ભગવાન ગૌતમ બુધ્ધના જીવન પર આધારિત એક દંતકથા છે. બુધ્ધજી વિહાર કરતાં-કરતાં એક નગર બહાર આવી પહોંચ્યાં. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં. નગરજનોને સમાચાર મળતાં સૌ દર્શને આવવા લાગ્યાં. એ નગરનો રાજા પણ આવ્યો. તથાગતને પગે લાગી, તેમની નજીક બેઠો. મહાન માણસો ડિગ્રી વગરના મનોવૈજ્ઞાનિકો હોય છે ! તેઓ સામેવાળાની આંખો જોઈને જ તેમની મનોસ્થિતિને જાણી લેતાં હોય છે. આપણે ત્યાં તેને ચમત્કાર કહેવામાં આવે છે.
ગૌતમ બુધ્ધે રાજાને કહ્યું, "શું દુ:ખ છે ?" રાજા કહે, "પ્રભુ, આમ તો મારુ કૌટુંબિક જીવન સુખી છે. માત્ર એક સમસ્યા છે. મારાં નગરમાં છેલ્લાં કેટલાય સમયથી દુરાચાર વધી ગયો છે. ક્રિમિનલ કેસો વધી ગયાં છે. ચોરી-લૂટફાટ, અનૈતિકતાએ માઝા મૂકી છે. કુટુંબો અને સમાજમાં અશાંતિનો માહોલ છે." રાજાની વાત સાંભળી બુધ્ધ વિચારમાં પડી ગયાં. "રાજન, તમારી સમસ્યાનો મારી પાસે ઉપાય છે. ઉપાય સાવ સરળ છે. આ ઉપાયનો વિશ્વમાં પ્રથમવાર ઉપયોગ થવાનો છે. જો આપ એનો અમલ કરવાનાં હોય તો હું આપને જણાવું." રાજાએ સંમતિ આપી.
ભગવાન બુધ્ધે શાંત સ્વરમાં કહ્યું, "આજ રાતથી જ તારે તારાં રાજયમાં કડક રાત્રિ કરફ્યૂ અમલમાં મૂકવાનો છે. બરાબર એક વર્ષ પછી તું મને રિપોર્ટ કરજે." બુધ્ધ ત્યારબાદ ત્યાંથી ચાલી નીકળ્યાં. વાતને વર્ષ વીતી ગયું. રાજા બુધ્ધ પાસે આવ્યો. તે ખુશ હતો. રાજાએ ગૌતમને જણાવ્યુ કે હવે તેના રાજયમાં સૌ સુખી છે. ક્રાઈમ રેટ 80 % ઘટી ગયો હતો. રાજાને અચરજ એ વાતનું હતું કે રાત્રિ કરફ્યૂ અને ક્રાઈમને શું લેવા-દેવા હતી ?
ભગવાને જણાવ્યુ, "રાત્રે માણસો જ્યારે ભેગા થાય છે ત્યારે તેમની વાતો, વિચારો, આચરણ દિવસ જેવુ હોતું નથી. જ્યારે રાત્રિના અંધકારમાં એમને કોઈ જોતું ન હોય ત્યારે એમની અંદરનો શેતાન બહાર આવે છે. માણસને કોઈ જોતું ન હોય ત્યારે તે જે વર્તન કરે એ એનું સાચું વ્યક્તિત્વ છે. એટલે જ દિવસે જે માણસ આપણને સારો લાગે છે એ જ માણસનું "રાત્રિ ચારિત્ર્ય" અલગ હોય છે. વળી, આવા શેતાનો રાત્રે મંડળી બનાવી બેસે છે. ત્યારે તો સમાજ માટે વધુ જોખમ ઊભું થાય છે. સાવ સરળ વાત છે કે આવા હેવાનોને રાત્રે બહાર નીકળવાનું અને મહેફિલો ભરવાનું બંધ કરાવો એટલે ગુનાખોરી ઘટે જ !સજજનો મોડી રાત સુધી ઘરની બહાર જોવાં મળતાં નથી." આ દુનિયાનું સૌપ્રથમ "નાઈટ લોકડાઉન" હતું.
બાવળના જંગલમાં જાઓ ને કાંટો ન વાગે એવું ન બને, બાગમાં જાઓ અને ફૂલ જોવા ન મળે એવું કદાપિ ન બને અને મહાન માણસોનાં ચરિત્રો સાંભળો ને બે સારી વાતો શીખવા ન મળે એવું પણ કદી ન બને.
