Tuesday, August 25, 2020

ફુઈનું ફુયારું (ઝવેરચંદ મેઘાણી)

ઝવેરચંદ મેઘાણીની આ હ્રદયસ્પર્શી વાત Bhikhesh Bhattએ વોટ્સ એપ પર શેર કરી અને હું અહીં મિત્રો સાથે શેર કરી રહ્યો છું.
ફેસબુક પર લડાઈ-ઝઘડા કરવાને બદલે રોજ આવી કશીક સંવેદનશીલ વાતો શેર કરીએ તો કેવું સારું?
......આશુ પટેલ

'ફુઈ નું ફુયારું'

- ઝવેરચંદ મેઘાણી

ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.”

મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો.
“આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુ:ખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી, એણે ભાભીને પૂછ્યું: “ભાભી ! મારો ભાઈ ક્યાં ગયો?”

“તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે?”
ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “રોટલા ખાવા તો રોકાઓ.”
“ભાભી ! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. માથે લીંબડાની ઘટા ઝળૂંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડિલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો : પૂછ્યું : “કાં, બાપ આમ રોતી કાં જા?”

“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી; મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”
“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના ! ઊઠ, હાલ્ય મારી સાથે.”
જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડ ખરચી આપી; પોતાના છોકરાને કહ્યું: “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”
ગાડું જોડીને છોકરો ફુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઉતરી ગયાં.
બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”
“કેમ?”

“જુઓ, ભગત! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તો ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”
“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે?”
“ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા’તમ શું?”
બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં?”
“ફુઈને દીધાં.”
“કાં?”

“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?”
મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”

--

સૌજન્ય: અરધી સદીની વાચનયાત્રા

ગમો અણગમો વિરોધ સ્વીકાર નિરંતર ચાલતી પ્રક્રિયા

આ દુનિયામાં જ્યારે કોઈ નવી વસ્તુ કે વિચારો નું સર્જન થાય ત્યારે સ્વાભાવિક જોવા મળ્યું છે કે સૌ પ્રથમ તેનો વિરોધ થાય છે... પછી ક્રમશઃ તેનો સ્વીકાર થતો જાય છે... આ નિયમ ઘણું શીખવે છે... ઉદાહરણો જોઈએ તો...

એક
મેં વાંચેલ છે, સાંભળેલ છે કે, ગાંધીજીને ફિલ્મો પ્રત્યે સખત અણગમો હતો. ગાંધીજી એ પુરા જીવન દરમિયાન માત્ર એક જ ફિલ્મ જોયેલ. એ ફિલ્મ એટલે "રાજા હરીશ્ચંદ્ર."
હરીશ્ચંદ્ર સત્યવાદી હતા અને એ ફિલમમાં તો સત્યનો મહિમા જ ગવાયો હોય છતાં બાપુને કેમ અણગમો હશે ?
બાપુની વાતો બાપુ જાણે.

બે
નવું નવું ટેલીવિઝન આવેલ ત્યારે એના પ્રત્યે અનેક લોકો અણગમો ધરાવતા. ટીવી ને ઇડીયટ બોક્સ એવું ઉપનામ મળેલ. લગભગ બધા જ ધર્મો સંપ્રદાયો સમુદાયોના મુખ્ય લોકો ટીવીની વિરૂદ્ધ વાણી વિલાસ કરતા. પણ લોકો વાત સાંભળી લેતા ક્યારેક કોઇક તાળીઓ પાડતા પણ કોણે એ વાત સ્વીકારી ?
પણ સમય જતાં.. જતા...
સ્વાધ્યાય પ્રવૃત્તિનો વ્યાપ ગામડે ગામડે થયો એના પાયામાં પાંડુરંગ દાદાના પ્રવચનોનાં વિડીઓ કેન્દ્રો.
વિવિધ ધર્મો સંપ્રદાયોના સાધુ સંતોને ય જયારે લાગ્યું કે અનુયાયીઓ તો આપણી વાત નહી જ સ્વીકારે એટલે એમણે અનુયાયીઓ સાથે સંપર્ક જાળવવા માટે ટીવીનું શરણ સ્વીકારવું પડ્યું.
આસ્થા અને સંસ્કાર જેવી ચેનલોને મળેલ પ્રચંડ સફળતા પછી કેટલી નવી ધાર્મિક ચેનલો કાર્યરત હશે ?
અરે આધુનિકતાને અપનાવવામાં કટ્ટર ગણાતા ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરતી ય અનેક ટીવી ચેનલો છે.
ટૂંકમાં સ્વીકાર થયો...

ત્રણ
ટેલીફોન, STD PCO ISD બુથ, ધડીયાળ, રેડીઓ, ટેપ રેકોર્ડર, કેમેરા ને સાગમટે ઘર ભેગાં કરનાર સ્માર્ટ ફોન પ્રત્યે ય લોકો ભલે ગમે એટલી નકારાત્મક વાતો કરતા હોય પણ હવે એ જીવનનો એક અનિવાર્ય ભાગ બની ચુક્યો છે.

ચાર
એવું જ ઇન્ટરનેટનું ય.
આજે ભાગ્યેજ કોઇ એવો ધર્મ, સંપ્રદાય, સમુદાય, કે સંસ્થા હશે કે જેનું સોસીયલ મિડીયામાં ઓફીસીયલ પેઇઝ ન હોય કે વિવિધ ગ્રુપ્સ ન હોય.

કહેવાનો મતલબ....
ઉન્નતિ અને પતન બંનેમાએ નિમિત્ત બની શકે.
સવાલ વપરાશના વિવેકનો છે.
સમજણ સંકુચિત થાય એટલે પુર્વ ગ્રહ અને સમજણ પરિપક્વ થાય એનું નામ પ્રજ્ઞા.

તાજો અનુભવ
એક દસ આંકડાનો નંબર ડાયલ કરો ત્યાં કેવો ચમત્કાર બને !
માત્ર એક જ વાર રૂબરૂ સ્થુળ સ્વરૂપે મળેલ અને સદાય સ્મરણોમાં સ્થાયી રહેલ આદરણીય સ્વજનને કોલ લગાડ્યો.
ફોન રિસીવ થતાં જ
"રા...મ મારા રા...મ" શબ્દો માં જે ઉમળકો અનુભવાય છે. એમાં સેંકડો કિલોમીટરનું અંતર ખરી પડ્યું.
લગભગ ૩૩ મિનીટ ૪૨ સેકન્ડ સુધી પરસ્પર એવા અને એટલા ભીંજાયા કે
અનુભૂતિ અંતઃકરણનું ક્ષેત્ર છે.
ઉર્મિઓનું વહન, પ્રસ્તુતિ એ તો અભિવ્યક્તિનું ક્ષેત્ર છે.
જે અનુભવાતું હોય એ કદી પુરૂં અભિવ્યક્ત થઇ શકે ખરૂં ?

સાભાર : ખીમાનંદભાઈ રામની નજરે....

કાકા-કાકીનો ધોધ



કાકા કાકીના આ ધોધ સુધી સ્થાનિક ભોમીયા વિના પહોંચવું મુશ્કેલ

ડાંગના કેશબંધ ગામની નજીક આ કાકા કાકીનો ધોધ આવેલો છે. સ્થાનિક બોલીમાં તે કાકાનો કળસો તરીકે ઓળખાય છે. જેની ઉંચાઈ અંદાજીત ૩૦૦ ફૂટથી વધુ છે. દક્ષિણ આફ્રિકાના જંગલોની અનુભુતી કરાવતાં ગીચ જંગલો વચ્ચેથી તે સૌંદર્યની સરવાણી બનીને ખાબકે છે ત્યારે આંખો ત્યાંથી હટશે નહિ.

કેશબંધ ગામના લોકોના કહેવા પ્રમાણે કાકા-કાકીના ધોધ પૈકી કાકાનો ધોધ ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદેથી તથા કાકીનો ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવે છે. કેશબંધ ગામથી અંદાજીત ૫ કિ.મી.દુર અંતરીયાળ વિસ્તારમાં આવેલો છે. જે માત્ર પગપાળા જ જઈ શકાય છે અને બે કલાક લાગે છે. ફાગણમાસ સુધી ધોધ વહેતો રહે છે.


તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત ૭૦ કિ.મી.સોનગઢ થી ૬૫ કિ.મી. અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના નંદરબાર અને ધુલિયા જિલ્લાની સરહદ અહીં આવેલી છે. તાપી જિલ્લાના મલંગદેવ, માળ અને વીરથવા ગામથી ૫ કી.મી.અને ડાંગના કેશબંધ ગામથી અંદાજીત ૫ કિ.મી. દુર આવેલો છે. જે માત્ર પગદંડીના રસ્તે જ જઈ શકાય છે. ગાઢ઼ જગલ હોવાથી આ અંતર કાપતા બે કલાક જેટલો સમય થાય છે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સ્થળે પહોંચવા માટે માર્ગોનું નિર્માણ કર્યું છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર-પીંપલનેર-નંદરબાર-ધુલિયા માર્ગ ઉપર બરજર ગામ નજીક નદી કિનારે રસ્તો બનાવવાનો પ્લાન છે.

સાભાર :- વિપુલ જસાણી (આપણો વન વગડો)

https://www.facebook.com/groups/192995224646618/permalink/650018938944242/

Unknown place of Kutchh કચ્છના અજાણ્યા સ્થળો...

કચ્છમાં આપે પ્રવાસ કરેલો હશે... ઘણા પ્રખ્યાત સ્થળો જોયા હશે.. પણ ચિત્રમાં દેખાય છે.. તે સ્થળ આપે જોયું નહિ હોય....100 %...







આ ખૂબ ઓછું જાણીતું સ્થળ છે.. ભારતમાં કચ્છમાં આવેલ પુરાતન સ્થળ ધોળાવીરાની નજીક...
નામ છે......

ઝર નો ગહ (ખડીર બેટ કચ્છ)

ખડીર બેટની એક એવી જગ્યા જ્યાં સ્થાનિક રહેવાસી સિવાય કોઈ પહોંચી શક્યું નથી.. હોલીવુડ ફિલ્મોમાં જોયેલા દ્રશ્યો... તેમજ ડાયનોસોર યુગની યાદ તાજી થઈ જાય તેવા રમણીય દ્રશ્યો... આપ કેમેરામાં કંડારી શકો છો..

ધોળાવીરા નજીક આવેલ

Dholavira homestay
મોબાઇલ નંબર 8758271671 
www.dholavirahomestay.com
આપને એવી જગ્યા બતાવશે.. જેનું આપ નામ પણ પહેલીવાર સાંભળશો.. રહેવા જમવા તેમજ માર્ગદર્શન સાથે ની સગવડતા સાથે... માણો..

ઝર નો ગહ

ઝર મહાદેવ થઈ ને ઝર ના ગહ સ્થળ સુધી પહોંચી શકાય છે. કુદરત ની કમાલ જોવા જેવી છે. પથ્થર ના આકાર જોઈ દિલ ખુશ થઇ જાય અને એમાં પણ જવાનો રસ્તો offbeat છે. ઝર નો ગહ એ ખુબજ ઊંચાઈ ઉપર આવેલ છે. સામે અફાટ રણ છે અને પથ્થરો ડાયનાસોર સમયગાળાના છે એટલે કે ૧૭ કરોડ વર્ષ પહેલાં ના છે!
























✍️✍️✍️
આ સિવાય મિત્ર
મહાદેવભાઈ બારડ દ્વારા અનુભવેલ અને તેમના દ્વારા લિખિત પ્રવાસ વર્ણન વાંચી ત્યાં જવાનું મન અચૂક થશે..


**ખડીરબેટ નો પ્રવાસ**
(ખડીર ની ઉડતી મુલાકાતે)

ખડીર એ એક બેટ છે ખડીર કુદરત નો ખોળો પણ કહી શકાય છે ખડીર મા વરસાદ પછી ત્યાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઊઠે છે ધરતી પર નું સ્વર્ગ લાગે છે! ખડીર મા બોર બકરી અને બાજરો પ્રખ્યાત છે! ખડીર પ્રારંભિક કાળ નો ઇતિહાસ સાચવીને બેઠું છે! ખડીરમાં ડાયનાસોર ના અવશેષો મળી આવેલ છે. ખડીરમાં કરોડો વર્ષ પહેલાંનો ફોસિલ પાર્ક આવેલ છે! હાલમાં ફોસિલ પાર્ક નો વિકાસ ચાલુ છે ટૂંક સમયમાં બની જશે અને એક રમણીય પ્રવાસ-પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે! ખડીરમાં ભજડો ડુંગર આવેલ છે જે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલ છે નાથ સંપ્રદાય ના ભજડનાથ દાદા એ આ ડુંગર ઉપર તપ કરેલું છે તેથી ભજડો ડુંગર તરીકે ઓળખાય છે! આ ડુંગર ઉપર ઉનાળા સિવાય જઈ શકાતું નથી ઉનાળા માં પણ બીએસએફ ચોંકી માં થી મંજુરી લઈ ને જઈ શકાય છે અને ડુંગર ઉપર એક ત્રિશૂળ છે તેમજ આ ડુંગર મા એક નાનું એવું તળાવ આવેલું છે આ ડુંગર મા સસલા હરણ વગેરે રહે છે ચાર મહિના સિવાય આ ડુંગર ચારે બાજુ પાણી થી ઘેરાયેલો રહે છે એટલે ત્યાં જઈ શકાતું નથી જેના કારણે રણ ના કાઠે દાદા નું મંદિર બનાવેલ છે અને મદીર ની આરતી પૂજા બીએસએફ ના જવાનો કરે છે! ચારે બાજુ અફાટ રણ હાલ માં રણ મા પાણી આવેલ હોવા થી એમ લાગે કે સમુદ્ર છે! ભજડો ડુંગર તો દૂર થી અતિ રમણીય લાગે છે પેલા ના સમય માં ભજડા દાદા નો મેળો ભરાતો ત્યારે ખડીર બેટ ના તમામ ગામ ના લોકો ગાડું બળદ લઈ ને આવતા અને મેળા નો આનદ લેતા અને રાત પણ રોકાતા હતા રણ મા ગાડાં છૂટ્યા હોય અને બળદો ની જાલર વાગતી હોય અદ્ભુત સ્મરણો ગાંઠ છૂટ્યા ની વેળા લેખક વર્ષા અડાલજા ની બુક્સ મા લખેલ છે જે બુક્સ મા પેલા સમય નું ખડીર કેવું હતું તેનું અદ્ભુત વર્ણન છે અને સ્મરણો છે! 

