની ગેરહાજરીમાં કયા હૂલામણા નામે બોલાવો છો ? ગભરાશો નહી. આ વાત આપણી વચ્ચે જ રહેશે." જવાબો સાંભળો- ગબ્બર, ફૂલનદેવી, પ્રિયંકા ચોપરા, વિરપ્પન, ઘોંચું, છોટા ભીમ વગેરે...વગેરે....કાળજું કંપી ગયું. એક, માત્ર એક શિક્ષકનું નામ ન્યૂટન, વિવેકાનંદ, કલામ, લક્ષ્મીબાઈ નથી મળતું. આમાં વાંક કોનો ? બાળકોના ચારિત્ર્યનો કે ગુરૂજનોના માનસિકતાનો ?
બર્ક નામનાં મનોવૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર "બાળ મનોવિજ્ઞાન" શબ્દનો પ્રયોગ કર્યો. સંસારમાં સૌ પ્રથમ પેસ્ટોલોજીએ બાળકોનાં વ્યવહારનું વૈજ્ઞાનિક પધ્ધતિથી અધ્યયન કર્યું. તેમણે પોતાનાં સાડા ત્રણ વર્ષનાં બાળકનાં વ્યવહારનું અધ્યયન કરી એક પુસ્તક લખ્યું "બેબી બાયોગ્રાફી". તેમાં જણાવ્યું કે એક વયસ્ક વ્યક્તિ અને એક બાળકનો વ્યવહાર અલગ હોય છે. સ્ટેનલી હૉલ નામનાં મનોવૈજ્ઞાનિકે બાળકોની તમામ અવસ્થાઓનો ઊંડો અભ્યાસ કરી પહેલી વખત બાળ મનોવિજ્ઞાનની પ્રશ્નાવલી તૈયાર કરી. આથી તેને બાળ મનોવિજ્ઞાનનો જનક કહેવામા આવે છે.
રેલ્વે ટેકનોલોજીમાં એક વાત શીખવવામાં આવે છે કે એન્જિન ગમે તેટલું દમદાર હોય, પાટા ગમે તેટલાં મજબૂત હોય, સિગ્નલ સિસ્ટમ અત્યાધુનિક હોય, સેફ્ટીના તમામ સાધનો હોય છતાં જો ટ્રેનમાં આગળ રહેલ ડ્રાઈવર અકુશળ હોય અને ટ્રેનમાં પાછળ રહેલ ગાર્ડ ગાફેલ હોય એ ટ્રેન ગમે ત્યારે અકસ્માતગ્રસ્ત થશે, થશે ને થશે જ. આગળના એન્જિન અને પાછળના ગાર્ડના ડબ્બાની વચ્ચેના તમામ મુસાફરો પર જોખમ તોળાયેલું રહેશે. એન્જિન એટલે માતા-પિતા અને ગાર્ડ એટલે શિક્ષક.
દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન.....એક સમય હતો કે જ્યાં ભૂલ કરતાં દિકરો ડરતો હતો અને આજે એવો સમય છે કે જ્યાં ભૂલ કાઢતા બાપ ડરી રહ્યો છે ! બાય ડિફોલ્ટ મોબાઈલ સાથે જન્મેલી પેઢી સંસ્કારો અને પરંપરાઓનો કચ્ચરઘાણ વાળી રહી છે. નવી પેઢીને ઉતારી પાડવાનો કોઈ ઈરાદો નથી. બસ, એટલું સમજાય છે કે કોઈનામાં સહેજ પણ બુધ્ધિ ન હોય એ સારું, કોઈનામાં થોડીક બુધ્ધિ હોય એ પણ સારું પણ કોઈનામાં ઘણી બુધ્ધિ હોય અને તે પાછી વિકૃત થયેલી હોય તે કોઈ સંજોગોમાં સારું ન કહી શકાય.
માં-બાપો પોતાના નાનાં બાળકોનાં હાથમાં ચપ્પુ, સોય, અણીદાર વસ્તુ આવી જાય તો તરત જ લઈ લે છે. કારણ કે આ વસ્તુઓ તેના શરીરને ભયંકર નુકશાન પહોંચાડી શકે છે. "મોબાઈલ" વિષે તમારો શું અભિપ્રાય છે ? એ તો તમારાં બાળકની માનસિકતા, સંસ્કાર, ભણતર તમામને અતિ ભયંકર નુકશાન પહોંચાડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મોબાઈલના કેટલાક ફાયદા છે. એમ તો ઝેર, આગ, અને હથિયારોના પણ ફાયદા છે જ ને ! છતાં આપણે તેનો જરૂર પૂરતો અને મર્યાદિત ઉપયોગ કરીએ છીએ.