સોબતની અસર પડે જ છે. એક ઠીકરું લક્સ સાબુનો સંગ કરે તો ઠીકરુંય સુવાસિત થઈ જાય અને એ જ ઠીકરું મળનો સંગ કરે તો ? આપણે સંગને "બેકગ્રાઉન્ડ" કહીએ છીએ. અમેરીકામાં એક બિલિયોનર ઉધોગપતિ હતા. તેમની સંપત્તિનો અંદાજ લગાવજો.... એમની સવારની ચા સાડા આઠ લાખનાં ટી-સેટમાં આવતી. એમનો સસ્તામાં સસ્તો સૂટ ત્રણ લાખનો હતો. એમના ઘરનાં નોકરોય કાર લઈને નોકરીએ આવતાં. આ ઉધોગપતિના પત્નીનો બર્થ-ડે હતો. તેમને થયું કે પત્નીને ગમતી હોય એવી વસ્તુની સરપ્રાઈઝ ભેટ આપું. વાતવાતમાં એમણે ઘણાં દિવસ પહેલાં જાણી લીધું હતું કે પત્નીને બજારમાં આવેલી બુગાટી સ્પોર્ટ્સ કારનું યલો મોડલ ખૂબ ગમતું હતું. કિમતે સાવ મામૂલી સાડા છ કરોડ જ હતી !
પેલા ધનવાન માણસે જાણે પિત્ઝાનો ઓર્ડર આપતો હોય એમ શો રૂમના મેનેજરને બુગાટી યલો સ્પોર્ટ્સ કારનો ઓર્ડર આપી દીધો. ગાડીની સરપ્રાઈઝ આપવાની હોવાથી બંગલાના ગેરેજમાં જ મૂકી દેવી એવી સૂચના પણ આપી દીધી. મોડી રાતે પાર્ટી પૂરી થઈ એટલે પતિએ પોતાની પત્નીની આંખો બંધ કરી, ગેરેજમાં લઈ ગયો. ગેરેજમાં પેલી ગાડી પરથી કવર હટાવી સરપ્રાઈઝ આપી. પણ અનર્થ થઈ ગયો હતો. ગાડીનું મોડલ બરાબર હતું પણ પત્નીનો પ્રિય કલર યલોની જગ્યાએ ગ્રીન કલર હતો. આખી ખુશી ગમગીનીમાં ફેરવાઈ ગઈ.
ઉધોગપતિએ કાર ડિલરને ફોન લગાવી ખખડાવી નાંખ્યો. હાલ ને હાલ હાજર થવા કહ્યું. થોડીવારમાં મેનેજર ગેરેજમાં હાજર થયો. તેણે સ્પષ્ટતા કરી કે સાહેબ મેં મારી જાતે યલો કલરની કાર મોકલી છે. મને આશ્ચર્ય થાય છે કે પીળા રંગની કાર તમારે ત્યાં આવીને લીલા રંગની કેવી રીતે થઈ ગઈ ? અચાનક મેનેજરના દિમાગમાં ચમકારો થયો. "સર, જો તમારી પરવાનગી હોય તો થોડીવાર માટે ગેરેજની લાઈટ બંધ કરી શકું છું ?" ઉધોગપતિએ હા પાડી. જેવી લાઈટ બંધ કરી કે કાર પીળા રંગની થઈ ગઈ. હવે મેનેજરે સમજાવ્યું, "સર, તમારા ગેરેજની લાઈટ બ્લ્યૂ રંગની છે. બ્લ્યૂ રંગના બેકગ્રાઉન્ડમાં પીળો રંગ લીલો થઈ જાય છે. માફ કરજો, કાર પીળી જ છે પણ બ્લ્યૂ બેકગ્રાઉન્ડ લાઈટ એને ગ્રીન બનાવી દે છે." આ છે બેકગ્રાઉન્ડની અસર !!!