આ ઉપરાંત અંદર રણ મા હજી એક બેટ આવેલ છે જે કરોડો વર્ષ જૂનો છે સ્ફટિક ટાઈપ નો ડુંગર છે ત્યાં ભારત આઝાદ થયા પછી કોઈ માણસ ગયું નથી છેલ્લે ગયા વર્ષે ગાંધીનગર થી મંજુરી લઈ ને એક ટીમ ગઈ હતી હાલ માં બહુ નાનો ડુંગર છે કાળક્રમ નાશ થતો જાય છે જ્યાં એવું કહેવાય છે કે મોટું બંદર હતું અમારા નસીબ કે અમને આ વખતે નરી આંખે એ ડુંગર જોવા મળ્યો બાકી હું ઘણી વાર ગયો છું ક્યારેય દેખાતો નથી! જે ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર આવેલ છે અમે ગયા ત્યારે વરસાદ પડી ને રહી ગયો હતો એટલે દૂર દૂર સુધી ચોખુ વાતાવરણ હતું એટલે એમણે નરી આંખે એ ડુંગર દેખાતો હતો! 

ખડીર મા આવીજ એક અદ્ભુત જગ્યા બોકરગળો છે જ્યાં પણ પાચ કિમી ચાલતા જવું પડે છે જ્યાં પહોંચ્યા પછી સ્વર્ગ નો અનુભવ થાય છે નીચે ઊંડી ખીણ છે.  અને એક બાજુ ઉચો પહાડ છે ત્યાં તમે નીચે ખીણ બાજુ મોઢું રાખી ને સુવો એટલે નીચે થી તમારા મોઢા માં એકદમ સૂસવાટા કરતો ઠંડો પવન લાગે જેનો આનંદ ક્યારેય ના ભુલાય આવો હોય છે! આ બધીજ જગ્યાઓ અદ્ભુત છે જે ખડીર ફોલ્ટ લાઈન છે ત્યાં થી તમને એક દમ ડુંગર ને કાપી નાખ્યો હોય એવો દેખાય છે અને નીચે રણ છે! ત્યારબાદ બીજી એક ભીમગુડો કરી ને અદ્ભુત જગ્યા આવેલી છે તેમજ સારણ નામ ની અદ્ભુત જગ્યા છે જ્યાં ડુંગર છે અને નીચે ખીણ માં પથ્થર મા ગાય ના આચર જેવું છે જેમાં થી કેટલાય વર્ષો થી અવિરત મીઠું પાણી ચાલુ છે ગમે તેવા દુષ્કાળ મા પણ પાણી બંધ નથી થયું કહેવાય છે ને કે ડુંગર પણ દૂજે છે એમ અહીંયા ડુંગર દૂજે છે પાણી બારેમાસ ચાલુ છે!  આ ઉપરાંત ખડીર બેટ ની તમામ સમાજ ના પૂજનીય માતાજી આઈ સાગવારી માતાજી બિરાજમાન છે જે જગ્યા અદ્ભુત છે પાછળ ની બાજુ વાગડીયા પટેલ સમાજ ના સુરાપુરા દાદા નો પાળિયો છે બાજુ માં મોટું તળાવ છે માતાજી મા સાનિઘ્યમાં મા મોટો મેળો ભરાય છે!  હનુમાન બેટ પર રનેશ્ચર હનુમાન બિરાજમાન છે રનેશ્વર હનુમાન જવા માટે બાભાણકા થઈ ને એકલ માતાજી ના જુના રાજાશાહી ના સમય ના રસ્તા ઉપર આવે છે પરંતુ બાભાણકા થી ૩ કિમી પછી રસ્તો નથી રણ હોવા થી રણ મા પાણી છે તો રણ મા પાણી મા ચાલતા ચાલતા ૫ કિમી પછી રણેશ્વર હનુમાન પહોંચી શકાય છે! જે બેટ ઉપર એક તળાવ છે તેમજ અખો બેટ લાપ નામ ના ખડ થી ઘેરાયેલો છે ચોમાસા મા ત્યાં નું વાતાવરણ અદ્ભુત છે ત્યાં જવા માટે દર પૂનમ ના સ્વયમ સેવકો મોહનભાઈ ભગત ને જાય છે તેમનો સંપર્ક કરવો પડે તો જ પહોંચી શકાય છે બાકી એકલા તમે ત્યાં ના જઈ શકાય ભવિષ્યમાં મા દાદા ની કૃપા થી રસ્તો બનશે જે એકલ માતાજી થઈ ને બાભણકા ખડીર મા નીકળશે જેથી ખડિર ના લોકો ને જે તકલીફ પડે છે એ દૂર થઈ જાય આ રસ્તા માટે એકલ માતાજી મહંત શ્રી દેવનાથ બાપુ દિલ્લી સુધી ની મહેનત કરી છે અને આ રસ્તો કરી ને જ રહેશે અને દાદા ની અને માતાજી ની કૃપા થી થશે જ એવો વિશ્વાસ છે! ભારત દેશ મા ખડીર એ એક એવો વિસ્તાર છે જેને પોતાના ના તાલુકા મથકે સરકારી કામકાજ થી જવા માટે બીજા તાલુકા મા થઈ ને જવું પડે છે ખડીર ના લોકો ને રાપર થઈ ને ભચાઉ જવાય છે જ્યારે તેમણે તાલુકો ભચાઉ લાગે છે અને ભારત દેશ મા કોઈ વિસ્તાર થી દુર મા દૂર તાલુકા મથક હોય તો એ છે ખડીર વિસ્તાર વર્ષો ની તકલીફો ભોગવી ને ખડીર ના લોકો ખમીરવંતા થયા છે આજે પણ ખડીર ના ખમીરવંતા લોકો એમ કહેવાય છે જેમણે કોઠા સૂઝ થી ઘણી પ્રગતિ કરી છે આજે ખડીર વિસ્તાર માં થી સરકારી નોકરી મા ઘણા યુવાનો છે આર્મી બીએસએફ મા પણ સેવા આપી રહ્યા છે તો ખડીર ને જેના પર ગર્વ લઈ સકે આવા મુરાલાલા મારવાડા ફોક્ સિંગર પણ જનાળ ના છે તેમાંજ ખડીર ના હાસ્ય કલાકાર અને ગુજરાત ના ખ્યાતનામ એન્કરિંગ મા નામ છે એવા હીરજીભાઈ આહિર મેક્સ પણ ખડીર નું ખમીર છે! તેમજ રાજકીય તરીકે નરેન્દ્રદાન રાવદાન ગઢવી પણ ખડીર ના છે જેમનો રણ રિસોર્ટ છે તેમજ ભરતભાઈ આહિર જેમનો રિસોર્ટ ધોળાવીરા હોમ સ્ટે છે જે ખુબજ વ્યાજબી ભાવે રોકવા માટે ની તેમજ ઘર જેવું જ અને ખડીર વિસ્તાર ના કકોડા ના શાક પણ તમને ખવડાવે છે પરિવાર ના સભ્ય ની જેમ તમને રાખે છે અને ખડીર પણ બતાવે છે ! ખડીર મા ભગત તરીકે ઓળખતા અમારા ખાસ મિત્ર અને સેવાભાવી ભાઈ શ્રી મોહનભાઈ ભગત જેઓ એ લોકડાઉન દરમ્યાન જે બીમાર લોકો ની પ્રાઇવેટ દવા ચાલુ હતી અલગ અલગ બીમારી ની તેમના માટે મોહનભાઈ ભુજ ગઈ ને દવા લઈ ને આખા ખડીર બેટ મા ઘરે ઘરે દવા પહોંચાડી છે  તેમજ સવા બાપા નો રોટલો બહુ પ્રખ્યાત હતો કોઈ ને જમ્યા વગર ના જવા દે રોટલો ત્યાં હરી ઢુંકડો આમ ખડીર મા ઘણા ઘણા ખમીરવંતા લોકો થઈ ગયા છે! તેમજ ઘણી જગ્યાઓ ખડીર મા આવેલી છે જે દુનિયા થી અજાણી છે હવે પ્રવાસ પર્યટન ના કારણે લોકો આવે છે પરંતુ આવી જગ્યા સુધી હજી લોકો નથી પોચી શક્યા આવી તો અનેક નાની મોટી જગ્યા ને સઘરી ને ખડીર બેઠું છે ખડીર તો ખડીર છે તેમાંય તમે ચોમાસામાં જાઓ એટલે તમને ખડીર મા થી આવવા નું મન જ ના થાય એ ખડીર છે!

ખડીર નો પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ પહેલાં)

ધોળાવીરાના ઉત્તર દરવાજે મળી આવેલ દાર્શનિક અક્ષરો જે વિશ્વ ની તમામ સસ્કૃતિ ની લિપિ ને મેચ કરી પણ લિપિ નો ઉકેલ થઈ શક્યો નથી સરકારે આ લિપિ ઉકેલ માટે ઈનામ પણ રાખેલ છે ! કચ્છમાં વિવિધ કાળખંડના ડાયનોસોરના અવશેષો ધરાવતા ૧૫૦થી વધુ સ્થળો છે.

સિંધુ ખીણ સંસ્કૃતિ 
આ ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમુના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડ્ડપીય કાળ (ઈ.પૂ. ૩૩૦૦ - ૨૬૦૦) દરમ્યાનના મળી આવ્યાં છે. કચ્છમાં ઘણાં સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતાત્વીક અવશેષો મળ્યા છે. કચ્છમાં આવેલું ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીક સ્થળ છે. સ્થાનીક ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે. આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે. ચોમાસા દરમ્યાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે. ધોળાવીરામાં માનવ વસવાટ ઈ.પૂ. ૨૯૦૦ થી ૧૯૦૦ વચ્ચે હોવાનું અનુમાન છે. લગભગ ઈ.પૂ. ૨૧૦૦ બાદ તેના પતનની શરૂઆત થઈ. ત્યાર બાદ અમુક સમય સુધી તે આ સ્થળ તજી દીધું હતું. છેવટે તેના ખંડેરમાં ગામડાના લોકોએ લગભગ ઈ.સ. ૧૪૫૦ સુધી વસવાટ કર્યો હતો. ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતત્વીય સ્થળો છે.

✍️ મહાદેવ બારડ વાગડ કચ્છ

Saturday, August 22, 2020

માનવ સેવા મંદિર સિવિલ હોસ્પિટલ સામે અમદાવાદ

#સારાકાર્યમાંઆંગળીકરાયનહીચીંધાયખરી 👇
મારા એક મજુરને આંખમા વાગી જતાં હુ અમદાવાદ લઇને ગયેલ
વરસ હતુ ઇ.સ. ૧૯૯૮ નુ
એટલે કે વીસ વરસ પહેલાં
સરકારી દવાખાને જ પુછેલ
અહિ આસપાસમાં સારૂ જમવાનુ કયાં મળે ?

ગેટની બહાર નીકળતાં જ મળી જશે
અમે પાંચ જણ હતા
જમ્યા
રોટલી
બે શાક
દાળ
ભાત
સંભારો
છાસ બધું જ અનલિમીટેડ
એક સ્વીટ નો બાઉલ
મારી સાથે હતા એ ગામડાના હતા
એમનો ખોરાક પણ ખુબ સારો
બિલ થયુ
૫૦ રૂપિયા
એક થાળીનુ નહી
પાંચ થાળીના પચાસ
એટલે કે
માત્ર રૂ ૧૦/પ્રતિ થાળી

મારા હાવ ભાવ જોઇને કાઉન્ટર પરના વડિલે કહ્યું
જો સાવ મફતમાં રાખીએ તો સ્વમાની લોકો જમવા ન આવે
આ દસ રૂપિયામાં થી વાસણ સાફ કરનાર અને રસોયાનો ખરચ નીકળી જાય
તમને પીરસતા હતા એ અને અહિ કાઉન્ટર પર હુ કે બીજુ જે કોઇ બેસે તે સેવા આપવા માટે આવે છે

મને સમજાય ગયું કે

વરસો થી સામ્યવાદીઓની દ્વેષનો ભોગ બનનાર
કયારેક સમાજવાદીઓની 'તિલક તરાજુ' વિરૂદ્ધની માનસિકતાનો સામનો કરનાર
કયારેક "યે ઉદ્યોગપતિઓંકી..." જેવાં ઇર્ષા પુર્ણ નિવવદનો નો સામનો કરનાર
પણ
સાચા અર્થ માં 'મહા-જન' લોકોનો આ સેવા યજ્ઞ છે

મે પુછયું મારે આર્થિક અનુદાન આપવું છે સ્વીકારશો ?

હા પાડી

મે એક રકમ આપી પહોચ બનાવતાં મને કહયુ કે
"તમારા કોઇ સ્વજનની પુણ્ય તિથી લખાવશો ?"

હા શ્રાવણ સુદ ૧૪ મારા મા ની તિથી છે

મે એક જ વખત રકમ આપેલ
દર વરસે એકાદ અઠવાડીયા પહેલાં મને એ સંસ્થાનો આ પ્રકારનો પત્ર મળે છે

સાભાર
ખીમાણદ ભાઈ રામ ના અનુભવોમાંથી..

https://m.facebook.com/story.php?story_fbid=2389167361101021&id=100000233425427

Dholavira, ધોળાવીરા

નમસ્કાર... મિત્રો /દોસ્તો/ચાહકો/વડીલો/સ્નેહીજનો..

ધોળાવીરા / ખડીર માં પધારતા દરેક મિત્રોને વિનંતી સહ આમંત્રણ..
કે રતનપરમાં હાઇવે ઉપર જ આપણે શોપિંગ સેન્ટર બનાવ્યું છે...
જ્યાં આપને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે...

ખાણી/પીણી/ચા/નાસ્તા અને ખુલ્લી જગ્યા...
દાબેલી... ભેળ.. ટુકડા... સેન્ડવીચ.. દહીંપુરી..
ચા.. પાણી.. સોડા...આઈસ્ક્રીમ . ગોલા...

એ સિવાય પણ આપ માટે અનેક સગવડ સાથે સાથે ખડીરની મોજ તો ખરી જ..

રતનપર હાઇવે ઉપર જ શોપિંગ ની મુલાકાત જરૂર કરજો..

નાનો ભાઈ મુકેશ ત્યાં આ બધું સંભાળે છે..

મો..8160810240
પર સંપર્ક કરશો.
કોઈપણ કામકાજ પડે તો જરૂર મદદ માટે હાજર હશે...

Thanks...
હિરજી મેક્સ
#MaxAhir
#ShopingCenter
#khadir

નાગલધામ, ખોડલધામ

કેશોદ થી અંદાજે ૧૭ કિમી દુર આવેલ ખોડલધામ જે અજાબ થી નજીક આવેલ નાગલધામ નજીક ૧૨૫ વર્ષ જુનો ચારણનો ટીંબો આવેલ હતો તેમાં ચારણોની ૭૦૦ વિઘા જમીન હતી આ ચારણના ટીંબા પાસે જુનું ખોડીયાર માતાજી નું સ્થાનક આવેલ હતું જ્યાં હાલ લીલી વનરાય વચે સૌંદય શોલે કળાએ ખીલ્યો હોઈ અને બાજુમાં જ ૧૫ ફૂટ ધોધ પણ પડે છે જે જોવા લાયક છે જ્યાં ખોડીયાર માતાજી નું સ્થાનક આવેલ છે જે હાલમાં અહિયાં નાગબાઈ યુવક મંડળ દ્વારા ફંડ એકત્રિત કરી ને લાખોના ખર્ચે રાજસ્થાનના લાલ પથરોથી મંદિર બનાવવામાં આવેલ છે આ મંદિરની બાજુમાં ધોધ પડે છે તે ત્રણ ગામમાં નિકળતી નદીનું મથાનાનું છે ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં વેલા ભગતની ગુફા પણ આવેલ છે વેલા ભગતે અનેક જગ્યાએ તપ કરી ને સમાધી પણ લીધેલ છે ખોડલધામ મંદિર ની એક વાર દર્શન નો લાભ લઇ ને ધન્યતા અનુભવ્યા જેવી છે..