પાંચ વર્ષનું બાળક હતું. એક દિવસ તેના પિતા તેના માટે હોકાયંત્ર લાવ્યાં. બાળકને એ ડબ્બી ગમી ગઈ. એ દિવસ-રાત એને જ જોતો રહેતો. ધીમે-ધીમે એ બાળકને આ હોકાયંત્રમાં રસ પડ્યો. એનાં મગજમાં એ વાત આવી કે આ યંત્રને ગમે તેટલું હલાવું છુ પણ થોડીવાર પછી તેની સોય ઉતર-દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આવું કેમ થાય છે ? આનું શું કારણ હોઈ શકે ? શું બધાં હોકાયંત્રમાં આવું જ થતું હશે ? આ શા કામમાં આવતું હશે ? એ નાનકડાં બાળકનાં મનમાં પ્રશ્નોનાં ફણગાં ફૂટયા. તેને આમાં રસ પડ્યો. આખરે એ બાળક મોટો થઈને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નામે જગમશહૂર થયો. તેણે કબૂલ્યું કે આ હોકાયંત્રએ તેને વિજ્ઞાનમાં રસ લેતો કર્યો હતો.
બાળકને નાનપણમાં શું રમવા આપવું ? એની પણ વિચારણા કરવા જેવી છે. ક્યારેય બાળક બગડતું નથી, તેના માં-બાપ તેને બગાડે છે. એક ભૂંડને નિયત્રણમાં ન રાખો તો ચાલે કેમકે તે શું બનશે એ આખા જગતને ખબર છે પણ એક બાળક પર નિયંત્રણ ન રાખો તો .....કેમકે તેનામાં સાધુ અને શેતાન બંને બનવાની સંભાવનાઓ છે. જેનામાં આ બંને સંભાવનાઓ પડી હોય તેને નિયંત્રણમાં રાખવા જ પડે. નિયંત્રણનો અર્થ તેનો વિકાસ રૂંધવાનો નથી.
આપણી 'આન્ટી લેન્ગ્વેજ' અંગ્રેજીમાં બે સરસ શબ્દો મળી આવ્યા છે. ગ્રોથ અને ડેવલપમેન્ટ. ગ્રોથ એટલે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. ત્રણ ફૂટ અને વીસ કિલો વજનનું શરીર પાંચ ફૂટ અને પંચાવન કિલોનું થઈ જાય એને વૃધ્ધિ કહેવાય. જ્યારે શરીરની સાથે માનસિક, સામાજિક, ભાષાકીય એમ તમામ પ્રકારની વૃદ્ધિ થાય એને વિકાસ કહેવાય. જંગલમાં આડેધડ ઊગી નીકળેલું ઘાસ એ વૃદ્ધિ છે અને બગીચામાં માળીએ સમજણપૂર્વક ઉગાડેલું ઘાસ એ વિકાસ છે. વૃદ્ધિ એ આંકડાઓની માયાજાળ છે ને વિકાસ એ ક્વોલિટીઓનું ગ્રાન્ડ ટોટલ છે.
માણસમાં સદ-બુધ્ધિ હોય એ અનિવાર્ય છે. જો ન હોય તો આગ્રહ-બુધ્ધિની જરૂર પડે. તમે તમારી કાર યોગ્ય ઝડપે ચાલાવો એ તમારી સદ-બુધ્ધિ છે. જો અમર્યાદિત સ્પીડે ચલાવો તો એ કુબુધ્ધિ છે. હવે આ કુબુધ્ધિને નિયંત્રણમાં લાવવા આગ્રહ-બુધ્ધિનો ઉપયોગ કરવો પડે. આગ્રહ-બુધ્ધિ એટલે રસ્તા પરની સિગ્નલ સિસ્ટમ, ટ્રાફિક પોલીસ. આગ્રહ-બુધ્ધિથી મુશ્કેલી અને નુકશાનને ઓછું કરી શકાય છે. જેઓ મૃત્યુ પામ્યાં છે પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને જેઓ હજુ જીવે છે પ્રભુ એમને સદ્બુદ્ધિ આપે !!!
જે.કે.સાંઈ
0 Comments