કુટુંબ સાથે રહેવાનો અણમોલ મોકો મળ્યો છે તો ઘરે રહો. કદાચ હનીમૂન પછી પહેલી વખત પત્ની સાથે ચોવીસે કલાક સાથે રહેવા મળ્યું છે. ઘણાં બાળકોને પ્રથમવાર મમ્મી-પપ્પાનો પ્રેમ એક સાથે અનલિમિટેડ માણવા મળ્યો છે. ઘણાં માતા-પિતાઓને વર્ષોથી ખોવાયેલા પોતાના સંતાનો પાછા મળ્યાં છે. લોકડાઉન ડાઘ છે તો દાગ અચ્છે હૈ !!!
જે.કે.સાંઈ
ગૌતમ બુધ્ધે રાજાને કહ્યું, "શું દુ:ખ છે ?" રાજા કહે, "પ્રભુ, આમ તો મારુ કૌટુંબિક જીવન સુખી છે. માત્ર એક સમસ્યા છે. મારાં નગરમાં છેલ્લાં કેટલાય સમયથી દુરાચાર વધી ગયો છે. ક્રિમિનલ કેસો વધી ગયાં છે. ચોરી-લૂટફાટ, અનૈતિકતાએ માઝા મૂકી છે. કુટુંબો અને સમાજમાં અશાંતિનો માહોલ છે." રાજાની વાત સાંભળી બુધ્ધ વિચારમાં પડી ગયાં. "રાજન, તમારી સમસ્યાનો મારી પાસે ઉપાય છે. ઉપાય સાવ સરળ છે. આ ઉપાયનો વિશ્વમાં પ્રથમવાર ઉપયોગ થવાનો છે. જો આપ એનો અમલ કરવાનાં હોય તો હું આપને જણાવું." રાજાએ સંમતિ આપી.
ભગવાન બુધ્ધે શાંત સ્વરમાં કહ્યું, "આજ રાતથી જ તારે તારાં રાજયમાં કડક રાત્રિ કરફ્યૂ અમલમાં મૂકવાનો છે. બરાબર એક વર્ષ પછી તું મને રિપોર્ટ કરજે." બુધ્ધ ત્યારબાદ ત્યાંથી ચાલી નીકળ્યાં. વાતને વર્ષ વીતી ગયું. રાજા બુધ્ધ પાસે આવ્યો. તે ખુશ હતો. રાજાએ ગૌતમને જણાવ્યુ કે હવે તેના રાજયમાં સૌ સુખી છે. ક્રાઈમ રેટ 80 % ઘટી ગયો હતો. રાજાને અચરજ એ વાતનું હતું કે રાત્રિ કરફ્યૂ અને ક્રાઈમને શું લેવા-દેવા હતી ?
ભગવાને જણાવ્યુ, "રાત્રે માણસો જ્યારે ભેગા થાય છે ત્યારે તેમની વાતો, વિચારો, આચરણ દિવસ જેવુ હોતું નથી. જ્યારે રાત્રિના અંધકારમાં એમને કોઈ જોતું ન હોય ત્યારે એમની અંદરનો શેતાન બહાર આવે છે. માણસને કોઈ જોતું ન હોય ત્યારે તે જે વર્તન કરે એ એનું સાચું વ્યક્તિત્વ છે. એટલે જ દિવસે જે માણસ આપણને સારો લાગે છે એ જ માણસનું "રાત્રિ ચારિત્ર્ય" અલગ હોય છે. વળી, આવા શેતાનો રાત્રે મંડળી બનાવી બેસે છે. ત્યારે તો સમાજ માટે વધુ જોખમ ઊભું થાય છે. સાવ સરળ વાત છે કે આવા હેવાનોને રાત્રે બહાર નીકળવાનું અને મહેફિલો ભરવાનું બંધ કરાવો એટલે ગુનાખોરી ઘટે જ !સજજનો મોડી રાત સુધી ઘરની બહાર જોવાં મળતાં નથી." આ દુનિયાનું સૌપ્રથમ "નાઈટ લોકડાઉન" હતું.
બાવળના જંગલમાં જાઓ ને કાંટો ન વાગે એવું ન બને, બાગમાં જાઓ અને ફૂલ જોવા ન મળે એવું કદાપિ ન બને અને મહાન માણસોનાં ચરિત્રો સાંભળો ને બે સારી વાતો શીખવા ન મળે એવું પણ કદી ન બને.