અહેવાલ - અનિરુદ્ધસિંહ બાબરીયા

પ્રવાસ વર્ણન :- મહાલના પ્રકૃતિ સૌંદર્યની સફરે (અરવિંદભાઈ ગોંડલીયાના અનુભવી કલમે)

સરનામા વિનાનો વોટરફોલ

જ્યાં કુદરતે બે નહિ, હજાર હાથોએ સૌંદર્ય વેર્યું છે, એ જગ્યાનું નામ છે, ડાંગ. ચોમાસામાં આ દંડકારણ્ય પ્રદેશ લીલોછમ બની જાય છે. નદી, નાળા, ઝરણાં અને અનેક જગ્યાએ ધોધ ફૂટી પડે છે. જાણે કુદરત અહીંથી પોતાની હયાતીના હસ્તાક્ષર કરી રહ્યા હોય ! જો દક્ષીણ ગુજરાતમાં રહીને પણ ડાંગમાં રખડપટ્ટી નથી કરી તો શું જીવ્યા?
મિત્રો ડાંગ એટલે માત્ર સાપુતારા નહિ, અહીં એના સિવાય અનેક સૌંદર્ય સ્થાનો છે. એવું જ એક રમણિય અને મનને હરનારૂ સ્થળ એટલે મહાલ. સરકાર દ્વારા અહીં સુંદર ડેવલોપ કરીને ઇકો કેમ્પસાઈટ બનાવી છે. અહીં રાત્રી રોકાણની પણ વ્યવસ્થા છે. પૂર્ણાં નદીનો સુંદર પટ નિરખવાની મોજ જ મોજ આવશે. પરંતુ મહાલ પણ આટલું જ નથી. મહાલમાં માણવા લાયક ઘણું બધું છે. અમે પ્રવાસી પંછી પાંચ સિરીઝમાં આખું મહાલ એક્સપલોર કરીશું. ઉમ્મીદ છે આપને ગમશે. તો લેટ્સ સ્ટાર્ટ.

સુરતથી અમારી એક્ટિવા ઉપડી ગઈ છે. અદભુત મહાલની સફર પર. વ્યારા વટાવ્યા પછી મહાલ થી થોડા કિલોમીટર દૂર એક રળિયામણા નાનકડા ગામની સીમમાં નાનકડા સુંદર ધોધના રોડ પરથી જ દર્શન થઈ ગયા અને અમે ત્યાં જવા પર ખુદને રોકી ન શક્યા. બાઈકને સાઈડમાં પાર્ક કરીને પગને ઉપાડ્યા. તમે આંખ બંધ કરીને ખોલો ત્યાં સુધીમાં તો અમે ધોધની સમીપ પહોંચી ગયા. કહેવાય ને કે નાનું પણ નાગનું બચ્ચું. બસ એવો જ આ નાનકડો ધોધ છે. ચાર કે પાંચ ધારા રૂપે ઉપરથી નીચે આવે છે. તેની નીચે ઉભા રહીને ન્હાવાની મજા પણ લઈ શકો. ધોધનું પાણી નીચે વહી જતી નદીમાં ભળે છે. ગામના છોકરાઓ નદીમાં મસ્તીથી તરી રહ્યા હતા. અમે ધોધ નીચે જ ન્હાવાનો લાભ લીધો. દોસ્તો આ જગ્યાનું અમે સરનામું નથી આપી રહ્યા. અમારા માટે પણ આ અજાણ્યો જ ધોધ છે. કોઈને પૂછીએ તો ખબર પડે પણ અમે કોઈને જાણી જોઈને પૂછ્યું નહિ. ખબર હોય તો કોઈને કહીએ ને..! અમુક સુંદરતા અજાણી જ સારી. હા, વિડિઓ જોવો હોય તો આ રહી, લિંક. એન્જોય.

https://www.youtube.com/user/arvindgondaliya100

મહાલના રસ્તા પર આગળનો મુકામ ઓર મજેદાર છે●

-arvindgondaliya111@gmail.com



"रास्ते wala ધોધ"

મહાલ. ડાંગનું કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ તો સુંદરતાનું બેજોડ શિખર છે જ. પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો પણ એટલો જ રમણીય છે. પાર્ટ -1 માં સરનામા વિનાનો સુંદર ધોધ મળ્યો. જ્યાં અમે લગભગ 2 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. તાજા માજા થઇને હવે મહાલના રસ્તે આગળ વધીએ..

આકાશ આમ તો સ્વચ્છ છે. પણ વાદળો ગમે ત્યારે આવીને વરસી પડે એવો માહોલ છે. ઠંડી ખુશ્બુદાર હવા ચાલી રહી છે અને બંને બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા રોડ પર અમારી બાઇક દોડી રહી છે, 40 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી. હા, ગતિ મર્યાદા જરૂરી છે. અને મંજિલ કરતા ખરી મજા મુસાફરીમાં હોય છે. આ ગાંઠ બાંધીને ચાલશો તો સફર ઓર મજેદાર બની જશે. ઠંડી ઠંડી હવાની લહેરો વચ્ચે આ રસ્તા પર બાઇકિંગનો આંનદ અવર્ણનિય છે. વ્યારાથી અમે નીકળ્યા હતા. ટેમકા થઈને હવે આગળ વધી રહ્યા છીએ. બરડીપાડા ક્રોસ કરો એટલે રસ્તો વધુ શાનદાર લાગશે. હવે મંજિલ છ કિલોમીટર દૂર છે, પણ આ શું? મેઇન રોડ પર જ વધુ એક સુંદર નાનકડો ધોધ અમને કહી રહ્યો હતો કે મહાલ પછી જાઓ પહેલા મને મળો.. લો, હવે ધોધ જ જ્યારે વિનંતી કરે તો પછી ના થોડી પડાય ! એક્ટિવા આપોઆપ થોભી ગઈ. એને પણ જાણ હતી કે અહીં તો ઉભા જ રહેવું પડશે. આ રાસ્તે વાલા ધોધનું નામ દુલધા ધોધ છે. નજીકમાં આ નામથી જ ગામ છે. ગામના નામ પરથી જ ધોધનું નામ પડ્યું છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓને ઉભા રહેવા માટે મજબૂર થવું પડે એવો સુંદર અને શાંત ધોધ છે.. ખાસ કરીને બાળકોને મજા પડશે. નીચે ઉભા રહીને ન્હાવાનો આનંદ પણ લઈ શકાય. પરંતુ ફોર્સ વધુ હોય તો ટાળવું. અને જાહેર માર્ગ પર ધોધ હોવાથી ટ્રાફિક ન સર્જાય એની તકેદારી રાખવી પણ આપણી નૈતિક ફરજ બની જાય છે. અને આ સુંદર નજારાનો વિડિઓ બતાવવો અમારી ફરજ છે.

https://youtu.be/9cLcD6hDNUA

અર્ધો કલાક દુલધાને નામ કરી મક્કાઈ ખાધી, ફોટા ખેંચ્યા અને પછી એક્ટિવા સ્ટાર્ટ કરી મંજિલ તરફ.... મજેદાર મંજિલ રાહ જોઈ રહી છે.. તો મળીએ નવા એપિસોડમાં મહાલની વાદીઓમાં...


સુંદર ઝરણાં સાથે મહાલમાં તમારૂ સ્વાગત છે

દુલધા વોટરફોલ પર અર્ધો કલાક વિતાવીને ફરી સફર મહાલ તરફ શરૂ કરી. હવે અહીંથી મહાલ માત્ર પાંચ કિલોમીટર દૂર છે... વરસાદને કારણે રસ્તા ભીના થઈ ગયા હતા. તો કોઈ કોઈ જગ્યાએ રોડ પર પણ પાણી પથરાયેલું હતું. જેના પરથી એક્ટિવા પસાર થતી ત્યારે એવું લાગતું હતું જાણે એક્ટિવા છબછબિયાં કરી રહી હોય ! આ રસ્તાની ડબલ મજા એટલા માટે છે કેમ કે એકતરફ લીલુંછમ જંગલ અને બીજીતરફ પૂર્ણાં નદીનો નયનરમ્ય પટ. બંને તમારી સાથે ચાલ્યા કરે. અમને લાગતું હતું કે હવે સીધા મહાલ કેમ્પસાઈટ જઈને જ બાઇક સ્ટોપ કરીશું. પણ સફરની ગતિ ન્યારી છે. મહાલના પ્રવેશ પહેલા જ વધુ એક નાનકડો ધોધ દેખાઈ ગયો. દુલધા ધોધ પહાડ થી રોડ પર પડતો હતો. આ ધોધ રોડ પરથી નદીના પટમાં ખાબકે છે. તો રોડ પર બાઇક પાર્ક કરીને અમે ઉતરી ગયા નદીના પટમાં. ચાર ધારામાં પડતો આ ધોધ ઝીલવાની મજા આવે એવો છે. હા, ધોધ નીચે જવામાં કાળજી રાખજો કેમ કે જગ્યા થોડી લપસણી છે. બાકી આવશે ભરપૂર મજા. આ મહાલ ગામમાં જ ધોધ છે તેથી ધોધને પણ મહાલ વોટરફોલ નામથી જ ઓળખવામાં આવે છે. આને તમે મહાલનું પ્રવેશદ્વાર પણ કહી શકો. પ્રવેશદ્વારનો વિડિઓ નિહાળવા અહીં ક્લિક કરો..

https://www.youtube.com/user/arvindgondaliya100

હવે વિચારો જેનું પ્રવેશદ્વાર આટલું સુંદર છે તો અંદરનો નજારો કેવો સુંદર હશે.. બેશક ખૂબ જ સુંદર છે. તો મળીયે નવા એપિસોડમાં મહાલ કેમ્પસાઈટમાં. અને હા, જંગલમાં ટ્રેકિંગ પણ કરીશું...

બીજા ભાગ માટે અહીં ક્લિક કરો.
https://www.facebook.com/104374244572476/posts/160655592277674/

[કેમ્પસાઈટ, પૂર્ણાં નદીનો પટ અને જંગલમાં ટ્રેકિંગ..]

મહાલમાં મહાલવાની વધુ મજા ચોમાસામાં જ છે. મહાલ સુધી પહોંચવામાં જ અમને રસ્તામાં જ ત્રણ ધોધના દર્શન થઈ ગયા. બાકી હરિયાળા રસ્તા તો સતત તમને પકડીને જ ચાલ્યા કરે. મહાલના વોટરફોલમાં ન્હાવાની મજા લઈને અમે ચાલ્યા કેમ્પસાઈટ તરફ...

પૂર્ણાં નદી પર મસ્ત મજાના પુલ પરથી પસાર થતાની સાથે જ જમણી સાઈડમાં કેમ્પસાઈટનો ગેટ છે. વ્યક્તિ દીઠ પ્રવેશ ફી 20 રૂપિયા છે. જો તમારી સાથે વાહન હોય તો એનો ચાર્જ અલગથી લાગશે.. તો ફટાફટ ટિકિટ લઈ લો અને ચાલો અંદર..ગેટથી કેમ્પસાઈટનું અંતર 3 કિલોમીટર જેટલું છે. એકવાર અમે ચાલતા અને એકવાર કારમાં ગયા હતા. આ વખતે બાઇક પર જઇ રહ્યા છીએ. ત્રણેય અનુભવ પછી હું કહી શકું પગપાળા જેવો આનંદ ક્યાંય નથી. પણ તમારે કેમ્પસાઈટમાં રોકાવાનું હોય અને સાથે વ્હીકલ હોય તો એ લઈને જ જજો. આ ત્રણ કિલોમીટરનો રસ્તો ખૂબ રળિયામણો છે. ચોમાસામાં વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવી પડે. હોંશિયારી મારીને જંગલની અંદર પ્રવેશ કરવો નહીં. આ જંગલમાં દીપડા પણ રહે છે એ ધ્યાને રહે. લો, વાતો કરતા કરતા પહોંચી ગયા કેમ્પસાઈટ. અહીં રહેવા માતે દેશી કોટેજ અને ટ્રી હાઉસ પણ મળશે. પણ આ બધું બુકિંગ તમારે ઓનલાઈન મહાલ કેમ્પસાઈટની વેબસાઈટ પરથી કરાવવું પડશે. કારણ કે વરસાદી દિવસોમાં અહીં પણ હાઉસફુલના પાટિયા જુલતા હોય છે. અહીં રહેવાની એટલે મજા છે કેમ કે એક તો જંગલની વચ્ચે કેમ્પસાઈટ અને બાજુમાં જ પૂર્ણાં નદીનો સુંદર પ્રવાહ.. નદીના કિનારે બેસીને પણ ન્હાવાની મજા લઇ શકાય છે. પણ કિનારે જ. એક બાત તો કહેના ભૂલ હી ગયા, જ્યારે પ્રકૃતિની ગોદમાં જ આવ્યા છો તો અહીંના લોકલ ફૂડનો પણ ટેસ્ટ કરજો. વાંસનું શાક અને નાગલીના રોટલાની અમે તો બે દિવસ મિજબાની માણી.. મરાઠીમાં કહું તો,અપ્રતિમ.

નદીની સામે કરંજવા ટ્રેઇલ છે. ત્યાંથી એક દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરીને કરંજવા વોટરફોલ જવાય છે. એ માટે ગાઈડ તમે લઈ શકો છો. કેમ્પસાઈટ પરથી ગાઈડ અવેલેબલ હશે તો મળી જશે. અમે વિધાઉટ ગાઈડ જ વોટરફોલ તરફ નીકળી પડ્યા.. ઘનઘોર જંગલમાં ટ્રેકિંગની મજા અવર્ણનિય છે. અમે ચાલતા રહ્યા ચાલતા રહ્યા પણ વોટરફોલ ક્યાંય જોવા મળ્યો નહિ. ત્રણ કિલોમીટરથી વધુ ચાલી ગયા અને પછી તો જંગલ વધુ ઘનઘોર થવા લાગ્યું. અમારી સિવાય કોઈ જ દેખાઈ નહિ. પાંદડા ખખડવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય... એક નાનકડું ઝરણું, અસંખ્ય વૃક્ષો, ઝરમર વરસાદ અને અમે. સાચું કહું તો વાતાવરણનો આવો વૈભવ ક્યારેય નથી માણ્યો પણ 24 કેરેટવાળું સત્ય કહું તો અંદર ડર પણ લાગતો હતો. સામેની ઝાડીમાંથી દીપડો આવી જશે તો.. થોડી મિનિટો ગાળીને વધુ આગળ વધવા કરતા અમે પરત ફરવાનું વધુ મુનાસીબ સમજ્યું. અને ચાર ઘર વળતા કર્યા...
આ સમગ્ર વૃતાંત વિડિઓ રૂપે પણ અહીં પ્રસ્તુત છે.

https://youtu.be/5Th_HL4t6jc

મહાલના જંગલની અંદર એક અત્યંત રમણીય ધોધ કરી રહ્યો છે અમારો ઇન્તેઝાર.. મળીએ પાંચમા અને અંતિમ પાર્ટમાં આ જ મુકામ પર.
- અરવિંદ ગોંડલીયા, ગુજરાત સમાચાર.

