ગોપનાથ મહાદેવ
પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણે ગાેપ લોકો સાથે સ્થાપેલું
ગોપ ડુંગર ઉપર બિરાજમાન ગોપનાથ મહાદેવનું મંદિર
નજીકમાં પ્રાચિન સુર્યરન્નાદે મંદિર આવેલું છે
જામજોધપુરતાલુકાના ગોપ માઇન્સ ગામે ગોપના ડુંગર ઉપર શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.
ઇતિહાસ પ્રમાણે ગોપનાથની બાજુમાં ઝીણાવારી ગામ છે ત્યાં એક રાક્ષશે 16 હજાર ગોપ કન્યાઓને પુરીને રાખેલી અને તેનું શોષણ કરતો હતો વાતની જાણ શ્રીકૃષ્ણને થતા તેમણે અહી આવીને ગોપ કન્યાઓને મુકત કરાવી રાક્ષસનો વધ કર્યો હતો આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ કન્યાઓને જયાં પુરી રાખેલી તે ગુંફાઆે આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે.
ગોપનાથ મંદિરના મહંત દ્વારા કોઇપણ જાતની સરકારી સહાય વગર ડુંગર ઉપર સુધી ચડી શકાય તેવા રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ છે જેથી પોણા ભાગની ઉંચાઇ સુધી તેા હાલ મોટરકાર પણ ચડી જાય છે જેથી વૃધ્ધ અને અશકત ભાવિકો દર્શન કરી શકે. ગોપ કન્યાઓને મુકત કરીને ગોપ લોકોની યાદમાં ગોપનાથ ડુંગર પર ભગવાન શ્રીકૃષ્ણએ ભવ્ય શિવલીંગની સ્થાપના કરી તે ગોપનાથ મહાદેવ જે અત્યંત ભવ્ય અને પાંચ હજાર વર્ષ જુના શિવલીંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે.
ડુંગર પર બિરાજમાન શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર.
ગોપ ડુંગર ઉપર બિરાજમાન ગોપનાથ મહાદેવનું મંદિર
નજીકમાં પ્રાચિન સુર્યરન્નાદે મંદિર આવેલું છે
જામજોધપુરતાલુકાના ગોપ માઇન્સ ગામે ગોપના ડુંગર ઉપર શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.
ઇતિહાસ પ્રમાણે ગોપનાથની બાજુમાં ઝીણાવારી ગામ છે ત્યાં એક રાક્ષશે 16 હજાર ગોપ કન્યાઓને પુરીને રાખેલી અને તેનું શોષણ કરતો હતો વાતની જાણ શ્રીકૃષ્ણને થતા તેમણે અહી આવીને ગોપ કન્યાઓને મુકત કરાવી રાક્ષસનો વધ કર્યો હતો આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ કન્યાઓને જયાં પુરી રાખેલી તે ગુંફાઆે આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે.
ગોપનાથ મંદિરના મહંત દ્વારા કોઇપણ જાતની સરકારી સહાય વગર ડુંગર ઉપર સુધી ચડી શકાય તેવા રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ છે જેથી પોણા ભાગની ઉંચાઇ સુધી તેા હાલ મોટરકાર પણ ચડી જાય છે જેથી વૃધ્ધ અને અશકત ભાવિકો દર્શન કરી શકે. ગોપ કન્યાઓને મુકત કરીને ગોપ લોકોની યાદમાં ગોપનાથ ડુંગર પર ભગવાન શ્રીકૃષ્ણએ ભવ્ય શિવલીંગની સ્થાપના કરી તે ગોપનાથ મહાદેવ જે અત્યંત ભવ્ય અને પાંચ હજાર વર્ષ જુના શિવલીંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે.
ડુંગર પર બિરાજમાન શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર.
0 Comments