સોબતની અસર પડે જ છે. એક ઠીકરું લક્સ સાબુનો સંગ કરે તો ઠીકરુંય સુવાસિત થઈ જાય અને એ જ ઠીકરું મળનો સંગ કરે તો ? આપણે સંગને "બેકગ્રાઉન્ડ" કહીએ છીએ. અમેરીકામાં એક બિલિયોનર ઉધોગપતિ હતા. તેમની સંપત્તિનો અંદાજ લગાવજો.... એમની સવારની ચા સાડા આઠ લાખનાં ટી-સેટમાં આવતી. એમનો સસ્તામાં સસ્તો સૂટ ત્રણ લાખનો હતો. એમના ઘરનાં નોકરોય કાર લઈને નોકરીએ આવતાં. આ ઉધોગપતિના પત્નીનો બર્થ-ડે હતો. તેમને થયું કે પત્નીને ગમતી હોય એવી વસ્તુની સરપ્રાઈઝ ભેટ આપું. વાતવાતમાં એમણે ઘણાં દિવસ પહેલાં જાણી લીધું હતું કે પત્નીને બજારમાં આવેલી બુગાટી સ્પોર્ટ્સ કારનું યલો મોડલ ખૂબ ગમતું હતું. કિમતે સાવ મામૂલી સાડા છ કરોડ જ હતી !
પેલા ધનવાન માણસે જાણે પિત્ઝાનો ઓર્ડર આપતો હોય એમ શો રૂમના મેનેજરને બુગાટી યલો સ્પોર્ટ્સ કારનો ઓર્ડર આપી દીધો. ગાડીની સરપ્રાઈઝ આપવાની હોવાથી બંગલાના ગેરેજમાં જ મૂકી દેવી એવી સૂચના પણ આપી દીધી. મોડી રાતે પાર્ટી પૂરી થઈ એટલે પતિએ પોતાની પત્નીની આંખો બંધ કરી, ગેરેજમાં લઈ ગયો. ગેરેજમાં પેલી ગાડી પરથી કવર હટાવી સરપ્રાઈઝ આપી. પણ અનર્થ થઈ ગયો હતો. ગાડીનું મોડલ બરાબર હતું પણ પત્નીનો પ્રિય કલર યલોની જગ્યાએ ગ્રીન કલર હતો. આખી ખુશી ગમગીનીમાં ફેરવાઈ ગઈ.
ઉધોગપતિએ કાર ડિલરને ફોન લગાવી ખખડાવી નાંખ્યો. હાલ ને હાલ હાજર થવા કહ્યું. થોડીવારમાં મેનેજર ગેરેજમાં હાજર થયો. તેણે સ્પષ્ટતા કરી કે સાહેબ મેં મારી જાતે યલો કલરની કાર મોકલી છે. મને આશ્ચર્ય થાય છે કે પીળા રંગની કાર તમારે ત્યાં આવીને લીલા રંગની કેવી રીતે થઈ ગઈ ? અચાનક મેનેજરના દિમાગમાં ચમકારો થયો. "સર, જો તમારી પરવાનગી હોય તો થોડીવાર માટે ગેરેજની લાઈટ બંધ કરી શકું છું ?" ઉધોગપતિએ હા પાડી. જેવી લાઈટ બંધ કરી કે કાર પીળા રંગની થઈ ગઈ. હવે મેનેજરે સમજાવ્યું, "સર, તમારા ગેરેજની લાઈટ બ્લ્યૂ રંગની છે. બ્લ્યૂ રંગના બેકગ્રાઉન્ડમાં પીળો રંગ લીલો થઈ જાય છે. માફ કરજો, કાર પીળી જ છે પણ બ્લ્યૂ બેકગ્રાઉન્ડ લાઈટ એને ગ્રીન બનાવી દે છે." આ છે બેકગ્રાઉન્ડની અસર !!!
કુટુંબ સાથે રહેવાનો અણમોલ મોકો મળ્યો છે તો ઘરે રહો. કદાચ હનીમૂન પછી પહેલી વખત પત્ની સાથે ચોવીસે કલાક સાથે રહેવા મળ્યું છે. ઘણાં બાળકોને પ્રથમવાર મમ્મી-પપ્પાનો પ્રેમ એક સાથે અનલિમિટેડ માણવા મળ્યો છે. ઘણાં માતા-પિતાઓને વર્ષોથી ખોવાયેલા પોતાના સંતાનો પાછા મળ્યાં છે. લોકડાઉન ડાઘ છે તો દાગ અચ્છે હૈ !!!
જે.કે.સાંઈ