ત્રીજા પાર્ટ માટે અહીં ક્લિક કરો..
https://www.facebook.com/104374244572476/posts/162115548798345/

દેશી બાવળની સીંગો

🌿જાણો દેશી બાવળની સીંગોના જોરદાર ફાયદાઓ જે તમે સપનામાં પણ ક્યારેય નહિ વિચાર્યું હોય, અહી મેળવો તેની સંપૂર્ણ જાણકારી...!!!🌿🌿🌿

દોસ્તો તમે દેશી બાવળ ના વિષે સારી રીતે અવગત હશો જ. આ પોસ્ટમાં તમને દેશી બાવળની સીંગોના અદભૂત ઔષધીય ગુણો અને ફાયદાઓથી માહિતગાર કરાવીશું.

બાવળ એક કાંટાવાળું ઝાડ હોય છે. અને તે ખાસ કરીને આફ્રિકા મહાદ્વીપ અને ભારતીય ઉપમ્હાદીપમાં જોવા મળે છે. બાવળને તો તમે જોયો જ હશે, તે ભારતમાં મોટા ભાગે બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. અને જો કે આ બાવળનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત, તો આજની તારીખમાં એ લોકો તેની પેટન્ટ કરાવીને દવાઓ બનાવી લીધી હોત ઉપરાંત તે લોકો આપણી પાસેથી એના હજારો લાખો રૂપિયા લૂટતા હોત. પણ ભારતના લોકોને આ જ વસ્તુ મફતમાં મળે છે તેથી તેની કોઈ કિંમત નથી. આ વાત સાથે તો તમે પણ સહમત થઈ જ જશો.

દોસ્તો આજે અમે તમને આ અત્યંત ઉપયોગી બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે, અથવા ઓપરેશન કરી બદલવાની નોબત આવી ગઈ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર થી કરશો.

આપણા માનવ શરીરમાં અમુક ઉંમર પછી સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ધણું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો સામે આવે છે. એ કારણે હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા તો નથી જ. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી જરૂર બચાવી શકશે. એકવાર જરૂર થી કરી જુઓ.

તો આવો જાણીએ આ અદ્ભુત દેશી પ્રયોગ વિષે :-🌿🌿

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત :
બાવળના ઝાડ ઉપર જે ફળી (સીંગો) લાગે છે તેને સાચવીને તોડી લાવો. જો તમને આ સીંગો શહેર માંથી ન મળે તો કોઈ ગામમાં જાવ, ત્યાં તમને જેટલી જોઈએ એટલી મળી જશે. હવે આ બીજ સાથે જ આખી સીંગોને સારી રીતે સુકવીને પાવડર બનાવી લો. અને બસ દવા તૈયાર છે.

હવે આવો જાણીએ તેના સેવનની રીત :-🌿🌿
આ દવાને સવારે એક ચમચી જેટલી માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી લો. આનું સેવન ૨-૩ મહિના સતત કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. અને તમારે ગોઠણ બદલવાની જરૂર નહી રહે.

ઘણા મિત્રો એ આ વાંચીને પ્રયોગ કર્યો છે અને ખુબ સારું રીઝલ્ટ મળ્યું છે. (જે પણ લોકોને આ દેશી દવાથી ફેર પડ્યો હોય તે ફરીથી બધાની જાણ માટે કોમેન્ટમાં જરૂર જણાવે) એક ભાઈએ તો કહ્યું કે તેમના ગામમાં મોટાભાગના ઘરોમાં આ દવા વપરાય છે, અને જેને તકલીફ હતી એને સારું થવા માંડ્યું છે. શહેરોમાં ઘણા લોકો આના પાવડરનું પણ વેચાણ કરવા લાગ્યા છે, જે ૩૦ રૂપિયામાં ૧૦૦ ગ્રામ જેવા ભાવે મળે છે. આનાથી વધુ ભાવ કોઈના લે એ એમને વિનંતી છે. (અમે લોકો આ પાવડર નથી વેચતા)

હંમેશા અમે તમારા માટે નવી નવી જાણકારીઓ લાવતા રહીએ છીએ. જેથી તમારું આરોગ્ય જળવાય રહે, તેમજ તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડીથી બચી શકો. તમે પણ આયુર્વેદ જીવનધોરણને જીવનમાં અપનાવો.

તમને જણાવી દઈએ કે મોટાભાગે આયુર્વેદની દવાઓની કોઈ આડઅસર નથી હોતી. તમારે માત્ર એનો ઉપયોગ કરતી વખતે ધીરજ અને પરેજી રાખવી જરૂરી છે, કારણ કે આ દુ:ખાવાને પેઈન કીલરની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવારમાં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.

બાવળ ઉપર ગરમીની ઋતુમાં પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં ઉગે છે. અને શીયાળાની ઋતુમાં એના પર સીંગો લાગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેમજ તેનું લાકડું પણ ઘણું મજબુત હોય છે.

બાવળના ઝાડ પાણીની નજીક અને કાળી માટીવાળા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. બાવળમાં ઘણા પોષક તત્વ અને ખનીજ પદાર્થ મળી આવતાં હોય છે.

તમને જણાવી દઈએ કે ૧૦૦ ગ્રામ બાવળમાં ૧૩.૯૨ ગ્રામ પ્રોટીન, ૬.૬૩ ગ્રામ ચરબી, ૪.૨૮ mg આયર્ન, ૦.૯૦૨ mg મેંગેનીઝ અને ૦.૨૫૬ mg જસત હોય છે.

આમ પણ બાવળના દાંતણ દાંત માટે ઘણા ઉતમ સાબિત થાય છે. કફ અને પિત્તનો ઈલાજ કરવા માટે બાવળનું ઝાડ ઘણું જ અસરકારક હોય છે. તે મૂત્ર વિકાર, સોજા, દુ:ખાવો, પિત્ત અને ગર્ભાશયના બ્લીડીંગને સારું કરવામાં મદદ કરે છે. બાવળના ઝાડના બીજા ભાગ જેવા કે પાંદડા, ગુંદર અને છાલ તમામ વસ્તુ જ કામની હોય છે.

તમને જણાવી દઈએ કે બાવળનો ગુંદર પણ ઘણી બઘી બીમારીઓના ઈલાજમાં ફાયદાકારક હોય છે. તેનો ગુંદર ઉનાળાની ઋતુમાં ભેગો કરવામાં આવે છે. જેને એની ઓળખ ન હોય તો જણાવી દઈએ કે બાવળના થડમાં ક્યાય પણ કાપવામાં આવે, તો ત્યાંથી જે સફેદ રંગનો ચીકણો પદાર્થ નીકળે છે તેને ગુંદર કહેવામાં આવે છે.

બાવળના ફાયદા મોઢાની સમસ્યાની સાથે સાથે સાંધાના દુ:ખાવા દુર કરવા અને સંપૂર્ણ આરોગ્ય પ્રદાન કરવાં માટે ખુબ ફાયદાકારક હોય છે. આવો જાણીએ કે આપણા શરીરના આરોગ્ય માટે બાવળના ફાયદા શું છે.

🌿બાવળની સીંગોના અદભૂત આરોગ્યવર્ધક ફાયદાઓ:-🌿🌿

🌿શરીરની ધાતુ પુષ્ઠી કરે :-🌿🌿
ધાતુની પુષ્ઠી કરવાં માટે બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લો. અને એક વખત સુકાઈ જવાથી તેને ફરી વખત પલાળીને સુકવી લો. આ જ રીતે આ પ્રક્રિયા ૧૪ વખત કરવામાં આવે છે. ત્યારબાદ એ કપડાને ૧૪ ભાગમાં વહેંચી લો, અમે રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને એ દૂધ ગાળીને પીવાથી ધાતુની પુષ્ઠી થાય છે.

🌿પુરૂષોની પૌરૂષ શક્તિ વધારે છે :-🌿🌿
ધાતુની પુષ્ઠીની જેમ જ બાવળના કાચા સીંગોના રસમાં એક મીટર લાંબા અને એક મીટર પહોળા કપડાને પલાળીને સુકવી લેવામાં આવે છે. એક વખત સુકાઈ જવા પર ફરી વખત તેને પલાળીને સુકવી લેવામાં આવે છે. તેવી રીતે આ પ્રક્રિયા ૧૫ વખત કરવામાં આવે છે. ત્યાર પછી તે કપડાને ૧૪ ભાગમાં વહેચી લો, અને રોજ એક ટુકડાને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવાથી પૌઋષ શક્તિ વધે છે. અને તેની સાથે આ ઉપાયથી તમારી શારીરિક નબળાઈ પણ દુર થઈ જાય છે.

🌿શરીરના હાડકા તુટવા ઉપર :-🌿🌿
બાવળની સીંગોનું ચૂરણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી સાજા થઈ જાય છે.એના માટે તમે ૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધમાં ભેળવીને પીવો. ત્રણ દિવસમાં જ તમારું તૂટેલું હાડકું જોડાવા લાગે છે. આ ઉપરાંત બીજો ઉપાય એ છે કે બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.

🌿કાનના રોગો માટે :-🌿🌿
કાનના રોગો માટે તમે બાવળના ફૂલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવવા માટે મૂકી દો. પાકી ગયા પછી તેને તાપ ઉપરથી નીચે ઉતારીને ઠંડુ થવા મૂકી દો. આ તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું સારું થઈ જાય છે.

🌿શરીરમાં કમરના દુ:ખાવામાં રાહત અપાવે :-🌿🌿
તમને કમરમાં દુ:ખાવો થવા ઉપર બાવળની છાલ, સીંગો અને એનુ ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. દિવસમાં ૩ વખત એક ચમચીના પ્રમાણમાં એનું સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળે છે. ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને સવારે સૂર્ય ઉગતા સમયે ૧ ગ્રામના પ્રમાણમાં લેવાથી પણ તમને કમરના દુ:ખાવામાં આરામ મળશે.

🌿વધુ પેશાબ આવવાની સમસ્યા દુર કરે છે :-🌿🌿
જો તમને પેશાબ વધુ આવવાની તકલીફ થાય છે, તો એના માટે બાવળની કાચી સીંગોને છાયામાં સુકવીને તેને ઘી માં ટળીને પાવડર બનાવી લો. આ પાવડરનું ૩-૪ ગ્રામના પ્રમાણમાં રોજ સેવન કરવાથી પેશાબ વધુ આવવાની સમસ્યા બંધ થઈ જાય છે.

🌿પથારીમાં પેશાબ થવા પર :-🌿🌿
બાવળની સિંગ પથારીમાં પેશાબ કરવા વાળા બાળકો માટે પણ તે ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. આ સમસ્યાના નિવારણ માટે બાવળના કાચા સીંગોને છાયામાં સુકવીને, ઘી માં શેકીને તેમાં સાકર ભેળવીને ૪-૪ ગ્રામના પ્રમાણમાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે પીવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દુર થઈ જાય છે.

🌿દસ્ત (અતિસાર) માં આરામ અપાવે છે :-🌿🌿
અતિસારમાં આરામ મેળવવા માટે બાવળની સીંગો, આંબળા અને જાયફળના બીજની રાબ બનાવીને પીવી જોઈએ. આ રાબ પીધા પછી તમે જેટલી વખત પણ પાન ખાશો એટલી વખત જ દસ્ત થશે.

અતિસારને સારું કરવા માટે બાવળના ૮-૧૦ કુણા પાંદડાને જીરું અને દાડમની કળીઓ સાથે ૧૦૦ મી.લી. પાણીમાં વાટી લો, હવે આ પાણીને ૨ ચમચી સવારે, બપોરે અને રાત્રે રોગીને પીવરાવવાથી અતિસાર દુર જ થઈ જાય છે.

🌿શારીરિક શક્તિ વધારે અને નબળાઈ દુર કરે છે :-🌿🌿
આપણી શારીરિક શક્તિ વધારવા માટે બાવળની સીંગો ઘણી અસરકારક ઔષધી માનવામાં આવે છે. તેના માટે બાવળની સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા પ્રમાણમાં સાકર ભેળવીને તેને વાટી લો. હવે એને એક ચમચી સવાર-સાંજ નિયમિત રીતે પાણી સાથે લેવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. અને તમામ નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.

🌿દાંતને મજબુતી પ્રદાન કરવાં માટે ઉપયોગી :-🌿🌿
ઢીલા દાંતને મજબુત કરવા અને પેઢા માંથી નીકળી રહેલા લોહીને અટકાવવામાં દરરોજ બાવળના ઝાડની તાજી છાલ ચાવવાથી ઘણી મદદ મળે છે. ખરાબ દાંત માટે તેના પાવડર સાથે બ્રશ કરવાથી દાંત સાફ કરી શકાય છે. આ પાવડરને બનાવવા માટે તમે ૫૦ ગ્રામ બાવળના લાકડાનો કોલસો, ૨૦ ગ્રામ શેકેલી ફટકડી અને ૧૦ ગ્રામ સિંધવ મીઠું લો.

🌿વાળના આરોગ્યની જાળવણી માટે :-🌿🌿
વાળના આરોગ્ય માટે બાવળના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે. વાળના ખરવાની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે, માથા ઉપર બાવળના પાંદડાની પેસ્ટ લગાવો. અને સારા પરિણામ મેળવવા માટે સારી ગુણવત્તા વાળા શેમ્પુ સાથે ૨૫ મિનીટ પછી વાળ ધોઈ લો. એક વાત યાદ રાખો કે હંમેશા તમારા વાળ ધોવા માટે હુફાળા પાણીનો ઉપયોગ કરો.

🌿સાંધાના દુ:ખાવાને દુર કરે છે :-🌿🌿
તમને જણાવી દઈએ કે બાવળનો ઉપયોગ સાંધાના દુ:ખાવા દુર કરવા માટે ઘણો જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગ કરવા માટે તમે બાવળની સીંગોને તડકામાં સુક્વી તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરને દિવસમાં ૨ થી ૩ વખત ગોઠણ ઉપર લગાવતા રહેવાથી ગોઠણનો દુ:ખાવો તરત જ દુર થઈ જશે.

🌿વધુ પરસેવો થવાની સમસ્યાથી છુટકારો અપાવે છે :-🌿🌿
જો તમારા શરીરમાં વધુ પડતો પરસેવો આવે છે, અને તેને લુછી લુછીને તમે થાકી જાવ છો, તો બાવળ તમારા માટે ઘણો જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેના માટે તમે બાવળના પાંદડા વાટીને આખા શરીર ઉપર લગાવો અને થોડા સમય પછી સ્નાન કરી લો. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસો પછી તમને વધુ પરસેવો આવવાનો જરૂર થી બંધ થઈ જશે.

🌿શરીરને શક્તિશાળી અને મજબૂત બનાવે :-🌿🌿
બાવળના સીંગોને છાયામાં સુકવી લો અને તેમાં સરખા ભાગે સાકર ભેળવીને વાટી લો. આ તૈયાર થયેલા ચુરણને રોજ પાણી સાથે સેવન કરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે, અને તમામ નબળાઈ વાળા રોગ દુર થઈ જાય છે.

🌿પુરૂષના શુક્રાણુંની કમીને દુર કરે :-🌿🌿
જો બાવળના પાંદડાને ચાવીને તેની ઉપર ગાયનું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં રાહત થવા લાગે છે. તેમજ બાવળના કાચા સીંગોનો રસ દૂધ અને સાકર ભેળવીને ખાવાથી શુક્રાણુંઓની કમી દુર થાય છે.

🌿એસીડીટીની સમસ્યા દુર કરવા માટે :-🌿🌿
જો તમને પણ એસીડીટીની સમસ્યા છે તો બાવળના પાંદડાની રાબ બનાવીને તેમાં ૧ ગ્રામ આંબાનો ગુંદર ભેળવી લો. આ ઔષધીય રાબને સાંજે બનાવો અને સવારે પી લો. આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે.

🌿કમળાને દુર કરવા માટે નો ઉપાય :🌿🌿
કોઈને કમળો થવા ઉપર બાવળના ફૂલને સાકર સાથે ભેળવીને ઝીણું વાટીને ચૂર્ણ તૈયાર કરી લો. પછી આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી જ કમળાનો રોગ મટી જાય છે. ઉપરાંત બાવળના ફૂલના ચુરણમાં સરખા ભાગે સાકર ભેળવીને ૧૦ ગ્રામ રોજ ખાવાથી કમળાનો રોગ મટી જાય છે.

🌺દોસ્તો, કોઇ પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ અને શારિરિક તકલીફો અંગે કોઇ અધિકૃત ડૉકટર કે આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી તથા માર્ગદર્શન મેળવી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી ૧૦૦% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવાની એ પણ ધીરજ સાથે!🙏

👉🏽ખાસ નોંધ: ઉપરના ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ જાણકારી આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

👉🏽આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વિશ્વાસું ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જ.

👉🏽ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો...⚘⚘🌷🌺🥀🌹🌷⚘

➡️Like➡️ Comment ➡️Share➡️
🍇🍅🌳🍏#આરોગ્ય_स्वास्थ्य_Health🌱🍎🍊🍉

#આરોગ્ય #હેલ્થ #સ્વાસ્થ્ય #Health #દેશીબાવળ #ઘાતુપુષ્ઠી #પૌરૂષશકિત #કાનનારોગ #કમરનોદુખાવો #કમળો #શકિતશાળી #એસીડિટી #શુક્રાણુઓનીકમી #નબળાઇ #પરસેવો #સાંધાનોદુખાવો #વાળ #ઢીંલાદાંત #અતિસાર #પેશાબ

સાભાર :- https://www.facebook.com/365788294062327/posts/638649400109547/

Friday, August 21, 2020

ખડીરબેટની ઉડતી મુલાકાતે

ખડીર એ એક બેટ છે ખડીર કુદરત નો ખોળો પણ કહી શકાય છે ખડીર મા વરસાદ પછી ત્યાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઊઠે છે ધરતી પર નું સ્વર્ગ લાગે છે! ખડીર મા બોર બકરી અને બાજરો પ્રખ્યાત છે! ખડીર પ્રારંભિક કાળ નો ઇતિહાસ સાચવીને બેઠું છે! ખડીરમાં ડાયનાસોર ના અવશેષો મળી આવેલ છે. ખડીરમાં કરોડો વર્ષ પહેલાંનો ફોસિલ પાર્ક આવેલ છે! હાલમાં ફોસિલ પાર્ક નો વિકાસ ચાલુ છે ટૂંક સમયમાં બની જશે અને એક રમણીય પ્રવાસ-પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે! ખડીરમાં ભજડો ડુંગર આવેલ છે જે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલ છે નાથ સંપ્રદાય ના ભજડનાથ દાદા એ આ ડુંગર ઉપર તપ કરેલું છે તેથી ભજડો ડુંગર તરીકે ઓળખાય છે! આ ડુંગર ઉપર ઉનાળા સિવાય જઈ શકાતું નથી ઉનાળા માં પણ બીએસએફ ચોંકી માં થી મંજુરી લઈ ને જઈ શકાય છે અને ડુંગર ઉપર એક ત્રિશૂળ છે તેમજ આ ડુંગર મા એક નાનું એવું તળાવ આવેલું છે આ ડુંગર મા સસલા હરણ વગેરે રહે છે ચાર મહિના સિવાય આ ડુંગર ચારે બાજુ પાણી થી ઘેરાયેલો રહે છે એટલે ત્યાં જઈ શકાતું નથી જેના કારણે રણ ના કાઠે દાદા નું મંદિર બનાવેલ છે અને મદીર ની આરતી પૂજા બીએસએફ ના જવાનો કરે છે! ચારે બાજુ અફાટ રણ હાલ માં રણ મા પાણી આવેલ હોવા થી એમ લાગે કે સમુદ્ર છે! ભજડો ડુંગર તો દૂર થી અતિ રમણીય લાગે છે પેલા ના સમય માં ભજડા દાદા નો મેળો ભરાતો ત્યારે ખડીર બેટ ના તમામ ગામ ના લોકો ગાડું બળદ લઈ ને આવતા અને મેળા નો આનદ લેતા અને રાત પણ રોકાતા હતા રણ મા ગાડાં છૂટ્યા હોય અને બળદો ની જાલર વાગતી હોય અદ્ભુત સ્મરણો ગાંઠ છૂટ્યા ની વેળા લેખક વર્ષા અડાલજા ની બુક્સ મા લખેલ છે જે બુક્સ મા પેલા સમય નું ખડીર કેવું હતું તેનું અદ્ભુત વર્ણન છે અને સ્મરણો છે!
આ ઉપરાંત અંદર રણ મા હજી એક બેટ આવેલ છે જે કરોડો વર્ષ જૂનો છે સ્ફટિક ટાઈપ નો ડુંગર છે ત્યાં ભારત આઝાદ થયા પછી કોઈ માણસ ગયું નથી છેલ્લે ગયા વર્ષે ગાંધીનગર થી મંજુરી લઈ ને એક ટીમ ગઈ હતી હાલ માં બહુ નાનો ડુંગર છે કાળક્રમ નાશ થતો જાય છે જ્યાં એવું કહેવાય છે કે મોટું બંદર હતું અમારા નસીબ કે અમને આ વખતે નરી આંખે એ ડુંગર જોવા મળ્યો બાકી હું ઘણી વાર ગયો છું ક્યારેય દેખાતો નથી! જે ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર આવેલ છે અમે ગયા ત્યારે વરસાદ પડી ને રહી ગયો હતો એટલે દૂર દૂર સુધી ચોખુ વાતાવરણ હતું એટલે એમણે નરી આંખે એ ડુંગર દેખાતો હતો! ખડીર મા આવીજ એક અદ્ભુત જગ્યા બોકરગળો છે જ્યાં પણ પાચ કિમી ચાલતા જવું પડે છે જ્યાં પહોંચ્યા પછી સ્વર્ગ નો અનુભવ થાય છે નીચે ઊંડી ખીણ છે
અને એક બાજુ ઉચો પહાડ છે ત્યાં તમે નીચે ખીણ બાજુ મોઢું રાખી ને સુવો એટલે નીચે થી તમારા મોઢા માં એકદમ સૂસવાટા કરતો ઠંડો પવન લાગે જેનો આનંદ ક્યારેય ના ભુલાય આવો હોય છે! આ બધીજ જગ્યાઓ અદ્ભુત છે જે ખડીર ફોલ્ટ લાઈન છે ત્યાં થી તમને એક દમ ડુંગર ને કાપી નાખ્યો હોય એવો દેખાય છે અને નીચે રણ છે! ત્યારબાદ બીજી એક ભીમગુડો કરી ને અદ્ભુત જગ્યા આવેલી છે તેમજ સારણ નામ ની અદ્ભુત જગ્યા છે જ્યાં ડુંગર છે અને નીચે ખીણ માં પથ્થર મા ગાય ના આચર જેવું છે જેમાં થી કેટલાય વર્ષો થી અવિરત મીઠું પાણી ચાલુ છે ગમે તેવા દુષ્કાળ મા પણ પાણી બંધ નથી થયું કહેવાય છે ને કે ડુંગર પણ દૂજે છે એમ અહીંયા ડુંગર દૂજે છે પાણી બારેમાસ ચાલુ છે! આ ઉપરાંત ખડીર બેટ ની તમામ સમાજ ના પૂજનીય માતાજી આઈ સાગવારી માતાજી બિરાજમાન છે જે જગ્યા અદ્ભુત છે પાછળ ની બાજુ વાગડીયા પટેલ સમાજ ના સુરાપુરા દાદા નો પાળિયો છે બાજુ માં મોટું તળાવ છે માતાજી મા સાનિઘ્યમાં મા મોટો મેળો ભરાય છે! હનુમાન બેટ પર રનેશ્ચર હનુમાન બિરાજમાન છે રનેશ્વર હનુમાન જવા માટે બાભાણકા થઈ ને એકલ માતાજી ના જુના રાજાશાહી ના સમય ના રસ્તા ઉપર આવે છે પરંતુ બાભાણકા થી ૩ કિમી પછી રસ્તો નથી રણ હોવા થી રણ મા પાણી છે તો રણ મા પાણી મા ચાલતા ચાલતા ૫ કિમી પછી રણેશ્વર હનુમાન પહોંચી શકાય છે! જે બેટ ઉપર એક તળાવ છે તેમજ અખો બેટ લાપ નામ ના ખડ થી ઘેરાયેલો છે ચોમાસા મા ત્યાં નું વાતાવરણ અદ્ભુત છે ત્યાં જવા માટે દર પૂનમ ના સ્વયમ સેવકો મોહનભાઈ ભગત ને જાય છે તેમનો સંપર્ક કરવો પડે તો જ પહોંચી શકાય છે બાકી એકલા તમે ત્યાં ના જઈ શકાય ભવિષ્યમાં મા દાદા ની કૃપા થી રસ્તો બનશે જે એકલ માતાજી થઈ ને બાભણકા ખડીર મા નીકળશે જેથી ખડિર ના લોકો ને જે તકલીફ પડે છે એ દૂર થઈ જાય આ રસ્તા માટે એકલ માતાજી મહંત શ્રી દેવનાથ બાપુ દિલ્લી સુધી ની મહેનત કરી છે અને આ રસ્તો કરી ને જ રહેશે અને દાદા ની અને માતાજી ની કૃપા થી થશે જ એવો વિશ્વાસ છે! ભારત દેશ મા ખડીર એ એક એવો વિસ્તાર છે જેને પોતાના ના તાલુકા મથકે સરકારી કામકાજ થી જવા માટે બીજા તાલુકા મા થઈ ને જવું પડે છે ખડીર ના લોકો ને રાપર થઈ ને ભચાઉ જવાય છે જ્યારે તેમણે તાલુકો ભચાઉ લાગે છે અને ભારત દેશ મા કોઈ વિસ્તાર થી દુર મા દૂર તાલુકા મથક હોય તો એ છે ખડીર વિસ્તાર વર્ષો ની તકલીફો ભોગવી ને ખડીર ના લોકો ખમીરવંતા થયા છે આજે પણ ખડીર ના ખમીરવંતા લોકો એમ કહેવાય છે જેમણે કોઠા સૂઝ થી ઘણી પ્રગતિ કરી છે આજે ખડીર વિસ્તાર માં થી સરકારી નોકરી મા ઘણા યુવાનો છે આર્મી બીએસએફ મા પણ સેવા આપી રહ્યા છે તો ખડીર ને જેના પર ગર્વ લઈ સકે આવા મુરાલાલા મારવાડા ફોક્ સિંગર પણ જનાળ ના છે તેમાંજ ખડીર ના હાસ્ય કલાકાર અને ગુજરાત ના ખ્યાતનામ એન્કરિંગ મા નામ છે એવા હીરજીભાઈ આહિર મેક્સ પણ ખડીર નું ખમીર છે! તેમજ રાજકીય તરીકે નરેન્દ્રદાન રાવદાન ગઢવી પણ ખડીર ના છે જેમનો રણ રિસોર્ટ છે તેમજ ભરતભાઈ આહિર જેમનો રિસોર્ટ ધોળાવીરા હોમ સ્ટે છે જે ખુબજ વ્યાજબી ભાવે રોકવા માટે ની તેમજ ઘર જેવું જ અને ખડીર વિસ્તાર ના કકોડા ના શાક પણ તમને ખવડાવે છે પરિવાર ના સભ્ય ની જેમ તમને રાખે છે અને ખડીર પણ બતાવે છે ! ખડીર મા ભગત તરીકે ઓળખતા અમારા ખાસ મિત્ર અને સેવાભાવી ભાઈ શ્રી મોહનભાઈ ભગત જેઓ એ લોકડાઉન દરમ્યાન જે બીમાર લોકો ની પ્રાઇવેટ દવા ચાલુ હતી અલગ અલગ બીમારી ની તેમના માટે મોહનભાઈ ભુજ ગઈ ને દવા લઈ ને આખા ખડીર બેટ મા ઘરે ઘરે દવા પહોંચાડી છે તેમજ સવા બાપા નો રોટલો બહુ પ્રખ્યાત હતો કોઈ ને જમ્યા વગર ના જવા દે રોટલો ત્યાં હરી ઢુંકડો આમ ખડીર મા ઘણા ઘણા ખમીરવંતા લોકો થઈ ગયા છે! તેમજ ઘણી જગ્યાઓ ખડીર મા આવેલી છે જે દુનિયા થી અજાણી છે હવે પ્રવાસ પર્યટન ના કારણે લોકો આવે છે પરંતુ આવી જગ્યા સુધી હજી લોકો નથી પોચી શક્યા આવી તો અનેક નાની મોટી જગ્યા ને સઘરી ને ખડીર બેઠું છે ખડીર તો ખડીર છે તેમાંય તમે ચોમાસામાં જાઓ એટલે તમને ખડીર મા થી આવવા નું મન જ ના થાય એ ખડીર છે!

ખડીર નો પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ પહેલાં)



ધોળાવીરા

ધોળાવીરાના ઉત્તર દરવાજે મળી આવેલ દાર્શનિક અક્ષરો જે વિશ્વ ની તમામ સસ્કૃતિ ની લિપિ ને મેચ કરી પણ લિપિ નો ઉકેલ થઈ શક્યો નથી સરકારે આ લિપિ ઉકેલ માટે ઈનામ પણ રાખેલ છે !
કચ્છમાં વિવિધ કાળખંડના ડાયનોસોરના અવશેષો ધરાવતા ૧૫૦થી વધુ સ્થળો છે.
સિંધુ ખીણ સંસ્કૃતિ
આ ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમુના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડ્ડપીય કાળ (ઈ.પૂ. ૩૩૦૦ - ૨૬૦૦) દરમ્યાનના મળી આવ્યાં છે. કચ્છમાં ઘણાં સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતાત્વીક અવશેષો મળ્યા છે. કચ્છમાં આવેલું ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીક સ્થળ છે. સ્થાનીક ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે. આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે. ચોમાસા દરમ્યાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે. ધોળાવીરામાં માનવ વસવાટ ઈ.પૂ. ૨૯૦૦ થી ૧૯૦૦ વચ્ચે હોવાનું અનુમાન છે. લગભગ ઈ.પૂ. ૨૧૦૦ બાદ તેના પતનની શરૂઆત થઈ. ત્યાર બાદ અમુક સમય સુધી તે આ સ્થળ તજી દીધું હતું. છેવટે તેના ખંડેરમાં ગામડાના લોકોએ લગભગ ઈ.સ. ૧૪૫૦ સુધી વસવાટ કર્યો હતો. ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતત્વીય સ્થળો છે.

✍️ મહાદેવ બારડ વાગડ કચ્છ















Wednesday, August 19, 2020

પત્થર વીંધતું પાણી - કડીયા ધ્રો

મિત્ર રમેશભાઈ આહીરના વૉટસઅપ સ્ટેટ્સમાં એક ન્યૂઝનું ફોટો જોયું... ટાઇટલ હતું "કુદરતને આ નકશીકામ કરતાં 1 કરોડ વર્ષ લાગ્યા"...વાંચતા જ આશ્ચર્યનો પાર નહીં...કચ્છમાં આવી તો વળી કઇ જગ્યા છે જે 1 કરોડ વર્ષ જુના સમયની સાક્ષી છે...બીજા વિડિઓ અને ફોટો પણ તેમણે મૂક્યાં અને કહ્યું કે અમારા ગામના બાજુમાં જ છે...આવો ક્યારેક મજા આવી જાય એવી જગ્યા છે...

જન્માષ્ટમીના સવારના ભાગમાં હું અને મિત્ર મોહન અંતરજાળ ગામની સીમમાં આવેલ ડેમ પાસે વહેતાં પાણીને જોવા ગયા હતા ત્યારે નક્કી કર્યું કે ચાલો આપણે 2 જણા ફરવા જઈએ રાત્રે મોડેકથી પરત આવી જશું...પણ જશું ક્યાં ?? એ પ્રશ્નના જવાબરૂપે જગ્યા નક્કી કરી...નથ્થરકુઈ જગ્યા પાસે નદીમાં આવેલ ખીણ બહુ જોરદાર છે...ત્યાં જઈએ...

બપોર 2 વાગ્યે આસપાસ નીકળ્યા એક એવી જગ્યાની શોધમાં જે સદીઓની સાક્ષી છે...ઠેઠ સુધી વરસાદ આવશે એ ધ્યાનમાં રાખીને એવી તૈયારી સાથે નીકળ્યા ભુજના રસ્તે ભીંજાતા ભીંજાતા...ભુજથી આગળ કોડકી રસ્તે ખારી નદીની ઊંડી ખીણને પણ જોઈ...હજી અમારી સફર 40 કિલોમીટર બાકી હતી એટલે રસ્તામાં ક્યાંય પણ રોકાયા વગર કોડકી,મખના, પાયરકા, ભડલીના ડુંગરાળ રસ્તે પસાર થતાં થતાં ખૂબ મોજ આવી...પહોંચ્યા કોટડા થરાવડા ગામ...હવે મૂંઝવણ એ છે કે ફોનમાં નેટવર્ક આવતું નથી અને રમેશભાઈ ક્યાંય દેખાતા નથી...કરવું તો કરવું શું ? ક્યારેક નેટવર્ક આવે ને અચાનક ચાલ્યું જાય..એમાં વચ્ચે રમેશભાઈનો કોલ આવ્યો કે ગામમાંથી એક ભાઈ તમારા સાથે આવશે એમના સાથે આવો...હું કડિયા ધ્રો જ જાઉં છું...

કોટડા ગામથી સીમના રસ્તે પેલે તો મોટી મોટી 2 નદીઓ પાર કરવાની....1 ડેમ પાર કરવાનું....અને હા....10-12 કિલોમીટરનો એકદમ પહાડી અને જંગલનો રસ્તો તો ખરો જ...એકદમ નિર્જન વિસ્તારમાં પ્રકૃતિના કેટકેટલા રંગ જોવા મળ્યા...મનોમન થાય કે
"પ્રકૃતિ તારા કેટકેટલા રંગ,
જોઈ તને થઈ જવાય છે અંતરંગ".
શાંત જગ્યાએ કુદરતી શોરની મજા એટલી બધી કે એની વાતો ન થાય એ તો મહેસુસ કરીએ તો અનુભવાય...

ઝાડી ઝાંખરાઓના રસ્તે અમે પહોંચ્યા...કડીયા ધ્રો...
કમાલની કુદરત...લાંબી અને મોટી ખીણો... પાણીના ધોધ... સુમસામ જંગલમાં આવેલ કુદરતનો શોર...
પહાડોની પ્રકૃતિ...એવું તો કેટલુંય...જાણે મોજે મોજ...

અનંતના આશરે આ જગ્યા એવી તો વિશાળ કે નદીપટમાં અંદર ઉતરતા જ દ્રશ્યો જ દ્રશ્યો હતાં...આદિલ મન્સૂરી કહે તેમ "નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે" એવા જ રમણીય દ્રશ્યો...
કચ્છમાં અનેક વિશેષતાઓથી છલોછલ છે...એની સાબિતી આ જગ્યા આપે...

કુદરતી નકશીકામ વાળી આ જગ્યાએ વહેતા પાણીનો શોર એટલો બધો કે ત્યાં માણસનું કાંઈ જોર ન ચાલે...
બસ એક જ અનંતનો આશરો...આ પત્થરો અનેક સદીઓના સાક્ષી છે...સમયના અનેક પ્રવાહ તેણે જોયા છે... ઘણું બધું પામેલ આ પત્થર એકદમ મૌન છે...આરપાર વીંધાઈને પણ આશ્ચર્ય ઉભું કર્યું છે...
જોતાવેંત નિઃશબ્દ થઇ જઈએ અને બસ જોતા જ રહીએ એવી અદભુત અને અફલાતુન આ જગ્યાનો પ્રવાસ જીવનભર યાદ રહેશે...

કચ્છડો બારે માસ માણવું હોય તો આ જગ્યા the best... જોયું તે જાણ્યું અને મળ્યું તે માણ્યું...
વળતી વખતે રસ્તામાં અંધારું ઘોર એટલું બઘું કે સામે રસ્તે તો બાઇકની લાઇટ હોય એટલે થોડું દેખાય...પણ પાછળ વળીને જોઈએ તો અંધારું ઘોર...ચંદ્રની ચાંદનીના આછા અજવાળે ડુંગરોની ટોચ સિવાય કાંઈ ન દેખાય એવું અંધારું ઘોર...

ઉમાશંકર કહે તેમ "સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે"...આવી જગ્યા જોઈને ઉરઝરણ વહેતું થયા વગર ન રહે અને સમયના આ પ્રવાહમાં આપણે પણ વહેતાં થઇ જઈએ...

અનંતની આ મોજ માટે એક જ શબ્દ "કમાલની કુદરત".

-વિજય આહીર
જન્માષ્ટમી,2020.
કડીયા ધ્રો,
કોટડા થરાવડા, કચ્છ.

https://m.facebook.com/story.php?story_fbid=2826197434279688&id=100006683773535

Monday, August 17, 2020

નિદ્રાનો કુદરતી ક્રમ •••••••••••••••••••

રાત્રીનાં ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે, જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.

🏀 તમે ૧૧ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછી જ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરાં ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.

🏀 હવે તમે જો ૧૨ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૩ કલાક જ મળે. જો ૧ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૨ કલાક જ મળે અને જો ૨ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારાં શરીરને ૧ જ કલાક મળે.
🏀 જ્યાં ૪ કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછાં કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.

🏀 થોડુંક વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યાં હો ત્યારે ગમે તેટલાં કલાક ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.

🏀 શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમાં તમે અજાણતાં જ અવરોધ ઉત્પન્ન કરો છો. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ૩ થી ૫ નાં સમયમાં લોહીનું સંચરણ ફેફસાં તરફ થતું હોય છે. જે અત્યંત જરૂરી ક્રિયાનું સ્થાન છે તે વખતે તમારે મન અને તનને સ્વચ્છ કરી, ધ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને પરોવી જોઈએ. જેથી બ્રહ્માંડીય ઊર્જા જે તે સમયે વિપુલ માત્રામાં સહજ ઉપલબ્ધ હોય તે તમને પ્રાપ્ત થાય. તે પછી ખુલ્લી હવામાં, વ્યાયામ કરવો જોઈએ. હવામાં આ સમયે લાભપ્રદ આયોનની માત્રા ખૂબજ વધારે હોય છે.

🏀 ૫ થી ૭ શુદ્ધ થયેલાં રક્તનો સંચાર તમારાં મોટાં આંતરડા તરફ હોય છે. જે પાછલો મળ કાઢવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખાં દિવસ દરમિયાન લેવાતાં પોષક તત્વો ગ્રહણ કરવાં માટે તૈયાર કરે છે.

🏀 પછી સૂર્યોદયના સમયે ૭ થી ૯ દરમિયાન શુદ્ધ રક્ત સ્વચ્છ શરીરનાં પેટ અને આમાશય તરફ વહે છે. આ સમય છે જ્યારે પૌષ્ટિક નાસ્તો એટલે શિરામણ આરોગવો જોઈએ.

🏀 તમારાં દિવસનો તે સૌથી જરૂરી આહાર છે. સવારે પૌષ્ટિક નાસ્તો ન કરતાં લોકોને ભવિષ્યમાં ઘણી બધી આરોગ્ય-લક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે.

🏀 આ કુદરતે તમારાં શરીર માટે બનાવેલી આરોગ્ય ઘડિયાળ છે, એને અનુસરવાથી ચિતા સુધી ચાલતાં જઈ શકાય.

🏀 હવે તમે પૂછશો કે ક્યારેક કોઈ કાર્ય મોડી રાત સુધી કરવું પડે તો શું કરવાનું ? હું તો વિનંતી કરીશ કે કામ જલ્દી સૂઈને વહેલાં ઊઠીને ન કરી શકાય ?

🏀 બસ, તમારાં મોડી રાતનાં કાર્યોને વહેલાં ઊઠીને કરવાની આદત પાડો. સમય તો સરખો જ મળશે. પણ સાથે સાથે સ્વસ્થ શરીર પ્રાપ્ત થશે.

आरोग्य वैसे धनम् !

સાભાર : સ્વાસ્થય સેવા whatsapp ગ્રુપમાંથી

Sunday, August 16, 2020

કદમગીરીનું પ્રવાસ વર્ણન :

#કદમગીરી

કશુંક જોયું નહોતું કયાંથી મળશે એ ખબર નહોતી?
બસ કદમ મુકતાં મળી ગયું મળવાનું હતું કદમગીરી.

આયોજન પાકકું હોવું જોઈએ,પછી ભલે એ જીંદગીનું હોય કે પ્રવાસનું...સાંજે પાકકું જ હતું હસ્તગીરી અને કદમગીરી જવાનું,પણ સવાર પડે..જાગીને જોયું તો વરસાદ બંધ થવાનું નામ ન્હોતો લેતો,મને તો થયું આયોજન બંધ રહે એ સારુ,એકતરફ વરસાદ ને એમાં તબિયતનો ખ્યાલ રાખવો હાલનાં સમયમાં ખુબ જરુરી છે. અરવિંદભાઈ ને કૉલ કર્યો અને શાંતિભાઈને કૉલ કર્યો..જવાબ અમારે પણ વરસાદ શરુ છે બંધ રાખો તો સારુ..મેં કહ્યુ પણ જે.જે. ભાઈ માનશે? (જે.જે. ભાઈ એટલે મારા અંગત મિત્ર જયંતિભાઈ જગાભાઈ મકવાણા, નામ ની સાથે ધંધો પણ મોટો હોટલનો હો દોસ્તો😁 જગાભાઈ ગોપનાથવાળા- ગોપનાથ તેમજ તળાજા અને એશિયાનું સૌથી મોટું શિપ યાર્ડ અંલગ અને ભાવનગરનો પ્રખ્યાત વાઘાવાડી રોડ પર ટોમાટીના રેસ્ટોરન્ટ-વાઘાવાડી અને જગાભાઈ ગોપનાથ વાળા હોટલોના માલીક એટલે મોટું નામ જ હો) માનશે !! એમ વિચારતા ફોન કર્યો આયોજન રદ..હું આટલું જ બોલ્યો ત્યાં કહે..એમ ન હાલે ભાઈ..આયોજન કોનું હતુ? મેં કહ્યું મારું તો કહે રદ તમે ન કરી શકો..હું આવું છું નિચડી...🚘 તૈયાર રહો..અને બધાને જવાનું છે ફાઈનલ...ફટાફટ આખી ટીમ તૈયાર...વરસાદ તો શરું જ...ઝરમર ઝરમર...

ઘરેથી નિકળ્યા...આગળ અગાઉ જણાવેલા લોકેશન પરથી ભાઈબંધોને પીકઅપ કરતા...તળાજા હૈય..ને મીઠ્ડા પાન ખાઈને હસ્તગીરી જવા ડગલાં માંડ્યા..પણ સદનસીબ અમારા કે તળાજાથી જ ખબર પડી ગઈ કે..હસ્તગીરી બંધ છે..તો પછી માળનાથ અથવા કદમગીરી ?

ટીકુભાઈ ની સલાહ હતી,તમને કદમગીરી મઝા આવશે, આપણો જવાબ બસ મઝા આવે ત્યાં જ જવું છે..હાંકો..રથડો..કદમગીરી

વરસાદ ધીમી ધારે..છેક કદમગીરી સુધી સ્વાગત કરતો સાથ આપતો હતો..નાનાં નાના ડુંગરાઓની હારમાળા ધીરે ધીરે નજીક આવતી હતી,એક સાતાનાનેસ ગામ યાદ રહ્યું..વડાળ ને..વધારે તો ગાડી પુર ઝડપે ચાલતી હતી અને વરસાદ કહે હું ધીમો નહીં પડું...એ મીઠ્ડા પોંખણ હારે અમે પહોંચી ગયાં કદમગીરી.

અડધે સુધી કાર ચડે..છેક સુધી રસ્તો છે પરંતુ ઉચિત ન લાગતાં અડધે જ પાર્ક કરી આમપણ વરસાદ હોવાથી પાણીના કારણે કાચો રસ્તાનું ધોવાણ થયું હતું એમ જણાતું હતુ.

અડધે રસ્તે થી પછી પગથીયા છે...જે હજાર જેટલાં છે,અને હજાર..પણ હરિયાળીના હાથ જ જોવા રહ્યા એવા મસ્ત,અમારા તો નસીબ ખુબ સારાં, વરસાદ વરસી રહ્યો હતો..સાથે ધુમ્મસમય વાતાવરણ હતું, ડુંગરાની એક બાજું શેત્રુંજી ડેમ અને નદીનું વિશાળ પાણી સાથે..નાના નાના મકાનો ડુંગર પરથી દેખાતા હતાં..જાણે બાળપણમાં ઘર ઘર રમતાં એ યાદ આવી જાય,બીજી તરફ પાલીતાણા જૈન દૈરાસરોની ઉપર આકાશી વાતાવરણ એવું જામ્યું કે જાણે ભગવાન શિવજીની જટામાં ગંગાજી પધારી રહ્યા એમ લાગતું હતું...ને વાદળનો વચ્ચેથી પસાર થતાં હોઈએ એવો આહલાદક અનુભવ થતો હતો.

અવનવી વનસ્પતિઓ દેખાઈ રહી હતી,નામ અને ગુણ ખબર ન્હોતી એટલે ફોટો પરિચય નથી કરાવતો,વરસાદે પણ નકકી જ કર્યું હશે કે અમે અડધે સુધી પહોંચી જઈએ પછી મન મૂકીને વરસવું છે,બસ 500 પગથીયાઓ ચડ્યા ત્યાં વાદળોની ગતી વધી..એટલે સ્વાભાવીક પગની ગતિ તેજ કરી..કમળાઈ મંદિર તરફ પહોંચવા એકીશ્ર્વાસ ઝડપ કરી..પહોંચી ગયો..ટીમ તો ધીરે ધીરે આવતી હતી..

વાતાવરણ મંદિરે પહોંચતા ખુબ ધુમ્મસમય બની ગયું, ડુંગર ઉપર હોવાથી વરસાદની ગતિની ઝડપ પવન સાથે વધી હતી હતી, કમળાઈ માતાના દર્શન કરી..કાર્યાલય તરફ ડગ માંડયો..અને મંદિરની સુવિધાઓ ખુબ સારી છે..મારો પરિચય પુછ્યો એટલે...મારો અને ટીમનો પરિચય આપ્યો..તો આગતા સ્વાગતા પર ઘણો સુધારો જણાયો..ચા પાણી અને એક પુસ્તકનો પ્રેમથી સ્વિકાર કર્યો..ટીમ વતી જે.જે. ભાઈએ..

વરસાદ તો શરુ જ...મનમાં ક્યારનું ઝબુક ઝબુક થતું હતું..શું ખબર? કહું શું આપ બધાને...જયારથી સમજણો થયો..હોળી ધૂળેટી હોય ત્યારે હોળીના એક દિવસ અગાઉ મોટી હોળી પ્રગટે એમ કહે..અને એ અમે પહેલાં તો ઢોરેથી જોતાં, પછી અગાશીએથી..ત્યાંરે એમ થતું આ મોટો ભડકો કયાં થતો હશે? તો વડીલો જવાબ આપે..ઈ ડુંગરામાં થાય..બોવ દુર શેતરુજી ને કાંઠે...આપણે તો નાના હોઈએ એટલે...હા પાડીને થોડું થોડું ખજૂર ,દાળીયા ને નારિયેર વધેરી પગે લાગી..રમવા નિકળી જતા..

બસ આજે વર્ષોથી ઝંખનાનુ સ્થળ રુબરુ જોયું...આહા...કદાચ એ હોળીને..આજ વરસાદ સતત વર્ષી ઠારતો હોઈ શું ખબર?

બસ પછી તો ત્યાંના સંતો અને સંચાલક સાથે..ચા પીધા અને સંત્સગ ખૂબ કર્યો..પરંતુ મને કંઈક મનમાં થતું હતું..એકલો બહાર જઈ ઉભો રહું..બસ છત્રી લઈ મોટા ત્રિશૂલ પાસ અડધી કલાક ઉભો રહ્યો..શું વાત..કરું એ વરસાદ શરુ..ચારેબાજુ વાદળ વાદળ જ...ધુમ્મસ કંઈ સફેદ સિવાઈ દેખાઈ નહી...બસ આ ક્ષણો માણી જીવનની ઉત્તમ યાદીમાં સંભારણું બન્યું...

બસ આવા વાતાવરણ સાથે સમય મળે, સમય પસાર કરતાં રહો..એજ જીવનની મઝા છે....વરસાદ તો સાંજ ઢળવા આવી પણ શરુ જ...બસ પછી તો..તળાજા ભાવતાં ભોજનીયા..ખોડીયાર ભોજનાલય તળાજાના લીધા...આખાં લસણનું શાક, ઓળો...ને અઢળક પકવાનો અને પ્રેમ સાથે...

આજની યાત્રાના સાથીઓ... જે.જે. ભાઈ ગોપનાથ, નિલેષભાઈ મકવાણા, રમેશભાઈ સાંખટ (કોળી સેના વરાછા પ્રમુખ),અરવિંદભાઈ બાંભણિયા (દેવ ફુટવેર તળાજા પિથલપુર) તથા શાંતિભાઈ ઢાપા (પાર્થ મેડીકલ એજન્સી),તેમજ સાદુળભાઈ ચૌહાણ મંગેળા ખોડીયાર ભોજનાલય જેમનાં ભોજન જમ્યા એ શેઠશ્રી.. ખુબ રાજીપો..

વિશેષ પરિચય દિલુ મોભ ની પોસ્ટમાંથી...
આજનું સૌંદર્ય દર્શન-કદમગીરી .
કદમગીરી એ પાલીતાણા -જેસર રોડ પર આવેલું અને શેત્રુજી નદી ના કાંઠે વસેલુ પાલીતાણા તાલુકા ના એક ગામ છે ,ગામ નું મૂળ નામ બોદાનાનેશ છે .જોકે આપણે અહીંયા ગામ ના ઇતિહાસ ની વાત નથી કરવી પરંતુ વાત કરવી છે અહીંયા ના અદભુત સૌંદર્ય /ભક્તિ ધામ ધામ કમળાઇ શક્તિ પીઠ ની .
એક બાજુ પચ્ચીમે સૌરાષ્ટ્ર ની જીવાદોરી એવી શેત્રુજી નદી છે તો આજુ બાજુ નજર પહોંચે ત્યાં સુધી લીલોતરી થી ઢંકાયેલી પર્વતમાળા છે !! જ્યાં નજર પહોંચે ત્યાં સુધી બસ કુદરતે વેરેલું અફાટ સૌંદર્ય !ડુંગર માળા ની વચ્ચે સૌથી ઉંચા ડુંગર ના શિખર પર કમળાઈ ( કમલા -લક્ષ્મી )માતા નું મંદિર છે. જે ઘણી બધી જ્ઞાતિ ઓ ની અમુક પેટા શાખા ઓ ના કુળદેવી છે ( મારા માતૃપક્ષે કુલદેવી છે એટલે મારી માટે તો ધાર્મિક આસ્થા નું કેન્દ્ર પણ છે ) આમ આ સ્થળ વસ્તુતઃ એક ધર્મસ્થળ છે. ડુંગર પર છેક શિખર સુધી તમે તમારા વાહન (બાઇક ,કાર ) દ્વારા પણ જઈ શકો પરંતુ હાલ ના સમયે પગપાળા જવું તે લહાવો છે. ( જો તમે જઈ શકો તો -ફિટનેસ 😀)
હાલ માં અહીં ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે કારણ કે પ્રકૃતિ તેના શ્રેષ્ટ સ્વરૂપે છે .આ ઉપરાંત જો તમારી પાસે સમય હોય તો અહીંયા થી નજીક પણ કેટલાક મુલાકાત લેવા જેવા સ્થળો છે જેમકે પૂર્વ માં વિશ્વ વિખ્યાત સંત શ્રી બજરંગદાસ બાપા ના મંદિર બગદાણા (કદમગીરી થી બગદાણા 13 કી મી ) પણ દર્શન અર્થે જઈ શકો અને ત્યાં થી આગળ શક્તિપૂજકો નું શ્રદ્ધા કેન્દ્ર મોગલ ધામ ભગુડા ( બગદાણા થી ભગુડા 13 કિમિ ) જઈ માં મોગલ ના દર્શન કરી શકો ,ઉત્તર માં પાલીતાણા છે જે કોઈ પરિચય નું મોહતાજ નથી. ટુક માં જો તમે એક આખો દિવસ કુદરત ને માણવા , ધાર્મિક દર્શન માટે ફાળવી હોય તો તમારી માટે આ ક્ષેત્ર શ્રેષ્ટ છે.
અંતે એક સૂચન/વિનંતી - આ સ્થળો એ ધાર્મિક સ્થળો છે એ આપણે યાદ રાખવું પડે ,અહીંયા તમે કુદરત ને માણવા/મળવા/અનુભવવા જાઓ કે પછી માં ના દર્શન કરવા એ બન્ને સ્વીકાર્ય છે પણ એ સિવાય કશું સ્વીકાર્ય નથી જે બાબત ની કાળજી રાખવી જોઈશે.

જય માં કમળાઈ , વંદન આ કુદરત ની રચના કરનાર ને !!
🖋️ દિલુ મોભ

* આજે મિત્રો સાથે માણેલા સૌંદર્ય ની કેટલીક તસ્વીરો 👇

સાભાર :- વંદે વંસુધરા
https://m.facebook.com/story.php?story_fbid=917409925415082&id=100014382487855

Saturday, August 15, 2020

સ્વમુલ્યાંકન પ્રેરક વાર્તા

સ્મિતા...બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે...

અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે...મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે....આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય....

હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે....અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા
રિસાઈ ને રૂમ માં જતી રહી..

સાંજે સસરા નો ફોન આવ્યો..કુમાર..તમારે પાંચ દિવસ ની રજા તો લેવી જ પડશે...સાળા ના લગ્ન છે..રજા તો લેવી પડે...કે નહીં ?

મેં કીધું...વડીલ સમજવા નો.પ્રયત્ન કરો...ઓફીસ નું વાતવરણ અત્યારે ખરાબ છે...

મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા....
આવા સંજોગ માં મારે શુ કરવું એ ખબર પડતી ન હતી...

મારા પપ્પા એ પણ કીધું...મનદુઃખ થાય તેના કરતાં રજા લઈ આનંદ કરી આવ...મેં પપ્પા ને પણ ઓફીસ ની પરિસ્થિતિ સમજાવી.....બાપ કોણે કીધો....જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા.
જા બેટા.. આનંદ કર તારી નોકરી ને તકલીફ પડશે..તો હું બેઠો છું..તારૂ રૂટિન ડિસ્ટર્બ નહિ થાય....એ મારુ તને વચન છે..આવી હિંમત તો માઁ બાપ સિવાય કોઈ આપી શકે નહીં...

લગ્ન પ્રસંગો પૂરા કરી ...બીજે દિવસે હું ઓફિસે ગયો....
સાંજે ઘરે આવી મેં મારો ટર્મિનેટ ઓર્ડર સ્મિતા ના હાથ માં મુક્યો....

પપ્પા બોલ્યા શુ થયું....
કંઈ નહિ પપ્પા....જે થવાનું હતું તે થયું....મને કંપની એ ટર્મિનેટ કર્યો છે..હવે નવી નોકરી ફરીથી ગોતવાની..

સ્મિતા ચિંતા માં પડી ગઈ...
કૂદી કૂદી ને પાંચ દિવસ ની રજા નું કહેતી સ્મિતા નું મોઢું..
ઉતરેલ કઢી જેવું થઈ ગયુ.... દુનિયા તો આપણી તકલીફ ન સમજે પણ જીવનસાથી પણ જયારે આવું વર્તન કરે ત્યારે...દુઃખ થાય..મેં તેને કીધું હતું સ્મિતા તું મહિના પહેલા તારા ભાઈ ના લગ્ન ની તૈયારી માટે જા..પણ મને આગ્રહ ન કર..હું અગત્ય ના ફંક્શન માં હાજરી આપી દઈશ...પણ જીદ કોને કહે....

મારી મમ્મી પણ ચિંતા માં પડી ગઇ...એ પણ બોલી કંઈ વાંધો નહિ..ખાનગી નોકરીમાં તો એવું જ હોય....માનસિક તૈયાર રહેવાનું

પપ્પા ફક્ત એટલું બોલ્યા બેટા કોઈ ચિંતા નહીં...કરતો...
હજુ મારી નોકરી ચાલુ છે...

સ્મિતા અને મારા સસરા ને મેં ચેતવ્યા હતા...એટલે એ લોકો કંઈ બોલી શકે તેમ હતા નહીં...

સવાર પડે મને ઘર માં બેઠેલો જૉઈ સ્મિતા અને મારા દૂર બેઠેલ સસરા ને ધીરે ધીરે ચિંતા વધવા લાગી..
મેં કીધું..સ્મિતા નોકરી નો પ્રયત્ન તો ચાલુ છે...અત્યારે સાવ નવરાં છીયે તો...ચલ થોડો વખત તારા મમ્મી પપ્પા ને ત્યાં રહેવા જઈએ..

સ્મિતા બોલી એમાં થોડા કારણ વગર પિયર જવાતું હશે...તેના કરતાં આ સમય માં નોકરી ગોતો..ઘર માં બેઠા રહેવા થી નોકરી નહીં મળે....રોજ સવાર પડે સ્મિતા ના વાણી વર્તન બદલાવા લાગ્યા...હું...સમાજ અને પરિવાર ના કાંચીડા ની જેમ બદલતા કલર ની નોંધ કરી રહ્યો હતો.

એક દિવસ સાંજે પપ્પા એ મોબાઈલ કરી તેમની ઓફિસે મને બોલાવી..મારા હાથ માં 50000 રૂપિયા નું કવર મૂકી કહે ..મુંઝાતો નહીં બેટા...વધારે રૂપિયાની જરૂર હોય તો કહેજે...મારા ખભા ઉપર પપ્પા નો હાથ જાણે...મારા ઇષ્ટદેવે હાથ મુક્યો હોય તેવું લાગ્યું..બચપન માં તેડી ને ફરતા તેમ મુસીબત ના સમયે મને ફરી તેડી લીધો હોય એવો અનુભવ થયો

હું સમય સ્થળ નું ભાંન ભૂલી પપ્પા ને ભેટી રડી પડ્યો...
આ રૂપિયા ની મારે જરૂર નથી .પપ્પા મારા ખરાબ અને સારા સમય માં કોણ મારી સાથે છે..એ જોવા માટે જ મેં આ નાટક કર્યું છે...

મતલબ....પપ્પા બોલ્યા.

ચલો પપ્પા કેન્ટીન માં..હું શાંતિ થી બધી વાત કરું..

ચા પીતા પીતા મેં કીધું...પપ્પા મારો લિવ રિપોર્ટ લઈ હું મારા બોસ પાસે ગયો..ત્યારે તેમણે મને કીધું..સમીર ખરેખર કેટલા દિવસ ની જરૂર છે ?
મેં પણ સાચું કીધું..સાહેબ ખરેખર બે દિવસ ની જરૂર છે પણ મારી પત્ની અને સસરા ને ઓફીસ ની ગંભીરતા સમજાવી પણ એ સમજવા તૈયાર નથી થતા...

બોસે લિવરિપોર્ટ હાથ માં લીધો..અને બોલ્યા..
સમીર..જીંદગી માં નોકરી અથવા ધંધો ચાલુ હોય ત્યાં સુધી પરિવાર કે સંસાર આપણને ઈંજ્જત થી જુએ છે...નોકરી જતી રહે પછી 365 દિવસ રજા જ હોય છે...પણ આ દરમ્યાન.લોકો નો વ્યવહાર અને વર્તન ઓળખાઈ જાય છે..
આ મારો વ્યક્તિગત અનુભવ તને કહું છું....હો.પોતે નોકરી કરતો હતો..મારી નોકરી અચાનક જવાથી...મારા દામ્પત્ય જીવન માં તોફાન આવ્યું...મારી પત્ની મારી લાંબી બેકારી સહન ન કરી શકી..અને તેણે છુટાછેડા લીધા..
ન છૂટકે મેં ધંધા માં ઝંપલાવ્યું..આજે આ બિઝનેસ ને 25 વર્ષ પુરા થશે...આપણી કંપનીનો ઇતિહાસ તું જાણે છે..
મારો કહેવા નો મતલબ તું સમજી ગયો હોઈશ...દુનિયા ઉગતા સૂરજ ની પૂજા કરે છે

હું તારી વગર કપાતા પગારે 30 દિવસ ની રજા મંજૂર કરું છું...પણ એક શરત...સાથે તને એક બનાવટી ટર્મિનેટ ઓર્ડર પણ આપું છું.. જે તારે લગ્ન માંથી આવી તારા ઘરે બતાવવા નો છે
જેની અસર તારા પરિવાર મિત્રો અને સમાજ ઊપર શુ પડે છે..એ તારે નોંધ કરી મને કહેવાનું છે....આવો જીંદગી નો.પાઠ તને કોઈ નહિ ભણાવે...

મેં મારા બોસ ને બે હાથ જોડી કીધું....બોસ હોય તો આવા હોવા જોઈએ...

પપ્પા..મારા બોસ સાચા છે...આજે મેં તમારી લાગણી પણ જોઈ લીધી મારી.પત્ની સસરા દરેક ના વાણી વર્તન નો અભ્યાસ મેં મારી કાલ્પનિક બેકારી માં કરી લીધો...

પપ્પા કાલ થી મારો નવો જન્મ હશે....નોકરી.પ્રત્યે પ્રથમ મારી વફાદારી હશે..ખરેખર જરૂર હોય ત્યારે રજા માટે કદી મારા બોસે સવાલ નથી કર્યો..તમારા હાર્ટ ના ઓપરેશેેન વખતે મારા બોસે જ કીધું હતું...માઁ બાપ ની સેવા પહેલા પછી ઓફીસ...આવા સંજોગો માં આપણી પણ ઓફીસ પ્રત્યે કોઈ જવાબદારી બને છે..

મારા પપ્પા મારા નવા સ્વરૂપ ને જોઈ રહ્યા..હું પપ્પા ને પગે લાગી બોલ્યો..પપ્પા કાલ થી ફરી નોકરી ચાલુ કરું છું ,જે કંપની કે તેનો.માલિક મારો.ખરાબ સમય સાચવે..તો હું એ કંપની નો સમય કેમ ન સાચવું

પપ્પા...બોલ્યા બેટા આ તારા વિચારો તને ઉન્નતિ ના શિખર સુધી પહોંચાડશે

મારા ખભે હાથ મૂકી પપ્પા એ હસતા હસતા કીધું..મતલબ તેં મારી.પણ.કસોટી કરી લીધી....

ના પપ્પા તમારી કસોટી કરવા ની લાયકાત જ મારા માં નથી.....મારી કોલેજ લાઈફ ની સફર થી બેકારી સુધી
ની સફર દરમ્યાન તમે મારુ પાકીટ હમેશા ભરેલું રાખ્યું હતું..જીવનમાં જે વ્યક્તિ આંખો ની ભાષા સમજતા શીખી જાય .તેને માટે જીવન જીવવું સરળ બની જાય..
તમારી આંખો નો નિર્મલ અને નિસ્વાર્થ ભાવ મેં બચપન થી જોયો છે...
મારે મંદિર ની મૂર્તિ સામે પણ ઉભવા ની જરૂર નથી..ઘરમાં જ માઁ બાપ નું કરુણા અને પ્રેમ નું ઝરણું વહે છે.

સાંજે..હું ઘરે ગયો ત્યારે મારા સસરા સ્મિતા ને લેવા આવ્યા હતા..સ્મિતા બેગ સાથે તૈયાર થઈ બેઠી હતી..મને કહે નોકરી મળે એટલે કહેજો....હું અત્યારે પપ્પા સાથે જાઉં છું

મેં કીધું.FB ઉપર મોટી મોટી વાતો કરનારી...તું એક માત્ર પવન ની લહેર થી ભાંગી પડી...જીવન નું તોફાન હજુ ક્યાં તે જોયું છે...સ્મિતા જે વીપરિત સંજોગ માં પણ મારો હાથ અને સાથ ન છોડે તેના માટે હું જીવું છું..
તું મુક્ત છે..તારી ઈચ્છા મુજબ જાય છે અને ઈચ્છા મુજબ પાછી આવજે....

હા...એક વાત તારા ધ્યાન માટે કહી દઉં,, ના તો હું બેકાર હતો ના તો હું મજબુર હતો ...કોણ કોની સાથે છેલ્લા શ્વાસ સુધી જોડાયેલ છે એ જોવા માટે...આતો ફક્ત નાટક હતું...જીવન વાણી વિલાસ ઉપર નથી ચાલતું...
મારી નોકરી ચાલુ જ છે...એપણ જે કંપની માં હતો ત્યાંજ સમજી....આગળ નો નિર્ણય તારા ઉપર

જય શ્રી કૃષ્ણ કહી હું અંદર ના રૂમ માં જતો રહ્યો..

સાભાર :-
Fb group અખિલ વિશ્વ ગુજરાતી માંથી..
https://www.facebook.com/groups/akhilvishvgujaratimanch/permalink/4239977362741311/

Thursday, August 13, 2020

મેકોલેની શિક્ષણપદ્ધતિ કોવિડ-19 કરતાં વધારે ચેપી છે

જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એમના માટે થોડા દુખદ સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવેથી બાળકોને પ્રાથમિક શિક્ષણ અધરટંગને બદલે મધરટંગમાં આપવામાં આવશે. માતૃભાષા માટે ચિંતિત આપણી માતૃભાષાના વડીલો વર્ષોથી વડીલોને શોભે એવી ગંભીરતાથી અને અમે યુવાનો વર્ષોથી યુવાનોને શોભે એવી હળવાશથી એક વાત કરતા હતા કે દરેક બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો એની માતૃભાષામાં જ મળવું જોઇએ.

‘મૌલિક, તું ઇટ કરી લે, તને ભાવે તે ટેક કર, પછી આંખો બંધ કરીને સ્લીપી જા...’ આવા સંવાદોવાળો હાસ્યરસિક પ્રસંગ છેલ્લા પચીસ વર્ષથી આખા વિશ્વના ગુજરાતીઓને હસાવે છે, એ રમૂજ રજૂ કરવા પાછળનો આશય અંગ્રેજી માધ્યમનો સવિનય વિરોધ જ હતો. ગુજરાતી પ્રજાને સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે, પરંતુ સાચું અને સારું ગુજરાતી ન આવડે તો એ શરમની વાત છે. અત્યારે સોશિયલ મીડિયામાં જે પ્રકારનું ગુજરાતી ચાલે છે એ પરથી સમજી શકાય તેમ છે કે ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર હતી અને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એને નવજીવન મળશે.

મેકોલે નામનો બદમાશ અંગ્રેજ જે શિક્ષણ પદ્ધતિ આપતો ગયો હતો, એ કોવિડ-19 કરતાં વધુ ચેપી અને નુકસાનકારક હતી. આપણે વર્ષો સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા. એનું દુખદ પરિણામ એ આવ્યું કે આજે પણ કોઇ ચીટર ફાંકડું અંગ્રેજી બોલે તો આપણે અંજાઇ જઇએ છીએ. માતૃભાષાના ભવિષ્ય વિશે અંગ્રેજીમાં ચર્ચા કરી શકે એવી કોઇ પ્રજા હોય તો આપણે ગુજરાતીઓ છીએ.

એક દાદા એમના પૌત્રને દરરોજ સવારે ગળામાં ટાઇનો ગાળિયો નાખીને નર્સરીમાં મૂકવા જતા હતા. આપણે ત્યાં મોટા ભાગની અંગ્રેજી શાળાઓમાં ટાઇ, બૂટ, મોજાં, ઇનશર્ટનો રિવાજ છે. યુનિફોર્મ, સ્કૂલબેગ, બુક્સ, નોટબુક્સથી માંડી ખુદ સુધીની તમામ વસ્તુઓ શાળાના સંચાલકો વેચે છે. એટલું સારું છે કે એ લોકો શાળામાં જ હેરકટિંગ સલૂન ખોલીને બાળકો વાળ પણ પોતાની શાળામાં જ કપાવે એવો આગ્રહ રાખતાં નથી. આમ તો તગડી ફી વસૂલ કરી વાલીઓનો ટકો કરી નાખે છે. પછી વિદ્યાર્થીઓના વાળ કાપવામાં કોને રસ હોય?

મોટા ભાગની શાળાઓમાં બાળકો દરરોજ ટાઇ પહેરવાની માથાકૂટથી બચવા માટે રેડીમેડ ટાઇનો ઇલાસ્ટિકવાળો ચણિયો જ રાખે છે. બાળકને નર્સરીથી જ ગળેફાંસો ખાવાની તાલીમ પણ મળેે છે. ગુજરાતી દાદા ધોતિયું પહેરે છે અને પૌત્ર ટાઇ પહેરે છે એટલે પૌત્રને નેકટાઇ અને દાદાને બેકટાઇનું કોમ્બિનેશન છે.

એક સવારે દાદાએ પૌત્રને ચીપડાંયુક્ત આંખ સાથે ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને યુનિફોર્મ, મોજાં-બૂટ સાથે ગળામાં ટાઇનો ગાળિયો નાખી તૈયાર કર્યો. ત્યાર બાદ બાળકના વજન કરતાં વધારે વજનની સ્કૂલબેગ બાળકની પીઠ ઉપર લાદવામાં આવી. બાળકને મોટા થઇને અનાજની ગુણ પીઠ ઉપર ઉપાડવી પડે તેની તાલીમ પણ પરોક્ષ રીતે આપવામાં આવે છે.

ત્યાર બાદ દાદાએ પૌત્રને સ્કૂટરમાં આગળ ઊભો રાખ્યો અને સ્કૂટરને ત્રણ વખત નમાવીને વારંવાર કીક મારી ચાલુ કર્યું. દાદા પૌત્રને લઇને નામ પણ બોલતાં ન આવડે એવા અઘરા નામવાળી કોન્વેન્ટ શાળાના ગેટ ઉપર પહોંચ્યા તો શાળા બંધ હતી. ગેટ ઉપર સ્ટૂલ પર બેસી તમાકુ ખાતાં ચોકીદારને પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે આજે રવિવાર છે. ધોતિયાધારી દાદા મારતા સ્કૂટરે ઘરે આવ્યા અને પૌત્રને યુનિફોર્મ અને ટાઇ સાથે જ ફરી ઘોડિયામાં પધરાવી દીધો. એ બાળક આ સમગ્ર યાત્રા દરમિયાન નિદ્રાધીન હતો એટલે દાદાએ શું બાફી માર્યું એની પૌત્રને કશી જાણ નહોતી.

ગુજરાતી બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવું એ શરમની વાત છે. છતાં ગુજરાતમાં એ ગૌરવની વાત ગણાય છે. ગુજરાતી માધ્યમમાં પણ નોનમેટ્રિક વાલીઓ પોતાના બાળક પાસે એક અંગ્રેજી કવિતા ગોખાવી નાખે છે. ત્યાર બાદ ઘેર જેટલાં મહેમાન આવે એની સામે બાળકને પેલી સાત ખોટની અંગ્રેજી કવિતા બોલવી પડે છે. અહીં દુ:ખની વાત એ છે કે મહેમાન, વાલી કે બાળકમાંથી કોઇને એ કવિતાના ગુજરાતી અર્થની ખબર હોતી નથી.

મેકોલેએ એક પત્રમાં લખ્યું હતું કે, હું ભારતમાં એવી શિક્ષણ પદ્ધતિ મૂકીને આવ્યો છું કે એ લોકો સ્થૂળ અર્થમાં 1947માં આઝાદ થઇ ગયા, પરંતુ સૂક્ષ્મ અર્થમાં તો વર્ષો સુધી અંગ્રેજોના ગુલામ જ રહેશે. મને આશા છે કે આ પ્રજા વીસમી સદીના અંત સુધીમાં પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર ત્રણે ખોઇ નાખશે.

સાભાર સહ....

13/08/2020

મધરટંગ V / S અધરટંગ

વ્યંગ વિશ્વ - કળશ પૂર્તિ

✒લેખક: ડૉ. જગદીશ ત્રિવેદી
https://m.facebook.com/Jagdish-Trivedi-413280352205695/posts/?ref=page_internal&mt_nav=0

મેકોલેની શિક્ષણપદ્ધતિ કોવિડ-19 કરતાં વધારે ચેપી છે

*?સોર્સ: divybhskar.co.in
-----------------------------------


ટીમ
✍🏼
Limited 10 પોસ્ટ વતી
ધવલ બલદાણીયા

(આ પોસ્ટ
કોપી રાઈટ** આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[65 ગ્રુપ, 14000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારું Limited 10 પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...